Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
=
=
=
=
- ઓસનું–ઝાકળનું પાણી કે હિમ વા = બરફનું પાણી અથવા મહિય વા = ધુમ્મસનું પાણી અથવા રનું વા = કરાનું પાણી અથવા લૈંતિપુત્રં વા= લીલા ઘાસ પર રહેલાં બિન્દુઓ અથવા સુદ્ધોવાં = વર્ષાનું પાણી ૩વડાં વા જાય = સચિત્ત પાણીથી નીતરતી કાયાને અથવા ગિદ્ધ વા વડ્થ = સચિત્ત પાણીથી ભિંજાયેલા વસ્ત્રને ળ આમુસિખ્ખા- એકવાર સ્પર્શ ન કરે ન સંસિા - વારંવાર સ્પર્શ ન કરે ણ આવીલિગ્ગા = થોડું પણ દબાવે નહીં, નીચોવે નહીં ખપવીતિખ્તા - વારંવાર નીચોવે નહીં ન અસ્ક્વોલિબ્ના - એકવાર ઝાટકે નહીં ન પન્ઘોડિખ્ખા - વારંવાર ઝાટકે નહીં ળ આયાવિખ્ખા = ઘર્ષણથી કે સૂર્યના તાપથી એકવાર સુકાવે નહીં ળ પયાવિજ્ઞા વારંવાર સુકાવે નહીં અĪ = બીજા દ્વારા ૫ આમુસાવિખ્તા - એકવાર સ્પર્શ કરાવે નહીં બ સંપ્પુસાવિન્ગા = વારંવાર સ્પર્શ કરાવે નહીં ન આવીત વિન્ગન્જ - એકવાર નીચોવરાવે નહીં પવીતા વિષ્ના - વારંવાર નીચોવરાવે નહીં ૫ અવોડાવિષ્ના - એકવાર ઝટકાવે નહીં ખ પોડાવિષ્ના - વારંવાર ઝટકાવે નહીં ન આયાવિષ્ના = એકવાર બીજા પાસે આતાપિત કરાવે નહીં, સુકાવડાવે નહીં છ પયાવિન્ગા = બીજા પાસે વારંવાર સુકાવડાવે નહીં, આતાપિત કરાવે નહીં મળ માનુસંત વ = એકવાર સ્પર્શ કરનારાની અથવા સંસંત વ = વારંવાર સ્પર્શ કરનારાની અથવા આવીવંત વા = એકવાર નીચોવનારાની અથવા પવીતત વા = વારંવાર નીચોવનારાની અવોડતા વા = એકવાર ઝાટકનારાની અથવા પવવોડતવા = વારંવાર ઝાટકનારાની અથવા આયાવંત વા - એકવાર સૂકાવનારાની, તપાવનારાની અથવા પાવંત વા - વારંવાર સૂકાવનારાની, વારંવાર તપાવનારાની સમજુનાખિન્ના = અનુમોદના કરે નહીં. ભાવાર્થ :- મહાવ્રતધારી સાધુ અથવા સાધ્વી, જે સત્તર પ્રકારના સંયમમાં ઉપસ્થિત થયા છે, અઢાર પાપોથી નિવૃત્ત થયા છે, ભૂતકાલના પાપોને પ્રતિહત(નાશ) કર્યા છે અને વર્તમાન તથા આગામી પાપોના પ્રત્યાખ્યાન કર્યા છે, તે સાધુ-સાધ્વી દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતા હોય કે જાગતા હોય; કોઈપણ અવસ્થામાં તેઓએ કૂવા, તળાવ આદિનું પાણી તથા ઓસ, બરફ, ધુમ્મસ, કરાનું પાણી તેમજ લીલા છોડ ઉપર પડેલા જલબિન્દુઓ; વર્ષાનું પાણી, સચિત્ત પાણીથી નીતરતી કાયા અથવા સચિત્ત પાણીથી નીતરતા વસ્ત્ર, પાણીથી, સ્નિગ્ધ કાયા અથવા સ્નિગ્ધ–ભીનું વસ્ત્ર વગેરેને મુનિએ એકવાર કે વારંવાર સ્પર્શ કરવો નહિ; એકવાર કે વારંવાર નીચોવવો નહિ, એકવાર કે વારંવાર ઝાટકવું નહિ, એકવાર કે વારંવાર સુકાવવું નહિ, તેમજ અન્ય પાસે એકવાર કે વારંવાર સ્પર્શ કરાવવો નહિ, એકવાર કે વારંવાર નીચોવાવવું નહિ, એકવાર કે વારંવાર ઝટકાવવું નહિ, એકવાર કે વારંવાર સુકવાવવું નહિ, વળી બીજો કોઈ એકવાર કે વારંવાર સ્પર્શ કરતો હોય, નીચવતો હોય, ઝાટકતો હોય કે સૂકવતો હોય તેને અનુમોદન આપવું નહિ.
=
૯૮
=
હે ભગવન્ ! અપ્લાય સંબંધી નિષેધ કરેલી આ સમસ્ત વિરાધનાઓ હું જીવન પર્યંત મનથી, વચનથી અને કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ તેમજ કરનારને અનુમોદન પણ આપીશ નહિ. ભૂતકાળે તત્સંબંધી જે પાપ થયું હોય તેનાથી હું પાછો ફરું છું, તે પાપને આત્મસાક્ષીએ નિંદુ છું અને આપની સાક્ષીએ તે પાપની ગર્હા કરું છું, તેમજ હવેથી તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અળગો કરું છું.