Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/005306/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાધર કુલભૂષણ આ. ભ. શ્રી સ્વયંપ્રભસૂરીશ્વરેન્ચો નમઃ | નો ઈતિહાસ શ્રીમાળી વંશનો રn અને શ્રી ભીનમાલા તીર્થ ભાગ - ૧ - ૨ Jan Educationsfછાસ શ્રી લુછતા રાવળ પાણી Jain Educationa International For Personal and Private Use Only મા રાજ માતાજી જા Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂ. વિદ્યાધરગચ્છ ફૂલભૂષણ આ. ભ. શ્રીમત્ સ્વયંપ્રભસૂરીશ્વરેભ્યો નમ: શ્રીમાળી વંશનો ઈતિહાસ અને શ્રી ભીનમાલતીર્થ ભા-૧લો-૨જો સંકલન કર્તા પરમ પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમત્ કૈલાસ સાગરસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય પ્રસિદ્ધ વક્તા શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રીમત્ પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. નાપટ્ટાલંકાર પંન્યાસ વર્ધમાન સાગર ગણિવર્ય Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન ચંદુલાલ બી. શાહ ૪/૪૪, વોર્ડન કોર્ટ, ગોવાલીયા ટેક રોડ, મુંબઈ-૪૦૦૦૩૬ * * * * * શ્રી પ્રિયવદન ચંદુલાલ શાહ F/૧ ગૌરી એપાર્ટમેન્ટ, મહેસાણા સોસાયટી સામે, નવા વાડજ અમદાવાદ-૩૮૦૦૧૩ વૈભવકુમાર મહેન્દ્રભાઈ ગાંધી ઘનાસુથારની પોળ, ગાંધી નિવાસ હવેલી સામે, અમદાવાદ-૧ દિલીપકુમાર C/o. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર મુ. પો. કોબા- ૩૮૨૦૦૯ જિ.ગાંધીનગર પ્રકાશક શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર મુ. પો. કોબા- ૩૮૨૦૦૯ જિ. ગાંધીનગર વિમોચનકર્તા પટેલ દશરથભાઈ મકરબા મુદ્રક મહાલક્ષ્મી ઓફસેટ પ્રિન્ટર્સ ઘીકાંટા રોડ, અમદાવાદ ફોન નં. ઓફીસ : ૨૫૬૩૯, ઘર : ૪૧૪૩૮૨ કિંમત રૂ. ૩૧-૦૦ આવૃત્તિ : ૧૦૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ विश्व वंदनीय श्रमण भगवान महावीर प्रभु के शासन की प्राचीनतम जैन ज्ञाति श्री वीसा श्रीमाली लोगों की है । महान् शासन प्रभावक आचार्य देव श्री स्वयंप्रभसूरीश्वरजी म. सा. के परमोपदेश द्वारा भीनमाल (श्रीमाल ) नगरी में ( राजस्थान) जैन धर्मानुरागी बने । जिन शासन की अनेक प्रभावना पूर्ण कार्य इस ज्ञाति जनोंके द्वारा हुई है । जिन मंदिरों के निर्माण में भी इस ज्ञाति का बहुत बडा योगदान रहा है । आगम ग्रंथों के लेखन कार्य में भी इन्होंने अपनी श्रुत भक्ति एवं उदाहरता का परिचय दिया है। राजकीय सामाजिक एवं व्यापार के क्षेत्र में भी इस ज्ञाति ने अपने साहस एवं बुद्धिमत्ता का सुंदर परिचय दिया है । - - दो शब्द - इस पुस्तक में पं. श्री वर्धनाम सागरजीने संक्षिप्त में व सुंदर सरल भाषामें इस ज्ञाति के इतिहास की झलक बताने का प्रयास किया है, जो प्रशंसनीय है । इस पुस्तक के पठन द्वारा धर्मकार्य परोपरकार के कार्यकी प्रेरणा लोगोंको मिले यही मंगल कामना मैं करता हूँ | Jain Educationa International आ. पद्मसागरसूरी For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય આશીર્વાદ દાતા પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય કૃપાસિંધુ પ્રસિદ્ધ વક્તા શાંતમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રી કલાસસાગર સૂરીશ્વરજી મ.સા.ને કોટીશ: વંદનાવલી. - વર્ધમાનસાગર Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ.... પરમ પૂજ્ય પરમોપકારી પરમ શાસન પ્રભાવક Jain Educationa International પ્રસિદ્ધવક્તા પ્રાતઃસ્મરણીય પૂ. આચાર્યદેવ શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના પવિત્ર કર કમલમાં સાદર સમર્પણ ગુરુપાદ પદ્મરેણુ : વર્ધમાન સાગર ઃ For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧. 2. 3. ૪. ૫. અનુક્રમણિકા આ,બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. સમુદાયના પૂ. શ્રીમાળી વંશના પૂજ્ય શ્રમણ શ્રમણી સમુદાય (વર્તમાન) લેખકશ્રીનો ટૂંક પરિચય એ ખોલ દો શબ્દ જૈનોની મુખ્ય ત્રણ જાતિ ૬. જૈન રાજાઓનો ઈતિહાસ ૭. જૈનોના ગચ્છનો ઈતિહાસ ૮. શ્રીમાળી જ્ઞાતિઓની ઉત્પત્તિ ૯. જ્ઞાતિ બંધારણનો તાત્ત્વિક વિચાર ૧૦. શ્રીમાળ અને શ્રીમાળીઓ ભીનમાલ નગરરાજ ૧૧. વસ્તુપાલ તેજપાળની ઉદારતા ૧૨. એક મારવાડી કવિ કૃત્ય કાવ્ય ૧૩. મલ્લીકાર્જુનનો સીલાલેખ ૧૪. મધુપુરી (મહુડી) તીર્થની પ્રાચિનતાનો ઇતિહાસ અને ખડાયતા ગામની પ્રાચીનતા ૧૫. લેખ સંગ્રહ ૧૬. આ.શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનો જૈન ધાતુ પ્રતિમા લેખસંગ્રહ ૧૭. શ્રીમાળી જૈનોની વર્તમાન અટક કેવી રીતે પડી ૧૮. વિચારણીય વાક્યો ૧૯. શ્રી ભીનમાલ તીર્થ ભાગ બીજો Jain Educationa International ૧ For Personal and Private Use Only ૩ ૫ ૭ ૧૦ ૪ × 2 છે ૧૯ ૨૮ ૧૧ ૫૮ ૬૧ ૬૪ ૭૨ ૩૪ ૨૦. પ્રાચીન તીર્થ ભીનમાલ શ્રીમાલ (રાજ.) ७८ ૨૧. શ્રી ભીનમાલ નગરની મહત્વ પૂર્ણ ઘટનાઓનો ઉલ્લેખ ૯૦ 66 Page #8 -------------------------------------------------------------------------- ________________ ૯૪ 9. ૨૨. શ્રી ભીનમાલ વિભિન્ન રાજાઓનો કાર્યકાળ ૨૩. શ્રી ભીનમાલ વિભિન્ન પરમાર રાજાઓને રાજયકાળ ૯૬ ૨૪. પ. પૂ. આચાર્ય ભ. સ્વયં પ્રભસૂરિશ્વરજી મ. સા. નું જીવન ઝરમર ૨૫. વીસા શ્રીમાળી જૈન ૨૬. સાણંદીયા શ્રીમાળી જૈન ૨૭. ભીનમાલ તીર્થ કાવ્ય. ૨૮. શ્રી ગૌતમ સ્વામિનો છંદ ૧૩૬ ૧૨૯ ૧૩૦ ૧૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાળી વંશની ઉત્પતી અને શ્રી ભીનમાલ નગર ભા.૨ જો દ્રવ્ય સહાયક મહાનુભાવો શ્રી મહાવીર નગર શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ શંકરલેન, કાંદીવલી (વેસ્ટ) શ્રી અચલગચ્છ જૈન સંઘ ભીનમાલ શ્રીમાન હંજારીમલજી લાદાજી ગોટી શ્રી ઝવેરીપાર્ક આદીશ્વર જૈન સંઘ, ઝવેરીપાર્ક, અમદાવાદ સાધ્વીશ્રી લાવણ્યશ્રીજીના શિષ્યા સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ. ની પ્રેરણાથી ભગવતી નગરના ઉપાશ્રયનાં જ્ઞાનખાતા તરફથી અંકુર સોસાયટીનાં બહેનો તરફથી સીમંધરસ્વામી મહિલા મંડળ પ્રર્વતિની સાધ્વીજી શ્રી નેમશ્રીજી મ. સા.ના સદુપદેશથી નેમ-મંજી-વારી-વજ જૈન સ્વાધ્યાય મંદિર સાબરમતી બોટાદ જિન મિલ. એક સદગૃહસ્થ તરફથી સ્વ. શેઠ શ્રી હીરાલાલ રવચંદભાઇ હ. ચિ. રાજેન્દ્રભાઇ હીરાલાલ શાહ, અંકુર સોસાયટી રતનચંદ જોરાજી મુંબઇ (મંડારવાળા) રાજ. શ્રી મહાવીર ટેક્ષ્ટાઇલ્સ, પાલિ. (રાજ.) શ્રીમાન જસરાજજી ખબુજી વ્હોરા શાહ જારીમલજી. પુખરાજજી લુમ્બાજી ભીનમાલ. ઘેવરચંદ માણેકચંદ શેઠ ભીનમાલ. ઘેવરચંદ માણેકચંદ શેઠ Jain Educationa International For Personal and Private Use Only ૫૦૦૧/ ૩૧૦૦/ ૨૧૦૦/ ૧૫૧૧/ ૧૧૧૧/ ૧૧૧૧/ ૧૧૧૧/ ૧૧૧૧/ ૧૧૧૧/ ૧૧૧૧/ ૧૧૧૧/ ૧૧૦૦/ ૧૧૧૧/ ૧૧૦૦/ ૦૫૦૧/૦૫૦૧/ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભીનમાલ નગર મંડાણ શ્રી શાGIનાથ સ્વામી જિક દર ૫. - ) ર હિ ૧, જી. ' સૌજન્ચ : શ્રી અંચલગચ્છ જૈન સંધ ભીનમાલ અણેત્તર ગ્રંથ પ્રણેતા યોગનિષ્ઠ આ. ભ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વજી મ. સા. સેવાભાવિ સાધ્વીજી કલ્યાણ મશ્રિીજી મ. સા. ના સદુપદેશથી સાલડી નિવાસી રઈબેન જીવીદાસના સુપુત્ર ભોળીદાસ આત્મારામભાઇ કેશાભાઈ પટેલ, Jain Educationa International se For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જાગને પણ jp Say Is Jaઈ | ગj gujju DJક IT IS AT 21 1 ) | I AM સા. શ્રી અનેકાન્ત લતાશ્રીજી મ. J) Jદ્ધ (ક) pij .. bo | દિશા - સ્વ. શ્રી ટીલચંદજી જન્મ વિ. સં. ૧૯૮૨ સ્વ. વિ સં. ૨૦૫૦ આસો સુદ-૪ પર સુંદરશ્માઈ રહી છે. કોઈ વાદા ાિણ સંક્ષિપ્ત જીવન પરિચય શ્રી ટીલચંદજીનું જીવન ખૂબજ સાદગી પૂણ હતું. તેઓ મધુરભાષી અને ધર્મપરાયણ હતા. એ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ બાલ્ય કાળમાંજ માતાપિતાની છત્રછાયા ગુમાવેલ છતાં જીવનમાં ખૂબસંઘર્ષ કરીને આગળ આવ્યા. જીવનના ઉત્તરાર્ધમાં ભાગ્યનો સિતારે ચમ અને વ્યવસાયમાં પ્રગતિ કરી. કમે શૂરા તે ધમ્મ શૂરા – જેવા કર્મમાં શુરવીર હતા એવા ધર્મમાં પણ શુરવીર હતા. ધાર્મિક કાર્યોમાં પણ એમને ઉદાર હાથે લાભ લીધું હતું. પિતાના જીવનમાં ઉપધાનતપ મુનિશ્રી જ્યાનંદવિજ્યજી મ.સા. ની નિશ્રામાં સં. ૨૦૪૩ માં ભીનમાલ નગરની અંદર ખૂબ જ ઉદારતા સાથે તન, મન, ધનથી પૂર્ણ સહગ આપી જીવનને ધન્ય બનાવ્યું હતું. પિતાના પરિવારમાં પણ પુત્રને પુત્રીઓને નાનપણથી જ ધાર્મિક સંસ્કાર આપ્યા હતા. એના કારણે જ એમની એક પુત્રીએ પ. પૂ.આચાર્ય ભગવંત શ્રી યંતસેનસૂરીશ્વરજી મ. સા. ની પ્રજ્ઞાવતિની સા. શ્રી કેમલલતાશ્રીજીની શિષ્યા તરીકે સા. શ્રી અનેકાન્તલતાશ્રીજી મ. બની. સુંદર રીતે સંયમજીવનની આરાધના કરી રહ્યા છે. શ્રી ટીલચંદજી મહેતાના ધર્મપત્ની ખૂબ જ સંસ્કારી અને ધાર્મિક- પરાયણ છે. પતિદેવના દરેક શુભ કાર્યોમાં એમને પણ પૂર્ણ સહયોગ રહ્યો છે આરાધનામાં એ પણ પાછળ રહ્યા નથી. પિતાના જીવનમાં ર૬ ઉપવાસ, ત્રણ અઠ્ઠાઈ, ત્રણ ઉપધાન, ૨ વષિતપ, ૧૧ ઉપવાસ, મોક્ષદંડ તપ, વીશસ્થાનક તપ આદિ વિવિધ તપ તથા અનેક તીર્થોની યાત્રા કરીને જીવનને ધન્ય બનાવ્યું છે. શ્રી ટીલચંદજી જીવનની અંતિમ ઘડી સુધી જાગૃત દશામાં હતાં. બે દિવસની ટૂંકી માંદગીમાં પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં સ્વર્ગવાસી થયા હતા. પુત્રીઓ પુત્ર કિશેરમલજી પૃથ્વીરાજજી મૂલચંદજી મુકેશકુમાર પત્ર પંકજ અમિત અશ્વિન સીતા મોહની દિલીપ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમતુ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના શ્રીમાળી વંશના પૂજ્ય શ્રમણ ભગવંતો. (વર્તમાન) ૧.પંન્યાસ વર્ધમાન સાગરજી ગણિ. ૨.ગણિવર્ય મહારાજ સાહેબ ૪.મુનિરાજ શ્રી નિર્મળસાગરજી મહારાજ સાહેબ ૫.મુનિરાજ શ્રી પ્રેમસાગરજી મહારાજ સાહેબ ૬.મુનિરાજ શ્રી સંયમસાગરજી મહારાજ સાહેબ ૭.મુનિરાજ શ્રી ઉદયકિર્તીસાગરજી મહારાજ સાહેબ ૮.મુનિરાજ શ્રી નયપદ્રસાગરજી મહારાજ સાહેબ ૯.મુનિરાજ શ્રી ઉદયસાગરજી મહારાજ સાહેબ ૧૦.મુનિરાજ શ્રી પદ્મવિમલસાગરજી મહારાજ સાહેબ ૧૧.મુનિરાજ શ્રી વિદ્યોદયકિર્તીસાગરજી મહારાજ સાહેબ ૧૨.મુનિરાજ શ્રી ગુણરત્નસાગરજી મહારાજ સાહેબ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ સમુદાયના શ્રીમાળી વંશના પૂ. સાધ્વીજી ગણ (વર્તમાન). ૧.સાધ્વીજી શ્રી ઈન્દ્રશ્રીજી મહારાજ સાહેબ ૨.સાધ્વીજી શ્રી કુસુમશ્રીજી મહારાજ સાહેબ ૩.સાધ્વીજી શ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજ સાહેબ ૪.સાધ્વીજી શ્રી મંજુલાશ્રીજી મહારાજ સાહેબ ૫.સાધ્વીજી શ્રી જયપ્રભાશ્રીજી મહારાજ સાહેબ ૬.સાધ્વીજી શ્રી વસંતશ્રીજી મહારાજ સાહેબ ૭.સાધ્વીજી શ્રી સૂર્યલતાશ્રીજી મહારાજ સાહેબ ૮.સાધ્વીજી શ્રી કિરણ પ્રભાશ્રીજી મહારાજ સાહેબ ૯.સાધ્વીજી શ્રી ધર્મ રત્નાશ્રીજી મહારાજ સાહેબ ૧૦.સાધ્વીજી શ્રી શીલપૂર્ણાશ્રીજી મહારાજ સાહેબ ૧૧.સાધ્વીજી શ્રી અરુણ શ્રીજી મહારાજ સાહેબ ૧૨.સાધ્વીજી શ્રી હિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ ૧૩.સાધ્વીજી શ્રી સમ્યગુ દર્શિતાશ્રીજી મહારાજ સાહેબ ૧૪.સાધ્વીજી શ્રી પુણ્ય પ્રભાશ્રીજી મહારાજ સાહેબ ૧૫.સાધ્વીજી શ્રી હિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ ૧૬.સાધ્વીજી શ્રી સુવર્ણા રેખાશ્રીજી મહારાજ સાહેબ ૧૭.સાધ્વીજી શ્રી પ્રજ્ઞપ્રભાશ્રીજી મહારાજ સાહેબ ૧૮.સાધ્વીજી શ્રી ચાયશાશ્રીજી મહારાજ સાહેબ ૧૯.સાધ્વીજી Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ કલ્પગુણાશ્રીજી મહારાજ સાહેબ ૨૦.