Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
પપ0
અધ્યયન-૨૨ : ટિ. ૧૧-૧૪
૧૧. દિવ્ય વસ્ત્ર-યુગલ (દિવ્યકુત્તિ)
પ્રાચીન કાળમાં ઘણા ભાગે બે જ વસ્ત્રો પહેરવામાં આવતાં–(૧) અંતરીય–નીચે પહેરવા માટેની ધોતી અને (૨) ઉત્તરીય–ઉપર ઓઢવા માટેની ચાદર ૧ ૧૨. ગન્ધહસ્તી ઉપર (ઘસ્થિ)
ગન્ધહસ્તી બધા હાથીઓમાં શ્રેષ્ઠ હોય છે, એટલા માટે તેને જયેષ્ઠક (પટ્ટ-હસ્તી) કહેવામાં આવેલ છે. તેની ગિંધથી બીજા હાથીઓ ભાગી જાય છે અથવા નિર્વીર્ય બની જાય છે. ૧૩. દસારચક્રથી (સારવા )
સમુદ્રવિજય વગેરે દસ યાદવો અને તેમનો સમૂહ “દસારચક્ર' તરીકે ઓળખાતો. શાજ્યાચાર્ય તથા અભયદેવસૂરિએ “સાર'નું સંસ્કૃત રૂપ “શાર્ણ કર્યું છે. દશવૈકાલિક ચૂર્ણિમાં ‘સાર' શબ્દ જ મળે છે. સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્વિમિત, સાગર, હિમવાન, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર, વસુદેવ-એ દસ ભાઈઓ હતા.૫ ઉત્તરપુરાણમાં “ધરણ'ના સ્થાને “ધારણ’ અને ‘અભિચંદ્ર'ના સ્થાને “અભિનંદન' નામ મળે છે.* સંભવ છે કે એમના જ કારણે ‘દસાર' શબ્દ નીકળ્યો પરંતુ આગળ જતા તે યદુસમૂહના અર્થમાં રૂઢ બની ગયો. અત્તકૃતુદશામાં ‘સર્દૂ સારા' પાઠ મળે છે. તેમાં દસારની સાથે દસ શબ્દ વધારાનો જોડાયેલો છે. આનાથી લાગે છે કે બીજો શબ્દ પ્રત્યેક ભાઈ કે યદુવંશી માટે પ્રયોજાવા લાગ્યો હતો. ૧૪. વૃષ્ણિપુંગવ (ખ્રિપુંગવો)
અન્ધક અને વૃષ્ણિ એ બે ભાઈઓ હતા. વૃષ્ણિ અરિષ્ટનેમિના દાદા હતા. તેમનાથી વૃષ્ણિ કુળનું પ્રવર્તન થયું. અરિષ્ટનેમિ વૃષ્ણિ કુળમાં મુખ્ય પુરુષ હતા આથી તેમને અહીં વૃષ્ણિપુંગવ કહેવામાં આવ્યા છે. દશવૈકાલિક તથા આ અધ્યયનના ૪૩મા શ્લોકમાં તેમનું કુળ “અંધક-વૃષ્ણિ' કહેવામાં આવ્યું છે. અંધક-વૃષ્ણિ કુળ બંને ભાઈઓના સંયુક્ત નામે પ્રચલિત હતું.
ઉત્તરપુરાણમાં “અંધક-વૃષ્ટિ’ શબ્દ છે અને તે એક જ વ્યક્તિનું નામ છે. કુશાર્થ (કુશાર્ત?) દેશના સૌર્યપુર નગરના સ્વામી શૂરસેનનો શૂરવીર નામનો પુત્ર હતો. તેના બે પુત્રો થયા–અંધકવૃષ્ટિ અને નરવૃષ્ટિ. સમુદ્રવિજય વગેરે
१. बृहवृत्ति, पत्र ४९० : दिव्ययुगलमिति प्रस्तावाद्
दृष्ययुगलम्। એજન, પત્ર ૪૨૦ : કનેર अतिशयप्रशस्यमतिवृद्धं वा गुणैः पट्टहस्ति
નમિયર્થ: ૩. (ક) વૃત્તિ , પત્ર ૪૨૦ : સારવ ' ઉત્ત
दशार्हचक्रेण यदुसमूहेन । (ખ) દશા શ, વૃત્તિ – ૨
तेऽश्चि-पूज्या इति दशार्हाः । ૪. વૈશાન્નિ, નિના શૂળ, પૃ. ૪૬ : ના
दसारा महुराओ जरासिंधुरायभयात् बारवई गया। अंतगडदसाओ ११, वृत्तिदसण्हं दसाराणं ति तत्रैते दशसमुद्रविजयोऽक्षोभ्यः, स्तिमितः सागरस्तथा।
हिमवानचलश्चैव, धरण: पूरणस्तथा ॥ अभिचन्द्रश्च नवमो, वसुदेवश्च वीर्यवान् । वसुदेवानुजे कन्ये, कुन्ती माद्री च विश्रुते ॥ ઉત્તરપુરા, ૭૦ -૭T धर्मावान्धकवृष्टश्च सुभद्रायाश्च तुग्वराः । समुद्रविजयोऽक्षोभ्यस्ततः स्तिमितसागरः ।। हिमवान् विजयो विद्वान्, अचलो धारणाह्वयः । पूरणः पूरितार्थीच्छो, नवमोऽप्यभिनन्दनः ॥ वसुदेवोऽन्तिमश्चैवं, दशाभूवन् शशिप्रभाः ।
कुन्ती माद्री च सोमे वा, सुते प्रादुर्बभूवतुः॥ ७. बृहद्वृत्ति, पत्र ४९० : 'वृष्णिपुंगवः' यादवप्रधानो
માવીષ્ટ પિત્તિ થવા ૮. રવૈઋનિશ, રા૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org