Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૧૦ : સ ભિક્ષુ
ભાવાર્થ :- જે સ્વયં પંખા વગેરે સાધનથી પવન નાંખે નહિ, બીજા પાસે નંખાવે નહિ; વનસ્પતિઓનું સ્વયં છેદન કરે નહિ, અન્ય પાસે છેદન કરાવે નહિ; તેમજ માર્ગમાં સચેત બીજ વગેરે પડયાં હોય તો તેને બચાવીને ચાલે (તેના ઉપર પગ મૂકતો ન ચાલે) અને સચિત્ત ભિક્ષા ગ્રહણ કરે નહિ; તે શ્રેષ્ઠ સાધુ છે. वहणं तस-थावराण होइ, पुढवीतणकट्ठणिस्सियाणं । तम्हा उद्देसियं ण भुंजे, णो वि पए ण पयावए जे स भिक्खू ॥ છાયાનુવાદ : હનનં ત્રાસ્થાવાળા મવત્તિ, પૃથિવીતૃષ્ણાષ્ઠ નિ:શ્રિતાનામ્। तस्मादौदेशिकं न भुङ्क्ते, नाऽपि पचति न पाचयति यः स भिक्षुः ॥
૪
૪૫૧
-
=
શબ્દાર્થ:- પુનીતળ કબિસ્તિયાળ = પૃથ્વી, તૃણ, કાષ્ઠને આશ્રિત રહેલા તલાવરાળ ત્રસ અને સ્થાવર જીવોનો વહળ = વધ થાય છે તન્હા તેથી દ્દસિય = ઔદ્દેશિક દોષવાળા પદાર્થોનું, સાધુ માટે બનાવેલા પદાર્થોનું પ મુંને = સેવન કરે નહિ ગોવિ પ૬ = સ્વયં આહારને પકાવે નહિ, રાંધે નહીં છ પયાવર્ = બીજા પાસે રંધાવે નહિ.
ભાવાર્થ:- આહારાદિ તૈયાર કરવામાં પૃથ્વી, ઘાસ, કાષ્ઠ અને તેને આશ્રયે રહેલા અન્ય જીવોની હિંસા થાય છે. માટે મુનિ તે ઔદેશિક દોષોવાળા પદાર્થોને ગ્રહણ કરે નહિ, ભોજન સ્વયં બનાવે નહીં, અન્ય પાસે બનાવડાવે નહીં; તે શ્રેષ્ઠ સાધુ છે.
रोइय णायपुत्तवयणे, अत्तसमे मण्णेज्ज छप्पि काए । पंच य फासे महव्वयाई, पंचासवसंवरे जे स भिक्खू ॥ છાયાનુવાદ : રોયિત્વા જ્ઞાતપુત્રવચન, આત્મસમાન મન્યતે ષડપિ ાયાન્ पञ्च च स्पृशेत् महाव्रतानि, पंचाश्रवान् संवृणुयात् यः स भिक्षुः ॥
શબ્દાર્થ :- ખાયપુત્તવયને = જ્ઞાતપુત્રના વચનોને, પ્રભુ મહાવીરની આજ્ઞાને રોફ્ટ - રુચિ કરીને, સમજીને, સ્વીકારીને પંચાસવસંવરે = પાંચે ય આશ્રવોનો નિરોધ કરે છે છષ્મિ ગણ્ = છકાય જીવોને અત્તતમે = પોતાના આત્માની સમાન મળેન્દ્ર = માને છે પન્ન = પાંચ મહયારૂં = મહાવ્રતોને શે = પૂર્ણરૂપથી પાળે છે.
=
ભાવાર્થ:- જ્ઞાતપુત્ર પ્રભુ મહાવીરના વચનોને રુચિપૂર્વક સ્વીકાર કરીને અર્થાત્ સંયમ સંગ્રહ કરીને જે સાધક છકાયના જીવોને આત્મસમાન માને છે, પંચ મહાવ્રતોનું પાલન કરે છે અને પાંચ આશ્રવોનું સંવરણ કરે છે, રોકે છે; તે શ્રેષ્ઠ સાધુ છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પૃથ્વી આદિ છકાય જીવોની અનુકંપા સાથે તે જીવોની હિંસા ન કરનારને