Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
D
આકાર પામી રહ્યું છે. એવી નાજુક પળે દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય અંગેના શાસ્ત્રીય સિદ્ધાંતોને ભવ્યાત્માઓ સમક્ષ પ્રકાશિત કરી એમને શાસ્ત્રાનુસારી પરંપરાનો બોધ આપવો જરૂરી છે અને આત્માના ભાવશત્રુ સમાન કુતર્કોની જાળમાંથી બહાર કાઢીને શાસ્ત્રીય પરંપરામાં સ્થિર કરવા અતિ અનિવાર્ય છે. પૂર્વકાલીન પૂ. વડીલ મહાપુરુષો દેવદ્રવ્ય અંગે શાસ્ત્રાધારે કયા પ્રકારનો માર્ગ ચીંધી ગયા છે, તે પણ બતાવવો જરૂરી છે.
શાસ્ત્રોમાં દેવદ્રવ્યનો ઘણો મહિમા વર્ણવ્યો છે. તેના રક્ષક-સંવર્ધકને થતા મહાન લાભો અને તેના ભક્ષક-વિનાશકને મળતા યાવત અનંત ટુરિપાકો પણ શાસ્ત્રના પાને નોંધાયેલા છે. આ અંગે શાસ્ત્રો શું કહે છે તે ક્રમશઃ જોઈશું - દર્શનશુદ્ધિ પ્રકરણ ગ્રંથમાં કહ્યું છે કે,
જિuપવથut વૃશિપમાવા -વંસ-TUTIf I
રવવંત નિપ-વ્ર, રિત્ત સંસાોિ હોરૂ ૨૪૪" - શ્રીજિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શન ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યની રક્ષા કરનારો આત્મા અલ્પ સંસારી-નિકટ મોક્ષગામી થાય
અન્ય ગ્રંથમાં કહ્યું છે કે, "एवं नाउण जे दव्वं वुढि नितिं सुसादया।
નર-માન-માપ સંત ઋહિંતિ પુણો ” – આ પ્રકારે જાણીને જે જીવ દેવદ્રવ્યની નીતિપૂર્વક વૃદ્ધિ કરે છે, તે જીવ જન્મ-વૃદ્ધાવસ્થા અને રોગનો અંત કરે છે.
દર્શનશુદ્ધિ પ્રકરણ' ગ્રંથમાં દેવદ્રવ્યના ભક્ષકને અનંતસંસારી બતાવતાં કહ્યું છે કે,
“નિ-પવયui ગુદ્દિામાવાં પI-વંશ-ગુvi .
भक्खंतो जिणदव्वं, अणंत संसारिओ होई ॥१४२॥" – જૈનશાસનની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન-દર્શનાદિ ગુણોની પ્રભાવના