Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૧૦
શ્રી દશવૈકાલિક સૂત્ર
હોય, જેના પર ચાલવું સાધુને કલ્પતું ન હોય, તેવી પરિસ્થિતિમાં બીજા, ત્રીજા ઓરડામાંથી કાપડ લાવીને આપે તો સાધુ વિવેકપૂર્વક ગ્રહણ કરી શકે છે.
આ રીતે વિશેષ પરિસ્થિતિમાં સાધુ વિવેકપૂર્વક નિર્ણય કરીને આહારાદિ ગ્રહણ કરે છે. ગાથામાં સોસUT = પ્રાયઃ, શબ્દપ્રયોગનું સૂત્રકારનું આ જ પ્રયોજન છે. સંસ૬ વેળ, તન્નાથ સંસ૬ –આ શબ્દોના બે રીતે અર્થ થાય છે– (૧) મુનિ ખરડાયેલા હાથ વગેરેથી અપાતી અને તેમાં પણ તે જ વસ્તુથી ખરડાયેલા હાથ વગેરેથી અપાતી ભિક્ષા ગ્રહણ કરે. (૨) મુનિ ક્યારેક ખરડાયેલા હાથ વગેરેથી અપાતી વસ્તુ ગ્રહણ કરવાનો નિયમ, અભિગ્રહ કરે અને ક્યારેક તે જ વસ્તુથી અપાતી વસ્તુ ખરડાયેલા હાથ વગેરેથી ગ્રહણ કરવાનો નિયમ, અભિગ્રહ કરે. સંસ૬, અસદુ અને તwાય સકુ આ ત્રણે પ્રકારના અભિગ્રહ આગમ સમ્મત છે. સામાન્ય શ્રમણ અભિગ્રહ વિના પણ આ ત્રણે ય પ્રકારે આહાર ગ્રહણ કરી શકે છે, પણ તેમાં પશ્ચાત્ કર્મ દોષ ન લાગે તેનો વિવેક રાખવો જરૂરી હોય છે. પરિહાર્ય ગ્રાહ્ય સાધ્વાચાર :
अमज्जमंसासि अमच्छरीआ, अभिक्खणं णिव्विगइंगया य ।
अभिक्खणं काउसग्गकारी, सज्झायजोगे पयओ हविज्जा ॥ છાયાનુવાદઃ મઘમાસાણી અમીરીવા, અધીક્ષ્ય નિર્વિવૃત્તિ
अभीक्ष्णं कायोत्सर्गकारी, स्वाध्याययोगे प्रयतो भवेत् ॥ શબ્દાર્થ:- મન નાસિ અમચ્છીમા = મધ માંસ અને મત્સ્યનો ત્યાગી, દ્વેષથી રહિત
મgs = વારંવાર નિબિડું ય = વિગયો રહિત આહાર કરનાર મgu @IBITI@ારી = વારંવાર કાયોત્સર્ગ કરનાર સાધુ સાયબો = સ્વાધ્યાય ધ્યાન આદિ સંયમ યોગોમાં પથ = પ્રયત્નવાન, સદા પ્રયત્નશીલ વિશ્વ = થાય.
ભાવાર્થ :- મધમાંસ અને મત્સ્ય રૂ૫ અભક્ષ્ય ભોજનનો સર્વથા ત્યાગ કરનાર(ષથી રહિત મુનિ) વારંવાર દૂધ-દહીં આદિ વિગય રહિત આહાર કરનાર, વારંવાર કાયોત્સર્ગ કરનાર ભિક્ષુ સ્વાધ્યાય ધ્યાન આદિ સંયમ યોગોમાં સદા પ્રયત્નશીલ રહે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં આહારનો ત્યાગ, વિનયનો વિવેક અને કાયોત્સર્ગ પ્રધાન્ય જીવનવાળા શ્રમણોને સ્વાધ્યાય ધ્યાનમાં પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા કરી છે.
અમછરીવા :- અમછરીયા શબ્દની બે સંસ્કૃત છાયા થતી હોવાથી તેના અમાત્સર્ય અને અમસ્ય