Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 577
________________ | ચૂલિકા-રઃ વિવિ ચર્યા ૫૧૭. પુરુષાર્થ કર્યો છે? અને મારે શું કરવાનું બાકી છે? મારાથી શક્ય હોવા છતાં કયા જ્ઞાન ધ્યાન અને સંયમ તપનું આચરણ હું કરતો નથી? મારી કઈ અલનાઓને અન્ય લોકો જુએ છે? અને કઈ અલનાઓને હું જોઉં છું? તેમજ હું મારી કઈ અલનાઓને જોવા છતાં છોડતો નથી? આ પ્રમાણે ભલી-ભાંતિ વિચાર કરતા મુનિ ભવિષ્યમાં તે ભૂલોને પકડી રાખે નહીં અર્થાતુ ફરી તે દોષ લગાડે નહીં પરંતુ તેને છોડી દે અને જ્ઞાન ધ્યાન તપ સંયમ સંબંધી પુરુષાર્થ કરવામાં વિલંબ કરે નહીં. जत्थेव पासे कइ दुप्पउत्तं, काएण वाया अदु माणसेणं । १४ तत्थेव धीरो पडिसाहरेज्जा, आइण्णओ खिप्पमिव क्खलीणं ॥ છાયાનુવાદઃ યત્રેવ પડ્યેત્ વલ્કુયુત્ત, વાવેન વાવાડથ માનસેન ! तत्रैव धीरः प्रतिसंहरेत्, आकीर्णकः क्षिप्रमिव खलिनम् ॥ શબ્દાર્થ -રત્યેવ - જે કોઈ વિષયમાં, સંયમના પરિણામમાં કે અનુષ્ઠાનાદિમાં વIM = કાયાથી વાયા = વચનથી દુ= અથવા માતે મનથી પોતાને જદુપત્તિ દુષ્યયુક્ત, પ્રમાદયુક્ત પાસે - જુએ તો ધીર- વૈર્યવાનું સાધુ તત્થવ = ત્યાં જ, તે સમયે જ ડિસા રન્ના = શીઘ્રતાથી સંભાળી લે, હટાવી લે માફvો વ= જેમ જાતિવાન અશ્વ વિM = શીધ્ર હરીખ = લગામથી વશ થાય છે. ભાવાર્થ- વૈર્યવાન સાધુ, જ્યાં જે સમયે મન, વચન અને કાયાથી આત્માને દુષ્પવૃત્ત જુએ તે જ સમયે તેને શીઘ્રતાથી હટાવી લે, દુષ્પવૃત્તિથી દૂર કરી લે. જેમ ઉત્તમ અશ્વ લગામથી તુરંત વશ થઈ જાય છે, તેમ પોતાના આત્માને વશ કરી સન્માર્ગે વાળી લે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં શ્રમણ નિગ્રંથોને ગુણોની વૃદ્ધિ અને દોષોના ત્યાગ માટે આત્મનિરીક્ષણ અને આત્માનુશાસન કરવાની પ્રેરણા આપી છે. સંદિપ બનHUM :- બારમી ગાથામાં ગુણ વર્ધન માટેના ત્રણ ચિંતન છે અને તેરમી ગાથામાં અવગુણ નિરસન માટેના બીજા ત્રણ ચિંતન છે, તે આ પ્રમાણે છે– (૧) મેં આ સંયમ જીવનમાં કયા-કયા કાર્યો કર્યા છે? (૨) કયા કયા કાર્ય કરવાના બાકી છે? (૩) કયા કાર્યો કરવાની મારામાં શક્તિ હોવા છતાં પ્રમાદ વશ તેને હું ક્રિયાન્વિત કરતો નથી (૪) મારા કયા દોષો બીજા લોકોને નજરે પડે છે (૫) કયા દોષો મને સ્વયંને દેખાય છે (૬) કયા દોષોને જાણવા છતાં પણ હું તેને છોડતો નથી. ગણ વૃદ્ધિ વિચારણા - સંયમ ગ્રહણ કર્યા પછી સંયમ ચર્યાના સમસ્ત વ્યવહારી આચરણો ઉપરાંત સમયાવકાશ અને ક્ષમતા પ્રમાણે મુનિને બે ગુણોની વૃદ્ધિ કરવાની હોય છે– શ્રુતજ્ઞાન અને તપસ્યા. (૧)

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613