Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦૪
શ્રી દશવૈકાલિક સૂત્ર
પાચમું અધ્યયન [બીજે ઉદેશક]
સર્વાશ આહાર કરવાનું વિધાન :
पडिग्गहं संलिहिताणं, लेवमायाए संजए ।
दुगंधं वा सुगंधं वा, सव्वं भुजे ण छड्डए । છાયાનુવાદઃ પ્રતિ સંહિ , નેપમાત્રથી સંયતઃ |
__ दुर्गन्धं सुगन्धं वा, सर्व भुञ्जीत न छर्देत् ॥ શબ્દાર્થ-સંન - સંયમી સાધુપડપારં પાત્રને સેવાયર લેપમાત્ર પર્યત સિદિત્તામાં = આંગળીથી લૂછીને, ચાટીને દુN = અમનોજ્ઞ વ = અથવા સુN = મનોજ્ઞ સવ્વ = સર્વને મુંને = આરોગે પરંતુ છેકુ = કિંચિત્માત્ર પણ છોડે નહિ. ભાવાર્થ - મુનિ આહાર કરતાં પાત્રમાં અવશિષ્ટ ખાદ્ય પદાર્થના લેપમાત્રને પણ આંગળીથી લૂછીને ખાય. ખાદ્ય પદાર્થ અને તેનો અવશિષ્ટ લેપ મનોજ્ઞ હોય કે અમનોજ્ઞ હોય, પૂર્ણ રીતે લેપ સહિત તે આહારને મુનિ આરોગી લે પરંતુ કિંચિત્ માત્ર છોડે નહીં; ફેંકે નહીં. વિવેચન :
પ્રસ્તુત ગાથા દ્વારા સાધુની ભોજન વિધિમાં અસ્વાદવૃત્તિ અને સ્વચ્છતાનું નિરૂપણ છે. દુર્ષ સુN – મુનિની આહાર વિધિના વર્ણનમાં આવતા
પુ સવું, મુકિંગ-દુટિંગ એવા પ્રતિ પક્ષયુક્ત શબ્દોનો શાબ્દિક અર્થ ન લેતાં ભાવાત્મક અર્થ અત્રે લેવાય છે. તેથી આ યુગલ શબ્દોનો પ્રાસંગિક અર્થ- "સારા-નરસા પદાર્થ, મનોજ્ઞ–અમનોજ્ઞ ખાદ્ય પદાર્થ" તેમ થાય છે. તેથી અહીં પણ સુiઉં ટુવયં શબ્દનો ભાવાત્મક અર્થ ગ્રાહ્ય છે કે પાત્રમાં પ્રાપ્ત થયેલો આહાર મનોનુકૂલ કે અમનોનુકૂલ બંને પ્રકારનો હોય શકે છે. મનોજ્ઞ આહારને છોડવાથી જોનાર અન્ય શ્રમણ કે ગૃહસ્થને અપ્રીતિ થાય છે, તેમજ અમનોજ્ઞ (ઉચ્છિષ્ટ) પદાર્થને છોડવામાં મુનિની સ્વાદુતા પરિલક્ષિત થાય છે. માટે પ્રભુ આજ્ઞાનુસાર મુનિએ દુર્લક્ષ વૃત્તિનો ત્યાગ કરી, સ્વચ્છતા સાથે આહાર કરવો જોઈએ અર્થાત્ પાત્રમાં અંશમાત્ર પણ આહારનો લેપ છોડ્યા વિના તેને લૂંછી ધોઈને સંપૂર્ણ આહારને આરોગી લેવો જોઈએ.