________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા દેવગિણિ ક્ષમાશ્રમણ અને પુસ્તક લેખન
સ્થવિર આર્ય દેવર્કિંગણિએ સંઘસમવાય કરી પુસ્તકલેખનની શરૂઆત કરી’ એ વાત સર્વત્ર પ્રસિદ્ધ હેવા છતાં તે પહેલાં જૈન આગમો લખાયાં હતાં કે નહિ એ જાણવું જરૂરી છે. આચાર્ય શ્રી હેમચંદ્ર
રાત્રિની સ્વપજ્ઞ ટીકામાં જણાવ્યું છે કે “વિનવવનં ૨ દુધમાઅરેબ્રુિઝામિતિ મા માદ્રિકુન-સ્સવ્િવાગઢમૃતિમિઃ પુર્ત ચિતમ્ અર્થાત્ દુધમાકાળના પ્રભાવથી જિનવચનને નાશ પામતું જોઈ ભગવાન નાગાર્જુન, રકંદિલાચાર્ય વગેરેએ પુસ્તકમાં લખ્યું.” આ ઉપરથી એમ લાગે છે કે શ્રીમાન દેવદ્ધિગણિ ક્ષમાશમણ પહેલાં પણ જૈન આગમ પુસ્તક રૂપે લખાયાં હતાં, તેમ છતાં જૈન આગમોને પુસ્તકાદ્ધ કરનાર તરીકે શ્રીમાન દેવગિણિ ક્ષમાશ્રમણનું નામ મશહૂર છે તેનું મુખ્ય કારણ અમને એ જણાય છે કે માથરી અને વાલ્લાભી વાચનાના સૂત્રધાર બેસ્થવિરોઆર્યસ્કંદિલ અને આર્યનાગાર્જુન વૃદ્ધાવસ્થાદિ કારણોને લઈ પરસ્પર નહિ મળી શકવાને લીધે તેમની વાચનાઓમાં જે મહત્વના પાઠભેદ રહ્યા હશે એ બધાનું, તે તે વાચનાના અનુયાયી સ્થવિરેને એકત્ર કરી સર્વમાન્ય રીતે પ્રામાણિક સંશોધન અને વ્યવસ્થા કરવાપૂર્વક તેમણે જૈન આગમોને પુસ્તક રૂપે લખાવ્યાં હશે, એ હોવું જોઈએ. બીજું કારણ સંભવતઃ એ હેવું જોઈએ કે દેવદ્ધિગણિના પુસ્તકલેખન પહેલાનું પુસ્તકલેખન સર્વમાન્ય અને સાર્વત્રિક નહિ થઈ શક્યું હોય, તેમજ આગમ સિવાયનાં બીજાં શાસ્ત્રોના લેખન તરફ લક્ષ્ય નહિ અપાયું હોય, જેના તરફ પણ શ્રીમાન દેવર્કિંગણિએ ખાસ ધ્યાન આપ્યું હશે. તેમ છતાં અમે ઉપર જણાવ્યું તેમ તેઓની પ્રસિદ્ધિ તે “થે કામ ઢિશિ’ એ વચનાનુસાર આગમલેખન માટે જ છે.
કનુ દ્વારસૂત્રમાં પત્ર-પુસ્તક રૂપે લખેલ મૃતને દ્રવ્યશ્રત તરીકે ઓળખાવ્યું છે. એ જોતાં સહેજે એમ લાગે ખરું કે સ્થવિર આર્યરક્ષિતના જમાનામાં પણ આગમો પુસ્તકરૂપે લખાતાં હશે. પરંતુ અમને લાગે છે કે-એ ઉપલક્ષણ અને સંભવ માત્ર જ હોવું જોઈએ, સિવાય સ્થવિર આર્યરક્ષિતના જમાનામાં જૈન આગમ પુસ્તક રૂપે લખાવાનો સંભવ અમને લાગતો નથી.
જૈન લેખનકળાનાં પ્રાચીન સાધનો જૈન સંસ્કૃતિએ લેખનકળાને ક્યારે અને કેમ સ્વીકારી, એ જણાવ્યા પછી પુસ્તકલેખનના આરંભ સમયે તેણે કઈ લિપિને સ્થાન આપ્યું હશે, શાના ઉપર પુસ્તકો લખ્યાં હશે, પુસ્તકો લખવા માટે કઈ જાતની અને ક્યા રંગની શાહી પસંદ કરવામાં આવી હશે, શા વડે પુસ્તક લખ્યાં હશે, એ પુસ્તકોને કેવી રીતે રાખવામાં આવતાં હશે, એના બચાવનાં સાધને ક્યાં ક્યાં હશે, ઇત્યાદિ અનેક જિજ્ઞાસાઓને પૂરે તેવી વ્યવસ્થિત નોંધ આપણને એકીસાથે કઈપણ સ્થળેથી મળી શકે તેમ નથી; તેપણ જૈન સુત્ર, ભાષ્ય, ચૂર્ણ આદિ જેવા પ્રાચીન ગ્રંથોમાં પ્રસંગવશાત્ જે
२१ ‘से किं तं जाणयसरीर-भवियसरीरवइरितं दब्बसुयं ? पत्तयपोत्थयलिहियं ।' पत्र ३४-१।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org