Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
૪૮
દેશી નામમાલા અને અનુવાદ તથા અધ્યયન
ઉપયોગ કર્યો છે, પણ થોડાક સ્થળો સિવાય તેમને પાઠ પિશેલના પાઠથી જ નથી. પંડિતજીની આવૃત્તિનું મૂલ્ય તેના અનુવાદ અને તેને લીધે છે. તેમણે મૂળની ગાથાઓ, તેમના પરની વૃત્તિ અને વૃત્તિમાંના ઉદાહરણને અનુવાદ આપ્યો છે. આ કામનું ઘણું મહત્ત્વ છે. ભૂમિકામાં તેમણે ઉત્સવો રમતગમત, રિવાજો વગેરેના વાચક શબ્દો પ્રત્યે દયાન ખેંચીને દશીનામમાલા”નું સાંસકૃતિક મહત્વ પણ દર્શાવ્યું છે.
રામાનુજ સ્વામીએ દેશ્ય શબ્દના જે અંગ્રેજી અર્થ આપ્યા છે તેમાંના કેટલાક અચોકકસ કે ભૂલ ભરેલા છે. મેં તેવા પોણા બસો જેટલા શબ્દોના અર્થ સુધાર્યા છે. પંડિતજીએ આમાંના લગભગ બધા અર્થો સાચા આપ્યા છે. બીજ, ઉદાહરણગાથાઓને અર્થ બેસાડવો એ ભારે કડાકૂટનું કામ હતું. પિલે તો એ ગાથાઓની સખત ટીકા કરી છે. માત્ર વર્ણાનુક્રમ અને અક્ષરસંખ્યાને કારણે એક ગાથામાં સાથે આવતા શબ્દોને સાંકળી લઈને કેાઈ સુસંગત, કાવ્યાત્મક અર્થવાળી રચના કરનારને એ અર્થ વચ્ચે મેળ બેસાડવા માટે ભારે તાણખેંચ કે દ્રાવિડી • પ્રાણાયામ કરવો પડે. આવું હેવા છતાં, દેશ્ય શબ્દોના અર્થની ચોકસાઈ અને સ્પષ્ટતા માટે, તેમને સંદર્ભ આપતાં હોવાને કારણે, આ ઉદાહરણોનું મોટું મૂલ્ય છે. પિશેલને તેમને અર્થ બેસાડતાં ઘણી મુશ્કેલી પડી છે. પંડિતજીએ ઘણાંખરાં ઉદાહરણને અર્થ સંતોષકારક રીતે બેસાડી આપીને, દેશ્ય શબ્દના અર્થનું સ્પષ્ટીકરણ કરતું મહત્વનું સાધન આપણને સુલભ કરી આપ્યું છે. વળી તેથી હેમચંદ્રની અસાધારણ રચનાશક્તિનું પણ સમર્થન થાય છે. “પતિ પ્રવાસે જઈ રહ્યો છે તેને માટે ભાતું બનાવવા કણક બાંધતી નાયિકાની આંખમાંથી આંજણવાળાં આંસુ કણકમાં સરી પડતાં ભાતાની વાની કાળાશ પડતી બની ગઈ' એ એક જ ઉદાહરણ, હેમચંકે અહીં અપરિહાર્ય વિનોને અતિક્રમીને કવિતા પણ સાધી છે એ બતાવવા માટે પૂરતું છે.
પંડિતજીની આવૃત્તિનું બીજું ઉપયોગી અંગે તેમણે આપેલી વ્યુત્પત્તિધે છે. અન્ય સંસ્કૃત કશે, ઉણાદિસૂત્રની વૃત્તિ, વિક િવગેરેને આધાર લઈને પંડિતજીએ ઘણું દેશ્ય શબ્દોની સંસ્કૃતિને આધારે વ્યુત્પત્તિ આપવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં એ આધાર ન મળે ત્યાં વનિ અને અર્થના સામ્યવાળા ગુજરાતી શબ્દો પણ તુલના માટે આપ્યા છે. અજ્ઞાત મૂળના સંસ્કૃત શબ્દની પણ ધાતુપાઠ વગેરેને આધાર લઈને અને આગમ, લેપ કે વિકારની પ્રક્રિયાને મદદમાં બોલાવીને વ્યુત્પત્તિ આપવાની આપણી પ્રાચીન પરંપરા છે. જોકે પંડિતજીએ પોતે જ નમ્ર ભાવે સ્પષ્ટ કહ્યું છે કે આ જાતની વ્યુત્પત્તિઓમાં ભાષાવિજ્ઞાનના નિયમને ભંગ થતો હેવાને પૂરે સંભવ છે. આમ છતાં એટલું નવનીત તે આમાંથી નીકળે જ છે કે જુદા જુદા સમયે અનેક દેશ્ય શબ્દોને, જરૂરી વણું પરિવર્તન સાથે, સંસ્કૃત શબ્દોને મે મળતો રહ્યો છે. હકીકત છે, દ્રાવિડી, મુંડા તથા ઈરાની, અરબી વગેરે ભાષામાંથી અપનાવાયેલા કેટલાક શબ્દ દેશ્ય તરીકે રૂઢ બનેલા છે. રામાનુજ સ્વામી, રત્ના શ્રીમાન વગેરેએ આ દિશામાં થોડુંક કાર્ય કર્યું છે.
ઉમરે આવું ઊંચી વિદ્વતા અને ભારે પરિશ્રમ માગતું કામ પાર પાડવા માટે પંડિતજી આપણું આદર અને અભિવાદનના ભાજન છે. એમનું આ વિષયનું કાર્ય આગળ ચલાવવાને ભાર આપણા સૌ ઉપર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org