Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
પ્રાકૃત વ્યાકરણ
કે, આર. ચન્દ્ર વિદ્યાવ્યસની પૂ. પંડિતજીએ જીવનના અંત સુધી એક તેજસ્વી વિદ્યાથી, કુશળ અધ્યાપક અને સંશોધક તરીકે કામગીરી બજાવી છે. તેઓ જૈન ધર્મ અને જૈન આગમોના પ્રકાંડ વિદ્વાન હતા. વિદ્યાના અન્ય ક્ષેત્રોમાં પણ તેઓએ ઘણું કામ કર્યું છે. પ્રાકૃત-વ્યાકરણના ક્ષેત્રમાં તેમનું જે પ્રદાન છે તે વિષે અહીં કંઈક કહેવાનું છે એટલે આ વ્યાખ્યાન તેટલા પૂરતું જ મર્યાદિત છે.
પૂ. પંડિતજીએ ઈ. સ. ૧૯૧૧ થી ૧૯૭૮ સુધી આપણને પ્રાકૃત-વ્યાકરણના જે ત્રણ ગ્રંથ આપ્યા તે આ પ્રમાણે છે :
૧. પ્રાકૃત માર્ગો પદેશિકા (૧૯૧૧) ૨. પ્રાકૃત-વ્યાકરણ (૧૯૨૫) ૩. હેમચંદ્રવિરચિત સિદ્ધહેમશબ્દાનુશાસન લઘુવૃત્તિ, અધ્યાય ૮ (૧૯૭૮)
આ ત્રણેય ગ્રંથની જે જે વિશિષ્ટતાઓ તરી આવે છે તે આપની સમક્ષ રજૂ કરવા ૨ા લઉં છું. ૧. પ્રાકૃત માર્ગો પદેશિકા (૧૯૨૧)
પૂજ્ય પંડિતજીએ નવા જમાનાના વિદ્યાર્થીઓને પ્રાકૃતભાષાનું જ્ઞાન આધુનિક પદ્ધતિથી સરળ રીતે પહોંચાડવા માટે જે પહેલ કરી છે તે ખરેખર અભિનંદનીય છે. સંસ્કૃત ભાષા શીખવા માટે આધુનિક પદ્ધતિથી લખાયેલા અનેક ગ્રંથે પહેલાંથી ઉપલબ્ધ હતા પરંતુ પ્રાકૃત ભાષા શીખવા માટે એવો કઈ ગ્રંથ મળતો નહોતો. આ ઊણપને લીધે પંડિતજી પ્રાકૃત ભાષા વિષે કંઈક નવીન પદ્ધતિથી લખવા માટે પ્રેરાયા. બનારસમાં પંડિતજી એક પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા અને તેથી એક સંશાધન છાત્ર તરીકે કાર્ય કરીને પ્રાકૃત માર્ગોપદેશિકા' નામના ગ્રંથની તેઓએ રચના કરી. આ ગ્રંથ ઈ. સ. ૧૯૧૧માં પ્રકાશિત થયો. એની ભાષા ગુજરાતી છે પણ લિપિ દેવનાગરી છે. તેની વિશેષતા એ છે કે એક પણ સંસ્કૃત સૂત્ર આપ્યા વગર સ્વતંત્ર રીતે પ્રાકૃત ભાષાને વ્યાકરણ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું છે. વળી અનવાદ માટે પ્રાત અને રાજરાતીના જુદા જુદા ફકરાઓ આપેલા છે. અમુક જગ્યાએ કસોટી માટે પ્રશ્નો પણ આપ્યા છે. દરેક પાઠમાં જુદા જુદા નામિક શબ્દ, વિશેષણ અને ક્રિયાના ધાતુઓ ગુજરાતી અર્થ સાથે આપ્યા છે જેથી વિદ્યાથીની શબ્દસમૃદ્ધિ ઉત્તરોત્તર વધતી રહે. ગ્રંથના અંતમાં અકારાદિ ક્રમથી લગભગ ૨૦૦૦ શબ્દની યાદી ગુજરાતી અર્થ સાથે આપવામાં આવી છે.
આ ગ્રંથ પ્રકાશિત થયે તે પહેલાં આધુનિક ભારતીય ભાષામાં પ્રાકૃત વ્યાકરણને લગતો એકેય ગ્રંથ પ્રકાશમાં આવ્યો હોય એમ જાણવા મળ્યું નથી. એની ઉપયોગિતા એટલી બધી પુરવાર થઈ કે આ ગ્રંથની પાંચ ગુજરાતી આવૃત્તિઓ અને એક હિન્દી આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. પ્રથમ આવૃત્તિમાં માત્ર ૧૭૫ પાનાં હતાં જ્યારે ચોથી આવૃત્તિ ૩૮૮ પાનાંવાળી છે જેમાં બધી બાબતે વિષે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. એમાં દરેક ઉદાહરણની સાથે સંસ્કૃત રૂપે જોડવામાં આવ્યાં છે અને પાદટિપ્પણમાંસ કૃત અને નવીન ભાષાઓ સાથે સરખામણું કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org