Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[૧૬]
શ્રી દશવૈકાલિક સૂત્ર છાયાનુવાદ: રનવારણ હિત, નિશીપ (ઉષથ) વદન વI
लोढेण वापि लेपेन, श्लेषेण वा केनचित् ॥४५॥ तच्चोद्भिद्य दद्यात्, श्रमणार्थं वा दायकः ।
ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥४६॥ શબ્દાર્થ:- હળવારા = પાણીના ઘડાથી સાફ = ઓરશિયાથી (સુખડ આદિ ઘસવાનો પથ્થર, સિલા, પથ્થરની છાટ) વાંઢાપ = ચોકી–બાજોઠથી સોળ = નિશાતરાથી, દાળ વાટવાનો પથ્થર, ઉપરવટણો નેવેણ = માટી આદિના લેપથી સિત્તેરેજ = લાખ આદિથી ખડું = બીજી કોઈ વસ્તુથી પિહિર્ચ = ઢાંકેલ હોય તે = તે ઢાંકેલા આહાર–પાણીને સમગઠ્ઠા = સાધુને માટે બિલિયા = ખોલીને, ભેદન કરીને તોડીને જવા = બીજા પાસે અપાવે Mિા = આપે ત્યારે.
ભાવાર્થઃ- જે આહાર–પાણીના વાસણ સચિત્ત પાણીના ઘડાથી, ઓરશિયાથી, બાજોઠથી નિશાતરાથી ઢાંકેલા હોય કે માટી અથવા કોઈ લેપથી છાંદેલ હોય અથવા લાખ વગેરેનું સીલ દીધું હોય તેવા પદાર્થોના લેપ વગેરેને સાધુ નિમિત્તે તોડીને ભિક્ષા આપે કે અપાવે તો ભિક્ષા દેનાર તે વ્યક્તિને શ્રમણ કહે કે તેવા પ્રકારના આહાર પાણી અને કલ્પતા નથી.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ભારે પદાર્થ ઉપાડવા સંબંધી અને ઉભિન્ન દોષ સંબંધી નિરૂપણ છે. તાલાપ પિફિ... :- આ ગાથામાં પિહિત દોષ માટે ચાર પદાર્થોનાં નામ છે અને બે શબ્દોથી ઉભિન્ન દોષનું કથન છે. યથા- (૧) વારા = પાણી વગેરેના ભરેલા ઘડા મુનિને કલ્પનીય આહાર–પાણીના વાસણ ઉપર રાખેલા હોય, જેને ઉપાડવામાં દાતાને કષ્ટ થાય. (૨) = સુખડ વગેરે ઘસવાનો પથ્થર, પથ્થરની છાટ. તે પણ બહુ ભારે હોય છે. (૩–૪) બાજોઠ અને નિશાતરો બહુ ભારે ન હોય પણ ઉપાડતાં મૂકતાં હાથમાંથી છટકી પડે તો હાથ–પગમાં વાગી જાય. આ ચારે ય પિહિત દોષના પદાર્થો છે. (૫) નેવેઝ = માટી વગેરેના લેપથી મુખ બંધ કરેલા ઘડા વગેરે (૬) સિલેખ = સોલ્યુશન વગેરેથી સીલ કરેલા વાસણ– તેલના પીપા, ડાલડાના ડબ્બા વગેરે.
ઉભિન્ન દોષ :- સામાન્ય રીતે કોઈ વસ્તુથી ઢાંકેલો અથવા લેપાયેલા વાસણનું મોઢું ખોલીને આપેલો આહાર ઉર્ભિન્ન દોષ યુક્ત છે. આ ઉદ્ગમનો ૧૨મો દોષ છે. ઉર્ભિન્ન બે પ્રકારના છે– પિહિત અને કપાટ, માટી આદિથી બંધ કરેલા વાસણનું મોટું ખોલવું પિહિત ઉભિન્ન છે તથા બંધ બારણા ખોલવા કપાટ ઉભિન્ન છે. ઢાંકણું સચેત પણ હોય છે અને અચિત્ત પણ હોય છે. ઘી વગેરેનો ઘડો કેળ આદિના પાંદડાથી ઢાંકેલો હોય તો તે ઢાંકણ સચિત્ત છે. પત્થરની શિલા, નિશાતરો કે બાજોઠ ઢાંક્યો હોય તો તે અચેત છે. અચિત્ત હોવા છતાં પણ તે ભારેખમ હોય છે. તેને ઉપાડવા, મૂકવામાં હિંસા, અયતના કે દાતાને