Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
મધુસૂદન ઢાંકી
૧૫
(ચિત્ર ૧૮), રૂપકડની નીચે, સામેના ભદ્રપ્રાસાદના વિતાનમાં, મણિપટ્ટિકા છે [ચિત્ર ૧૫]; જ્યારે અહી વેલ કાઢી છે [ચિત્ર ૧૮], મહાવિદ્યાએનાં બિબ અહીં પણુ અદૃષ્ટ થયાં છે; અને નીચેના બે ગજતાલુના થરાની પટ્ટીઓના તળિયાંના ભાગે પુષ્પાવલિ અને ત્રીજા થરે ઝીણી ઝીણી ઘટિકાઆની શ્રેણી કરેલી છે (ચિત્ર ૧૮). ર'ગમંડપમાં છે તેમ અહીં પણ કરાટકના મધ્યભાગમાં ૧૬ લૂમાના વલયાકર ઊંડા પટ્ટ, અને તે પછી શરૂ થતી પદ્મશિલા દક્ષિણ ભદ્રપ્રાસાદના વિતાનની પદ્મશિલાને મળતી જ છે; ફેર એટલે કે અહી... પાયણાને સ્થાને ચંપક અને અર્ક (આંકડા)ના પુષ્પા છંટકાવ છે, અને કેન્દ્રભાગે પકેસરને બદલે કમળના પુટ દીધે છે (ચિત્ર ૧૭).
અષ્ટાપદ અને સમ્મેતશિખરકે નન્દીશ્વર-દ્વીપના ભદ્રપ્રાસાદાના કરાટકે જોતાં લાગે છે કે ર્ગમાઁડપની મૂળ પદ્મશિલા પણુ જો સાબૂત હેત તે તે પણ કેવી અદ્ભુત લાગત. વસ્તુતયા પંદરમી શતાબ્દીમાં ગિરનાર પરની ખરતરવસહીની અને ત્યાં અન્યત્ર છતેમાં જે કામની સફાઈ, ઝીણવટ, નાજુકતા, અને નમનીયતા છે તેના મુકાબલા નથી. એની સામે રાજસ્થાનમાં રાણકપુર, વરકાણા, હમ્મીરપુર, દેવકુલપાટક (મેવાડ-દેલવાડા), દેલવાડા, અને ચિત્તોડગઢમાં જોવા મળતું સમાન્તર એવું સમાકાલીન કામ ધીંગુ, છીછરું, અને કલ્પનાવિહીન જણાય છે.
દક્ષિણ તરફના ભદ્રપ્રાસાદમાં પદ્મશાલાના સ્તમ્ભાન્તરમાં સુંદર કારણીયુક્ત ખેડવાળી અંધ’ (અદ્રિ) જાળી ભરાવેલી છે (ચિત્ર ૧૬). જ્યારે મૂલપ્રાસાદના ગસુત્રે રહેલ પશ્ચિમ તરફના ભદ્રપ્રાસાદનું માવાળ ખુલ્લું છે. ચૈત્યપરિપાટીકાર હેમહંસ ગણુ તેને શત્રુ જયાવતાર'ના પ્રાસાદ કહે છે, તેના નિર્માતા વિષે જાણવા મળતું નથી. પર્વતની મેખલા(ધાર)ને સાવ અડીને કરેલે! આ ભદ્રપ્રાસાદ સાદો હાઈ શિલ્પની દષ્ટિએ તેમાં ખાસ ધ્યાન ખેંચે તેવું કશું નથી. (આ ત્રણે ભદ્રપ્રાસાદા અહીંની અન્ય દેહરીને મુકાબલે ઘણા મોટા છે.) દેવકુલિકાઓ (દેહરીએ)માં ખાસ ધ્યાન ખેંચે તેવું કશું નથી; (કેટલીક તા વચ્ચે ભી'તા કર્યાં સિવાયની સળંગ છે.) આ સિવાય પશ્ચિમ તેમજ ઉત્તર બાજુની દેહરીના ગભારાનાં, અને તેને લગતી પટ્ટશાલાઓનાં વિતાને, તેમાંયે ભમતીના વાયવ્ય ભાગની પદ્મશાલાનાં વિતાના, તેા પંદરમા શતકની વિતાન-સર્જનકલાની પરાકાષ્ઠા દાખવી રહે છે. આમાંથી દશેક જેટલા ચૂનંદા નમૂનાઓ અહી... મૂળ ચિત્રા સાથે અવલેાકીશું'. ચિત્ર ૧૯માં દર્શાવેલ સમતલ વિતાનમાં વચ્ચે કમલપુષ્પ કરી, ફરતી એ પટ્ટીમાં સાસેહાગણ જેવા ભાસતા છ પાંખડીવાળાં ફૂલાની હાર કાઢી છે, (જેવા પછીથી અમદાવાદ પાસેની ઈ.સ. ૧૫૦૦-૧૫૦૧માં બધાયેલી સુપ્રસિદ્ધ અડાલજની વાવના શૈાભનાંકામાં મળે છે.) વચ્ચેના ભાગની ચેારસાઈને રક્ષવા, અને એનીલ'બચારસાઈ તાડવા, એ બાજુએ કુંજરાક્ષની પટ્ટી કરી છે. તે પછી ઉપસતા ક્રમમાં સદાસાહાગણુની ફરીને પટ્ટી કરી છે. છેવટે ભારપટ્ટોને તળિયે ચારે બાજુ મેટાં પદ્માની કારણી કરી છે. ચિત્ર ૨૦માં ચાદાર પહેાળી પટ્ટીમાં સામંજસ્યના વિન્યાસપદે ચાખડા બાર કાલ કર્યાં છે, અને વચ્ચે જતાલુના થર આપી ઊંડાણુમાં એવું જ, પણુ જરા મેટું, મણિટ્ટિકાથી બાંધેલ ચોરસ ક્ષેત્રમાં, ચાખડુ કાલ કર્યુ છે. આવા છન્દની એક પરિવત નાયુક્ત, મૂળે ફરતાં મોટાં આઠ ચેખડા કેાલ અને વચ્ચેાવચ્ચ ક્ષિપ્ત-પ્રક્રિયાથી કરેલ (નવખંડમાં ચોખંડ કાલ ઉતારેલ હશે તેત્રા) કિંતાનને વયલા ટુકડો માત્ર જ બચી ગયા છે (ચિત્ર ૨૧).
ઉપર કથિત બે પ્રકારાનુ વિશેષ વિકસિત દૃષ્ટાન્ત હવે જોઈએ. ચિત્ર ૨૩માં સમતલ પટ્ટમાં સામ`જસ્ય-ન્યાસમાં ૨૫ પૂર્ણભદ્ર કાલના સંધાન ભાગે પદ્મ-પુષ્પાના ઉડાવ કરેલા છે; જયારે ચિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org