Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
[ ૮૯ ] करतपि अण्णं ण समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि। छठे भंते ! वए उवट्ठिओमि, सव्वाओ राइभोयणाओ वेरमणं । છાયાનુવાદઃ કથા પરે મત્ત ! તે ત્રિભોવનદાસ; સર્વ મહત્ત ! रात्रिभोजनं प्रत्याख्यामि । तद्यथा- अशनं वा पानं वा खाद्यं वा स्वाद्यं वा नैव स्वयं रात्रौ भुजेत्, नैवाऽन्यान् रात्रौ भोजयेत्, रात्रौ भुञ्जानानप्यन्यान्न समनुजानीयात् यावज्जीवम्, त्रिविधं त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि । तस्य भदन्त ! प्रतिक्रमामि निन्दामि गामि आत्मानम् व्युत्सृजामि । षष्ठे भदन्त ! व्रते उपस्थितोऽस्मि सर्वतः रात्रिभोजनाद्विरमणम् ॥ શબ્દાર્થ – છ છઠ્ઠા વણ- વ્રતમાંરભોયણT = રાત્રિ ભોજનથી વેરમi = વિરમવાનું છે રામોય = રાત્રિ ભોજનના સવ્વ = સર્વ પ્રકારથી પક્વામિ = પ્રત્યાખ્યાન કરું છું તે = તે આ પ્રમાણે આ વ = અન્નાદિ, અથવા પાન વા = પાણી અથવા હાફ વા= ખાદ્ય પદાર્થ, અથવા સાફ વા = સ્વાધ પદાર્થ અર્થ = સ્વયં નેવ મુનિન્ના = ભોજન કરે નહીં અહિં = બીજાને રાઠું = રાત્રિ વ મુંગાવિષ્પા = ભોજન કરાવે નહિ ચાહું મુંબતે વિ= રાત્રિ ભોજન કરનાર અને = બીજા કોઈને ન સમપુનાના = અનુમોદન આપે નહિ. ભાવાર્થ - હે ભગવન્! હવે પછી આ છઠ્ઠા વ્રતમાં રાત્રિભોજનથી વિરામ પામવાનું હોય છે. તો હે ભગવન્! હું રાત્રિભોજનનો જીવનપર્યંત સર્વથા ત્યાગ કરું છું.
તે વ્રતમાં મુનિ ભોજન, પાણી, ફળ-મેવા તથા મુખવાસ આ ચારે પ્રકારનો આહાર રાત્રિમાં સ્વયં કરે નહીં, કરાવે નહીં અને રાત્રિ ભોજન કરનાર અન્યને અનુમોદન આપે નહીં.
હે ભગવન્! હું પણ આ પ્રકારના રાત્રિભોજનનો જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી ત્યાગ કરું છું અર્થાત્ મન, વચન અને કાયા દ્વારા રાત્રિભોજન કરીશ નહિ, કરાવીશ નહિ અને રાત્રિભોજન કરનારને અનુમોદન પણ આપીશ નહિ. તેમજ પૂર્વે જે રાત્રિભોજન સંબંધી આચરણ કર્યું હોય તો તેનાથી હું નિવૃત્ત થાઉં છું, આત્મસાક્ષીએ તે આચરણને નિંદું છું અને આપની પાસે તેની ગહ કરું છું તેમજ હવે પછી તેવા આચરણથી મારા આત્માને સર્વથા અલગ કરું છું. હે ભગવન્! આ પ્રમાણે છઠ્ઠા રાત્રિભોજન વિરમણ વ્રતમાં હું ઉપસ્થિત થાઉં છું. વિવેચન :
સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં અર્થાત્ રાત્રિ દરમ્યાન ચારે ય પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો, તેને રાત્રિભોજન વિરમણ વ્રત કહે છે. આ પાનું... – આ ચાર શબ્દો દ્વારા મનુષ્યને યોગ્ય સમસ્ત આહારનું નિરૂપણ છે. તેના અર્થ આ