Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૩૦
પરિશિષ્ટ-૩
ગોચરી સંબંધી : દોષ-નિયમ
[આગમ અને ગ્રંથથી સંકલિત]
શ્રી દશવૈકાલિક સૂત્ર
એષણા સમિતિના ૪૨ દોષ પ્રસિદ્ધ છે તે માટે પિંડ નિયુક્તિની ગાથાઓ આ પ્રમાણે છે—
'આપાવામ' સિય,'પૂર્ણમ્પ'મીયાપુ ૫ |
"ठवण पाहुडियाए, 'पाओअर कीय पामिच्चे ॥१॥ '°ીિયટ્ટિય''અભિકે, મળે' માતોહવે । १४ आच्छिज्जे "आणिसिट्ठे, १६ अज्झोयरए सोलसमे ॥२॥ 'धाई दूई णिमित्तं, 'आजीवे वणीम तिगिच्छाए । જો માળે માયા તોમે, વંતિ વલ ૫૬ રૂ| ''પુધ્ધિપુામંથન, વિજ્ઞા' મંત ચુળનોને ય । ૩બાયખાફ ડોસા, સોજસને મૂલમ્મે ॥૪॥
'संकिय' मक्खिय' णिक्खित्त, पिहिय' साहरिय' दाग उमिस्से । પરિખવ નિત નય, મળ વોમા વસતિ
॥
અહીં પહેલી બે ગાથામાં ઉદ્ગમના સોળ દોષ; ત્રીજી, ચોથી ગાથામાં ઉત્પાદનના સોળ દોષ અને પાંચમી ગાથામાં એષણાના દશ દોષ છે. તે દોષોનો નિર્દેશ ભગવતી સૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્ર આદિ અનેક આગમોમાં પ્રાપ્ત થાય છે. તેનું સ્પષ્ટીકરણ પિંડનિયુક્તિ આદિ ગ્રંથ અને વ્યાખ્યાઓમાં છે. તે આ પ્રમાણે છે—
ઉદ્ગમના ૧૬ દોષ– આહાર વગેરેની ઉત્પત્તિ સંબંધી દોષને ઉદ્ગમ દોષ કહે છે. આ સોળ દોષો ગૃહસ્થ દ્વારા લાગે છે. તે આ પ્રમાણે છે.
(૧)
(2)
(૩)
હાઘ, ચમચા કે વાસણ વગેરેના માધ્યમે આધાકર્મી આહારનો અંશ જો શુદ્ઘ આહારમાં મળી જાય તો તે આહાર પૂતિકર્મ દોષ યુક્ત કહેવાય છે.
(૪)
(૫)
એક યા અનેક સાધુ સાધ્વીજીના નામ નિર્દેશ સાથે તેના માટે જ આહાર આદિ બનાવવામાં આવે તે આધાર્મી હોય છે.
કોઈના સ્પષ્ટ નિર્દેશ વિના સામાન્ય રીતે જૈન મુનિ માટે, સર્વ ભિક્ષુ માટે, શ્રમણો માટે, શ્રમણીઓ માટે, આ પ્રકારના ઉદ્દેશ્યથી જે આહારાદિ બનાવવામાં આવે તે ઔદ્દેશિક દોષ છે.
ગૃહસ્થ પોતાના માટે અને જૈન મુનિ માટે એવા મિશ્ર ભાવોથી જે આહારાદિ બનાવે તે મિશ્રાત દોષ કહેવાય છે.
ગૃહસ્થ માટે બનેલા નિર્દોષ આહાર આદિને દાતા સાધુ માટે જુદો રાખી મૂકે અને ઘર માટે બીજો બનાવે, જ્યારે જ્યારે સાધુ-સાધ્વી પધારે ત્યારે તે રાખેલો પદાર્થ તેને જ વહોરાવે. આ રીતે સાધુઓ માટે સ્થાપિત કરે, તે સ્થાપના દોષ છે.