Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 76
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૧૧ ૪૩ जिनाज्ञास्मरणपूर्वकप्रवर्तनस्य कल्याणावहत्वम् जिनाज्ञानैरपेक्ष्येणोपहतत्वान्न फलतः गुणः किन्तु दोष एव । तदुक्तं योगबिन्दौ सच्चेष्टितमपि स्तोकं गुरुदोषवतो न तत् । भौतहन्तुर्यथाऽन्यत्र पादस्पर्शनिषेधनम् ॥ १४८ ॥ न यस्य भक्तिरेतस्मिंस्तस्य धर्मक्रियाऽपि हि । अन्धप्रेक्षाक्रियातुल्या, कर्मदोषादसत्फला || २२६ ॥ यस्य त्वनादरः शास्त्रे तस्य श्रद्धादयो गुणाः । उन्मत्तगुणतुल्यत्वान्न प्रशंसास्पदं सताम् ॥ २२८ ॥ - इति । एतस्मिन् शास्त्रे स्वेच्छामात्रप्रवृत्तत्वात् शुभोsपि पङ्काविलजलस्थानीयः परिणामो न कुशलानुबन्धी । तदुक्तं उपदेशरहस्ये अणियमा आणाबज्झो ण सुंदरो भणिओ <- ( ५ ) इति । सम्बोधप्रकरणेऽपि आणाइ संजमो तह य दाणमाणाए । आणारहिओ धम्मो पलालपूलव्व पडिहाइ ||३२|| <- इत्युक्तम् । जिणाणा कुणंताणं नूणं निव्वाणकारणं । सुंदरं पि सबुद्धिए सव्वं भवनिबंधणं ॥ - ( ) इति । युक्तञ्श्चैतद्, न हि यो यद्वचननिरपेक्षः प्रवर्तते स तत्र बहुमानवान् भवति, यथा कापिलादिः सुगतादौ । ततश्च जिनबहुमानपरिणामाक्षेपकजिनाज्ञास्मरणपूर्वमेव सर्वत्र मुमुक्षुभिः प्रवर्तितव्यम् । तदुक्तं श्रावकधर्मविधौ धम्मो आणाए पडिबद्धो <- (३) । इत्थमेव वचनाराधनाद् धर्मनिष्पत्ति: । तदुक्तं षोडशके‘वचनाराधनया खलु धर्मस्तद्बाधया त्वधर्म इति । इदमत्र धर्मगुह्यं सर्वस्वं चैतदेवास्य ।। ' (२/१२) इति । पञ्चाशकेऽपि आराहणाए तीए पुण्णं, पावं विराहणाए उ। एयं धम्मरहस्सं, विण्णेयं बुद्धिमंतेहिं ॥ = परिणामो वि आणाइ तवो પણ જિનાજ્ઞાથી નિરપેક્ષતા સ્વરૂપ મોટા દોષથી હણાવાને કારણે ફલતઃ ગુણ નથી, પરંતુ દોષ જ છે. યોબિંદુ ગ્રંથમાં આ જ વાતને જણાવતા કહેલ છે કે > મોટા દોષનું સેવન કરનાર વ્યક્તિની નાનકડી સુંદર ચેષ્ટા વાસ્તવમાં સુંદર ચેષ્ટા નથી. જેમ કે ભૌતઋષિને હણનારે સંન્યાસીને પગથી અડકવાનો કરેલો નિષેધ, મતલબ એ છે કે જે વ્યક્તિને શાસ્ત્ર ઉપર ભક્તિ નથી તેની ધર્મક્રિયા પણ તથાવિધ મોહના ઉદયના કારણે આંધળા માણસની જોવાની ક્રિયાની જેમ નિષ્ફળ છે. જે વ્યકિતને શાસ્ત્ર ઉપર આદર નથી તેના શ્રદ્ધા વગેરે ગુણો, ઉન્મત્ત માણસના ગુણ જેવા હોવાથી, વિવેકીને પ્રશંસનીય નથી. — આશય એ છે કે સ્વેચ્છા માત્રથી પ્રવૃત્ત થનાર શુભ એવો પરિણામ પણ કુશલાનુબન્ધી નથી. તે પરિણામ કાદવથી મિશ્રિત થયેલ પાણી જેવો છે. આ જ વાતને જણાવતા ઉપદેશહસ્ય ગ્રંથમાં કહેલ છે કે —> પરિણામ પણ જો જિનાજ્ઞાથી બાહ્ય હોય તો સુંદર કહેવાતો નથી. — સંબોધપ્રકરણમાં પણ કહેલ છે કે —> આજ્ઞાથી તપ, આજ્ઞાનુસારે સંયમ અને આજ્ઞા મુજબ દાન દેવું. આજ્ઞા વિનાનો ધર્મ એ ઘાસના પૂળા જેવો લાગે છે. — ‘જિનાજ્ઞા મુજબ કરાતું બધું જ કાર્ય મોક્ષનું કારણ છે. અને સ્વચ્છંદ મતિથી કરાયેલ દરેક સારું પણ કાર્ય સંસારનું કારણ બને છે.’ આ રીતે કહેવાયેલ વાત યોગ્ય પણ છે. કારણ કે જે માણસ જેના વચનથી નિરપેક્ષપણે એટલે કે તેને અવગણીને પ્રવૃત્તિ કરે તેને તે વ્યક્તિમાં બહુમાન હોઈ શકતું નથી. જેમ કે કપિલ મુનિએ પ્રવર્તાવેલ એવા સાંખ્યદર્શનના અનુયાયીઓને ગૌતમબુદ્ધ વગેરેમાં બહુમાન હોતું નથી. માટે તેઓ પોતાની પ્રવૃત્તિમાં બુદ્ધના વચનની અવગણના જ કરતા હોય છે. તેથી મુમુક્ષુઓએ ભગવાન ઉપર બહુમાન પરિણામ આવે તે રીતે જિનાજ્ઞાના સ્મરણપૂર્વક જ સર્વત્ર પ્રવૃત્તિ કરવી જોઈએ. કારણ કે શ્રાવકધર્મવિધિ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહેલ છે કે —>ધર્મ જિનાજ્ઞાને બંધાયેલો છે. ← આ રીતે જ જિનવચનની આરાધના કરવાથી ધર્મ નિષ્પન્ન થાય છે. ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે —> જિનવચનની આરાધનાથી જ ધર્મ થાય છે. અને જિનવચનને ઉવેખવાથી અધર્મ ઉત્પન્ન થાય છે. આ જ ધર્મનું રહસ્ય છે. અને આ જ ધર્મનું સર્વસ્વ છે. ← પંચાશજી ગ્રંથમાં પણ જણાવેલ છે કે —> જિનાજ્ઞાની આરાધનાથી પુણ્ય પ્રાપ્ત થાય

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188