Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦૮ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
(૧) આગમ દષ્ટિએ ગૌચરીનો કાલ - ગૌચરીનો કાલ આગમ દષ્ટિથી ગોચરીના કાલની વિચારણા બે પ્રકારે થઈ છે– (૧) સામાન્ય રીતે વગર કારણે નિરોગી શરીરવાળા ભિક્ષુએ દિવસના ત્રીજા પ્રહરમાં ગોચરી જવાનું, પાછા ફરવાનું અને આહાર આરોગીને તે સંબંધી સર્વ કાર્યથી નિવૃત્ત થવાનું હોય છે. કારણ કે ઉત્તરાધ્યયન સૂત્રના છવ્વીસમા સમાચારી અધ્યયનના વર્ણન પ્રમાણે મુનિ પ્રથમ દ્વિતીય પ્રહરમાં ક્રમશઃ સ્વાધ્યાય ધ્યાનથી નિવૃત્ત થયા પછી ત્રીજા પ્રહરમાં ગોચરી જાય એવું વિધાન છે. તેમજ ભગવતી સૂત્ર વગેરે શાસ્ત્રોમાં અનેક નિગ્રંથ મુનિઓના ગોચરી જવાના વર્ણનમાં ત્રીજા પ્રહરનો ઉલ્લેખ છે. આ સર્વ સામાન્ય ધ્રુવ માર્ગ છે.
(૨) વિશેષ રીતે સકારણ દિવસના કોઈપણ અનુકૂલ સમયે મુનિ ગોચરી જાય તે આગમ સંમત છે. તેનું તાત્પર્ય એ છે કે મુનિને જ્યારે રુગ્ણતા, નિર્બલતા, વૃદ્ધાવસ્થા હોય; વિહારનો થાક હોય, પોરસી વગેરે તપ માટે વર્યાતરાય કર્મનો ક્ષયોપશમ ન થયો હોય, ભૂખ-તરસની સહનશીલતાનો અભ્યાસ ન થયો હોય; આ સર્વ સ્થિતિયોમાં ગુરુ આજ્ઞા અનુસાર મુનિ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં કોઈપણ યોગ્ય સમયે વિવેકપૂર્વક ગોચરી જઈ શકે છે. આ તથ્યની પુષ્ટિ આચાર શાસ્ત્ર અને છેદ સૂત્રના વર્ણનોથી થાય છે. આ રીતે આગમિક દષ્ટિએ ઉત્સર્ગ માર્ગે ત્રીજો પ્રહર ગોચરીના કાલ છે અને વિશેષ પરિસ્થિતિમાં દિવસનો કોઈપણ ભાગ ગોચરીનો કાલ કહી શકાય છે.
(૨) ક્ષેત્રદષ્ટિએ ગોચરીનો કાલ - તે તે ક્ષેત્રમાં રહેતા લોકોના ભોજનનો સમય તે ગોચરીનો કાલ કહેવાય છે. શ્રમણોને સ્વયંનો અને તે તે ક્ષેત્રના લોકોનો સમાધિભાવ જળવાઈ રહે તે માટે ક્ષેત્રની દષ્ટિએ કાલની વિચારણા કરવી અતિ આવશ્યક છે. ક્ષેત્રની અપેક્ષાએ કે લોકોની અપેક્ષાએ ગોચરીનો કોઈ નિશ્ચિત કાળ કે અકાળ થઈ શકતો નથી, પ્રત્યેક ક્ષેત્ર અને પ્રત્યેક ઘરમાં ભોજનનો સમય તેઓની પરિસ્થિતિ અને રુચિ અનુસાર ભિન્ન-ભિન્ન હોય છે. માટે તે બંનેનો યોગ્ય આશય સમજવો અત્યંત જરૂરી છે. તે આ પ્રમાણે છે– લોકોની અપેક્ષાએ ગોચરીનો કાલ
લોકોની અપેક્ષાએ ગોચરીનો અકાલ
૧. લોકો જ્યાં, જે ઘરોમાં મોડે સુધી સૂતા રહેતા દૂધ, ચા, નાસ્તા કરતા હોય તો તે હોય અને સાધુ ગોચરી જાય ત્યારે ઊઠે કે આહાર–પાણીનો કાળ છે.
ઊઠવું પડે તો તેઓને સંકોચ થાય અથવા દૂધ મોડું આવે વગેરે કારણે ત્યાં તે ઘરોની
અપેક્ષાએ ગોચરી જવાનો અકાળ છે.. સવારથી મધ્યાહ્ન સુધી જે ઘરોમાં કોઈને કોઈ) ૨. જે ક્ષેત્રમાં કે ઘરોમાં સવારના ચા નાસ્તાનો વ્યક્તિ ભોજન કરતી હોય, તેથી વ્યક્તિ અને સમય એકાદ કલાકનો હોય અને ત્યારબાદ ખાદ્ય પદાર્થ વ્યવસ્થિત રીતે મળતા હોય, તે ઘરના માણસો ખેતી, વ્યાપાર કે નોકરીએ ક્ષેત્ર અને ઘરોની અપેક્ષાએ તે સંપૂર્ણ સમય, જતા હોય તેથી ઘરમાં કોઈ ન હોય અથવા ગોચરી માટે કાળ છે.
કોઈ હોય તો ઘરના આરંભિક(સાવધ)