Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૨૪
શ્રી દશવૈકાલિક સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં મુનિને શ્રમણત્વના સારભૂત સમભાવમાં સ્થિર રહેવાની શિક્ષા છે.
२९
1 ofખMા :- સાધુ વિવિધ ઘરોમાં ગૌચરી માટે જાય છે. તે ગૃહસ્થોના વિવિધ પ્રકારના વિચારો કે પરિણામો હોય છે. તે લોકોની પરિસ્થિતિ અને પ્રકૃતિ વિવિધ પ્રકારની હોય છે. તેથી તેના ઘરે આહાર, વસ્ત્ર, પાત્ર આદિ સાધુને યોગ્ય સામગ્રી ઉપલબ્ધ હોય અને સાધુને તે નજર સામે પ્રત્યક્ષ દેખાતી પણ હોય તથા સાધુ તેની યાચના કરે, તેમ છતાં દાતા આપવાનો નિષેધ કરે તો સાધુ તેના પર કોપ ન કરે, અપશબ્દ પણ ન કહે અને શાપ ન આપે. ગૃહસ્થે પોતાની માલિકીની વસ્તુ આપવી કે ન આપવી તે તેની ઈચ્છા પર નિર્ભર છે. ગૃહસ્થ દ્વારા થતાં દરેક વ્યવહારમાં અને ગમે તે પરિસ્થિતિમાં સમભાવ રાખવો તે જ મુનિ ધર્મ છે. વંદન અવંદન વિષે મુનિનો વિવેક :
इत्थियं पुरिसं वावि, डहरं वा महल्लगं ।
वंदमाणं ण जाइज्जा, णो य णं फरुसं वए ॥ છાયાનુવાદઃ ત્રિવં પુરુષં વાવ, કહાં ના મહત્તમ્ |
वन्दमानो न याचेत्, न च एनं परुष वदेत् ॥ શબ્દાર્થ:- વંદનાને વંદના કરનારા સ્વિયં = સ્ત્રી પુરુષ ૪૪ = બાળક, નાના પાસેથી મહત્તા વૃદ્ધ, મોટા બાફા = કોઈ પ્રકારની યાચના કરે નહિ | = અને આહાર ન આપનારાઓને = કઠોર વચન પણ નો વ = કહે નહિ. ભાવાર્થ – સ્ત્રી, પુરુષ, બાળક કે વૃદ્ધ નમસ્કાર કરતા હોય, તે વખતે તેની પાસેથી મુનિએ કોઈ વસ્તુની યાચના કરવી નહિ, તેમજ આહાર નહિં દેનાર પ્રત્યે કઠોર શબ્દો પણ બોલવા નહિ.
जे ण वंदे ण से कुप्पे, वंदिओ ण समुक्कसे । ३०
एवमण्णेसमाणस्स, सामण्णमणुचिट्ठइ ॥ છાયાનુવાદઃ ય ર વન્દ્રતે તને ગૅત, વાતો ન સમુર્ખા
एवमन्वेषमाणस्य, श्रामण्यमनुतिष्ठति ॥ શબ્દાર્થ -ને = જે ગૃહસ્થ ળ વ = વંદના કરે નહિ તે = તેના પર જ કુખે = કોપ કરે નહિં વંકિ = વંદના કરે તો જ સમુજતે = અહંકાર કરે નહિંપર્વ = એ પ્રમાણે, સમપરિણામે રહી