Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ
| ૩૧૭ |
સંખડી કહેવાય છે. (૨) ભોજનમાં અન્નને ઘણા પ્રકારે સંસ્કારિત કરવામાં આવે છે, પકાવવામાં આવે છે તેથી તેને 'સંસ્કૃતિ પણ કહે છે. વિન્દ્ર જન્નતિ:- સખડી = જમણવાર. આ કરણીય છે, પુણ્ય કાર્ય છે, તેમ શ્રમણોએ બોલવું નહીં. ગૃહસ્થને ત્યાં લગ્ન પ્રસંગ, શ્રાદ્ધ, મૃતભોજન આદિ પ્રસંગે જે મોટા જમણવાર થાય, તેમાં અનેક જીવોની હિંસા રૂપ મોટા આરંભ સમારંભ થાય છે, તેની પ્રશંસા પ્રેરણાના શબ્દો બોલવાથી સાધુને તેની અનુમોદનાનો દોષ લાગે છે. તે વા વિ ઉત્ત... – આ ચોર વધ્યા છે, તેવી ભાષાનો પ્રયોગ હિંસક છે. સાધુએ તે ચોરાદિના સંબંધમાં તટસ્થ–સમપરિણામે રહેવું જોઈએ. સાધુની તેવી ભાષા સાંભળીને લોકો તેને પકડે, મારે તો સાધુને પરપીડાનો દોષ લાગે. ક્યારેક પ્રયોજનવશ બોલવું પડે તો મુનિ સુત્રોક્ત ભાષાનો પ્રયોગ કરે.
- પ્રણિતાર્થ. તે ધનને માટે જીવનની બાજી લગાવનાર છે. આ વ્યક્તિ ધનની લાલચથી પોતાના પ્રાણને સંકટમાં મૂકી રહ્યો છે. આ ભાષા પ્રયોગ નિરવધે છે. તેથી સાધુ પ્રસંગ આવતાં તેવી ભાષાનો પ્રયોગ કરી શકે છે. તલ ખો પુણો – પૂર્ણ જળથી ભરેલી નદીના વિષયમાં અવિવેકપૂર્ણ ભાષા બોલવાથી અષ્કાયના જીવોની વિરાધનાનો કે અનુમોદનનો દોષ લાગે. પાપપ્રવૃત્તિ સંબંધી ભાષા વિવેક :
तहेव सावज्जं जोगं, परस्सट्ठाए णिट्ठियं ।
कीरमाणं ति वा णच्चा, सावज्ज ण लवे मुणी ॥ છાયાનુવાદ: તર્થવ સાવદ્ય ચો, પરાથર નિષ્ઠિતમ્ |
क्रियमाणमिति वा ज्ञात्वा, सावद्यं न लपेत् मुनिः ॥ શબ્દાર્થ -સાવર્ષા - પાપ યુક્ત નો યોગ વ્યાપાર પરસ્ટટ્ટા = અન્યને માટે જિયં = થઈ ગયેલા શરમાળ = વર્તમાને કરાતા, ભવિષ્યમાં થનારાખડ્યા = જાણીને મુળ = મુનિ સાવજ = પાપ યુક્ત ભાષા. ભાવાર્થઃ- આ જ રીતે ગુહસ્થો માટે જે કંઈ સાવધ ક્રિયા થઈ હોય કે થઈ રહી હોય અથવા થવાની હોય તે વિષે મુનિ સાવધ ભાષા ન બોલે.
सुकडे त्ति सुपक्के त्ति, सुच्छिण्णे सुहडे मडे । ४१
सुणिट्ठिए सुलढे त्ति, सावज्ज वज्जए मुणी ॥
४०