સાધ્વીજી શ્રી નલિનયશાશ્રીજી મહારાજ સાહેબ ૨૧.સાધ્વીજી શ્રી ઉજ્જવલ પ્રસાશ્રીજી મહારાજ સાહેબ ૨૨.સાધ્વીજી શ્રી જયદર્શિતાશ્રીજી મહારાજ સાહેબ ર૩.સાધ્વીજી શ્રી રત્નત્રયાશ્રીજી મહારાજ સાહેબ ૨૪.સાધ્વીજી શ્રી કોટિગુણાશ્રીજી મહારાજ સાહેબ ૨૫.સાધ્વીજી શ્રી સોમ્ય રસાશ્રીજી મહારાજ સાહેબ ૨૬.સાધ્વીજી શ્રી જય નંદિતાશ્રીજી મહારાજ સાહેબ ૨૭.સાધ્વીજી શ્રી ઋજુ દર્શિતાશ્રીજી મહારાજ સાહેબ ૨૮.સાધ્વીજી શ્રી પુનિત ધર્માશ્રીજી મહારાજ સાહેબ ૨૯.સાધ્વીજી શ્રી ચંદ્રગુણાશ્રીજી મહારાજ સાહેબ ૩૦.સાધ્વીજી શ્રી રાજરત્નાશ્રીજી મહારાજ સાહેબ ૩૧.સાધ્વીજી શ્રી પીયૂષ પૂર્ણાશ્રીજી મહારાજ સાહેબ ૩ર.સાધ્વીજી શ્રી હિતદર્શિતાશ્રીજી મહારાજ સાહેબ ૩૩.સાધ્વીજી શ્રી મુક્તિ રત્નાશ્રીજી મહારાજ સાહેબ ૩૪.સાધ્વીજી શ્રી પ્રશાન્ત પૂર્ણાશ્રીજી મહારાજ સાહેબ ૩પ.સાધ્વીજી શ્રી નય દર્શિતાશ્રીજી મહારાજ સાહેબ ૩૬.સાધ્વીજી શ્રી કલ્પલતાશ્રીજી મહારાજ સાહેબ ૩૭.સાધ્વીજી શ્રી નયતત્ત્વજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ ૩૮.સાધ્વીજી શ્રી મૃગલોચનાશ્રીજી મહારાજ સાહેબ ૩૯.સાધ્વીજી શ્રી મયમલતાશ્રીજી મહારાજ સાહેબ ૪૦.સાધ્વીજી શ્રી સૂરપ્રભાશ્રીજી મહારાજ સાહેબ ૪૧.સાધ્વીજી શ્રી તત્ત્વગુણાશ્રીજી મહારાજ સાહેબ ૪ર.સાધ્વીજી શ્રી જિતેન્દ્રશ્રીજી મહારાજ સાહેબ ૪૩.સાધ્વીજી શ્રી તીર્થરત્નાશ્રીજી મહારાજ સાહેબ ૪૪.સાધ્વીજી શ્રી શ્રુતરત્નાશ્રીજી મહારાજ સાહેબ ૪૫.સાધ્વીજી શ્રી સાસન રત્નાશ્રીજી મહારાજ સાહેબ ૪૬.સાધ્વીજી શ્રી સંયમરત્નાશ્રીજી મહારાજ સાહેબ ૪૭.સાધ્વીજી શ્રી અનંતદર્શનાશ્રીજી મહારાજ સાહેબ ૪૮.સાધ્વીજી શ્રી ભવ્યરત્નાશ્રીજી મહારાજ સાહેબ ૯.સાધ્વીજી શ્રી તારકશ્રીજી મહારાજ સાહેબ ૫૦.સાધ્વીજી શ્રી સુધર્માશ્રીજી મહારાજ સાહેબ ૫૧.સાધ્વીજી શ્રી સુનયનાશ્રીજી મહારાજ સાહેબ પર.સાધ્વીજી શ્રી જય પૂર્ણાશ્રીજી મહારાજ સાહેબ ૫૩.સાધ્વીજી શ્રી સિદ્ધિપૂર્ણાશ્રીજી મહારાજ સાહેબ ૫૪.સાધ્વીજી શ્રી મોક્ષરત્નાશ્રીજી મહારાજ સાહેબ ******* Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ લેખકશ્રીનો ટૂંક પરિચય... માનવમાત્રનો એવો સ્વભાવ છે કે કંઈક નવું કરવું. કંઈક નવું ત્૬. કંઈક નવું જાણવું. એના એવા સ્વભાવને કારણે જ એ કંઈક નવું કરી શકે છે, જોઈ શકે છે અને જાણી શકે છે. અંતરની આવી જિજ્ઞાસાથી માનવે ઘણી નવી શોધો કરી છે. ઘણાં આશ્ચર્યજનક કાર્યો પણ માનવે કર્યાં છે. જૂના અવનવા ઇતિહાસ પણ માનવે જ લખ્યા છે. દુનિયાનો ઈતિહાસ માનવને મુખપાઠ છે. માનવમાત્ર બીજાનો ઈતિહાસ જાણે છે. પરંતુ તેને કોઈ પોતાના પૂર્વજોનો ઈતિહાસ પૂછે તો મૌન રહી નીચે જોઈ જાય છે. કારણ પોતાના પૂર્વજોનો ઈતિહાસ પોતે જાણતો નથી. પ.પૂ. શાંતમૂર્તિ ગુરુભગવંત પંન્યાસ શ્રી વર્ધમાન સાગરજી મહારાજ સાહેબની ઘણાં વર્ષોની એવી ભાવના હતી કે શ્રીમાળી વંશનો ઇતિહાસ બહાર પડે અને લોકો જાણે કે અમારા પૂર્વજો કોણ હતા, એમણે કેવાં કેવાં શાસનનાં મહાન કાર્યો કર્યાં હતાં. શ્રીમાળીવંશના ઈતિહાસના કાર્ય માટે પૂ. ગુરુદેવશ્રી આઠ વર્ષથી આ કાર્યની પાછળ પ્રયત્નશીલ હતા. ભગીરથ પ્રયાસથી આઠ આઠ વર્ષની મહેનત હવે ફળીભૂત થતી દેખાઈ રહી છે. પુસ્તકકાર્યમાં ઘણાં વિઘ્નો પણ આવ્યાં પરંતુ શાસનદેવની કૃપાથી નિર્વિઘ્નકાર્ય પૂર્ણતાને આરે પહોંચ્યું છે. પૂ.ગુરુદેવશ્રીનો જન્મ કુવાલા (જિ. બનાસકાંઠા, ગુજરાત)માં શ્રી અમુલખદાસભાઈનાં ધર્મપત્ની શ્રીમતી શાંતાબેનની કૂખે. કુળદીપકરૂપે જન્મેલા વસંતભાઈ જૂઈના પુષ્પની જેમ ઊઘડતી જવાનીમાં ૧૭ વર્ષની વયે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા (મહેસાણા)માં અધ્યયન કરીને પાદરલી (રાજસ્થાન)માં અધ્યાપકરૂપે ગયા હતા. ત્યાં પૂજ્યપાદ આચાર્ય ગુરુ ભગવંતશ્રીનો સંગ થતાં ગુરુવચન શિરોમાન્ય કરી વિ. સં. ૨૦૨૧ જેઠ સુદ-૧૨ના મેડતારોડ (રાજસ્થાન)માં પરમ શ્રદ્ધેય ગુરુભગવંતશ્રી Jain Educationa International ૩ For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી વસંતમાંથી મુનિ વર્ધમાન સાગરજી મહારાજ સાહેબ બની દીક્ષાના પ્રારંભથી જ ફરી અધ્યયનની યાત્રા આંરભી દીધી. સાથે સાથે નૂતન મુનિઓને અધ્યાપન કરાવતા હતા. ગુરુની આજ્ઞા જ સર્વસ્વ માની સંયમ આરાધનામાં ઉત્તરોત્તર આગળ વધી ગુરુદેવશ્રીના કૃપાપાત્ર બન્યા. વિ.સં.૨૦૩૪ મહાસુદ-૧૩ના સિહોર (સૌરાષ્ટ્ર) મુકામે ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. પૂ. ગુરુદેવશ્રીનો સાહિત્યપ્રેમ ખૂબ જ પ્રસંશનીય છે. પ્રેમ વગર લોકભોગ્ય સાહિત્ય બહાર પાડી શકાય નહીં. સાહિત્યપ્રતિ અત્યંત લગાવને કારણે ગુજરાતીમાં અને હિન્દીમાં પુસ્તકો બહાર પાડ઼યાં. “મુક્તિના મંગલ પ્રભાતે”, “મુક્તિ કા મહલ”, “ગુરુ કેલાસના ચરણે આરાધકોને આ પુસ્તકો ખૂબ ઉપયોગમાં આવ્યા. વર્ષોની જે એમની ભાવના હતી એ ભાવનાપૂર્તિમાં જેમનો જેમને સાથ સહકાર મળ્યો એમનું વિસ્મરણ થઈ શકે એમ નથી. સાથ સહકાર વિના આ કાર્ય ઝડપથી પૂર્ણ થાત નહીં પરંતુ સાધ્વીજી શ્રી પવિત્રલતાશ્રીજી મહારાજ સાહેબ તથા સુશ્રાવક શ્રી દિલીપભાઈ, સુશ્રાવિકા શ્રી મીનાક્ષીબેન રજનીકાંતભાઈવર્ધમાની તથા મહાલક્ષ્મી ઑફસેટ પ્રિન્ટર્સના માલિકે આ પુસ્તકનું છાપકામ ધાર્યા કરતાં જલદી તૈયાર કરી આપ્યું છે. સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ. મને આશા છે કે ઘર્મપ્રેમી આરાધકો આ પુસ્તકનો ખૂબ સારો લાભ ઉઠાવી પોતાનો ઈતિહાસ જાણી પૂર્વજોએ જે શાસનના મહાન કાર્યો કર્યા છે એમાંથી સુંદર કાર્યો કરવાની પ્રેરણા લઈ જીવન ઉદ્યાનને સુવાસિત કરી આત્મકલ્યાણ સાધે એ જ મંગલ શુભકામના. વિ. સં. ૨૦૪૯ વૈશાખ સુદ ૫ મુનિ વિનયસાગર શ્રી મહાવીર જૈન આરાઘના કેન્દ્ર કોબા (જિ. ગાંધીનગર) Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ને બોલ મહાજન સંઘનો ઈતિહાસ એ વાત પુરવાર કરે છે કે વીર સં. ૫માં વિદ્યાધર ગચ્છ કુલભૂષણ શ્રી પાર્શ્વનાથ પ્રભુના પંચમ પટ્ટપરંપરક આચાર્ય ભગવંત શ્રીમતુ સ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબે શ્રીમાલનગર હાલમાં (ભીનમાલ) નગરીને વિષે મહાજન સંઘની સ્થાપના કરી. પૂ. આચાર્ય ભગવંત સ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પોતાના શિષ્ય રત્નપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે વિચરતાં આબુપર્વત ઉપર પધારેલ અને ત્યાં શ્રીમાલનગરના ગૃહસ્થો પૂજ્યશ્રીને વિનંતી કરવા માટે આવેલ અને ત્યાંની બધી પરિસ્થિતિ જણાવી કે--- શ્રી માલનગરમાં ભયંકર હિંસા થઈ રહી છે. એ પણ ધર્મને નામે પશુઓની બલિ ચઢાવાઈ રહી છે. ક્ષત્રિયો હિંસામાં ધર્મ માને છે. આ વાત સાંભળી આચાર્યશ્રીનું હૃદય દ્રવી ઊઠયું. આચાર્યશ્રીએ જ્ઞાનબળથી જાણ્યું કે ત્યાં જવાથી એકાંતે પરોપકાર થશે. જીવોને અભયદાન મળશે અને શાસનપ્રભાવના થશે. પરમાત્માનું શાસન પ્રાપ્ત કરશે. પોતાના વિશાળ શિષ્ય સમુદાય સાથે આચાર્યશ્રી શ્રી માલનગર પધાર્યા. ત્યાંની પરિસ્થિતિ જાણી આચાર્યશ્રીનું કરુણાળુ હૃદય છલકાઈ ગયું. ક્ષત્રિયોને પ્રતિબોધ પમાડી શ્રાવક ધર્મ અંગીકાર કરાવ્યો અને મહાજન સંઘની સ્થાપના કરી. આચાર્ય ભગવંતશ્રી સ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજે તેમને શ્રાવકનાં સમ્યક્ત્વ સહિત બાર વ્રત અંગીકાર કરાવ્યાં. શ્રીમાલનગર ઉપર કાળક્રમે પરધર્મીઓનાં આક્રમણ થયાં. ભાંગી ગયું– છિન્ન ભિન્ન થઈ ગયું તેથી તેનું બીજું નામ પાછળથી ભિન્નમાલ એ પ્રમાણે પ્રસિદ્ધ થયું. ભિન્નમાલમાં બે ભાઈઓ રહેતા હતા. બંનેમાં કૌટુંબિક કારણસર ઝગડો થયો. નાનો ભાઈ ઉપકેશપુરનગર જે હાલમાં (ઓશીયાજી)ના નામે પ્રસિદ્ધ છે, ત્યાં જઈને વસ્યો અને મોટો ભાઈ Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ આબુની તળેટીમાં ચંદ્રાવતી નગરી હતી ત્યાં જઈને વસ્યો. એ નગરીમાં તે સમયમાં ૭૦૦ શ્રીમાળીઓ કોટ્યાધિપતિ હતાં અને અનેક જિન મંદિરોથી વિભૂષિત હતું. પાછળથી આ નગરી મોગલોના આક્રમણ દ્વારા છિન્નભિન્ન થઈ નામશેષ થઈ ગઈ. અને ત્યાં રહેલા શ્રીમાળી જૈન શ્રાવકો ત્યાંથી જ્યાં જ્યાં વહેપારને યોગ્ય સ્થળો મળ્યાં ત્યાં ગયા અને વસી ગયા. પૂરા ગુજરાતમાં નાનાં મોટાં ગામ-નગરોમાં વસી ગયા. હાલમાં જે જે શ્રીમાળીઓની વસ્તી જણાય છે તે બધા ચંદ્રાવતી નગરીમાંથી ઊઠીને આવેલાના વંશજો છે. ત્યારબાદ જેમ જેમ મોટી જ્ઞાતિ થવા લાગી એટલે અમુક અમુક સ્થાનના હિસાબે પોતાની જ્ઞાતિનું બંધારણ નક્કી કર્યું અને તે તે જ્ઞાતિમાં તેમનો વ્યવહાર ચલાવવા લાગ્યા. મારે આ ઈતિહાસ લખવાનું મુખ્ય કારણ એ છે કે અમે અમારા ઉપકારી ગુરુદેવને પણ ભૂલી ગયા. ઉપકારીના ઉપકારને ભૂલવો ન જોઈએ. જેમણે કષ્ટો વેઠીને ક્ષત્રિયોમાંથી અમને જેના બનાવ્યા, પરમાત્માના શાસનના રાગી બનાવ્યા, એમનો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો છે. એમના ઉપકારનો બદલો વાળી શકાય એવો નથી. માત્ર એમનું સ્મરણ કરી એમના ચરણોમાં ભાવથી વંદન કરી પુસ્તક રૂપી પુષ્પાંજલિ અર્પણ કરી જીવન ધન્ય બનાવું. શ્રીમાળીવંશનો ઈતિહાસ બહાર પાડવાથી શ્રીમાળીઓને ખબર પડે કે અમારા ઉપકારી ગુરુદેવ કોણ છે? આપણે કોણ છીએ? ઈતિહાસ વાંચી ઉપકારીને ઓળખે. એમના ઉપકારોનું સ્મરણ કરે. મારી ઘણાં વર્ષોની જે ભાવના હતી એ કંઈક અંશે સફળ થઈ છે. વાચક વર્ગ ઈતિહાસ જાણી પોતે શુદ્ધ શ્રાવક બની સમ્યક્તને ધારણ કરી પરંપરાએ પરમપદને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. સુજ્ઞ વાચક બંધુઓ આ પુસ્તકમાં કાંઈ પણ ભૂલ રહી જવા પામી હોય તો મને જણાવશો જેથી ભવિષ્યમાં તેને સુધારવા પ્રયત્ન કરીશ. વિ. સં. ૨૦૪૯ અક્ષય તૃતીયા પંચાસ વર્ધમાન સાગર Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈનની મુખ્ય ત્રણ જાતિ જેનોમાં મુખ્ય તથા પ્રાચીન ત્રણ જાતિઓ છે (૧) શ્રીમાળી (૨) પ્રાગ્વાટ (પોરવાલ) (૩) ઉપકેશજ્ઞાતિ (ઓસવાલ) આમાં શ્રીમાળ અને પોરવાલ જ્ઞાતિના સ્થાપક આચાર્ય સ્વયંપ્રભસૂરિ હતા કે જેઓ પ્રભુ પાર્શ્વનાથના પાંચમા પટ્ટધર હતા અર્થાત્ આચાર્ય કેશી શ્રમણના શિષ્ય તથા આચાર્ય રત્નપ્રભસૂરિના ગુરુ હતા. બાદ આ બન્ને જાતિઓના ઉત્કર્ષ માટે ઉપદેશ ગચ્છાચાર્યો ઉપરાંત વિક્રમની આઠમી સદીમાં શંખેશ્વર ગચ્છીય ઉધ્યપ્રભસૂરિ તથા ૧૪૪૪ ગ્રંથોના કર્તા આચાર્ય હરિભદ્રસૂરિજીએ પણ આમાં રસ લીધેલો. આમ શ્રીમાલ તથા પોરવાડનું મૂળ ગચ્છ ઉપકેશગચ્છ જ છે. હવે રહી ત્રીજી ઓસવાલ જ્ઞાતિ. તેના મૂળ સ્થાપક આચાર્ય રત્નપ્રભસૂરિ છે. આચાર્ય રત્નપ્રભસૂરિ પછી લગભગ ૧૫૦૦ વર્ષ સુધી ઘણું ખરું ઉકેશ ગચ્છાચાર્યોએ આ જ્ઞાતિનો ઉદ્ધાર કર્યો હતો. તેનો વિસ્તાર કર્યો હતો. આ જ્ઞાતિનો ગચ્છ ઉપકેશગચ્છ હતો છતાં પણ આ લાંબા સમય સુધી બીજા ગચ્છીય આચાર્યોએ અજેનોને પ્રતિબોધ કરી ઓસવાળ જ્ઞાતિની વૃદ્ધિ કરવામાં ઉપકેશગચ્છાચાર્યોના હાથ મજબૂત કર્યા હશે ? તેમ છતાં આ ઉદારવૃત્તિવાળા આચાર્યોને ગચ્છનું મમત્વ ન હોવાથી પોતે બનાવેલા પ્રતિબોધ કરેલા ભાવિકોને અલગ રાખતા આ સંગઠન સંસ્થામાં સામેલ કરી દેવામાં સંઘનું હિત તથા પોતાનું ગૌરવ સમજ્યા અને આ જ કારણથી આ સમયે આ જ્ઞાતિનું સંગઠન બળ વધતું રહ્યું. આચાર્ય રત્નપ્રભસૂરિથી ૧૫૦૦ વર્ષ પછી જેનશાસનની પ્રચલિત પ્રથામાં અમુક લોકોએ બે ભેદ પાડ્યા અને નવા નવા ગચ્છો રચવાની પ્રક્રિયા શરૂ કરી અને આ લોકો ઓસવાલાનવાદિ પૂર્વાચાર્યો દ્વારા પ્રતિબોધ શ્રાવકોને પોતાની મન માની ક્રિયા કરાવી તથા આંખોના જાદુથી તેઓને પોતાના ઉપાસક બનાવવા લાગ્યા. અને તેમના ઉપાસક બનાવવા લાગ્યા. પણ તેમના વંશને નહિ બદલી તેનો Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ તે રાખ્યો. આ કાર્ય ઈતિહાસને સુરક્ષિત રાખવું. બસ આ કારણ માત્રથી અમે આ બધી વાતો લખવાનું ઉચિત માન્યું છે. ૧. મહાજનવંશ તેમજ ઉપકેશવંશ તથા ઓશવંશની સ્થાપના તથા વૃદ્ધિ કરવાવાળા ઉપકેશગચ્છમાં આચાર્ય રત્નપ્રભસૂરિ, યજ્ઞદેવસૂરિ, કસૂરિ, દેવગુપ્તસૂરિ, સિદ્ધસૂરિ, કુકદી શાખાના કુંદકુંદાચાર્ય, કક્કસૂરિ, દેવગુપ્તસૂરિ, સિદ્ધસૂરિ, દ્વિવન્દનીય શાખાના - કસૂરિ, દેવગુણસૂરિ, સિદ્ધસૂરિ, ખજવળની શાખાના કક્કસૂરિ, દેવગુપ્તસૂરિ તથા સિદ્ધસૂરિ, આ સિવાય જદુનાગગુરુ કૃણાર્થી પજ્ઞપ્રભવાચક વગેરે મહાન પ્રભાવિક આચાર્ય થયા છે. અને આ ગચ્છ પરંપરાથી તેઓએ શુદ્ધિ સંગઠન દ્વારા જોરદાર કાર્ય કરી જૈનશાસનની કીમતી સેવા કરી છે. જૈન સમાજ ભલે પોતાના પ્રમાદ, અજ્ઞાન તથા કતાનીપણાથી ભૂલી જાય. પરંતુ જેન સાહિત્ય ડંકો વગાડી બતાવી રહ્યું છે કે આજ જે જૈન ધર્મજગતમાં ગર્જના કરી રહ્યો છે તે એ મહાત્માઓની શુભ દૃષ્ટિ તથા મોટી કૃપાનું ફળ છે કે જેઓએ મહાજનવંશની સ્થાપના કરી જેન શાસનનો બહુ ભારે ઉપકાર કર્યો છે. ઉપર બનાવેલ બૃહદ શાન્તિ સ્નાત્ર પૂજામાં ભાગ લેવા વાળા ૧૮ ગોત્રોનાં નામ આ પ્રમાણે બતાવ્યાં છે. તા ભરો, વઘ ના, તતઃ પ્રાર્ટ ગોત્રાઃ | तुर्यो बला भ्यो नामाऽपि,श्री श्रीमा'लः पञ्चमस्तथा ॥ १६९ ગુરુભકો નોરક્ષા, લિરિચિહ્યોડમઃ श्रषष्टि' गोत्राण्यमून्यासन पणे दक्षिण संज्ञके ॥ १७० सुयि' तताडडदित्य' नागौ, भूरि मोद्र डथ पि यचि । कुंम टः कान्यकुब्जौडथ, डिडुभाखयोडष्टमोडपियः ॥ १७१ तथाडन्यः श्रेष्टि गोत्रोयो, महारवीरस्य वामनः ॥ ઉપદેશગચ્છ ચરિત્ર તાડ બાફના, કરણાવટ, બલાહ, શ્રી શ્રીમાલ, કુલભદ્ર મોખ, વિરહક તથા શ્રેષ્ટિ આ નવગોત્રોવાળા મહાવીર પ્રભુની મૂર્તિની દક્ષિણ બાજુ પૂજાપો લઈ ઊભા છે. સંચતિ, આદિત્યનાગ, ભૂરિ, ભાદ્ર ચિંચટ કુમ્મટ, કાન્યકુબ્ધ ડિડ઼ તથા લઘુશ્રેષ્ટિ આ નવ ગોત્રોવાળા ભગવાન મહાવીરના નામ Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૫. પૂ. પ્રશાન્તમૂર્તિ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમત્ પૂ. કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. સેવાભાવી સાધ્વીજી શ્રી કલ્યાણધર્માશ્રીજી મ. સા. ની. સત્પ્રેરણાથી સાલડી નિવાસી પટેલ રઇબેન જીવીદાસના પુત્ર ભોળીદાસભાઇ, આત્મારામભાઇ, કેશાભાઇ . પં. શ્રી વર્ધમાનસાગરજી મ. સા. મુનિરાજશ્રી મહેન્દ્રસાગરજી મ. સા. » Jain Educationa International આ. ભ. શ્રીમત્ પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. ગણિ વિનયસાગરજી મ. સા. મુનિશ્રવરશ્રી વિવેકસાગરજી મ. સ સૌજન્ય : સાધ્વીજી શ્રી કોટીગણાશ્રીજી મ. સા. ના સદુપદેશથી શ્રી પ્રાણલાલ કે દોશી, બેન મફતલાલ કોઠારી લલીતાબેન વસંતલાલ ગભારદાસ, રસિકલાલ મફતલાલ કોઠારી Page #23 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પામાં ઊભા રહ્યાં હતાં, ઘણાં સ્નાત્રો કરાવ્યાં હતાં, આ અઢાર ગોત્રોનું પુણ્ય ક્યાં સુધી વધ્યું અને ક્યાં સુધી ફૂલ્ય ફાલ્યું ? તે નીચે લખેલ શાખા - પ્રતિ શાખાઓની સારણી ઉપરથી અનુમાન કરી શકશો. ચેનાવન રાવન તાડ તલવાડા માલાવન નાગડા તોડિયાણિ નરવારા સુરતી પાકા ચૌમોલા સંઘવી જોખેલા હરસોન કસિયા ડ્રગરિયા પાંચાવન કેલાણી ધાવડા ચૌધરી વિનાયિકા આવી કલ સાઠેરાવા ૨૨ શાખાઓ ૨. મૂલગોત્ર બપ્પનાગ: (ઉત્પતિ વીરાત્ ૭૦ વર્ષ) ૧ બાફના બાલા દફનરી ચમકિયા. ૨ બહુરૃણ ઘાતુરિયા ઘોડાવન બોહરા ૩ નાહટા રિહુપણા કુચેરિયા મિકડિયા ૪ ભોપાલા કુરા બાલિયા માસ ૫ ભૂતિયા વેતાલા સંઘવી રણધીરા ૬ ભાભુ સલગણા સોનાવન બહેચા ૭ નવસારા બુચાણિ સેલોન પાટલિયા ૮ મુગડિયા સાબલિયા ભાવડા બાનું જા ૯ ડાગરેચા તોસટિયા લઘુનાહટા તાકલિયા ૧૦ ચમકિયા ગાન્ધી પંચભાયા ૧૧ ચોધરી કોઠારી હડિયા ધારોલા ૧૨ જંગડા ખોખરા ટાટિયા ૧૩ કોટેચા પટવા ઠગારા વાઘેલા ૧૪ શુકનિયા આમ કુલ ૫૩ શાખાઓ થઈ. યોદ્ધા દુલિયા Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન ઈતિહાસ સંગ્રહ ભાગ - ૨ જેન રાજાઓનો ઇતિહાસ ] જૈન ધર્મ એ વીર ક્ષત્રિયોનો ધર્મ છે. આ અવસર્પિણી કાળની અપેક્ષાએ શ્રી ઋષભાદિ ચોવીસ તીર્થકર, ભરતાદિ બાર ચક્રવર્તી, રામચન્દ્રાદિ નવ બળદેવ, કૃષ્ણાદિ નવ વાસુદેવ, સમ્રાટ રાવણાદિ નવ પ્રતિ વાસુદેવ તથા મંડલિક રાજા મહારાજા આ ધર્મના પરમ ઉપાસક નહીં કિન્તુ કટ્ટર પ્રચારક હતાં, અને આ કારણથી જ જૈન ઘર્મ વિશ્વ ઘર્મ કહેવાતો હતો અને જ્યાં સુધી જેન ધર્મ રાષ્ટ્રિય ધર્મ રહ્યો ત્યાં સુધી વિશ્વાસની ઉત્તરોત્તર ઉન્નતિ થતી રહી. સુખ અને શાંતિમાં જ લોકો પોતાનું કલ્યાણ કરવામાં તત્પર રહેતા. વર્તમાન સમયમાં ફક્ત વૈશ્યજાતિ જ જેનધર્મનું પાલન કરતી જોઈને લોકો કહેતા કે જૈન ધર્મ તો ફક્ત વૈશ્ય જાતિને જ છે. આ મંદિરોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાવાળા કોઈ એક ગચ્છના નહિ પરંતુ જુદા જુદા ગચ્છના આચાર્યો હતો. અને આ જૈન જાતિઓ ને પ્રતિબોધ કરનારા પણ કોઈએક આચાર્ય નહોતા. પરંતુ આ બધા આચાર્યોએ ઓસવાળ જાતિના તમામ ગોત્ર તથા જાતિઓની સાથે ઉપકેશવંશનો ઉલ્લેખ કરી એ સાબિત કરી આપ્યું છે કે ઉપકેશવંશના પ્રતિબોધ ઉપકેશગચ્છ આચાર્ય હતા અને તેમનો ગચ્છ પણ ઉપકેશ ગચ્છ જ છે. ઉપકેશગચ્છો ઉપાસકોની જાતિઓની ગણતરી કરવી એટલી બધી મુશ્કેલ છે કે, રત્નાકરમાંથી રત્નોની ગણતરી કરવી જેવી મુશ્કેલ છે. છતાં વિરા– ૩૭૩ વર્ષમાં ઉપકેશપુરમાં બૃહદસ્નાત્ર ભણાવાયું તે સમયે ૧૮ ગોત્રવાળા સ્નાત્રીય બનેલા એ ૧૮ ગોત્રોનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં અવશ્ય મળે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ કિન્તુ ઉપકેશપુરમાં રહેવાવાળા બીજા લોકોનાં ક્યાં ક્યાં ગોત્ર છે ? તથા ઉપકેશપુ૨ સિવાય બીજાં અન્ય ગામોમાં વસેલા મહાજનવંશના ક્યાં ક્યાં ગોત્ર હશે ? તેમાં જે કોરણટપુરમાં રહીને માર્થ નજર તથા આદિ આચાર્યોએ અજેનોને જૈન બનાવી મહાજનવંશની જે વૃદ્ધિ કરી તેના ક્યાં ક્યાં ગોત્ર હશે ? વગેરે આ વિષય ઉપર સિલસિલાબંધ કોઈ ઈતિહાસ મળતો નથી. સંભવ છે કે આટલા લાંબા સમયમાં આવા ઉત્કૃષ્ટ ઉન્નતિકાળમાં પણ બીજાં અનેક ગોત્ર હશે. છતાં વર્તમાનમાં જે કંઈ વિગતો મળે છે તેનાથી જ સંતોષ માનવો પડે છે. કારણ કે બીજો શું ઉપાય છે ? છતાં અમે આ સમય માટે આટલું પણ નહિ લખીએ તો અમને વિશ્વાસ છે કે પાછળના લોકો માટે આ પણ વિગતો નહીં રહે. ૩. મૂલગોત્ર કર્ણાટ: (ઉત્પતિ વીરાત્ ૭૦ વર્ષ) કરણાવટ વાગડિયા સંઘવી રણસોત આ૨છા દદલિયા હુના કાકેચા થંભારા કુદેચા જિનોતી લાભાંણી સંખલા ભીનમાલા આમ કુલ ૧૪ શાખાઓ થઈ. ૪. મૂલગોત્ર બલાહા (ઉ.વી. ૭૦ વર્ષ) અલાહા રાંકા વાંકા શેઠ લાલા બોહરા ભૂતેડા કોટારી લઘુરાંકા દેપારા નેરા સુખિયા પાટોના પેપસરા ધારીયા જડિયા સાલીપુરા ચિતોડા હાકા સંઘવી કાગડા કુશલોના ફલોદિયા આમ કુલ ૨૬ શાખાઓ શેઠીયા છાવત ચૌધરી ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૫. મૂલગોત્ર મોરખ (ઉ.વી. ૭૦ વર્ષ) પોકરણ મોરખ બાંદોલીયા ચુંગા સંઘવી લઘુચુંગા તેજારા ગજા લઘુપોકરણાં ચૌધરી ગોરીવાલ કેદરા વાકાકડા કરચુ કોલોરા શીગાલા કોઠારી આમ કુલ ૧૭ શાખાઓ ૬. મૂલગોત્ર ગુલહટ (ઉ.વી. ૭૦ વર્ષ) સુરાણીયા સામેચા કુલહટ સુરખા સુંસાણી પુકાર મસાણીયા ખોડીદા સંઘવી લઘુસુખા બોરડા ચૌધરી કટારા મસ્ત્રી પાલખીયા ખૂમાણશ આમ કુલ ૧૮ શાખાઓ હાકડા મલોડી Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જેનોના ગચ્છનો ઈતિહાસ વિભાગ - ૧ મહાજન સંઘનો ઈતિહાસ એ વાત પુરવાર કરે છે કે વીરાતું. ૫ મા વર્ષમાં પ્રાય: વિદ્યાધર ગચ્છ કુલભૂષણ આચાર્ય સ્વયં પ્રભસૂરીએ મહાજનસંઘની સ્થાપના કરી હતી. ઉશ, ઉકેશ, ઉપકેશ ઓસવંશ તથા ઓસવાળ એ મહાજન સંઘના પર્યાયવાચી નામો છે. પ્રભુ મહાવીરના નિર્વાણ બાદ ૩૭૩ વર્ષે ઉપકેશમાં એક દુર્ઘટના બની. પ્રભુ વીર ભગવાનની મૂર્તિના વક્ષ:સ્થલ ઉપ૨ ઉપસાવેલ ગ્રંથિઓને કેટલાક નવયુવકોએ એક સુથારને બોલાવી તેને નષ્ટ કરવાનું દુઃસાહસ કર્યું. આ કાર્યથી દેવીનો કોપ થયો અને આખા નગરમાં હાહાકાર મચી ગયો. તે વખતે પૂ. આ દેવશ્રી કક્કસૂરિજીએ શાંતિ કરાવી, હવે આ વખતે ઉપકેશપુરના કેટલાક જેનો આ નગરનો ત્યાગ કરી હિજરત કરી ગયા અને તેઓ ત્યાંથી નીકળી બીજાં ગામોમાં જઈ વસ્યા. હવે તેઓ જે ગામ કે નગરમાં વસ્યા ત્યાંના લોકો આ લોકોને ઉપકેશી તરીકે ઓળખવા લાગ્યા કારણ કે તેઓ “ઉપકેશ પુર” નગરમાંથી આવેલા હતા. આગળ ઉપર આ લોકો ઉપકેશવંશ તરીકે પ્રખ્યાત બન્યા. આ એક સામાન્ય બાબત છે કે ગામના નામ ઉપરથી કોઈ એક જાતિ બની જાય છે. દાખલા તરીકે મહેશ્વરી નગરી ઉપરથી મહેશ્વરી, ખંડવા ઉપરથી ખડેલવાલ, અગ્રહથી અગ્રવાલ, પાળીથી પાલીવાલ વિ. વિ. આ કારણથી જ ઉપકેશનગર ઉપરથી ઉપકેશવંશ પડ્યો. હવે આ ઉપકેશવંશના પ્રતિબોધક આચાર્યોના વધુ પડતા વિહારો ઉપકેશપુરની આસપાસના પ્રદેશોમાં વધુ રહેવાના કારણથી આ સાધુ - ભગવંતોનો સમૂહ ઉપકેશગચ્છ તરીકે ઓળખાવા લાગ્યો જે આજદિન સુધી વિદ્યમાન છે. ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ આ રીતે શંખેશ્વર ગામથી શંખેશ્વરગચ્છ, વાયટગામથી વાટગચ્છ, નાણા ગામથી નાણાવળગચ્છ, કોરંટ ગામથી કોરંટગચ્છ, હર્ષ પુરાથી હર્ષપુરણગચ્છ, ભિન્નમાલથી ભિન્નમાલગચ્છ.વિ. આ પ્રમાણે ઉપકેશપુરથી ઉપકેશગચ્છ સ્થપાયો છે. ઉએશ : આ મૂળ શબ્દ ઉસવાળી (ઉસકી) ભૂમિથી ઉત્પન્ન થએલ છે. પ્રાકૃતના લેખકોએ ઉકેશ તથા સંસ્કૃતના વિદ્વાનોએ ઉપકેશ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ ત્રણે શબ્દોનો જેવી રીતે નગરો માટે પ્રયોગ થાય છે તેવી રીતે ઉપકેશવંશ જાતિ તથા ઉપકેશગચ્છ માટે થાય છે. ૧. ઉએશપુર - ઉકેશપુર - ઉકેશપુર ૨. ઉએચવંશ (જ્ઞાતિ) - ઉકેશવંશ - ઉપકેશવંશ ૩. ઉએશગચ્છ - ઉકેશગચ્છ - ઉપકેશગચ્છ આ ત્રણે શબ્દોનો પ્રયોગ નગર, વંશ તથા ગચ્છની સાથે કેવી રીતે અને ક્યાં ક્યાં થયો છે તેના માટે અહીં એક સર્વસાધારણ વિશ્વસનીય નમૂના નીચે મુજબ બનાવેલ છે : ઉએશપુરે સમાતી – ઉ. ગ. પટ્ટાવળી ઉકેશપુરે વાસ્તવ - ઉપકેશગચ્છ ચરિત્ર શ્રીમત્યુપકેશપુરે - નાભિનન્દનોદ્ધાર ઉએશવંશ – ચંડાલિઆગોત્રે શિલાલેખ ૧૨૮૫ + ઉકેશવંશ - જાંગડા ગોત્ર શિલાલેખ ઉપકેશવંશે - શ્રેષ્ટ ગોત્ર શિલાલેખ ૧૨૫૬ + + બાબુ પૂર્ણચંદ્રજી સંપાદિત ઉએશગચ્છ શ્રી સિદ્ધસૂરિભી લેખાંક ૫૫૮ + ઉકેશગચ્છ શ્રી કકસૂરિનને લેખાંક ૧૦૪૪+ ઉપકેશગચ્છ શ્રી કુકુંદાચાર્યસંતાને લેખાંક ૧૫૫ - આચાર્ય બુદ્ધિસાગરસૂરિ સંપાદિત ૪૦૦ + Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ આ રીતે આ ત્રણે શબ્દોને માટે સેંકડો સાબિતી વિદ્યામાન છે અને આનાથી એ ફલિત થાય છે કે પહેલા ઉપકેશપુર ત્યારબાદ ઉપકેશવંશ અને તે પછી ઉપકેશગચ્છ નામકરણ થયાં છે. અને આ ત્રણે શબ્દો એકબીજા સાથે ઘનિષ્ટ સંબંધ ધરાવે છે. સારાંશ : આજે આપણે જેને ઓસિયા નગરી કહીએ છીએ તેનું મૂળ નામ ઉપકેશપુર છે અને આ ઉપકેશપુરનું અપભ્રંશ ઓસિયા વિક્રમની અગિયારમી શતાબ્દીની આસપાસ થયેલ છે અને ત્યાંથી ઉપકેશપુરને લોકો ઓસિયા કહેવા લાગ્યા. તેમ છતાં સંસ્કૃત સાહિત્યના લેખકોએ આ નગરીનું નામ ઉપકેશપુર જ લખ્યું છે. જેઓને આપણે ઓસવાલ કહીએ છીએ તેઓનું મૂળ નામ ઉપકેશવંશ છે. જ્યારથી ઉપકેશવંશનું અપભ્રંશ ઓસિયા થયું ત્યારથી ઉપકેશવંશ અપભ્રંશ પણ ઓસવાળ થઈ ગયું. તેમ છતાં શિલાલેખો વગેરેમાં આ વંશનું નામ ઉપકેશવંશ જ લખેલું માલૂમ પડે છે. અગર કોઈને પણ ઓસવાલના નામનો ઈતિહાસ જોવો હશે તો વિક્રમની અગિયારમી શતાબ્દી પહેલાં તો નહિ જ મળે. કારણ કે તે વખતે આ જ્ઞાતિનું નામ સંસ્કરણ પણ થએલ નહોતું. પણ તેથી કદી એમ માનવાને કારણ નથી કે ઓસવાલ જાતિનો ઈતિહાસ વિક્રમની અગિયારમી શતાબ્દી પૂર્વે ન મળે. કારણ કે અગિયારમી સદી પૂર્વે આ જ્ઞાતિનું નામ ઉપકેશવંશ હતું. એટલે અગિયારમી સદી પહેલાંનો ઈતિહાસ ઉપકેશવંશના નામથી જ મળશે. જ્યારથી આ જ્ઞાતિ પ્રકાશમાં આવી ત્યારે તેનું નામ ઉપકેશવંશ પણ નહોતું. પણ તે વખતે નામ મહાજનવંશ હતું. ત્યારબાદ ચાર-પાંચ સદીઓ પછી ઉપકેશવંશના લોકો બીજે અન્ય સ્થાનમાં જઈ વસ્યા તે કારણથી મહાજનવંશનું નામ પછી ઉપકેશવંશ પડ્યું. પરંતુ જે મહાનુભાવોએ આ બાબતનો ઈતિહાસ જાણવાની આછીપાતળી પણ મહેનત કરી છે, તેઓ ખુદ કહી શકશે કે જેન ઘર્મ તો એક રાષ્ટ્રિય ધર્મ છે. ૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ભારતને આર્યાવર્ત તથા અહિંસાપ્રધાન દેશ કહેવામાં આવે છે એ જ વાત સિદ્ધ કરે છે કે ભારતમાં જૈન ધર્મની જ પ્રધાનતા હતી. વેદકાળ પહેલાં પણ જૈન ધર્મ અસ્તિત્વમાં હતો તે ખુદ વેદ તથા પુરાણોમાં બતાવવામાં આવે છે. * નીચે લખેલ હકીકત વાંચો : ॐ नमोऽर्हन्तो ॠषभन्ते ॥ અર્થ :- અર્હન્ત નામવાળા (૫) પૂજ્ય ૠષભદેવને નમસ્કાર હોજો. (યજુર્વેદ) ॐ सदा रक्ष अरिष्टनेमिस्वाहा || અર્થ :- હે અરિષ્ટ નેમિ ભગવાન અમારી રક્ષા કરો. (યજુર્વેદ અધ્યા. ૨૬) ॐ त्रेलोक्य प्रतिष्टतानां चतुर्विंशति तीर्थकराणां । ऋषभादि वर्द्धमानान्तानां, सिद्धानां शरणं प्रपद्ये ॥ અર્થ :- ત્રણ લોકમાં પ્રતિષ્ઠિત શ્રી ઋષભદેવથી આદિથી વર્ધમાનસ્વામી સુધીના ચોવીસ તીર્થંકરો છે. તે સિદ્ધોનું શરણ પ્રાસ થાઓ. (ઋગ્વેદ) ॐ पवित्रं नग्नमुपवि (ई) प्रसान हे येषां नग्रा (नग्नये) जातिर्येषां વીરા ! અર્થ :- અમે લોકો પવિત્ર "પાપથી બચાવવાવાળા” નગ્ન દેવતાઓને પ્રસન્ન કરીએ છીએ. જે નગ્ન રહે છે તથા બળવાન છે. (ઋગ્વેદ) કુદરતનો એક અટલ નિયમ છે કે દરેક પદાર્થની ઉન્નતિ અને નાશ અવશ્ય થયા કરે છે. ભગવાન મહાવીર પ્રભુની પહેલાં ભારતમાં યસવાદીઓનું બહુ જોર વધી રહ્યું હતું. અશ્વમેધ, ગજમેધ, નરમેઘ, ખકરાબલિ, વિ. યજ્ઞના નામ ઉપરથી અસંખ્ય નિરપરાધી મૂંગા પ્રાણીઓના બલિદાનથી રક્તની નદીઓ વહી રહી હતી. આ રીતભાતથી જનતા ત્રાહિમામ થઈ રહી હતી. વર્ણ - જાતિ - ઉપજાતિ મત-પંથના કીચડમાં જનતા ફસાઈને પોતાની શક્તિનો દુરુપયોગ ૧૬ Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ કરી રહી હતી. ઉચ્ચ-નીચનું કાતિલ ઝેર ચારે બાજુ ફેલાઈ રહ્યું હતું. દુરાચારનો અગ્નિ ચારેકોર લબકારા કરી રહ્યો હતો. નૈતિક, સામાજિક તથા ધાર્મિક પતન પોતાની ચરમસીમાએ પહોંચ્યું હતું. ત્યારે જનતા એક એવા મહાપુરુષની પ્રતીક્ષા કરી રહી હતી કે જે આ બધી હરકતોને ઉલઝાવી શાંતિ સ્થાપી શકે. ઠીક આ સમયે ભગવાન મહાવીર તીર્થંકર થઈને જનતાના કલ્યાણ અર્થે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સંતોષ, પ્રેમ તથા પરોપકારનો સંદેશ ભારતના ચારે ખૂણે પોતાના બુલંદ અવાજથી પહોંચાડયો. નીચ ઉચ્ચનો ભેદભાવ મિટાવી પ્રાણી માત્રને ધર્મના અધિકારી બનાવ્યા. આત્મકલ્યાણ કરી સ્વર્ગ - મોક્ષના હક્ક બધાંને સમાન રૂપમાં આપ્યા અને સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય પ્રવર્તવા લાગ્યું. ભગવાન મહાવીરનો પ્રભાવ ફક્ત સાધારણ લોકો પર જ નહોતો કિન્તુ મોટા રાજા તથા મહારાજાઓ ઉપર પણ પડ્યો હતો અને કરોડોની સંખ્યામાં મહાવીર ભગવાનના શાંતિના ઝંડા નીચે જનતા શાંતિ અનુભવી રહી હતી. આજે અમે ભગવાન મહાવીરના ઉપાસક કેટલાક રાજાઓનો જ ઉલ્લેખ કરવા માંગીએ છીએ. જો કે તેનો ઉલ્લેખ જૈનોના પ્રાચીન એવા પ્રમાણભૂત અંગોપાંગ સૂત્રમાં વિદ્યમાન છે. વિશાલાનગરીના મહારાજા ચેટ્ટક કટ્ટર જૈન ધર્મી હતા. તેમની બહેન ત્રિશલા મહારાજા સિદ્ધાર્થની સાથે પરણાવેલ અને તેમની કૂખે ભગવાન મહાવી૨નો જન્મ થયેલ. મહારાજા ચેટકના કબજામાં કાશી કોરલના ૧૮ રાજા હતા અને તેઓ પણ જૈનધર્મના ઉપાસક હતા. એ બધાએ ભગવાન મહાવીરની પરમ ઉપાસના કરી હતી અને અંત સમયે ભગવાનની પાસે પાવાપુરીમાં પોષધ વ્રતમાં હતાં. (નિરિયાવલિકા તથા ભગવતીસૂત્ર) સિન્ધુસોવીરના દેશના મહારાજા ઉદાઈ તથા તેમનાં મહારાણી પ્રભાવતી પાકાં જૈન હતાં. તેમણે તેમના ભાણેજ કેશીકુમારને રાજકારભાર આપી ભગવાન મહાવીરના ચરણકમળોમાં ભગવતી જૈન દીક્ષા ગ્રહણ કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું. Jain Educationa International ૧૭ For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ તેમના પુત્ર અભિજિતકુમાર તથા મહાજન કેશીએ પણ જૈન ધર્મને ખૂબ પ્રચાર કર્યો. (ભગવતી સૂત્ર) અવન્તી નગરીના મહારાજા ચંડ પ્રદ્યોત જૈન ધર્મનું પાલન કરતા હતા. (ઉત્તરાઘન સૂત્ર) કપીલપુરનગરના મહારાજા સંચતિએ ભગવતી જૈન દીક્ષા પાલન કરી અક્ષયસુખને પામ્યા. ઉત્તરાઘાયન સૂત્ર ૩૧.૧૮ દર્શનપુર નગરના મહારાજા દશાર્ણભદ્ર એક વખત ભગવાન મહાવીરનું સ્વાગત બહુ શાનદાર અને ભવ્ય રીતે કર્યું પણ તેમને મનમાં અભિમાન થયું કે ભગવાન મહાવીરના ઉપાસક રાજાઓ ઘણા છે. પણ મારા જેવું શાનદાર સ્વાગત કોઈએ નહીં કર્યું હોય. આ વાત ત્યાં આવેલ શક્રેન્દ્રને થઈ. તેમણે વૈક્રિયથી અનેક રચનાઓ કરી જેને દેખી રાજા દશાર્ણભદ્રનો ગર્વ ઊતરી ગયો. તે એ વિચારમાં હતો હવે ઈન્દ્રની સામે મારું માન કેવી રીતે રહે ? આખરે તેમને સમજી વિચારી ભગવાન મહાવીર પ્રભુની પાસે ભગવતી જૈન દીક્ષાનો અંગીકાર કર્યો. આ જોઈ ઈન્દ્ર આવીને આ મુનિના ચરણકમળમાં પોતાનું મસ્તક નમાવીને કહ્યું કે હે મુનિ સાચું માન રાખવાવાળા સંસારભરમાં આપ એક માત્ર છો. દશાર્ણભદ્ર મુનિએ તે જ ભવમાં સગતિ પ્રાપ્ત કરી લીધી. ઉત્તરાધ્યયનસૂત્ર' અવંતી દેશના સુદર્શનનગરના મહારાજા યુગબાહુ તથા તેમની રાણી પાકાં જૈન હતાં. વિદ્યાધરકુલભૂષણ સ્વયંપ્રભસૂરીશ્વરજી મ. દ્વારા શ્રાવકોને સમ્યક્ત સહિત બારવ્રત અંગીકાર કરાવ્યાં. આ જ કારણ કે Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ચરમતીર્થપતિ શ્રી વર્ધમાન સ્વામીને નમ: શ્રીમાળી જ્ઞાતિઓની ઉત્પત્તિ ઃ શ્રીમાળી જ્ઞાતિ એ મહાજ્ઞાતિ છે. એ જ્ઞાતિની ઉત્પત્તિનો Ëતહાસ બહુ જ જૂનો છે. શ્રીમાળ પુરાણ પરથી જણાય છે કે દ્વાપરયુગને અંતે શ્રીમાળી જ્ઞાતિની સ્થાપના થઈ હતી. જૂના સમયમાં જ્ઞાતિના બંધારણમાં અત્યારના કરતાં ઘણો જ ફેરફાર હતો. મૂળ ચાર વર્ણો હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જેઓ કુળગોર તરીકે લોકોને ધર્મ સંસ્કાર આપતા, તેમને અભ્યાસ કરાવતા, પાઠશાળા સ્થાપી અનેક વિદ્યાર્થીઓને વિદ્યાદાન આપતા તેમજ ભિક્ષાવૃત્તિથી જીવનનિર્વાહ ચલાવતા તે સર્વ બ્રાહ્મણ તરીકે ઓળખાતા. જેઓ સામૂહિક હતા, ચોર, લૂંટારાથી લોકોનું રક્ષણ કરતા હતા, દુશ્મનથી ઘેરાયેલા દેશને વિજયી બનાવતા તેઓ ક્ષત્રિય તરીકે ઓળખાતા. જેઓ પશુપાલન કરીને પોતાનો જીવનનિર્વાહ કરતા, જેઓ વ્યાપારી હતા, ખેતી કરનારા હતા તે બધા વૈશ્ય તરીકે ઓળખાતાં, અને જેઓ હિંસક વૃત્તિવાળા હતા, હલકા ધંધા કરનારા, હલકું આચરણ કરનારા સ્વચ્છતામાં નહિ સમજનારા, ઊતરતા પ્રકારના લોકો તે શૂદ્ર નામે ઓળખાતા. १. आचार्या अध्यापका याजकाः साधवाः मुनयश्च ब्राह्मणः [સદ્ધર્મ સૂત્ર] ૨. જામયો પ્રિયાર-તીક્ષ્ણા ોધનાઃ પ્રિય સાહનાઃ । त्यस्वधर्मारसांगस्ते द्विजा क्षत्रतां गताः ॥ ३. गोज्यां वृत्तिः समास्थाय पीताः कृष्युपजीविनः । स्वधर्मान्ननुतिष्ठति ते द्विजाः क्षत्रतां गताः ॥ ४. हिसांनृतक्रिया लब्धाः सर्वे कर्मोपजीवीनः । कृष्णाः शौर्य परिभ्रष्टास्ते द्विजाः शूद्रतां गताः Jain Educationa International ૧૯ મહાભારત શાંતિપર્વ] For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાનનો છોકરો વિદ્વાન સહેલાઈથી બની જતો કારણ વિદ્વાન વિદ્વતાનું મહત્ત્વ સમજતા હોઈને ગળથૂથીમાંથી જ એમાં કેળવે છે. છોકરો પણ પિતાનો ગુણ સહજતાથી, સરળતાથી શીખી લેતો હોય છે. એવી રીતે ઊંચી યોગ્યતા પર ચઢેલા માણસની પ્રજા ઊંચી યોગ્યતાવાળી થાય એ સ્વાભાવિક છે. તેથી વિરુદ્ધમાં જેઓને ઊંચી યોગ્યતાનાં દર્શન પણ ન થયાં હોય, ઘરમાં પણ આવી યોગ્યતા બિલકુલ ન હોય એમને યોગ્યતાનું મહત્ત્વ જલદી સમજાતું નથી. ટૂંકમાં સહુ પોતપોતાનામાં આગળ વધતાં અને ઉચ્ચતા અને નીચતા એકની એક જગ્યા એ સ્થિર સ્થાપન થતાં થોડા કાળે સ્થાપિત થયા જેવી થઈ ગઈ. પદવીરૂપ વર્ગો આ નિયમે સ્થિર સ્થાપન થતા ગયા અને જે જે વર્ણમાં જન્મે તે તે વર્ણનો થાય, એ વાત સિદ્ધાંત રૂપ થઈ પડી. આ રીતે આર્યજાતિ ઉચ્ચ-નીચના ભેદરૂપ ચાર વિભાગોમાં વહેંચાઈ ગઈ. પછી તો જૂનું સત્ય સ્વ×વત્ બની ગયું. મહાભારત, મનુસ્મૃતિ પુરાણો વગેરે ગ્રંથો આવી નોંધો પૂરી પાડે છે. एक वर्णमिदं पूर्ण विश्वमासीदयुद्धिष्ठिर । कर्मक्रिया विशेषण, चातुर्वण्यं प्रतिष्ठितम् सर्व वै योनिज मर्ताय सर्वे मूत्रपुरीषिण एकिन्द्रियोंद्वियाथाश्च तस्मास्छील गुणो द्विज शूद्रोsपि शील संपन्नो गुणवान ब्राह्मणो भवेत् । ब्राह्मणोsपि क्रियाहीन शूद्राद्रप्यधर्मो भवेत् शूद्रो ब्राह्मणतामेति ब्राह्मणश्वेति शूद्रताम् । क्षत्रियाज्जात मेवंहि विद्याद्वैश्यान्त थैवय Jain Educationa International || ૩ || For Personal and Private Use Only ॥ ૨ ॥ || ૪ || महाभारत હે યુધિષ્ઠિર ! આખું જગત એક જ જાતિનું છે. કર્મ ક્રિયાની વિશેષતા વડે ચાર વર્ણ સ્થાપાયા છે: [૧] સર્વ યોનિથી ઉત્પન્ન થયેલા છે. સર્વે મળમૂત્રથી ભરેલા છે. સર્વની ઈન્દ્રિયો એક સરખી છે. અને વિષય (ઈન્દ્રિયોના ઉપભોગ) પણ બધાના એક સરખા છે, એટલે ૨૦ ॥ ૩ ॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ શીલગુણ એના વડે જ દ્વિજ છે. [૨] શૂદ્ર પણ શીલવાળો હોય તો ઉત્તમ બ્રાહ્મણ થાય અને બ્રાહ્મણ પણ ક્રિયાહીન હોય તો શૂદ્રથી પણ હલકો થાય. [૩] શૂદ્ર બ્રાહ્મણ થઈ શકે છે અને બ્રાહ્મણ શૂદ્ર થઈ શકે છે. એ જ પ્રમાણે ક્ષત્રિય અને વૈશ્ય પણ. પોતાના ગુણકર્મ ઉચ્ચ-નીચ થાય). [૪] છાન્દોગ્ય ઉપનિષદની એક કથા બહુ અસરકારક છે. સત્યકામ નામનો બ્રાહ્મણ વિદ્યાધ્યયન કરવા ગુરુના આશ્રમમાં ગયો. ગુરુએ તેને તેનું ગોત્ર પૂછ્યું. સત્યકામે કહ્યું કે હું તે જાણતો નથી ત્યારે ગુરુએ કહ્યું કે તું તારી માતાને પૂછી આવ. માતાને પૂછવા ગયો ત્યારે તેની માએ કહ્યું કે હું તારું ગોત્ર કયું છે તે જાણતી નથી. હું જ્યારે યુવાનીમાં દાસી રૂપે અનિયમિત ફરતી હતી ત્યારે તું ઉત્પન્ન થયો. તેથી તારું ગોત્ર કયું છે તે હું જાણતી નથી. મારું નામ જાબાલા છે અને તારું નામ સત્યકામ છે માટે સત્યકામ જાબાલા એ પ્રમાણે તું કહેજે. તેણે ગુરુ પાસે જઈને શબ્દેશબ્દ સત્ય વાત કહી. ગુરુએ કહ્યું વત્સ, ખુશીથી બ્રહ્મચારી થા અને ભણ. તું સત્યપ્રિય છે ને તેથી તારી જાત બ્રાહ્મણ છે. આ પ્રમાણે ગુરુએ સત્યકામની ગુણ પ્રમાણે જાતિ ઠરાવીને તેને ભણાવ્યો. એ જ પ્રમાણે હલકી જાતિમાં ઉત્પન્ન થવા છતાં ત૫ વડે બ્રાહ્મણ પદવી પામ્યાં. આવાં દૃષ્ટાંત મહાભારત, રામાયણ અને પુરાણોમાં અનેક મળી આવે છે. વિદ્યા અને ઉત્તમ સદાચારના કારણથી જેઓ બ્રાહ્મણ પદવી પામ્યા હતા તે તેમના વંશજ) અભણ અને દુરાચારી થયા પછી પણ બ્રાહ્મણ ગણાતાં રહ્યાં. અને અજ્ઞાન તથા દુરાચારને લીધે જેઓ ઊતરતી દશા પામ્યા હતા તેમાંથી કોઈ વિદ્વાન અને પવિત્ર આચરણવાળો નીવડે તો પણ તે શૂદ્રનો શૂદ્ર રહેવા લાગ્યો. કોઈપણ ઈતિહાસ જુઓ, હિંદુસ્તાનને કે રોમન , ગ્રીસ કે યુરોપનો, જ્યાં ત્યાં ઊંચી પદવી પામેલાઓમાં જાતિમત્સર એ એક સ્વાભાવિક વસ્તુ છે. વિદ્યાથી, ધનથી, રાજસત્તાથી કે કોઈપણ કારણથી જેઓ ઊંચી પદવી પામે છે તેમનામાં ધીમે ધીમે જાતિ મત્સર દાખલ થયા વિના રહેતો જ નથી. અમારા જેવા જેઓ નથી તે અમારાથી હલકા એ ભાવ અત્યારની ઊંચી કેળવણી પામેલા વકીલ, ડૉક્ટરો અને સરકારી Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ અમલદારો નિવારી શક્યા નથી તેમ, પ્રાચીન