Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૦૪
શ્રી દશવૈકાલિક સૂત્ર
વિચારણીય છે.
ધર્મો પન્નૂફ મર્ફે :— સ્વયં શાસ્ત્રાકારે આ અઘ્યયનના શ્રવણનું મહત્ત્વ આ શબ્દોમાં દર્શાવ્યું છે. આ અધ્યયનમાં ધર્મનું સ્વરૂપ, સંયમ ધર્મનું સ્વરૂપ તેમજ આત્મનિરીક્ષણનું સ્વરૂપ સચોટ અને અનુભવપૂર્ણ છે. તેનું ચિંતન મનન પૂર્વકનું શ્રવણ ખરેખર સંયમ સાધકોની સંયમ પ્રત્યેની બુદ્ધિને પુષ્ટ કરે છે અને નવા સાધકોમાં સંયમ ધર્મને સ્વીકારવાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે.
पुण ઃ– શાસ્ત્ર અને પ્રવચન કેટલાય પ્રભાવક હોય પણ તેની અસર સર્વ જીવોના હૃદયમાં થાય તેમ શક્ય નથી. માટે અહીં સ્પષ્ટ કર્યું છે કે પુણ્યવાન, ભાગ્યશાળી જીવોને ધર્મબોધ કે આત્મબોધ થાય છે. જોકે સંસારમાં પાપી કે ધર્મી દેખાતાં કોઈ પણ પ્રાણી બોધ પામી જાય છે; તત્કાલ જીવન પરિવર્તિત કરીને સંયમ પણ સ્વીકાર કરે છે. ખરેખર તે બોધ પામનાર જીવોને મહાન પુણ્યકર્મોનો સંયોગ થાય છે અને તેથી જ તે મહાપાપી દેખાતા જીવો પણ ધર્મી બનીને આત્મ કલ્યાણ સાધી લે છે. સંક્ષેપમાં મોક્ષ પ્રદાયી ઉત્તમ સાધનો પુણ્યના ઉદયે જ મળે છે.
અનુસોત-સંસાર : પ્રતિસ્રોત-સંયમ :
अणुसोयपट्ठिए बहुजणम्मि, पडिसोयलद्धलक्खेणं । पडिसोयमेव अप्पा, दायव्वो होडकामेणं ॥
છાયાનુવાદ : અનુસ્રોતઃ પ્રસ્થિતે વધુનને, પ્રતિસ્રોતો તપતક્ષેપ । प्रतिस्रोत एव आत्मा, दातव्यो भवितुकामेन ॥
-
=
શબ્દાર્થ:- દુનમ્મિ = મોટા ભાગના મનુષ્યો અનુસોયટ્વિટ્ = સંસાર પ્રવાહમાં ચાલનારા છે ડિસોયલાતવ વેળ = સંસાર પ્રવાહથી વિપરીત ચાલવાનું લક્ષ્ય રાખનારે હોન્ડામેળ મોક્ષ પ્રાપ્તિની ઇચ્છા રાખનાર અપ્પા = પોતાના આત્માને પડિતોયમેવ - વિષય પ્રવાહથી પરાઙમુખ જ વાયવ્યો = કરવો જોઈએ.
३
ભાવાર્થ: :– મોટાભાગના લોકો અનુસ્રોત ગમન કરે છે અર્થાત્ ઇન્દ્રિય વિષયોનું અનુસરણ કરે છે પરંતુ જે મુક્તિનો ઈચ્છુક છે અને જેને સંસાર પ્રતિસ્રોતરૂપ સંયમનું લક્ષ્ય પ્રાપ્ત થયું છે, તે સંયમ સાધક પોતાના
આત્માને પ્રતિસ્રોતમાં જ સ્થાપિત કરે.
अणुसोयसुहो लोगो, पडिसोओ आसवो (मो) सुविहियाणं । अणुसोओ संसारो, पडिसोओ तस्स उत्तारो ॥
છાયાનુવાદ : અનુસ્રોત: સુવો તો, પ્રતિસ્રોત ઞાશ્રય: (મ:) સુવિહિતાનામ્ । અનુસ્રોતઃ સંસાર, પ્રતિસ્રોતસ્તોત્તારઃ ॥