________________
૧૪
જૈન ચિત્રકલ્પદ્રુમ બીજાને કાર્ય કરવામાં સરળતા રહે અને તે સાથે કોઇનામાં કોઈ પણ જાતની શિથિલતા પ્રવેશવા પામે નહિ. જૈન શ્રમણ સંસ્કૃતિ દ્વારા લેખનકળાને સ્વીકાર
જ્યાંસુધી જૈન શ્રમણે બુદ્ધિશાળી અને યાદશક્તિવાળા હતા તેમજ તેમનામાં ઉપર ટૂંકમાં જણાવ્યા પ્રમાણેની સંઘ અને સંઘાટકની વ્યવસ્થા વ્યવસ્થિતપણે ચાલુ હતી ત્યાંસુધી તેમને પુસ્તકોને પરિગ્રહ કરવાની કે લેખનકળા તરફ નજર દેડાવવાની લેશ પણ જરૂરીઆત જણાઈ નહોતી; પરંતુ એક પછી એક ઉપસ્થિત થતા બારબાર વર્ષે ભયંકર દુકાળોને લીધે ૩ જૈન શ્રમણોને ભિક્ષા વગેરે મળવા અશક્ય થયાં અને પરિણામે તેમનામાં સ્વાધ્યાય, પઠન-પાઠન આદિ વિષયક શિથિલતા દાખલ થતાં તેઓ જૈન આગમોને ભૂલવા લાગ્યા. આ સ્થિતિમાં પણ જૈન શ્રમણોએ સંઘસમવાય–સંઘના મેળાવડાઓ કરી ભૂલાઈ જતા જૈન આગમને વાચના દ્વારા કેટલી યે વાર પૂર્ણ કરી લીધાં અથવા સાંધી લીધાં. તેમ છતાં કાળના પ્રભાવે જૈન શ્રમણોની યાદદાસ્તી મોટા પાયા પર ઘસાતી ચાલી, એટલું જ નહિ પણ તે સાથે દેવની પ્રતિકૂળતાને લઈ તે યુગમાં એક પછી એક એમ અનેક ધૃતધર સ્થવિર આચાર્યો એકીસાથે પરલોકવાસી થતા ચાલ્યા, ત્યારે વીર સંવત ૯૮૦ માં સ્થવિર આયે દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ આદિ સ્થવિરાના આધિપત્ય નીચે વલ્લભીપુર–વળામાં જૈન આગના સાર્વત્રિક લેખનને અંગે વિચાર કરવા માટે “સંઘસમવાય’ કરવામાં આવ્યો. આ સંઘસમિતિમાં તે યુગના સમર્થ ભિક્ષસ્થવિરો અને સંભવ પ્રમાણે દેશ-વિદેશના માન્ય શ્રમણ પાસ૬ પણ સામેલ હતા. આ એકત્રિત થએલા “સંધસમવસરણમાં પરસ્પર મંત્રણા કરૈ જૈન આગમને
૧૩ જૈન આગમ પુસ્તકારૂઢ થયા પહેલાં ચાર બાર વર્ષ દુકાળ પડવાની ધ જૈન સાહિત્યમાં મળે છે એક સ્થવિર આયેભદ્રબાહુના સમયમાં, બીજે સ્થવિર આર્યમહાગિઆિર્યસુહસ્તિના વખતમાં, ત્રીજે વજસ્વામિના મૃત્યુ સમય દરમિયાન અને ચેાથે રકંદિલાચાર્ય-નાગાર્જુનાચાર્યના જમાનામાં.
'इतो य वइरसामी दक्षिणावहे विहरति, दुभिक्खं च जायं बारसवरिसगं, सव्वतो समंता छिन्नपंथा, निराधारं जातं । ताहे वइरसामी विज्जाए आहडं पिंडं तदिवसं आणेति ॥'-आवश्यकचूर्णी भाग १ पत्र ४०४.
દુકાળના બીજ ઉલ્લેખ માટે જુઓ ટિવ ૧૪, ૧૬, ૧૮, ૧૯. १४ 'अण्णे भणंति-जहा सुतं णो णटुं तम्मि दुब्भिक्खकाले, जे पहाणा अणुओगधरा ते विण्टा ॥'
–નિજીમૂળ = ૮. वल्लहिपुरम्मि णयरे, देविड्डीपमुहसयलसंघेहिं।
पुत्थे आगम लिहिओ, नवसयअसियाओ वीराओ॥ ૧૬ પાટલિપુત્રીવાચન પ્રસંગે શ્રાવકો હાજર હોવાની વાત નીવાનુશાસન ગાથા ૮૪ની ટીકામાં છે–
'श्रीवीरस्वामिनो मोक्षंगतस्य दुष्कालो महान् संवृत्तः । ततः सोऽपि साधुवर्ग एकत्र मिलितः, भणितं च परस्परम्-कस्य किमागच्छति ? । यावन्न कस्यापि पूर्वाणि समागच्छन्ति । ततः श्रावकैर्विज्ञाते भणितं तैः, यथा-कुत्र साम्प्रतं पूर्वाणि सन्ति ? । तैर्भणितम्-भद्रबाहुस्वामिनि । ततः सर्वसंघसमुदायेन पर्यालोच्य प्रेषितः तत्समीपे साधुसंघाटकः' इत्यादि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org