કાળમાં જીવનારા અને તેમના ગુરુ તરીકે પૂજાતા બ્રાહ્મણો પણ નિવારી શક્યા નહોતા. વર્ગો ઉપર જડતા આવ્યા પછી પહેલેથી ચાલતા આવેલ કન્યાવ્યવહાર ઉપર અંકુશ મુકાયો તેમજ ઊંચાવર્ણની કન્યા નીચા વર્ણમાં જાય નહિ તેને માટે ખાસ નિયમો બંધાવા લાગ્યા. ઊંચા વર્ણનો પુરુષ નીચા વર્ણની ગમે તેવી કન્યા લઈ શકે. પણ નીચા વર્ણના પુરુષને ઊંચા વર્ણની કન્યા જાય નહિ તેની પૂરેપૂરી કાળજી રાખવા માંડી. બ્રાહ્મણ બ્રાહ્મણની, ક્ષત્રિયની, વૈશ્યની અને શુદ્રની ચારે વર્ણની કન્યા લઈ શકે. ક્ષત્રિય ક્ષત્રિયની, વિશ્વની અને શૂદ્રની ત્રણે વર્ણની કન્યા લઈ શકે. વૈશ્ય વૈશ્યની અને શુદ્રની એ બે વર્ણની કન્યા લઈ શકે અને શુદ્ર એકલી શુદ્ર જાતિની જ કન્યાને પરણી શકે. આ પ્રમાણેનાં લગ્ન તે અનુલોમ લગ્નને નામે ઓળખાતાં થયાં. પરંતુ આ પ્રમાણે બંધારણ ચાલુ રહી શક્યું નહિ અને ઊંચા વર્ણની કન્યા અને નીચા વર્ણના પુરુષોનાં લગ્ન ચાલતાં રહ્યાં. આવા લગ્નને પ્રતિલોમ (ઊલટાં) લગ્ન એવું નામ અપાયું. આવાં વિરુદ્ધ લગ્ન ન થાય તે માટે યોગ્ય પગલાં શિક્ષા) કરવાને માટે તેની પ્રજા નીચી પાયરીની ગણાય એવું ઠરાવવામાં આવ્યું. દા. ત. શૂદ્ર જો વૈશ્યની કન્યાથી પ્રજા ઉપજાવે તો વૈદેહક (ભરવાડ) જાતિની થાય તેણે પશુપાલન કરવા દ્વારા, ઘી, દૂધ, છાસ વિ. વેચીને નિર્વાહ કરવો. શૂદ્ર જો વૈશ્ય સ્ત્રીથી વ્યભિચાર કરવા દ્વારા પ્રજા ઉપજાવે તો તે પ્રજા ચકી (ઘાંચી) જાતિની ગણાય. તેણે તલ પીલીને તે વેચવાનો તથા મીઠું વેચવાનો ધંધો કરવો. શૂદ્ર તે ક્ષત્રિયની કન્યાથી પ્રજા ઉપજાવે તો દારૂ, માં વેચવાનો ધંધો કરવો. શૂદ્ર જો બ્રાહ્મણીથી પ્રજા ઉપજાવે તો તે "ચાંડાલ” (ભંગી) જાતિની થાય. એણે સીસાનાં અથવા લોઢાનાં ઘરેણાં પહેરવાં, બગલમાં કલર બાંધવી, બપોર પહેલાં ગામમાં જઈને માર્ગ સાફ કરવાનું ૨૨ Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ કામ કરવું. બપોર પછી ગામમાં જવું નહિ. ગામની બહાર નૈઋત્ય ખૂણામાં રહેવું. એ જાતિના બધા લોકોએ એક સાથે રહેવું. ને જો તેમ ન કરે તો તેમનો વધ કરવો. આ પ્રમાણે નિયમ કર્યા. શા માટે? તેનું કારણ બતાવતાં કહે છે કે, જાતિભેદમાં સૌથી નીચામાં નીચી જાતિ ચાંડાલની, સૌથી ઊંચી બ્રાહ્મણની, તેણે શૂદ્રની જાતિ સૌથી નીચી તેની સાથે સંસર્ગ કર્યો તેથી તેની પ્રજાને સૌથી અધમ ઠરાવી. આમ, ઊંચા વર્ણની સ્ત્રીઓ નીચા વર્ણ સાથે સંસગમાં ન આવે તેના માટે આ પ્રકારનાં સખત બંધન લગાવવામાં આવ્યાં. બ્રાહ્મણ બ્રાહ્મણ જાતિની કન્યા પરણ્યો હોય તો તેનાથી થનારી પ્રજા તે બ્રાહ્મણ ગણાય અને જો તે ક્ષત્રિય જાતિની કન્યા પરણે તો તેનાથી થનારી પ્રજા તે બ્રાહ્મણ નહિ પણ મૂર્ધાવિષિકત રાજ્યાભિષેક કરવાને યોગ્ય ઊંચા પ્રકારના ક્ષત્રિયની જાતિની થાય. બ્રાહ્મણને પરણેલી વૈશ્ય સ્ત્રીથી પ્રજા ઉત્પન્ન થાય તે અંબષ્ટ, વૈશ્યથી થોડી ચઢતા દરજ્જાવાળી અને મનુષ્યો તેમજ હાથી, ઘોડાનુવૈધક કરવાનો ધંધો કરીને નિર્વાહ કરવાના અધિકારવાળી જાતિ થાય. તેમજ બ્રાહ્મણને પરણેલી શૂદ્ર સ્ત્રીથી પ્રજા ઉત્પન્ન થાય તે નિષાદ અથવા પારારાવ નામની જાતિની પ્રજા ગણાય એનો દરજ્જો શૂદ્રથી જરા ઊંચો અને ધંધો સોનું ઘડવાનો કરીને નિર્વાહ કરવાનો અધિકાર ભોગવે. આ પ્રમાણે જાતિમત્સરના કારણે એક જ પુરુષથી થનારી પ્રજા પણ મોસાળના વર્ણ પ્રમાણે જુદી જુદી જાતિની અને જુદા જુદા અધિકારની થવા લાગી. અનુલોમ લગ્નથી એક બ્રાહ્મણ ત્રણ નવી જાતિઓ ઉત્પન્ન કરે, એ જ પ્રમાણે એક ક્ષત્રિય બે જાતિઓ વધારે અને એક વૈશ્ય એક જાતિભેદનો વધારો કરી શકે. આ અનુલોમ જાતિભેદ અને તેથી વિરુદ્ધ ખીજા પ્રતિલોમ જાતિભેદ એટલા ભેદ તો ફક્ત ચાર વર્ણોના મિશ્રણથી જ થતા હતા. જાતિભેદ આટલેથી જ અટક્યો નહિ પરંતુ પરસ્પર મિશ્રણથી ઉત્પન્ન થયેલી વર્ણસંકર જાતિઓ જે કોઈની સાથે લગ્ન કરે તે દરેક લગ્નથી થનારી પ્રજાની જાતિ નવી. તેમનો દરજ્જો અને તેમના નિર્વાહની વ્યવસ્થા પણ નવી. આમ, ખૂબ જ વિશાળ સ્વરૂપ થઈ ગયું. કોઈપણ બે જાતિનો અનુલોમ પ્રતિલોમ દરજ્જો ઠરાવવાનું કામ શાસ્ત્રકાર બ્રાહ્મણોનું હતું. શાસ્ત્રકારો શાસ્ત્રના મૂળ ૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ તો ધ્યાનમાં રાખીને નવા નિબંધ બાંધે અને રાજા એ નિયમોનો અમલ કરે તે એ વખતની શાસન પદ્ધતિ હતી. દેશના જુદા જુદા ભાગમાં વસનારા બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે ચારે વર્ણના લોકોનું મૂળ બંધારણ એકસરખું હતું. પણ જેમ જેમ તેઓ છૂટા પડતા ગયા તેમ તેમ તેમનાં વ્યાવહારિક બંધારણોમાં ફેર પડતો ગયો. પોત પોતાના જરૂરી અને શાસ્ત્રકારોના સાભિપ્રાય પ્રમાણે જુદા જુદા ભાગના ૪૩ લોકો માટે જદા જુદા નિયમો ઠરાવવામાં આવ્યા હતા. જુદા ભાગના લોકો માટે જુદા જુદા નિયમો ઠરાવવામાં આવ્યા હતા. વ્યવહારનું નિયમન કરનાર આ શાસ્ત્રને સ્મૃતિ કહેતા. સ્મૃતિઓ રચતાં પહેલાં વ્યવહાર નિયામક ગ્રંથો થયા હતા તે "ગુહ્ય સૂત્ર” એ નામે ઓળખાતાં હતાં. સ્મૃતિઓ રચાયા પછી પણ બ્રાહ્મણોમાં તો ગુહ્યસૂત્રને જ પ્રમાણ માનવામાં આવતાં હતાં. જુદા જુદા ભાગમાં વસનારા બ્રાહ્મણોમાં વેદ અને તેની શાખાઓ જુદી જુદી હતી, તેમ જુદી શાખા પ્રમાણે વ્યવહારનિયામક ગુહ્યસૂત્રો પણ જુદા જુદા હતાં. જુદા જુદા ભાગમાં વસનારા બ્રાહ્મણોમાં વેદ અને તેની શાખાઓ જુદી જુદી હતી, તેમ જુદી શાખા પ્રમાણે વ્યવહાર નિયામક ગુહ્ય સૂત્રો પણ જુદા જુદા હતાં. આમ, એકબીજા ભાગ અને એકબીજા સમૂહ વચ્ચે વ્યાવહારિક બંધારણો જુદાં પડતાં થયાં હતાં. સ્મૃતિના નામે ઓળખાતા અઢાર - વીસ ગ્રંથો અત્યારે મળે છે, તે જદા જુદા સ્થળમાં વસનારા લોકો માટે જુદા જુદા કાળે રચાયેલા છે. મનુસ્મૃતિ અને યાજ્ઞવક્ય સ્મૃતિ એ બે મુખ્ય ગ્રંથો છે. દેશના સર્વભાગના લોકો એ બે ગ્રંથોને માન આપતા અને તેના આધાર ઉપર શાસનપદ્ધતિ ચાલતી. જે તેમણે ઉપરના બે ગ્રંથો પ્રમાણ માનીને તેની પુરવણી રૂપે પોતાને જોઈતા નિયમો ઘડી કાઢ્યા હતા. ગુહ્યસૂત્રોમાં તેમજ મનુસ્મૃતિ અને જ્ઞાનવશ્ય સ્મૃતિમાં વર્ણસંકર પ્રજાના ધારા છે. પણ તે ખૂબ છે. એ જતિઓનો જે ભાગમાં જે પ્રમાણે વધારો થતો ગયો તે પ્રમાણે તે ભાગના શાસ્ત્રકર્તાઓને વિશેષ નિયમ ઘડવાની જરૂર પડી. કોઈ સ્મૃતિમાં એ નિયમ થોડા અને કોઈમાં ઘણા જ વિસ્તારવાળા છે. એકથી બીજી, બીજીથી ત્રીજી, ચોથી એમ ઉત્તરોત્તર વધતી જતી જાતિઓનાં નામ, તેમના સાંસારિક ધાર્મિક અધિકાર અને તેમનાં Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ નિર્વાહન સાઘન સર્વ બાબતના સવિસ્તર નિયમ ઘડવામાં આવ્યા છે. "ઔષનસ્ સ્મૃતિ” એ ખાસ વર્ણસંકર જાતિઓના નિયમોને જ ગ્રંથ છે. એ સ્મૃતિઓમાં બીજી સ્મૃતિ કરતાં વિસ્તારથી લખાયું છે કારણ કે જે પ્રદેશમાં ઔષનસ સ્મૃતિનો અમલ થથો હશે તે પ્રદેશમાં એ જાતિઓ બહુવિશેષ ફેલાવો પામેલી હોવી જોઈએ. બીજી સ્મૃતિના અમલના પ્રદેશમાં વર્ણસંકર જાતિઓ બહુ જ ઓછી હોય તેથી તે પ્રદેશના શાસ્ત્રકારોને એ સંબંધી વિશેષ નિયમો ઘડવાની જરૂર પડી ન હોય તે બનવા જોગ છે. ગુજરાતમાં જેટલી જ્ઞાતિઓ (વર્ણસંકર જ્ઞાતિઓ) છે, તેટલી બીજા કોઈ પ્રદેશમાં નથી તેથી એમ અનુમાન કરી શકાય તે ઔષનસ સ્મૃતિ કદાચ ગુજરાતને માટે જ રચાયેલી હોય. જ્યાં જરૂર પડતી ત્યાં બીજા વિભાગ માટે રચાયેલી પુરવણી સ્મૃતિઓનો આધાર લેવામાં આવતો હતો. અત્યારે જેમ જુદી જુદી હાઈકોર્ટે એકબીજાના ફેંસલાનો આધાર લે છે તેના જેવું હતું. જ્યારે વર્ણસંકર જાતિઓનો વધારો અસહ્ય થઈ પડ્યો ત્યારે શાસ્ત્રોકતઓએ કંટાળીને એ પીડાનો અંત આણવાનો નિશ્ચય કર્યો. વિષમ જાતિઓ વચ્ચેનો લગ્ન વ્યવહાર બંધ કરવાનું નક્કી કર્યું. દરેક માણસે પોતાની સમાન જાતિના અને પોતાની પૂરેપૂરી ઓળખાણ પિછાનના લોકો વચ્ચે જ લગ્ન સંબંધ બાંધવો. જેમનો દરજો જરાપણ ભિન્ન હોય અથવા જે લોકો વચ્ચે ઓળખાણ ન હોય તેમના વચ્ચે લગ્ન વ્યવહાર કરવો જ નહિ. આવા નિયમ ઘડવામાં આવ્યા. આ નવા નિયમોથી સમાન દરજ્જાના અને જાણીતા લોકોના જે સમૂહ બંધાયા તે જ અત્યારની જ્ઞાતિ. જ્ઞાતિ એટલે શું ? જ્ઞાતિ એ શબ્દ જ્ઞા ઘાતુ ઉપરથી થયો છે. જ્ઞાનો અર્થ જાણવું થાય છે. જાણીતા લોકોનો સમૂહ તે જ્ઞાતિ. પહેલા એક વંશના, એક ગોત્ર પ્રવરના જેમને સૂતક લાગ્યું તેવા અને જેઓ વારસો પામે એવા ય તે એક જાતિ અથવા જ્ઞાતિ કહેવાતી. એ જ પ્રમાણે બ્રાહ્મણ માત્રની જ્ઞાતિ બ્રાહ્મણ, ક્ષત્રિયની ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની જ્ઞાતિ શૂદ્ર એમ ૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ પણ ગણાતી. પણ વર્ણસંકરતાનો ગૂંચવાડો વધ્યા પછી જે નવા સમૂહ બંધાયા તેને જ્ઞાતિ શબ્દ લગાવવામાં આવ્યો. એક જ ગામમાં વસવાને લીધે એક જ ધર્મમત માનતા હોય તેથી એમ વિવિધ કારણોથી જાણીતા લોકોનો સમૂહ બંધાય છે. અત્યારની જ્ઞાતિઓ તે ધોરણ ૫૨ જ લંબાઈ છે. એ બંધારણની શરૂઆત ક્યાંથી થઈ ? કયા બ્રાહ્મણો એ બંધારણનો ખરડો તૈયાર કર્યો ? सर्व धर्मेषु तस्मात्तु यौ न पिंडो विधीयते । स्थापित स्थलवृन्ति ज्ञाति भेदः कलौयुगे संकरत्व निषेधाय वर्तते शिष्ठ संग्रहात् अमातोत्पत्ति भावनां भूयस्त्वे सति स्थिति सोन्वयः सांकर व्यवहारोत्र मास्तु तस्मात् स्थिति कृता । स्थान स्थापित भेदेन स्थान स्थापक नाममिः समवायो भेवडज्ञातिः सज्जातिस्यात् कलौ युगे । Jain Educationa International - || 9 || (पद्मपुराणशंतर्गत एकलिंग महात्म्य) એ ખરડાનો અમલ કયા રાજાના વખતમાં મુકાયો ? આ બધું સ્પષ્ટપણે જાણવા મળ્યું નથી, પુરાણો સ્મૃતિઓ ઉપ૨થી એમ જોઈ શકાય છે કે સામાજિક બંધારણના નિયમો બ્રાહ્મણો ઘડતા અને રાજાઓ તેનો અમલ કરતા. સ્મૃતિઓ અને પુરાણો વિક્રમ સંવત પહેલાં ૪૦૦ ૫૦૦ વર્ષથી શરૂ કરીને વિક્રમ સંવત ૫૦૦ સુધીમાં રચાયા છે. એ ગ્રંથોમાં વર્ણસંકર (એક વર્ણનો પુરુષ અને ખીજા વર્ણની સ્ત્રીથી થયેલી) પ્રજા અને તેમના માટેના નિયમો ઘણી જગ્યાએ વર્ણવ્યા છે. જાતિસંબંધીનો વિચાર કરનાર એક એક સ્મૃતિ એ સંબંધી કંઈને કંઈ પુરાવો આપે છે. એ ગ્રંથોની રચનાના કાળે હાલનું જ્ઞાતિબંઘારણ જન્મ પામ્યું છે. જુદી જુદી જ્ઞાતિઓનાં પુરાણો બહુ પાછળના વખતમાં રચાયું હોય એવા પુરાવા તે પુરાણોમાંથી મળી આવે છે. એટલે જ્ઞાતિઓનાં પુરાણ વિક્રમ સંવત ૫૦૦ પછી રચાયાં છે એમ આપણે માનીએ તો પણ તેનો કાળ સંવત્ એક હજાર કરતાં વધારે નીચો ઉતારી શકાય એવું નથી. સંવત એક હજાર પછીના ઐતિહાસિક સાધનો આપણને વિગતવાર મળે છે. ને એ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે હાલની ઘણીખરી જ્ઞાતિઓ આજથી ૨૬ For Personal and Private Use Only ॥ ૨ ॥ ॥ ૩ ॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ એક હજાર વર્ષ પહેલાં હાલના જેવા જ સ્વરૂપમાં ચાલતી હતી. એ જ્ઞાતિઓ તે કાળે પુર બહારમાં હતી. તેમને પોતાનું મહત્ત્વ બતાવવાની લાલસા તે કાળે થઈ હતી. તેમને પોતાનું મહત્ત્વ બતાવવાની લાલસા તે કાળે થઈ આવી નહોતી એમ માનવાને કંઈ કારણ નથી. એથી ઊલટું એવા પુરાવા મળે છે કે જ્ઞાતિનાં પુરાણોમાં જ્ઞાતિની ઉત્પત્તિને કાલ્પનિક ઈતિહાસ બતાવ્યો હોય છે તેવો જ ઈતિહાસ સંવત એક હજારની આસપાસ અને તેની પહેલાંના લેખોમાં પણ પ્રમાણભૂત માનીને તેનો ઉલ્લેખ કરેલો હોય છે. આ પ્રમાણે જોતાં જો જ્ઞાતિઓનાં પુરાણો સંવતું એક હજાર પહેલાં રચાયાં છે, તો તે જ્ઞાતિઓ એ પુરાણો રચાયાં તેના કરતાં બમેં પાંચસૅ વર્ષ જેટલી વધારે જૂની તો અવશ્ય હોવી જોઈએ. જ્ઞાતિઓનાં નામો જે ગામોનાં નામ ઉપરથી પડ઼યાં છે તે ગામોના ઈતિહાસ તરફ જોઈએ તો પણ નિર્વિવાદ સિદ્ધ થાય છે કે વિક્રમ સંવત ૨૦૦ પૂર્વ આ જ્ઞાતિઓ હતી. જેમ કે શ્રીગૌડ, શ્રીમાળી, પુષ્કરણા, અગ્રવાલ, સારસ્વત, વગેરે. અત્યારના શોધકો પણ લગભગ એકમત થયા છે કે હાલની જ્ઞાતિઓ એ વિક્રમ સંવતુ પૂર્વે ચારસે પાંચસે પછીથી હયાતીમાં આવેલી છે. જ્ઞાતિઓની ઉત્પત્તિ સંબંધે આપણે જે જાણી શકીએ એવું છે તે ટૂંકામાં જોઈએ તો આ છે. આપણે જોયું કે પહેલાં લગ્નને માટે બારે દરવાજા ખુલ્લા હોય એવી સ્થિતિ હતી. જ્ઞાતિબંધારણ અસ્તિત્વમાં આવ્યા પછી બારેબાર દરવાજા એકદમ બંધ થઈ ગયા છે. જ્ઞાતિ બંધાયા પછી લગ્નને માટે જે માર્ગ ખુલ્લો રહ્યો તે એ જ કે જ્ઞાતિની અંદર રહીને જે થાય તે કરવું. આપણે પાછળ જોયું કે કેવળ લગ્નના કારણથી જ વર્ણમાંથી વર્ણસંકર અને વર્ણસંકરમાંથી જ્ઞાતિઓનું બંધારણ જન્મ પામ્યું છે. તેથી જ્ઞાતિને અંગે જે કંઈ વિશેષતા છે તે એ છે કે એ સમૂહમાં કન્યાવ્યવહાર થઈ શકે છે. ખાવાપીવાનો વ્યવહાર તો અનેક જ્ઞાતિઓમાં અત્યારે પણ સેળભેળ ચાલે છે. માત્ર કન્યાવ્યવહાર જે-તે જ્ઞાતિના અંગમાં ઐતિહાસિક સંબંધ સિવાય બીજી કોઈ વિશેષતા રહેતી નથી. આપણને આગળ જે સમજવાનું છે તે બરાબર સમજાય એટલા માટે આ વાત બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્ઞાતિ એ લગ્ન સંબંધને માટે બંધાયેલો સમૂહ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતિબંધારણનો તાત્વિક વિચાર કોઈપણ મહાપ્રજાના બંધારણનો વિચાર કરતાં એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે એ બંધારણો કોઈ વ્યક્તિ કે જાતિએ પોતાની નજરમાં આવે તેમ બાંધી દીધેલાં કદી હોઈ શકે નહિ. પ્રજાસમૂહ પોતે અમુક પ્રકારના વલણવાળો હોય છે, ને આગળ જે કાંઈ થાય છે તે આ મૂળતત્ત્વના ફેલાવ રૂપે હોય છે. દક્ષ આગેવાનોથી દોરાતી પ્રજાનાં બંધારણ પ્રયત્નપૂર્વક બાંધેલું છે એ વાત ખરી અને જાપાનની પ્રજાનું હાલનું બંધારણ ખાસ પ્રયત્નપૂર્વક બાંધેલું છે એ અસાધારણ ફેરફાર બીજા કોઈ વખતે થયા નથી. જે કંઈ થયું છે તે મોટા ભાગે પ્રવાહપતિત ધોરણે જ બન્યું છે. તે કાળ તેમ થવાને માટે અનુકૂળ હતો. અત્યારે આખી દુનિયાનો ઈતિહાસ આપણી આંખ ઉઘાડવાને વીજળીનો પ્રકાશ લઈને ઊભો રહ્યો છે, એટલે અત્યારે વ્યક્તિ કે જાતિનું બંધારણ કેવળ પરંપરાપ્રાપ્ત તત્ત્વોથી બનતાં આપણે પ્રયત્ન કરીએ છીએ. પ્રાચીનકાળની પ્રજાઓની પાસે હાલના જેવા વિચારોને પોષણ આપનારાં સાધનો વિદ્યમાન નહોતાં; તેથી તેઓ જે કંઈ કરતા તે પ્રવાહપતિત થઈને જ કરતા. જો કોઈ તત્ત્વજ્ઞાની કે રાજા અસાધારણ નીવડે તો તે પ્રજા જીવનને વિશિષ્ટ માર્ગે વાળતા, પણ તે પણ મૂળના ચાલતા આવેલા પ્રવાહથી તદ્દન જુદે રહે નહિ. એક નદીના પ્રવાહને કોઈ મજબૂત ખડક અથવા કોઈ એક ડુંગર આડે આવીને દિશા બદલાવે, અથવા કોઈ એક નદીમાંથી એકાદ નહેર ખોદીને તેના પ્રવાહનું બળ ઓછું કરવામાં આવે અથવા એકાદ વહેળીઆ સાથે બીજા વહેળીઆને જોડી દઈને તેનો પ્રવાહ વધારી આપવામાં આવે તેના કરતાં વિશેષ પ્રયત્નનું બીજું કોઈ કાર્ય પ્રાચીન પ્રજાઓના ઈતિહાસમાં બન્યું નથી. અને તેનું કારણ ઉપર જણાવ્યું તેમ દરેક પ્રજાની દૃષ્ટિમર્યાદા વિશાળ થવાને હાલના જેવાં સાધનો નહોતાં તે છે. અત્યારે કોઈ એક માણસ કે કોઈ એક જાતિ પોતાના ૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ જીવનને માટે જે કંઈ બંધારણો બાંધી શકે એમ છે તે અત્યારે જેમ નદીને વોટરવર્ક્સ દ્વારા તદ્દન મનસ્વી માર્ગે વહેતી કરી દેવામાં આવે છે અથવા દરિયો પૂરીને જે જગાએ મુંબઈ જેવાં શહેર વસાવવામાં આવે છે અને સુવેજની નહેર જેવાં ખોદકામ કરીને જમીનને સ્થાને દરિયો બનાવી દેવામાં આવે છે તેના જેવું છે. જો કે આમ થવું હાલ શક્ય છે, પણ તે સર્વને માટે સાધ્ય નથી ને તેથી મોટે ભાગે મૂળથી જે પ્રવાહમાં પડ્યા હોય તે ને તે પ્રવાહમાં ધકેલાતા આગળ વધવું એ જનસ્વભાવ થોડો કે ઘણો સર્વત્ર પ્રવર્તે છે. પર્વતમાંથી તૂટેલી એક શિલાના વખત જતાં નાના-મોટા ટુકડા થાય છે ને તેના નાના-મોટા પત્થર બને છે. એ પત્થર ભાંગતાં વળી વધારે નાના પત્થર બને છે. એ પત્થર પાણીના વહેણમાં પડીને ધકેલાય છે. આગળ એકબીજા સાથે અથડાઈન, ઘસાઈને ભાંગીને તેની વિવિધ પ્રકારની આકૃતિઓ બને છે. જો આપણે કોઈ એક મોટી નદીને કિનારે પાંચ-પચીસ ગાઉ ચાલીએ તો આપણને કોઈ ઠેકાણે મોટા મોટા પત્થરો પડેલા જણાઈ આવે. કોઈ ઠેકાણે નાના ગોળ પથરા પથરાઈ રહેલા જણાય, કોઈ ઠેકાણે જાડી રેતીના થર પડેલા હોય છે, તો કોઈ ઠેકાણે ઝીણી રેતી કે સુંવાળી માટી પથરાઈ રહેલી હોય છે. આ બધું જેમ સ્વાભાવિક રીતે બને છે અને કોઈએ કાંઈ ખાસ પ્રયત્નો કરીને એમાંનું કંઈ કરેલું હોતું નથી, તેમ પ્રજાસમૂહની સ્થિતિ ને બંધારણો પણ કાળના પ્રવાહમાં પડીને ઘડાતાં ઘડાતાં અમુક રૂપાંતર પામેલા હોય છે. મૂળની અર્થ પ્રજાને ચા૨ વિભાગમાં વહેંચી નાંખીને પ્રજાનું એક્ય તોડી નાખવાને કોઈની ઈરાદો નહોતો, પણ હરકોઈ પ્રજામાં યોગ્યતાને પરિણામે ભેદ પાડવા જોઈએ અને જેવા સમૂહો બાંધવા જોઈએ તેવા ભેદ હતા. વિદ્યાને સુધારાના વિચારમાં મશગૂલ રહેનારા લોકો પોતાને બીજાથી ઊંચી પંક્તિના લેખે એ સ્વાભાવિક છે. એ જ પ્રમાણે બળ ઉપર નિર્વાહ કરનારા લોકો પોતાના બળ વડે પોતાને મનગમતી સ્થિતિ મેળવી લે અને પોતાની સત્તાથી પોતાને બીજા કરતાં શ્રેષ્ઠ લેખે એ પણ સાધારણ છે. ઉદ્યોગી લોકો ધનધાન્યના ધણી હોવાથી તેમને પોતાનું મહત્ત્વ લાગે એ પણ સ્વાભાવિક છે, ૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ આમ વિદ્યા, બળ અને ઘન એનાથી મગરૂરી માનનારા લોકો પોતાને શ્રેષ્ઠ માને અને જેઓ એ સ્થિતિ પ્રાપ્ત કરી શકે નહિ તેમને હલકી પંક્તિના માનવામાં આવે એ બધું કેવળ સ્વાભાવિક છે. પ્રાચીન કાળના લોકો એ કારણો વડે પોતાનું મહત્ત્વ માન્યું તેમ અત્યારના લોકો પણ એ જ કારણો વડે પોતાનું મહત્ત્વ સમજે છે. બે સગાભાઈ હોય પણ તેમાંનો એક વિદ્વાન અમલસાર કે ધનવાન થાય તો જરૂર તે પોતાને પોતાના બીજા ભાઈથી ચઢતા પ્રકારનો માને. નીતિના ઊંચા વિચારો વડે આવા પ્રકારની મગરૂરી ઉપર અંકુશ મૂકી શકાય પણ એ અંકુશ - એ કૃત્રિમ અંકુશ અમુક વ્યક્તિઓ ઉપર જ ચાલી શકે. સમૂહ તો સ્વાભાવિક વલણ વળતું હોય તે વલણે જ વળે. આર્ય પ્રજા ત્રણ મહત્ત્વવાળા અને ચોથો લકી પંક્તિનો એમ ચાર ભેદમાં વહેંચાઈ ગઈ તે આપણે ઉપર જોયું તેમ કોઈના બુદ્ધિપૂર્વકના ખાસ પ્રયત્નથી નહિ પણ જે કારણો વડે જનસમૂહમાં ઊંચનીચના ભેદ ઉત્પન્ન થાય છે તે કારણોને લીધે તે ભેદ પાડ્યા હતા. એ ભેદ જડ થયા તે પણ કેવળ સ્વાભાવિક કાર્ય હતું. આખી દુનિયાને ઈતિહાસમાં જ્યાં નજર કરીએ ત્યાં બધે આમ થતું આવ્યું છે. રાજાનો છોકરો હોય તેથી કરીને તેને કંઈ ચા૨ માથાં હોતાં નથી અથવા તેની યોગ્યતા બીજા માણસોથી કંઈ વિલક્ષણ પ્રકારની હોય એવું પણ કંઈ હરહંમેશ હોતું નથી, છતાં તે રાજ વ છે; અને તેના વંશજો રાજકુટુંબીઓ, સરદારો, ઘર્માધિકારીઅ. અને ધનવાનોના છોકરા પણ બાપની મોટાઈના કારણને લીધે જ પોતે મોટા થઈ પડે છે. તેઓ પોતે પોતાને મોટા માને છે તેમ બીજા લોકો પણ તેમને મોટા માને છે. આમ મોટાઈ ગુણ ઉપરથી ઊતરીને વંશપરંપરા પર જઈ પડે છે. મોટાઈ જડ થાય છે એટલે એ મોટાઈના રક્ષણ માટે કેટલાંક બંધને બંધાય છે. આપણા દેશમાં જ્ઞાતિભેદનાં આવશ્યક બંધનોમાં બટાળનું બંધન માનવામાં આવ્યું છે. ચઢતી સાતિવાળો ચઢતી જ્ઞાતિવાળાનું વગર હરકતે જમી શકે. આવું બંધન બીજા કોઈ દેશમાં બંધાય નહિ, પણ આવા પ્રકારનું બંધન તો બીજે ઘણે ઠેકાણે ચાલે છે. હલકા માણસોને મોટા માણસોની સાથે બેસીને ભોજન કરી શકાય નહિ એવો ધારો યુરોપના સર્વ દેશોમાં ચાલે છે અને મોટા ૩૦. Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ માણસો કોઈ માણસને પોતાની સાથે જમવા બેસાડે તો તે માણસને બહુમાન આપ્યાનાં ચિહ્ન તરીકે ગણવામાં આવે છે. આપણે ત્યાં, હલકી જ્ઞાતિનું જેમાં વટલાઈ જવાનું માનવામાં આવે છે, તેવા વાળ વિશે હિંદુસ્તાનની બહારના લોકોને કશી કલ્પના હોતી નથી, પણ મોટાઈના સૂચક ચિહ્ન તરીકે પંક્તિભોજનનું બંધન માન્યું છે. લગ્નસંબંધ એ બીજા બધા વ્યવહારો કરતાં વધારે નિકટને ને કાયમનો વહેવાર બાંધનારો સંબંધ છે. લગ્ન વડે જદી જુદી બે વ્યક્તિઓ હંમેશને માટે એક થઈ જાય છે. અને એ બે વ્યક્તિઓ જ નહિ પણ વ્યક્તિઓ ઉપરાંત બંનેનાં કુટુંબો પણ એક બીજા સાથે સંબંધમાં બંધાય છે. એથી સમાનતાના હદનિશાન તરીકે લગ્નવ્યવહારનો પ્રતિબંધ બાંધ્યાના દાખલા બધી પ્રજાઓમાં મળે છે. જ્ઞાતિભેદ નહિ માનનારી યુરોપની પ્રજાઓમાં પણ અમુક રાજકુમાર કે રાજકન્યાથી અમુક પ્રકારના લોકો સાથે લગ્ન વ્યવહાર થઈ શકે નહિ એવો પ્રતિબંધ વ્યક્તિ સ્વાતંત્ર્યના હાલના જમાનામાં પણ દૂર થઈ શક્યો નથી. ઈંગ્લાંડના અમીર ઉમરાવોમાં પણ આવો પ્રતિબંધ ચાલે છે. આપણા દેશના રજપૂતો કન્યા આપવામાં જે ચીવટાઈ ધરાવે છે તે વાંચનારાથી અજાણ્યું નહિ હોય. કુળની મોટાઈ સાચવી રાખવા માટે તેનાં માની લીધેલાં બંધનો મૂળમાં સ્વાભાવિક છે. લગ્ન જેવો કાયમનો સંબંધ બાંધવો તે બે સમાન દરજ્જાનાં કુટુંબો વચ્ચે જો હોય તો વધારે સારું થાય; એ તત્ત્વ આ બંધારણના મૂળમાં છે, અને તે ખરું છે. વર અથવા કન્યાનો પક્ષ સમાન હોવાને બદલે અતિશય ઉચ્ચનીચ હોય તો એ બે કુટુંબો વચ્ચેનો સંબંધ સરળ અને આનંદજનક થઈ પડે નહિ. તેમ લગ્નસંબંધ વડે જે વરકન્યા જોડાવાનાં તે પણ ગુણોમાં, રીતભાતમાં અને માની લીધેલા દરજામાં એકબીજા સાથે અસમાન હોય તો તેમનો સંબંધ પણ સુખકારક થઈ શકે નહિ. લગ્નસંબંધમાં સમાનતાનું બંધન વિવેકપુર:સર સચવાય એ બહુ અગત્યનું અને ભાવિ જોડાણને અત્યંત હિતકારક છે. પણ આ સમાનતા જ્યારે વિવેકશૂન્ય થઈ જાય છે અને યોગ્યતાને બદલે માત્ર પરંપરાને પકડી લઈને અમારાથી અમુક ઠેકાણે કન્યા અપાય ને અમુક ઠેકાણે ન અપાય એવા જડ સૂત્રને વળગી રહેવામાં આવે છે, ૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ત્યારે આ સમાનતા ચાર વર્ગોના જે નવી જડ-જીવન જેવી અને સુખકારક થવાને બદલે દુ:ખકારક થઈ પડે છે. ચાર વર્ણો જડ થયા પછી લગ્નવ્યવહાર એ આર્ય પ્રજામાં કુળગૌરવ સાચવનારો આધારસ્તંભ થઈ પડ્યો. મોટા-નાના થવાનો બધો આધાર એકલા લગ્ન ઉપર આવી પડ્યો. પહેલાં કેટલાક વખત સુધી આ બંધન શિથિલ હતું. એ વખતે હલકાં લગ્નથી થયેલી પ્રજા પણ ગુણકર્મસ્વભાવથી ઊંચી યોગ્યતા પ્રાપ્ત કરે તો તેને ઊંચા વર્ણની બરોબર થવાનો હક પ્રાપ્ત થતો હતો પણ વસ્તુ માત્રમાં કાળક્રમે જડતા ઉત્પન્ન થવાનો જે સામાન્ય નિયમ છે તે નિયમ ગુણગૌરવની માન્યતા જેમ જેમ જડ થતી ગઈ તેમ તેમ લગ્નવ્યવહારના નિયમો પણ જડ થતા ગયા અને તેનાં પરિણામો પણ જડ થતાં ગયાં. જે જે કુળમાં જન્મે તે જ તેની યોગ્યતાનું કાયમનું સ્થાન થઈ પડ્યું. એ સ્થાનથી નીચે પડી શકાય ખરું પણ ઊંચે ચઢવાનું તો બની શકે જ નહિ ! વર્ણસંકર પ્રજાની ઉત્પત્તિ એ લગ્નબંધનનું સર્વથી મોટામાં મોટું અનિષ્ટ પરિણામ થયું. બીજી કોઈપણ પ્રજાના ઈતિહાસમાં આવા એક જ પ્રજા વચ્ચેના લગ્ન સંબંધથી થયેલા અસાધારણ ભેદ જાણવામાં આવ્યા નથી. આર્ય પ્રજાના ઊંચી પંક્તિના પૂર્વજોએ પોતાને પોતાના વર્ણની અને પોતાથી હલકી વર્ણની કન્યાઓ પરણવાની છૂટ લીધી એ પણ એક સાધારણ વાત છે. મોટા થયેલાઓ હંમેશાં પોતાની અનુકૂળતા માટે ખીજાઓનો ભોગ લેતા આવ્યા છે. તેમજ હલકી વર્ણના લોકોને ઊંચી વર્ણની કન્યા લેવાનો પ્રતિબંધ કર્યો, એ પણ બીજી બધી પ્રજાઓમાં તેમજ બધા કાળમાં ચાલતી આવેલી સાધારણ પ્રણાલિકા પ્રમાણેનું ય છે. હલકી વર્ણના લોકો ઉન્મત્ત થઈને ઉપલી વર્ણની કન્યાઓ પરણે અને ઉપલી વર્ણની કન્યાઓ સ્વેચ્છાચારી થઈને હલકી વર્ણના પુરુષોને પસંદ કરે એ પણ વધતું ઓછું પ્રાચીનકાળમાં તેમજ આ કાળમાં, આ દેશમાં તેમજ પરદેશમાં હરહંમેશ બનવા જોગ છે. આમ આર્ય પ્રજામાં જે સ્થિત્યંતર થયું છે તે કેવળ સ્વાભાવિક અને સદા સર્વદા સર્વ પ્રજામાં બનવા જોગ હતું તે પ્રમાણે જ બન્યું છે. માત્ર આર્ય પ્રજાનો વર્ણસંકર ભેદ ૩૨ Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ બીજી બધી પ્રજાઓમાં પડતા નાના-મોટા ભેદોથી વધારે અનિષ્ટભેદ થઈ પડુયો. તેનું કારણ એ થયું કે આર્યપ્રજાની વર્ણવ્યવસ્થા જડ થઈ ગઈ અને તેના નેતાઓએ જે કંઈ કર્યું તે મૂળને અનુલક્ષીને કરવાને બદલે વર્તમાન પરિણામને અનુલક્ષીને કર્યું. ઊંચી વર્ણની ઉચ્ચતા જાળવી રાખવા તેમણે તેને અત્યંત જડ બનાવનારા બંધનો વધારે બાંધ્યા. અને અધમતાનું એકાદ પગથિયું ખોદીને જ અટક્યા નહિ, પણ એકની પછી બીજું, બીજા પછી ત્રીજું એમ ઉત્તરોત્તર સેંકડો પાયરી નીચે ઊતરી ગયા. બીજી બધી પ્રજાઓમાં ઉચ્ચનીચ, નીચાના ભેદ અને લગ્નના બંધન એ બધું હતું, તેમ સ્વેચ્છાચારી લગ્ન તથા તેનાથી થનારી પ્રજા ઊતરતી પાયરીની પણ ગણાતી, પણ એ બધું હતું તે આટલેથી જ અટકી જતું. જદો પડતો આ પ્રવાહ બહુ જ નજીકની મર્યાદામાં અટકીને થોડા જ સમયમાં વિશાળ રૂપ ધારણ કરી લેતો અને એ પછી સહજ અનુયોગ દ્વારા મળતાં મૂળની સાથે જોડાઈને તે એકાકાર થઈ જતો. આર્ય પ્રજાની વર્ણવ્યવસ્થા જડ થઈ જવાના પરિણામે અને જ્ઞાતિઓના વંશ નવા નવા થવાના કારણે આર્ય પ્રજાના ભેદ એકબીજા સાથે જોડાઈને તે એકાકાર થઈ જતો. આર્ય પ્રજાની વર્ણવ્યવસ્થા જૂની થઈ જવાને પરિણામે અને જ્ઞાતિઓના વંશ નવા નવા થવાના કારણે આર્ય પ્રજાને ભેદ એકબીજા સાથે સંધાવા પામ્યા નહિ. મૂળની એકતામાંથી તૂટેલાને પાછા જોડાવાનો પ્રસંગ મળ્યો નહિ. પ્રજાકીય ઐક્ય છિન્ન ભિન્ન થઈ ગયું અને આખરે જ્યારે નવા થતા ભેદોની સંખ્યા અત્યંત અસહ્ય થઈ પડી ત્યારે તેમણે હતું તેટલું કાયમ રાખીને નવા ભેદ થતા અટકાવ્યા. આ વખતે જે જ્યાં હતા ત્યાંને ત્યાં જડાઈ ગયા. હાલનું જ્ઞાતિબંધારણ આ રીતે બંધાયું છે. હાલની જ્ઞાતિઓ વિષે પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં જાણવા જેવું કશું ય મળતું નથી. કારણ કે તે છેક પાછળના વખતમાં બંધાઈ છે. જે કાળે પુરાણોની રચના ચાલતી હતી તે કાળે હાલની ઘણી ખરી જ્ઞાતિઓ બંધાઈ છે. એ બંધારણના કાળે જે તે જ્ઞાતિને તેના મૂળના વર્ણના અથવા મૂળસંકર જાતિના પેટા ભેદરૂપે માનવામાં આવતી હતી. આજે લાંબા કાળે દરેક જ્ઞાતિ જેવું પોતાનું સ્વતંત્ર સ્વરૂપ પામી ૩૩ Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ છે તેવું વિશિષ્ટત્વ તે કાળે નહોતું. એટલે પુરાણોમાં તેમજ તે કાળના ખીજા ગ્રંથોમાં જ્ઞાતિઓ સંબંધી વિશેષ હકીકત લખાયેલી નથી. જો કે કેટલીએક જ્ઞાતિઓનાં પુરાણો રચાયાં છે, અને તે પુરાણોને અઢાર મહાપુરાણોમાં કોઈ એકની સાથે જોડી દેવામાં આવ્યા છે, પણ આ જોડાણ દેખીતી રીતે જુદું પડતું દેખાય છે. અને એ જોડાણમાંની વાત એ પુરાણોના બીજા કોઈ ભાગમાં અથવા બીજા કોઈ પુરાણમાં મળી આવતી નથી. બ્રાહ્મણ સિવાયના વર્ષોની જ્ઞાતિઓ બંધાઈ તે વર્ણ સંકરતાનો પ્રતિબંધ કરવા બંધાઈ. બ્રાહ્મણોમાં વર્ણસંકર જ્ઞાતિઓ હતી નહિ તે છતાં વાડા બાંધવાનો પવન તેમને પણ લાગ્યો. તેમણે પણ પોતપોતાને સગવડ પડતા જથા ખાંધી લીધા. આ જથા લાંખો વખત કાયમ રહ્યાથી અત્યારે તે સ્વતંત્ર જ્ઞાતિનું રૂપ પામ્યા છે. ગુજરાતમાં બ્રાહ્મણેતર વર્ણોની જ્ઞાતિઓ જેટલી છે તેટલી હિંદુસ્તાનના ખીજા કોઈ ભાગમાં નથી. તેમજ ગુજરાતના બ્રાહ્મણોમાં જેવી જ્ઞાતિઓ છે, તેવી દક્ષિણમાં, ઉત્તર હિંદુસ્તાનમાં કે બંગાળમાં કોઈપણ ઠેકાણે નથી. દક્ષિણ દેશ બ્રાહ્મણોથી ભરેલો છે, છતાં ત્યાં દેશસ્થ, કોકણસ્થ અને કહાડા એ ત્રણ ભેદમાં જ બધા બ્રાહ્મણો સમાઈ જાય છે. એ જ પ્રમાણે ઉત્તર હિંદુસ્તાનમાં ગૌડ, સારસ્વત અને સરવરીઆ એ ત્રણ ભેદમાં બધા બ્રાહ્મણ સમાઈ જાય છે. ગુજરાતમાં માત્ર બ્રાહ્મણોના ચોરાશી અથવા તેથી પણ વધારે ભેદ પડ્યા છે. સંવત એક હજાર પહેલાંના શિલાલેખો, તામ્રપત્રો અને એ કાળે રચાયેલાં ગ્રંથો જોઈએ તો તેમાં બ્રાહ્મણોની હાલની જ્ઞાતિઓનાં નામ હોવાને બદલે જેના તેના ગોત્રનાં નામ મળી આવે છે. सिंहपुर विनिर्गत किक्काटा पुत्र ग्रामनिवासी सिंहपुर चातुर्व्विद्य सामान्य भारद्वाजस गोत्र छन्दोगस ब्रह्मचारि ब्राह्मण गुहाढ्य पुत्र બ્રાહ્માનુંનાય સુરાષ્ટ્રપુ ાજાપત્ર પથાન્તર્ત...(વલભીના ઘરસેનનું તામ્રપત્ર.) "श्री वध्मानभुक्ति विनिर्गत लिप्तिखंड वास्तव्य तच्चातु र्विद्य सामान्य गागर्यस गोत्र बह्वृच ब्रह्मचारी भट्ट दामोदर भूति पुत्र भट्ट વાસ્તુદ્રેવમૂતિનાય....(વલ્લભીના શિલાદિત્યનું સં. ૪૦૩નું તામ્રપત્ર) Jain Educationa International ૩૪ For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ "अमिच्छत्र वास्तव्यत चातुर्विद्य सामान्य कश्यपशस गोत्र વધ્રુવસવ્રઘવારી મટ્ટોવિન્દ્રસ્તસ્ય સૂનુ મટ્ટ નારાયળાય(ભરૂચના દર્દનું શક સં. ૪૧૭નું તામ્રપત્ર) “मस्मै गार्ग्यस गोत्रायं वेदविद्यादाताय शिवार्याय (શક સંપકર પૃથ્વીવલ્લભ સત્યાશ્રય ધ્રુવનું કરેલીનું તામ્રપત્ર) વગેરે. આથી સ્પષ્ટ સમજાય છે કે બ્રાહ્મણોની હાલની જ્ઞાતિઓ સંવત એક હજાર પહેલાં એવું વિશિષ્ટત્વ પામી નહોતી કે જેમનો કાયમના લેખોમાં ઉલ્લેખ કરી શકાય. એ કાળે હાલની ઘણીખરી જ્ઞાતિઓ હતી ખરી, પણ તે માત્ર કામચલાઉ સમૂહ, અને ગોત્ર જ બ્રાહ્મણોના કુળનો જાણવા જેવો ભેદ છે, એવું એ કાળના લોકો માનતા હોવા જોઈએ. સંવત અગ્યિારસે પછી જેમ જેમ નીચે ઊતરતા જઈએ છીએ તેમ તેમ પ્રાચીન લેખોમાં જ્ઞાતિઓના ઉલ્લેખ સ્પષ્ટ થતા જાય છે અને ગોત્ર કે જે બ્રાહ્મણોના કુળની ઓળખ તરીકે ઘણા લાંબા કાળથી ચાલતા આવ્યાં હતાં તે અદૃશ્ય થતાં જાય છે. જેમ "ચાતુરવિશંતિ જ્ઞાતિ બ્રાહ્મણ ભટ પ્રેમાનંદ નામ" "શ્રીગોડ માળવી વિપ્ર શુભ ત્કવિ શામળદાસ” વગેરે બ્રાહ્મણોમાં હાલ જે જ્ઞાતિઓ ચાલે છે તેમાં થોડી એક જ્ઞાતિઓ સંવત એક હજાર પછી બંધાઈ છે. ઉદીચ્ચ એ શબ્દ બહુ બહોળા અર્થનો છે. ઉત્તર દિશા રહીશ તે ઉદીચ્ય. ગુજરાત અને બીજા દેશોમાં વસતા બ્રાહ્મણો મૂળ ઉત્તરમાંથી નીકળીને બીજે રહેવા ગયા છે. એથી ઘણીખરી જ્ઞાતિઓ મૂળની ઉદીચ્ય ગણાય. હાલમાં ઉદીચ્ય એ નામ ફક્ત પાટણના સોલંકી રાજાઓએ જેમને ઉત્તરમાંથી તેડાવીને ગુજરાતમાં વસાવ્યા તેમના સમૂહને જ લગાડવામાં આવે છે. બ્રાહ્મણોની જ્ઞાતિ જે તે સ્થાનના નામથી બંધાઈ છે. ગુજરાતમાં ઉદિચ્ય બ્રાહ્મણોને પાટણના રાજાઓના તાબામાં હતું. અને ઔદિચ્ય બ્રાહ્મણોની વસ્તી સૌથી વધારે છે, કારણ કે ગુજરાતનું રાજતંત્ર પહેલાં પાટણના રાજાઓના તાબામાં હતું, અને ઔદિચ્ય બ્રાહ્મણોને પાટણના રાજકર્તાઓનો ખાસ આશ્રય હતો. મોઢ અને શ્રીમાળી Jain Educationa International ૩૫ For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ ગુજરાતના અથવા તેની પાસેના પ્રદેશના વતની છે. એટલે તેમની વસ્તી પણ વધારે છે. પાટણની પાસે મોઢેરા છે પણ તે મોઢેરા કરતાં મારવાડની દક્ષિણે પાલિ વગેરેનો જે પ્રદેશ ઘણી જ્ઞાતિઓના મૂળસ્થાન તરીકે પ્રસિદ્ધ છે, તે પ્રદેશમાં આવેલું મુઢેરા ગામ ગુજરાતના મોઢેરા ગામ કરતાં વધારે જૂનું છે. ગુજરાતના મોઢેરાનું મૂળ મારવાડનું મુઢેરા હોય એ બનવા જોગ છે. મોઢ જ્ઞાતિનું નામ મોઢેરા સ્થાન ઉપરથી પડ્યું છે. તેમજ શ્રીમાળ એ સ્થાન ઉપરથી શ્રીમાળી જ્ઞાતિનું નામ પડ્યું છે. ગૌડ દેશના નામ પરથી શ્રીગોડ નામ પડ્રયું. મેવાજ દેશના નામ પરથી મેવાડા નામ પડ્યું. મેસાણા પાસેના વાલમ નામ પરથી વાલમ નામ પડ્યું છે અને નગર (વૃદ્ધનગ૨) એ નામ પરથી નાગર નામ પડ્યું છે. વાણિયા એ શબ્દ કુળસૂચક નહિ, પણ ધંધાસૂચક છે. વહેપારનો સંસ્કૃત શબ્દ વાળ્યું છે. વાણિજય (વહેપા૨) જે કરે તે વળવા: કહેવાય. વળછા એમાંનો પ્રાકૃત વ્યાકરણના નિયમ પ્રમાણે ઉચ્ચારમાં દબાઈ જાય છે, તેથી પ્રાકૃત બોલનારાઓ વાણિયા એવો ઉચ્ચાર કરે છે. હિંદુસ્તાનમાં વ ને ઠેકાણે હું બોલવાનો ચાલ છે ને !' ને ઠેકાણે ન બોલવાનો ચાલ છે, તેથી વાણિયાને બદલે બનિયા કહે છે. જે કોઈ વહેપાર કરે તે બધા વાણિયા કહેવાય. અત્યારે જેમ માસ્તર એ શબ્દ કોઈ જ્ઞાતિસૂચક નથી, અને બ્રાહ્મણ, વાણિયા, હજામ, ધોબી, પારસી, મુસલમાન હરકોઈ જાતને માણસ ભણાવવાનું કામ કરતો હોય તે માસ્તર કહેવાય છે, તેમ હરકોઈ જાતિનો માણસ વાણિજય (વહેપાર) કરે તે વાણિયો કહેવાય. પહેલાં જ્યારે વર્ણવ્યવસ્થાનું નિયમન થતું હતું અને દરેક જાતિને માટે ધંધા મુકરર કરી આપવામાં આવ્યા હતા. ત્યારે ચઢતી જ્ઞાતિવાળાઓને ઊતરતી જ્ઞાતિવાળાઓને ધંધા કરવાની છૂટ હતી. માત્ર ઊતરતી જ્ઞાતિવાળાથી ચઢતી જ્ઞાતિવાળાનો ધંધો થઈ શકે નહિ. અને જો તે પોતાના અધિકાર ઉપરાંતનો ધંધો કરવા જાય તો કાયદાથી શિક્ષાને પાત્ર ગણાય, એવો તે કાળો વારો હતો. કોઈ એક ગામ કે સમૂહને અધિકાર નહિ ધરાવનારી જાતિનો કોઈ માણસ ઉપલી જ્ઞાતિનો ધંધો કરી લેતો, અને વખત જતાં એવા ઘંઘાદારી વર્ગ પણ બંધાતા; પણ ૩૬ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ એ વર્ગ ખરેખર હકદાર ધંદાદારીઓના સમાન લેખાતા નહિ. તેમની યોગ્યતા નીચી જ ગણવામાં આવતી. અને તે હલકા વર્ગમાં જ પોતાના ધંધા કરી ખાતા. જેમ ઢેઢના ઢેડના ગોર, કોળીના ભવાયા, વહેપાર ઘાંચીઓ વગેરે ઉપલી +તપોધન, કાઈટીઆ, રાજગર વગેરે થોડાએક આના અપવાદરૂપ છે. જ્ઞાતિવાળા જો ચાહે તો હલકી જ્ઞાતિવાળાનો ધંધો કરી શકે, પણ તેમ કરવા જતાં તેની યોગ્યતા ઊતરતી ગણાય. અને એવો નિયમ હતો કે ચઢતી જ્ઞાતિનો કોઈ માણસ અમુક પેઢી સુધી ઊતરતી જ્ઞાતિવાળાનો ધંધો કરે તો તે પોતાની ચઢતી જ્ઞાતિમાંથી પતિત થઈને ધંધા પ્રમાણેની ઊતરતી જ્ઞાતિનો થઈ જાય. कृषि गोरक्ष वाणिज्यं वैश्यकर्म स्वभावजं । એ ભગવદૂગીતાનું વાક્ય છે. ખેતી કરવી, ઢોર પાળવાં, તેનાં દહીં, દૂધ, ઘી, વગેરે વેચવાં, તેમજ દરેક જાતનો વહેપાર કરવો, એ વૈશ્યનું નિયમિત થયેલું કામ હતું. એટલે બ્રાહ્મણ-ક્ષત્રિય, જો ધારે તો વહેપાર કરવાનું વૈશ્યનું કામ કરી શકે, પણ અમુક પેઢી સુધી તે કામ પર ચાલુ રહ્યાથી તેઓ વૈશ્ય (વહેપારી - વાણિયા) થઈ જાય. હાલ આપણે જેને વાણિયા જોઈએ છીએ, તે આવી રીતે બ્રાહ્મણ ક્ષત્રિય ને વૈશ્ય એ ત્રણમાંથી થયેલા વહેપાર કરનારા લોકોનો સમૂહ છે. પણ અત્યારે આપણે જેમને વાણિયા જોઈએ છીએ તે ફક્ત આવા કારણથી વાણિયા થયા નથી. આર્ય પ્રજામાં થયેલી એક મહાભારત ઊથલપાથલને પરિણામે હાલના ઘણાખરા વાણિયા વાણિયાપદ પામ્યા છે. એ ઉથલપાથલ શું છે તે આપણે જોઈએ. આગળ આપણે જોયું છે કે આર્યપ્રજામાં જામિત્સ૨ને પરિણામે વર્ણો જડ થઈ ગઈ હતી અને તેનાથી વર્ણસંકર જ્ઞાતિઓના એક ઉપર એક સેંકડો પેટાભેદ (ટુકડા) થતા જતા હતા. આ અનિષ્ટચટ પરિણામ તરફ એ કાળના વિચારશીલ સુધારકોનું લક્ષ ખેંચાયા વગર રહ્યું નહીં. બૌદ્ધ અને જૈન ધર્મના પ્રવર્તકો જેમ બ્રાહ્મણોના યજ્ઞારીયાગાદિનો બંધારણનો નિષેધ કરવાને પણ ચૂક્યા નહિ. વર્ણસંકર જાતિના બધા ભેદોનો તેમણે અનાદર કર્યો અને એક Jain Educationa International ૩૭ For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ જ જાતિ (સંઘ)ની સ્થાપના કરી. જે કોઈ પોતાના સિદ્ધાંતનો અનુયાયી થાય તે આ સંઘનો સભાસદ થઈ શકે અને સંઘનો જે કોઈ સભાસદ થાય તે સંઘના સર્વ માણસો સાથે સમાન વ્યવહાર કરી શકે. બૌદ્ધ અને જૈનધર્મપ્રવર્તકોની સાધુતા, ઉગ્ર તપશ્ચર્યા, અને નિ:સ્વાર્થ લોકહિતવૃત્તિ જોઈને લાખો લોકો તેમના તરફ આકર્ષાયા. સર્વને સમાન ગણવા અને સર્વ જીવો તરફ દયા રાખવી એ સત્ય સિદ્ધાંતોએ લાખો લોકોને વશ કરી લીધા. લાખો બ્રાહ્મણો, લાખો ક્ષત્રિયો અને લાખો વૈશ્યો પોતપોતાના વર્ણનું પદ છોડીને આ સંઘમાં જોડાયા. ક્ષત્રિયોના પેટામાં સમાઈ જાય એવી જે વર્ણસંકર જાતિઓ હતી તેમને ક્ષત્રિય માનીને સંઘમાં તેમનો સ્વીકાર કરવામાં આવ્યો, તેમજ જે વર્ણસંકર જાતિઓ વૈશ્યોની