Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૪૧૮ ]
શ્રી દશવૈકાલિક સત્ર
તેમની સેવા શુશ્રુષા કરતાં તેઓના આદેશ વાક્યોનો સ્વીકાર કરે તથા તે આદેશોની યથાર્થ પાલન કરવાની ઇચ્છા રાખતાં ક્યારે ય ગુરુદેવની અવજ્ઞા કે આશાતના કરે નહીં, તે પૂજનીય થાય છે.
रायणिएसु विणयं पउंजे, डहरा वि य जे परियायजेट्ठा ।
_णीयत्तणे वट्टइ सच्चवाई, उवायवं वक्ककरे स पुज्जो ॥ છાયાનુવાદઃ ત્રિપુ વિનાં પ્રયુગ્ગીત, ડુંદર મ િવ ચે પયગ્યેષ્ઠા: I
नीचत्वे वर्तते सत्यवादी, अवपातवान् वाक्यकरः स पूज्यः ॥ શબ્દાર્થ – ને = જે રાપણું = રત્નાધિકોને માટે પરિવાવને – દીક્ષામાં જયેષ્ઠ એવા ડુંદ૨ વિ = બાલ સાધુઓને માટે વિવું = વિનયનો પ૩ને = પ્રયોગ કરે છે એવાર્ડ = તેમજ સત્યવાદી છે ૩(ગો)- વાવ = ઉપાયપૂર્વક આચાર્યાદિની સેવામાં રહે, વંદના કરે વારે = આચાર્યના વચનને સ્વીકારનાર ખાયરો = ગુણાધિકને નમનારો. ભાવાર્થઃ- જે વયમાં નાના હોવા છતાં પણ દીક્ષા પર્યાયમાં જયેષ્ઠ એવા પૂજનીય, રત્નાધિક સાધુઓનો વિનય કરે છે, નમ્ર વ્યવહાર કરે છે, જે સત્યવાદી છે, ગુરુની સમીપે રહે છે અને જે પ્રયત્નપૂર્વક ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, તે પૂજનીય છે. વિવેચન :
પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં વિનીત સાધકની પૂજનીયતાનું કથન કર્યું છે. નિમિવ આદિt :- જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિની શુશ્રુષામાં સાવધાન રહે છે, તેમ આચાર્ય ગુરુદેવની સેવા માટે શિષ્ય પણ સાવધાન રહે છે. શાસ્ત્રકારે વિનય સેવા ભક્તિ માટે અગ્નિહોત્રી બ્રાહ્મણનો આદર્શ ઉપસ્થિત કરીને આ ગાથામાં અને પહેલાં પણ પ્રથમ ઉદ્દેશકની અગિયારમી ગાથામાં નાદિયા નન નરે; પદ દ્વારા સમજાવ્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આગમ કાલમાં અગ્નિહોત્રી બ્રાહ્મણોની બહુલતા હતી અને તેઓની હવન વિધિ અને મંત્રોચ્ચારણ વગેરે વિધિ દ્વારા કલાકો સુધીની થતી પ્રવૃત્તિમાં અગ્નિ પ્રત્યે અસીમ અને અનુપમ ભક્તિ નજરે પડતી હતી. તે સમયે જન સામન્યનો આ અનુભવ ગમ્ય વિષય હતો. તે કારણે વિનય ભક્તિ, સેવા શુશ્રુષા, નમસ્કાર આદિની તલ્લીનતા કે સજાગતા માટે અગ્નિહોત્રી બ્રાહ્મણના આદર્શનું કથન કરવામાં આવ્યું છે. મનોચિં નિયમેવ બંન્વ – અહીં ગુરુના અભિપ્રાયને સમજવા માટે બે શબ્દ આપ્યા છે.(૧) બાતોડ઼ય = ગુરુની દૃષ્ટિ. ગુરુદેવ આંખોના ઈશારાથી જે ભાવ વ્યક્ત કરવા ઇચ્છે તેને જાણીને. (૨)
વુિં = ગુરુના ઈશારા. ગુરુદેવ હાથ વગેરે શરીરવયવો દ્વારા સંકેત કરીને જે ભાવ વ્યક્ત કરવા ઇચ્છે તેને જાણીને. આ બંને પ્રકારે દષ્ટિથી અને અંગ ચેષ્ટાથી જાણી સમજીને તેઓની ઇચ્છા અભિલાષા(છંદ)ને પ્રાધાન્ય આપી, તેઓના ચિત્તની આરાધના કરનાર શિષ્ય.