Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 114
________________ ૮૧ અધ્યાત્મોપનિષત્રકરણ ૧/૩૩-૩૪ 88 મશિગ્રામવિવાર: 92 - “સામે'તિ | सामग्येण न मानं स्याद्, द्वयोरेकत्वधीर्यथा । तथा वस्तुनि वस्त्वंश-बुद्धिज्ञेया नयात्मिका ॥३३॥ यथा द्वयोः घट-पटयोः एकत्वधीः = एकत्वसङ्ख्यावगाहिबुद्धिः सामग्र्येण = सम्पूर्णतया मानं = प्रमाणं न = नैव स्यात्, तथा = तेनैव प्रकारेण वस्तुनि नयात्मिका = अभिमतवस्तुधर्मालम्बनात्मिका वस्त्वंशबुद्धिः = वस्त्वंशरूपतावगाहिनी धीः सामग्र्येण = समग्रतया ज्ञेया स्याद्वादमर्मज्ञैः । न हि वस्तुनि वस्त्वंशरूपतैवाऽस्ति, किन्तु वस्तुरूपताऽपि ॥१/३३।। ત િનવાર્ય સમયે ૩૫યતા થાત્ ? ત્યારક્રીયામઢ - “'તિ | एकदेशेन चैकत्व-धीर्द्वयोः स्याद्यथा प्रमा। तथा वस्तुनि वस्त्वंश-बुद्धि या नयात्मिका ॥३४॥ द्वयोश्च = घट-पटयोर्हि एकत्वधीः = एकत्वसङ्ख्यावगाहिबुद्धिः यथा एकदेशेन = अंशतः प्रमा भ्रमानात्मिकैव स्यात् = भवेत्, न हि ‘घट-पटयोरेकत्वं नास्ती' ति कक्षीकरोति कश्चित् विपश्चित् । तथा = तेनैव प्रकारेण वस्तुनि नयात्मिका = सुनयलक्षणा वस्त्वंशबुद्धिः = वस्त्वंशरूपताधीः एकदेशेन શ્લોકાર્થ - જેમ બે વસ્તુમાં એકત્વની બુદ્ધિ સામન = સમગ્રતયા પ્રમાણ નથી તેમ વસ્તુમાં વસ્તુઅંશરૂપતાની નયાત્મક બુદ્ધિ સમગ્રતયા પ્રમાણ નથી. (૧/33) છે સંપૂર્ણતયા પ્રમાણ નય નથી ટીકાર્ય :- જેમ ઘટ અને પટમાં એકત્વસંખ્યાવિષયક બુદ્ધિ સમગ્રતયા પ્રમાણ નથી જ, તે જ રીતે વસ્તુમાં વસ્તુઅંશપયાની નયાત્મક બુદ્ધિને સ્યાદ્વાદના મર્મને જાણનારા પુરૂષોએ સંપૂર્ણપણે પ્રમાણ ન જાણવી. કારણ કે વસ્તુમાં વસ્તુઅંશરૂપતા જ છે એવું નથી પરંતુ વસ્તુરૂપતા પણ છે. (૧/33) “જો સંપૂર્ણતયા પ્રમાણ તરીકે નયાત્મક બુદ્ધિ માન્ય નથી તો પછી જૈન દર્શનમાં નયવાદ કઈ રીતે સ્વીકાર્ય બનશે ?' આવી શંકાનું સમાધાન કરતા ગ્રંથકારથી જણાવે છે કે – શ્લોકાર્ધ :- જેમ બે વસ્તુમાં એકત્વ બુદ્ધિ એકદેશની અપેક્ષાએ યથાર્થ છે તેમ વસ્તુની અંદર વસ્તુશપણાની નયાત્મક બુદ્ધિ એકદેશથી યથાર્થ જાણવી. (૧/૩૪) નચ અંશતઃ પ્રમાણ છે ટીકાર્ય :- બે વસ્તુમાં એટલે કે ઘટમાં અને પટમાં એકત્વ સંખ્યાવિષયક બુદ્ધિ જેમ અંશતઃ પ્રમાત્મક જ છે. કેમ કે ઘટ-પટમાં એકત્વ સંખ્યા નથી રહેતી - એવું કોઈ પણ વિદ્વાન સ્વીકારતા નથી. બરાબર તે જ રીતે વસ્તુમાં વસ્તુઅંશરૂપતાઅવગાહી સુનયાત્મક બુદ્ધિ પ્રાજ્ઞ પુરૂષોએ અભિપ્રેત અંશની અપેક્ષાએ પ્રમાત્મક જ જાણવી. સુનયના અભિપ્રાયથી જ સ્વાર્થ બ્લોકવાર્તિકમાં વિધાનંદસ્વામીએ જણાવેલ છે કે – આ વસ્તુ પણ નથી અને અવસ્તુ પણ નથી પરંતુ એકદેશની અપેક્ષાએ વસ્તુઅંશ કહેવાય છે. જેમ કે સમુદ્રના અમુક ભાગને ઉદ્દેશીને સમુદ્ર અંશ કહેવાય, નહિ કે સમુદ્ર અથવા સમુદ્રભિન્ન. – આ વાત બરાબર છે, કારણ કે વસ્તુમાં તે તે અંશની અપેક્ષાએ વસ્તુઅંશપણું નથી - એવું નથી, અર્થાત્ છે જ. જો વસ્તુના પ્રત્યેક અંશમાં વસ્તૃઅંશરૂપતા ન માનવામાં આવે તો વસ્તુમાં સમગ્રતયા વસ્તૃત્વ જ સંભવી નહિ શકે. કારણ કે પ્રત્યેકમાં અંશરૂપે ન રહેનારો ધર્મ સમુદાયમાં રહી ન શકે. - આવો નિયમ શિષ્ટ પુરૂષોને માન્ય છે.

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188