Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ
[૨૯૯]
વોલપૂ દોષોને જાણનારા પwવં પ્રજ્ઞાવાન સાધુi તે પ્રકારે ભાવિના ભાષણ ન કરે, ન બોલે. ભાવાર્થ:- ભાષા સંયમના દોષોને જાણનારા, પ્રજ્ઞાશીલ મુનિ આવી(ગાથા ૧૨માં નિષિદ્ધ ભાષા) તથા આવા જ પ્રકારની અન્ય ભાષા કે જેથી પ્રાણીઓને પીડા થાય કે કોઈનું હૃદય દુભાય, તેવી ભાષા બોલે નહિ.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પર પીડાકારી અને કઠોર ભાષા સંબંધી વિવેક શીખવવામાં આવ્યો છે અને મુનિને બે વિશિષ્ટ ગુણોથી સંબોધિત કર્યા છે. માથાર ભાવ હોસUપૂ – આચાર ભાવ = ભાષાનું પ્રકરણ હોવાથી ભાષા સંબંધી સમાચાર, તેમ અર્થ થાય છે. સન્ = દોષોને જાણનાર અને અપેક્ષાથી ગુણ અને દોષ બંનેનો જાણનાર. આ રીતે સંપૂર્ણ પદનો અર્થ થાય કે ભાષામાં સંબંધી સંયમાચારના ગુણ–દોષોને જાણનાર મુનિ. TUMG - પ્રજ્ઞાવાન. આગમોમાં અનેક સ્થળે મુનિ માટે આ શબ્દ મળે છે. મુનિના સન્માનાર્થે આ સંબોધન સૂચક શબ્દ છે. તેનો અર્થ છે– બુદ્ધિમાન, પ્રજ્ઞાવાન, બુદ્ધિશાળી. સામાન્ય બુદ્ધિવાળા સાધક પોતાના વિવેકથી નિર્ણય કરવામાં અસમર્થ હોય છે. તેઓ ગુરુ આજ્ઞા અને સંસ્કાર કે અભ્યાસથી ભાષાનો વિવેક જાળવી શકે; પરંતુ પ્રજ્ઞાવાન સાધક દરેક સ્થિતિમાં સ્વનિર્ણાયક થઈ શકે છે.
ગાથાઓમાં નિરૂપિત વિષય શબ્દાર્થ અને ભાવાર્થથી સ્પષ્ટ છે. સંક્ષેપમાં સાધુ કઠોર કે પરપીડાકારી ભાષાનો પ્રયોગ ન કરે. સંબોધન સંબંધી ભાષાનો વિવેક :१४ तहेव होले गोले त्ति, साणे वा वसुले ति य ।
दमए दुहए वा वि, णेवं भासिज्ज पण्णवं ॥ છાયાનુવાદ તથૈવ "ત" "જોત' તિ, 'શ્વા’ વા "વૃષ" રતિ
'द्रमको' दुर्भगश्वाऽपि, नैवं भाषेत प्रज्ञावान् ॥ શબ્દાર્થ –ત = તેમજ હોને - મૂર્ખ!ોને ત્તિ = જારથી ઉત્પન્ન થયેલ માટે રે ગોલક! = રે શ્વાન!, ઓ કૂતરા!વસુ = ઓ વૃષલ, રે વ્યભિચારી!હમણ = રે કંગાલ, ઓ ભિખારી ગુણ = ઓ (અરે) દુર્ભાગી પણ = પ્રજ્ઞાવાન મુનિ. ભાવાર્થ – આ જ રીતે પ્રજ્ઞાવાન મુનિ– રે મૂર્ખ! રે ગોલક! રે શ્વાન ! ઓ વ્યભિચારી રે ભિખારી! રે દુર્ભાગી ! તેવા શબ્દોથી કોઈને બોલાવે નહિ.