Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૬૦
શ્રી દશવૈકાલિક સૂત્ર
२५
उदउल्लं बीयसंसत्तं, पाणा णिवडिया महि ।
दिया ताई विवज्जिज्जा, राओ तत्थ कह चरे ॥ છાયાનુવાદઃ ૩૬ વનસંરક્ત, પ્રાણ નિરિતા મહાત્T
दिवा तान् विवर्जयेद्, रात्रौ तत्र कथं चरेत् ॥ શબ્દાર્થઃ-૩૬૩ન્ત = પાણીથી ભીંજાયેલવીયસંસૉ બીજોયુક્તમહં પૃથ્વી ઉપરળવડા = પડેલા પાણી = પ્રાણીઓ, કીડી, કંથવા વગેરે લિય = દિવસે તાડું તેઓને વિઝિઝ = વર્જી શકાય વાળો = રાત્રિમાં તો હું = કેવી રીતે વર = જીવોની રક્ષા કરતાં સંચરણ કરાય? ભાવાર્થ- સચિત પાણીથી ભીંજાયેલા હાથ આદિથી, બીજોથી યુક્ત આહાર અને પૃથ્વી પર રહેલા કીડી, કંથવા(ઝીણા જીવો) વગેરેની વિરાધનાથી દિવસે તો સાધુ બચી શકે પરંતુ રાત્રે તે જીવોની જતના કરતા કેવી રીતે ગમન કરાય? અર્થાતુ રાત્રે તે જીવોની જતનાયુક્ત સંચરણ ન થઈ શકે. २६
एयं च दोसं दटूणं, णायपुत्तेण भासियं ।
सव्वाहारं ण भुंजंति, णिग्गंथा राइभोयणं ॥ છાયાનુવાદઃ રોષ દર્દી, સાતપુત્રેન માવતના
सर्वाहारं न भुञ्जते, निर्ग्रन्था रात्रिभोजनम् ॥ શબ્દાર્થ –ાયપુi = જ્ઞાતપુત્ર પ્રભુ મહાવીરે ભાતિય = કહ્યું છે કે લોસ = દોષને કૂ = જાણીને, દેખીને ળિયાંથા = સાધુઓ સવ્વાહરં સર્વ પ્રકારનો આહાર મોળું = રાત્રિ ભોજન જ મુંન્નતિ = કરતા નથી. ભાવાર્થ:- ઉપરોક્ત અનેક દોષોને જાણીને જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહ્યું છે કે શ્રમણ નિગ્રંથ રાત્રિના સમયે કોઈ પણ પ્રકારના આહાર કે પાણીનું સેવન કરતા નથી. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં રાત્રિભોજનના દોષોનું નિરૂપણ કરીને રાત્રિભોજનના ત્યાગનું કથન કર્યું છે. રાત્રિભોજન - સુર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂ૫ ચારે પ્રકારના આહારમાંથી કોઈપણ પ્રકારનો આહાર કરવો; તેને રાત્રિભોજન કહે છે. રાત્રિભોજનના દોષો :- રાત્રિભોજન વેરમણ વ્રત મુખ્યતયા અહિંસા મહાવ્રતની પુષ્ટિ માટે છે. રાત્રિભોજનમાં અનેક સૂક્ષ્મ જીવોની હિંસાની શક્યતા છે, સાધુને માટે રાત્રે વિહાર તેમ જ ગૌચરીનો