Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
- ૧૦૦
શ્રી દશવૈકાલિક સત્ર
શબ્દાર્થ – સf વ = અગ્નિને અથવા હું = જ્વાળા રહિત કોલસા અથવા ધૂમાડા રહિત બળતા લાકડાની અગ્નિ, અંગારાની અગ્નિને મુમ્મરં = બકરીની લીંડી વગેરેના અગ્નિને વ= મૂળ અગ્નિથી છૂટી પડેલી જ્વાળાને, તણખાઓને ગાd = અગ્નિ સાથે સંયુક્ત જ્વાળાને બનાયે ઊંબાડાની અગ્નિને સુદ્ધાધિ = કાષ્ઠ વિનાના શુદ્ધ અગ્નિને ૩ = ઉલ્કાપાત–વિજળી વગેરેના અગ્નિને ન ૩નિ -સિંચન ન કરે, અગ્નિને વધારવા કાષ્ઠાદિનાખે નહીં કિા = સંઘટ્ટન ન કરે ન fમહિના = ભેદન ન કરે ૩Mાતિના = પંખા આદિની- હવાથી પ્રજ્વલિત ન કરે જ પાતિના = વધારે પ્રજ્વલિત ન કરે છfબાવિષ= હારે નહિ મUM = અન્ય દ્વારા ૩નાવિM = સિંચન કરાવે નહિ જ પટ્ટવિજ્ઞા - સંઘટ્ટન કરાવે નહિ fબલાવિષ્પા = ભેદન કરાવે નહિ ૩જ્ઞાનવિજ્ઞા = પંખાદિ દ્વારા અગ્નિને પ્રજ્વલિત કરાવે નહિ જ પન્નાનાવિન્ના = પવન દ્વારા વિશેષ પ્રજવલિત કરાવે નહિક બ્રિાવિઝા = ઠરાવે નહિ ૩ = સિંચન કરનારાને પત વ = સંઘટ્ટન કરનારાને fબત ભેદન કરનારાને સન્માનિત = પંખાદિ દ્વારા પ્રચંડ કરનારાને પજ્ઞાનત = પવનથી વિશેષ પ્રચંડ કરનારાને બિમ્બાવંત = ઠારનારને જ સમજીગાળના = અનુમોદના કરે નહિ.
ભાવાર્થ:- મહાવ્રતધારી સાધુ અથવા સાધ્વી જે સત્તર પ્રકારના સંયમમાં ઉપસ્થિત થયા છે, અઢાર પાપોથી નિવૃત્ત થયા છે, ભૂતકાલના પાપોને પ્રતિહત (નાશ) કર્યા છે અને વર્તમાન તથા આગામી પાપોના પ્રત્યાખ્યાન કર્યા છે; તે સાધુ–સાધ્વી દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતા હોય કે જાગતા હોય, કોઈપણ અવસ્થામાં તેઓ કાષ્ઠની અગ્નિ, કોલસાના અંગારાની અગ્નિ, બકરીની લીંડી વગેરેની અગ્નિ, ચિણગારી કે છૂટી પડેલી જ્વાલા, દીપ વગેરે શિખાની અગ્નિ, ઊંબાડાની અગ્નિ, ઉલ્કાપાત કે વિજળી વગેરેની અગ્નિ, શુદ્ધ લોઢાની અગ્નિને કાષ્ઠાદિ નાંખી સિંચન કરે નહીં, સંઘટન કરે નહીં, ભેદન કરે નહીં, પવન નાખીને પ્રજ્વલિત કે વિશેષ પ્રજ્વલિત કરે નહીં કે ઠારે નહીં, અન્ય પાસે સિંચન કરાવે નહીં, સંઘટન કરાવે નહીં, ભેદન કરાવે નહીં, પ્રજ્વલિત કે વિશેષ પ્રજ્વલિત કરાવે નહીં કે તેને ઠરાવે નહીં; અન્ય તેને સિંચન, સંઘટન, ભેદન, પ્રજ્વલિત, વિશેષ પ્રજ્વલિત કરતા હોય કે બુઝાવતા હોય તો તેને અનુમોદન આપે નહીં.
હે ભગવન્! અગ્નિકાય સંબંધી નિષેધ કરેલી આ સમસ્ત વિરાધનાઓ હું જીવન પર્યંત મનથી, વચનથી અને કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ તેમજ કરનારને અનુમોદન પણ આપીશ નહિ. ભૂતકાળ તત્સંબંધી જે પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું. તે પાપને આત્મસાક્ષીએ નિંદુ છું અને આપની સાક્ષીએ તે પાપને ધિક્કારું છું; તેમજ તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અલગ કરું છું. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં અગ્નિકાય જીવોના વિવિધ પ્રકાર અને તેની વિરાધનાજન્ય વિવિધ ક્રિયાઓના ઉલ્લેખ સહિત તત્સંબંધી સાધકની પ્રતિજ્ઞાનું કથન છે. અગ્નિકાયના આઠ રૂ૫ – (૧) અ = અગ્નિ. તપ્ત લોખંડની સ્પર્શ ગ્રાહ્ય ઉષ્ણતા. (૨) હૃાા