Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 124
________________ અધ્યાત્મોપનિષકરણ ૧/૪૧ લી નવમેન વસ્તુપનિઃ શe वाच्यम्, पितृत्व-पुत्रत्वादिविभिन्नधर्माणां व्याप्यवृत्तित्वेऽप्यपेक्षाभेदेनैकत्र समावेश इव सत्त्वासत्त्वादीनामप्यपेक्षाभेदेनैकत्र समावेशोऽव्याहत एव । ___ ततः = अवच्छेदकभेदावलम्बनात् परावृत्तिः = वस्तुस्वरूपपरिवर्तनं नापि = नैवाऽस्ति । एतेन > तत्तदवच्छेदकभेदपुरस्कारे वस्तुस्वरूपपरावृत्तेः नियतार्थस्वरूपनिर्णयोऽनेकान्तवादे दुर्घट <- इत्यपि निराकृतम् । न ह्यवच्छेदकभेदावलम्बनेन वस्तुस्वरूपं परावर्तते किन्तु परस्परानुविद्धानन्तधर्मात्मके वस्तुनि तत्तद्धर्मगोचरबोधविशेषः सञ्जायते । यथा एकमेव धर्मिणमुद्दिश्य 'वृक्ष' इत्युक्ते वृक्षसामान्यबोधः, 'शाखायां वृक्षः कपिसंयोगी मूलावच्छेदेन च तदभाववानि' त्यवच्छेदकभेदप्रदर्शनपूर्वमुक्ते तु वृक्षस्वरूपविशेषावगम इत्येवाङ्गीक्रियते न तु वृक्षस्वरूपपरिवर्तनम् । तथैवैकमेव धर्मिणमुद्दिश्य ‘घट' इत्युक्ते घटसामान्यबोधः ‘स्वरूपेण घटः सन् पररूपेण चासन्' इत्यवच्छेदकभेदपुरस्सरमुक्ते तु घटीयस्वरूपविशेषविबोधोदयः स्याद्वादिभिः स्वीक्रियते न तु घटस्वरूपपरावर्तनमिति नाऽनिर्णयापत्तिरिति किं न ईक्ष्यते = विमृश्यते अत्र = अनेकान्तवादे नैयायिकैः ? इत्थञ्चानेकान्तवादेऽपि निर्णयस्य सौलभ्यमिति स्थितम् ॥१/४०॥ आनैगमान्त्यभेदं तत् परावृत्तावपि स्फुटम् । अभिप्रेताश्रयेणैव निर्णयो व्यवहारकः ॥४१॥ અહીં તેવી શંકા ન કરવી કે “કપિસંયોગ વગેરે ગુણધર્મો તો અવ્યાખવૃત્તિ છે. તે કારણે અવચ્છેદકભેદ દ્વારા એક વસ્તુમાં તેઓનો સમાવેશ વ્યાજબી છે. પરંતુ સત્ત્વ, અસત્વ વગેરે ધર્મો વ્યાપ્યવૃત્તિ હોવાના કારણે અવચ્છેદકભેદના આશયથી એક વસ્તુમાં તેઓનો સમાવેશ સંભવતો નથી.” આ શંકાનું સમાધાન એ છે કે પિતૃત્વ, પુત્ર વગેરે વિભિન્ન ગુણધર્મો વ્યાપ્યવૃત્તિ હોવા છતાં પણ અપેક્ષા ભેદથી એક ધર્મીમાં રહે છે તેમ સર્વ, અસત્ત્વ વગેરે ગુણધર્મોને પણ અપેક્ષાભેદથી એક વસ્તુમાં સમાવેશ નિરાબાધ જ છે. તતઃ | વળી, અહીં એ પણ ખ્યાલમાં રાખવું કે અવછેદકભેદનો આશ્રય કરવાથી વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી જ. માટે – અલગ અલગ અવચ્છેદકનો આશ્રય કરવામાં આવે તો વસ્તુનું સ્વરૂપ બદલાઈ જવાથી વસ્તુના નિયત સ્વરૂપનો નિર્ણય મુશ્કેલ થશે. – આવી શંકાનું પણ નિરાકરણ થઈ જાય છે. આનું કારણ એ છે કે અવચ્છેદકભેદનો આશ્રય કરવાથી વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી પરંતુ પરસ્પરઅનુવિદ્ધ અનંતધર્માત્મક વસ્તુમાં તે તે ધર્મવિષયક વિશેષબોધ તેના દ્વારા ઉત્પન્ન થાય છે. જેમ કે એક જ વૃક્ષસ્વરૂપ વસ્તુને ઉદ્દેશીને “વૃક્ષ' એમ કહેવામાં આવે તો વૃક્ષ સામાન્યનો બોધ થાય છે. “શાખામાં વૃક્ષ કપિસંયોગી છે અને મૂળાવચ્છેદન કપિસંયોગશૂન્ય છે' આ રીતે અવચ્છેદકભેદ બતાવવા પૂર્વક કહેવામાં આવે તો વૃક્ષના વિશેષ સ્વરૂપનો બોધ થાય છે, નહિ કે વૃક્ષના સ્વરૂપનું પરિવર્તન. આ વાતને સર્વ લોકો નિર્વિવાદરૂપે સ્વીકારે છે. બરાબર તે જ રીતે એક જ વસ્તુને ઉદ્દેશીને “ઘટ' કહેવામાં આવે તો ઘટ સામાન્યનો બોધ થાય છે તથા “ઘટ સ્વરૂપથી સત્ છે અને પરરૂપથી અસન છે.” આ રીતે ભિન્ન અવચ્છેદકને આગળ કરીને કહેવામાં આવે તો ઘટના વિશેષ સ્વરૂપનો બોધ થાય છે; નહિ કે ઘટના સ્વરૂપનું પરિવર્તન-એમ અમે સ્યાદ્વાદી સ્વીકારીએ છીએ. તેથી ઘટના સ્વરૂપને વિશે નિર્ણય ન થઈ શકવાની આપત્તિ નહિ આવે. આવું અનેકાન્તવાદમાં તૈયાયિકો કેમ વિચારતા નથી ? આ રીતે અનેકાન્તવાદમાં પણ નિર્ણય સુલભ છે - એવું નક્કી થાય છે. (૧/૪૦) અહીં શંકા થાય કે “અલગ અલગ વિચ્છેદકનું આલંબન કરવાથી વસ્તુનું સ્વરૂપ ભલે ન બદલાય છતાં પાણ નૈગમ વગેરે નવોના અભિપ્રાશે બદલાવાથી વસ્તસ્વરૂપવિષયક બુદ્ધિ તો સ્પષ્ટ રીતે બદલાય છે. તેથી

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188