Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
| ૩૪૯ |
લઘુતાથી પ્રભુતા વધે, પ્રભુતાથી પ્રભુ દૂર એ ઉક્તિને યાદ રાખી પોતાની લઘુતાનો વિચાર એકાંતમાં કરતો જ રહે, તેમજ પ્રત્યેક આત્મામાં દોષો તો હોય જ છે, તો પોતાના દોષોને સ્મૃતિમાં રાખી માન કષાયથી સદા સાવધાન રહે. જ વહિર પરિક :- વાદ- અન્ય કોઈપણ વ્યક્તિ. બીજાઓની લઘુતા કરવી એ માનવની દુષ્યવૃત્તિ કહેવાય અને પોતાની પ્રશંસા કરવી એ માનવીય સ્વભાવ કહેવાય છે તેમજ અંતરભાવથી પ્રશંસા ન ઈચ્છવી એ આત્મ સાધકોનો સ્વભાવ છે. પોતાની પ્રશંસા, ગુણ પ્રકાશ કરીને વ્યક્તિ રહી જાય ત્યાં સુધી તો તે ક્ષમ્ય છે પરંતુ જો સ્વ ઉત્કર્ષ સાથે પરાપકર્ષ, પરનો તિરસ્કાર, નિંદા અવહેલના કરે તો તે અક્ષમ્ય છે. તે અઢાર પાપ પૈકી પંદરમું પાપ છે.
અભિમાનનું પ્રગટીકરણ બે પ્રકારે થાય છે– આત્મપ્રશંસા અને અન્યની અવહેલના. જ્યારે વ્યક્તિને પોતાની મહત્તાનું અભિમાન બહુ વધી જાય ત્યારે તેને અન્ય પ્રતિ અહેવલનાનો કે તિરસ્કારનો ભાવ આવે છે. આ બંને દોષો સાધકના વિકાસને અટકાવી દે છે. તેથી મુનિ આત્મ પ્રશંસા કે અન્યનો પરાભવ ન કરે. તે માટે આગમ શાસ્ત્રના એકબે વાક્ય યાદ રાખવા જેવા છે– (૨) ને રિકવા પરં, ન સંતરે રિવર માં જો બીજાઓનો તિરસ્કાર–પરાભવ કરે તે મહાન સંસારમાં પરિભ્રમણ કરે.- સૂિય. ૨–૨–૨.] (૨) પરં વફળાશિ અયં વસીને = અન્યને આ કુશીલીઓ છે તેમ ન બોલે. આ સર્વ ઉપદેશ મુનિને લક્ષ્ય કરીને જ આગમોમાં આપેલા છે, માટે મુનિ સ્વોત્કર્ષ અને પરોપકર્ષ ક્યારે ય કરે નહીં. સુચનામે મનિષ્ણા.... – મુનિ પોતાના કયા ગુણોનો મદ ન કરે, તે ગુણોના અહીં નામ નિર્દેશ કર્યા છે– પોતાને પ્રાપ્ત થયેલા શ્રુતજ્ઞાનનું, જાતિનું, તપનું કે બુદ્ધિનું અભિમાન ન કરે.
જે જે વિષયનું અભિમાન થાય તે તે ભાવો પરભવમાં હીન-હીનતમ પ્રાપ્ત થાય છે. અભિમાન આત્મવિકાસમાં બાધક છે. પુણ્ય કે પુરુષાર્થથી પ્રાપ્ત થયેલી વસ્તુનો સ્વ–પરના કલ્યાણ માટે ઉપયોગ કરવો, તેમાં જ તેની સફળતા છે. તેના દ્વારા અન્યનો તિરસ્કાર કરવો, અભિમાન કરવું, તે પ્રાપ્ત વસ્તુનો દુરુપયોગ છે. આ પ્રકારે વિચારીને મુનિ સદા અભિમાનનો ત્યાગ કરે. દોષ સેવન પ્રતિ મુનિનો વિવેક :
से जाणमजाणं वा, कटु आहम्मियं पयं ।
संवरे खिप्पमप्पाणं, बीयं तं ण समायरे ॥ છાયાનુવાદઃ સ નાનસનાનન વા, વૃત્વ અધાર્નિવ પવન્
संवरेत् क्षिप्रमात्मानं, द्वितीयं तन्न समाचरेत् ॥ શબ્દાર્થ – સે - તે સાધુ ના = જાણતાં અગા = અજાણતા આદમયં = અધાર્મિક, સંયમ વિપરીત, કલ્પ કે મર્યાદાથી વિપરીત, દોષ સેવન યંત્ર કાર્યને વર્લ્ડ કરીને વુિં શીધ્ર અપાઈ
३१