પરંપરામાંથી ઉત્પન્ન થઈ હતી તેમને વૈશ્ય વર્ણના માનીને તેમનો પણ આ સંઘમાં સમાવેશ કરી લીધો. જૈન સૂત્રગ્રંથોમાં લખ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય એ ત્રણ વર્ણ એકત્ર કરીને તેનો સંઘ બનાવવામાં આવ્યો. શૂદ્ર એ ત્રણ વર્ણ એકત્ર કરીને તેના સંઘમાં જોડાઈ શકી કે નહિ, તે જાણવાનું જોઈએ તેવું સાધન મળતું નથી, પણ રંગરેજ (છીપા) વગેરે કેટલીક શૂદ્ર જાતિઓ જૈનધર્મ પાળતી હોવા છતાં જૈનસંઘમાં તેમનો ખાવાપીવા વગેરેનો એકાર વહેવાર નથી, એ ઉપરથી આપણે એમ ધારી શકીએ કે શૂદ્ર જાતિને આ સંગમાં ભેળવવામાં આવી નહિ હોય. એ બનવાજોગ છે કે શૂદ્રજાતિ તરફ લોકોનો અત્યંત તિરસ્કાર હોવાથી, લોક રૂચિને ખાતર તેમનો અનાદર કરવામાં આવ્યો હોય ત્યારે જેમ લોકોનો અત્યંત તિરસ્કાર ધરાવતી ઢેડ, ભંગી વગેરે જાતિઓને ક્રિશ્ચિયનોએ ખ્રિસ્તી સમૂહમાં ભેળવ્યાથી ચઢતી વર્ણના લોકો ખ્રિસ્તીઓમાં ભળતા અટકી ગયા,તેમ જૈન અને બૌદ્ધસંઘના નેતાઓને શૂદ્રજાતિને પોતાના સંઘમાં ભેળવી હોત તો ઉપેદા ગમે તેટલો અસરકારક હોવા છતાં પણ ચઢતી જ્ઞાતિનો લોકસમૂહ તેમના સંઘમાં ભળતાં ખચકાયા વગર રહેત નહિ. આ અનિષ્ટ સમજી લઈને બૌદ્ધ અને જૈન પ્રવર્તકોએ શૂદ્રોને પોતાના સંઘમાં ભેળવ્યા ન હોય તો તે બનવાજોગ છે. બૌદ્ધ અને જૈન સંઘ બહુ જ થોડા વખતમાં બળવાન સંઘ થઈ ગયો. આખો દેશ આ સુધા૨ક સંઘથી છવાઈ ગયો. બ્રાહ્મણો અને ૩૮ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ તેમનો ધર્મ જ્યાં ત્યાંથી અદૃશ્ય થવા લાગ્યો. અને વેદધર્મના અનુયાયીઓમાં પોતાનો ધર્મ નાબૂદ થઈ જશે કે કેમ, એની મોટી ફિકર ઉત્પન્ન થઈ. મોટા મોટા રાજાઓ સુદ્ધાંત બૌદ્ધ અને જૈનધર્મમાં ભળી જવા લાગ્યા અને વેદધર્મીઓમાં કો વેદાનુઘરિષ્યતિ વેદનો ઉદ્વાર કોણ કરશે?) એ પ્રશ્ન બહુ જ ચિંતાગ્રસ્ત ચિત્તે પુછોવા લાગ્યો. એ વખતે બ્રાહ્મણો અને જૈનબૌદ્ધો જીવ ઉપર આવીને લડતા હતા. શાસ્ત્રાર્થ થતા અને હારજીત થયા કરતી, પણ તેથી બૌદ્ધ અને જૈનસંઘની વૃદ્ધિ થતી કોઈપણ રીતે અટકાવી શકાતી નહોતી. હસ્તિના તાઢય માનો િન નૈન મંદિર હાથી મારવા ધસી આવતો હોય તો પણ (પોતાનો જીવ બચાવવાને માટે પણ) જૈન મંદિરમાં જવું નહિ. આવા એક બીજા સામે વેરભાવના વિધિનિષેધો બંધાયા હતા. પોતપોતાના પક્ષના રાજાઓને ઉકેરીને એક બીજાનું નિકંદન કરાવવાના પ્રયત્ન પણ થતા હતા. એકબીજા વિરુદ્ધ સેંકડો નિંદાપ્રચુર ગ્રંથો લખાયા હતા, અને વેરભાવ ધરાવનારી બે વ્યક્તિઓ એકબીજાને હલકા પાડવા અને નિર્મળ કરવા જે કંઈ કરી શકે તે બધું બ્રાહ્મણો અને બૌદ્ધજેનો વચ્ચે થતું હતું. વામમાર્ગના પ્રચારને લીધે બ્રાહ્મણોને ધર્મ તે કાળે એવું બીભત્સરૂપ પામ્યો હતો કે તેના તરફ ધિ કાર ઉપજાવતાં વાર લાગે નહિ. ધર્મક્રિયાઓને માટે ડગલે ડગલે થતી પશુહિંસા અને મનુષ્યહિંસા તેમજ દુરાચાર મદ્યપાનાદિન દેખીતા દ્રષ્ટાચારો બ્રાહ્મણધર્મમાં સર્વત્ર ચાલતા હતા. જ્યારે તેમના વિરોધી બૌદ્ધો અને જેનો અત્યંત સાધુતાથી અત્યંત તપશ્ચર્યાથી અને અત્યંત ત્યાગથી લોકોને સર્વ જીવો ઉપર દયા કરવાનો અને સર્વ મનુષ્ય સાથે સમભાવ રાખવાનો ઉપદેશ આપતા હતા. બ્રાહ્મણોના બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા અને બૌદ્ધ તથા જૈનસંઘ પ્રતિદિન વધારે વધારે બળ પામતા હતા. પોતાનો ધર્મ નષ્ટ થઈ જશે તેવી ફિકર ઉત્પન્ન થઈ ત્યારે બ્રાહ્મણો સમજ્યા અને જે તે રસ્તે લોકોને પોતાના તરફ વાળી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. લોકોને ભાવતો ધર્મ ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ આ કારણથી થઈ. જુદા જુદા ભાગમાં જુદા જુદા જે વિચારો ધર્મ રૂપે માનતા હતા તે તે વિચારોને સુધારીને અને સંકલિત કરીને પુરાણોની રચના કરવામાં આવી અને વામમાર્ગના તંત્રગ્રંથોનું સ્થાન Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ એ પુરાણોને આપવામાં આવ્યું. એક પછી એક અઢાર પુરાણો રચાયા. વધતા જતા વર્ણસંકર ભેદ અટકાવીને જ્ઞાતિભેદનું સ્થિરસ્થાવર બંધારણ આ કાળે બંધાયું. જૈન અને બૌદ્ધમતના અનુયાયી થઈને એકાકાર સંઘમાં ભળી ગયેલા લોકોને પાછા પોતાના ધર્મમાં અને પોતાના સમાજમાં દાખલ કરવાની હવે જરૂર પડી. ત્યાર સુધી જે બંધારણે ચાલતા આવ્યાં હતાં તે બંધારણો પ્રમાણે સંઘમાંથી પાછા આવેલા લોકોને બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય કોઈ વર્ણમાં દાખલ કરી શકાય એવું હતું નહિ. આચાર-વિચાર, રહેણીકરણી અને ધંધાઉદ્યોગથી તેઓ શૂદ્ર કરતાં ઊંચી યોગ્યતા ધરાવતા હતા. તેમને શૂદ્ર બનાવવામાં આવે તો એ લોકો તે કબૂલ રાખે નહીં, અને બ્રાહ્મણ ધર્મમાં ભળવા કરતાં પોતાના સંઘને વળગી રહે એ બનવાજોગ હતું. આથી તેમને માટે એક નવું દ્વાર ઉઘાડ્યું. બ્રાહ્મણ – ક્ષત્રિય - વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણને બદલે એક પાંચમી વર્ણ ઊભી કરી આ વર્ણનું નામ સતશૂદ્ર (સઠુદ્ર) રાખવામાં આવ્યું. શૂદ્રો કરતાં એમનો દરજ્જો ઊંચો ઠરાવ્યો. કળિયુગમાં ક્ષત્રિય અને વૈશ્યનો લોપ થઈ ગયો છે, એટલે બ્રાહ્મણો અને શૂદ્ર એ બે જ વર્ણ અસ્તિત્વમાં છે. સતશદ્ર એ શૂદ્રથી ઊંચી પંક્તિના છે અને ક્ષત્રિય વૈશ્ય તો છે જ નહીં એટલે બ્રાહ્મણથી ઊતરતો દરજ્જો તેમનો થશે, એમ ઠરાવીને બૌદ્ધ તથા જેનસંઘમાંથી પાછા આવતા લોકોને આ વર્ગમાં દાખલ કર્યા. બૌદ્ધ અને વિશેષ કરીને જેનઘર્મના સિદ્ધાંતો એવા છે કે એ ધર્મમાં ભળનાર માણસથી વહેપાર સિવાય બીજો ધંધો થઈ શકે નહીં. ખેતી વગેરે બીજા ધંધા કરવામાં જીવહિંસા થવાનો ભય હોવાથી આ ધર્મને અનુયાયીઓને એવા ધંધા કરવાનો પ્રતિબંધ કર્યો છે. ધર્મનો પ્રતિબંધ હોવા છતાં કોઈ માણસ ખેતી વગેરેનો ધંધો કરે, તો સંઘમાં તે નિંદાપાત્ર ગણાય. આથી ઈચ્છા હોય કે ન હોય, પણ એ ધર્મમાં ભળનારે બીજા બધા ધંધા છોડી દઈને આખરે વહેપાર ઉપર જ આવી પડવું પડે. આ કારણને લીધે જે બ્રાહ્મણ ક્ષત્રિયો બૌદ્ધ કે જૈનધર્મના અનુયાયી થયા હતા તે મોટે ભાગે વાણિયા (વહેપારી) થઈ ગયા હતા. અને તેથી એ આખા સંઘ વહેપારીના સંઘ જેવા થઈ રહ્યા હતા. આ વહેપારીઓ જેમ જેમ સંઘમાંથી છૂટા પડીને બ્રાહ્મણધર્મમાં - ૪૦ Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ભળવા લાગ્યા, તેમ તેમ પાંચમી વર્ણ (સતશૂદ્ર)ની સંખ્યાનો વધારો થતો ગયો. પાછળથી કુમારિક ભટ્ટાચાર્ય અને શંકરાચાર્ય થયા. એમણે બૌદ્ધ અને જૈનધર્મીઓ સાથે વાદવિવાદ કરીને મોટો યશ મેળવ્યો. બનવાજોગ છે કે આ વખતે બ્રાહ્મણોના પક્ષમાં કોઈ રાજસત્તા કામ કરતી હોય. લાખો કરોડો બૌદ્ધો પાછા બ્રાહ્મણ ધર્મમાં આવી ગયા. હિંદુસ્તાનમાંથી બૌદ્ધધર્મ નામશેષ થઈ ગયો. જેનો પણ રડ્યા ખડ્યા રહ્યા અને રૂપાંતર પામેલો વેદધર્મ પુન: જોર પર આવ્યો. વિક્રમ સંવતના આઠમા શતકમાં આ અંક પર છેવટનો પડદો પડ્યો. બ્રાહ્મણધર્મમાંથી બૌદ્ધ કે જૈન ધર્મમાં જવું, અને તેમનામાંથી પાછા બ્રાહ્મણધર્મમાં આવવું એ ઊથલપાથલ વિક્રમ સંવત પૂર્વે લગભગ પાંચસો વર્ષથી માંડીને વિક્રમ સંવતના આઠમા શતક સુધી એટલે લગભગ બારસે વર્ષ સુધી ચાલી. બ્રાહ્મણ ધર્મ અને બ્રાહ્મણોની વર્ણવ્યવસ્થા એ બંનેને ઉથલાવી નાખનારા બે પ્રબળ શત્રુઓએ તેમને ધર્મ અને તેમની વર્ણવ્યવસ્થા એ બેઉને મૂળમાંથી હલાવી નાંખ્યાં. બધું છિન્નભિન્ન ને અસ્તવ્યસ્ત થઈ ગયું. અત્યારે આપણે ગુજરાતમાં વસતા (ક્ષત્રિય ગણાતા) રજપૂતને જનોઈ જોતા નથી તેનું મુખ્ય કારણ ઉપર જણાવ્યું તેમ તેમનું સ્થિત્યંતર અને તેનો પ્રભાવ એ છે. ઉત્તર હિંદુસ્તાન અને દક્ષિણમાં ક્ષત્રિયોને વાણિયા હજુ સુધી પરાપૂર્વ જનોઈ ધારણ કરતા આવ્યા છે. દક્ષિણના વાણિયાઓ ખાવાપીવામાં નિંઘ આચાર પાળે છે, છતાં તેઓ જનોઈ પહેરે છે, કારણ કે તે તેમની પરંપરાથી જનોઈ પહેરતા આવ્યા છે. ગુજરાત અને મારવાડના વૈશ્યો તથા ક્ષત્રિયોને જનોઈનથી, કારણ કે પહેલાં તેઓ બૌદ્ધ અથવા જનસંઘમાં દાખલ થયા તે વખતે તેમણે જનોઈનો ત્યાગ કર્યો હતો. પાછળથી તેઓ બ્રાહ્મણ ધર્મમાં આવ્યા ત્યારે તેમને તેમના ધંધા પ્રમાણે ક્ષત્રિય કે વૈશ્ય વર્ગમાં ગોઠવી દીધા. ઘણી પેઢીઓથી તેમનું યજ્ઞોપવિત (જનોઈ) જતું રહેલું હોવાથી તેમને નવું યજ્ઞોપવિત આપવાનું શાસ્ત્રાઘાર મળ્યો નહીં. આથી જ સંતશૂદ્ર નામની પાંચમી વર્ણમાં તેમને ગોઠવવા પડ્યા. ભરતખંડની બહારની અનેક પ્રજાઓ અનેક કારણોને લીધે અને કવાર આ દેશમાં ઊતરી આવી હતી એ લોકો બીજી વણે સાથે ૪૧ Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ભળીને બીજી વર્ણોના જેવા આચાર વિચાર પાળતા થઈ ગયા હતા. જેઓ સત્તાવાળા હતા તેઓ તો સત્તાના બળે પોતાને શ્રેષ્ઠ ગણાવતા હતા, પણ (*એક જૈનકથા ઉપરથી સમજાય છે કે બૌદ્ધસંઘમાં જનોઈને ત્યાગ કરવો પડતો નહોતો.) આર્યપ્રજાનું વર્ણબંધન બહુજ મજબૂત બંધાયેલું હોવાથી તેઓ (પરદેશીઓ) આર્યપ્રજા સાથે અત્યંત એકરૂપ થઈ જતા નહોતા. જ્યારે બૌદ્ધ અને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો ચાલ્યો અને લાખો લોકો બ્રાહ્મણધર્મ છોડીને બૌદ્ધ કે જેનસંઘમાં ભળી ગયા, ત્યારે બ્રાહ્મણોને ડહાપણ આવ્યું અને તેમણે પોતાનામાંથી નીકળી ગયેલા લોકોને ફરી પોતાના ધર્મ અને સમૂહમાં દાખલ કર્યા, એટલું જ નહીં પણ પરદેશથી આવી રહેલા અને આર્યોના આચારવિચા૨માં ભળી ગયેલા લોકોને પણ તેમની યોગ્યતા પ્રમાણેના વર્ગમાં ગોઠવી દીધા. પુરાણોમાં આવી કથાઓ અલંકાર રૂપે નોંધાઈ છે. અમુક દેવને જરૂર પડી એટલે આટલા નવા ક્ષત્રિયો ઉત્પન્ન કર્યા અને અમુક દેવે આટલા નવા બ્રાહ્મણો ઉત્પન્ન કર્યા, એવી અનેક દંતકથાઓ રચાઈ છે. નવા ઉત્પન્ન કર્યા એટલે કંઈ આકાશ કે પાતાળમાંથી પેદા કર્યા અથવા લાકડાં કે માટીના બનાવ્યા એમ નહીં, પણ જેઓ અત્યાર સુધી ક્ષત્રિય કે બ્રાહ્મણ તરીકે ઓળખાતા કર્યા, એ જ એનો અર્થ. ઊંચી પંક્તિની જયલીક વર્ણસંકર જાતિઓ તેમજ ઊંચી યોગ્યતાવાળી કેટલીએક પરદેશી જાતિઓ તેમજ ઊંચી યોગ્યતાવાળી કેટલીએક જાતિઓ એમને બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય વર્ગમાં દાખલ કર્યા. તેમજ ઊતરતી વર્ણની કન્યા લેવાથી જેઓ પતિત ગણાતા હતા, તેમને પણ તેમના આચાર વિચાર પ્રમાણે ઊંચી પંક્તિ પર મૂક્યા. પુરાણોમાં આવી કથાઓ પણ છે. અમુક બ્રાહ્મણોને નાગની કન્યા સાથે પરણાવ્યા, ને અમુક ક્ષત્રિય અમુક જાતની કન્યા પરણ્યા, તેથી અમુક જ્ઞાતિની પ્રજા થઈ. આવા બધા પ્રસંગોમાં કોઈ દેવનું, કોઈ અવતારી પુરુષનું કે કોઈ ઋષિનું નામ જોડવામાં આવ્યું છે. અસાધારણ કૃત્ય કરવું, સમાજમાં માન્ય ગણાતું ન હોય એવા કૃત્યને લોકમાન્ય કાર્ય તરીકે મંજૂર કરાવવું એ કામ કોઈ સાધારણ માણસથી થઈ શકે નહીં. કાં તો રાજસત્તાથી અથવા ધર્મસત્તાથી જ એવાં કામ ૪૨ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ થઈ શકે પણ એ કાર્ય કરનારાઓને ઈશ્વ૨, દેવ કે અલૌકિક પુરુષ ઠરાવી દેવાનું પરિણામ એ થાય છે કે એવાં કાર્ય ફરી બીજા માણસોથી કરી શકાતાં નથી. અબ્રાહ્મણને બ્રાહ્મણ, ક્ષત્રિયને ક્ષત્રિય અને અવૈશ્યને વૈશ્ય બનાવવાનું કામ જ્ઞાતિબંધારણ બંધાયાના નજીકના સમયમાં જ બનેલું હોવા છતાં એ કામ આગળ ચાલતું રહ્યું નહીં અને જે થયું તે થયું ને રહ્યું તે રહ્યું એમ થઈ ગયું. તેનું કારણ આ જ છે. નવા બ્રાહ્મણ-ક્ષત્રિય કે વૈશ્ય બનાવનારે અથવા હલકી વર્ણની કન્યાઓ લેવાની છૂટ આપનારે જો કોઈ પણ અપવાદ કરાવીને એ નિયમ કાયમના નિયમ તરીકે સ્થાપિત કર્યો હોત તો બીજા લાખો લોકો ઊંચી પંક્તિપ૨ આવી શક્યા હોત; પણ તેમ થયું નહીં અને જ્ઞાતિભેદની જડતા સ્થિરસ્થાવર કાયમ રહી, એ પ્રાચીન બંધારણનો અનાદર ન થવાનું પરિણામ થયું. વર્ણસંકર ભેદ આગળ વધતા અટકાવીને જ્ઞાતિઓનો સમૂહ મુકરર કર્યો તે વખતે જ્ઞાતિ બંધાઈ. જેન અને બૌદ્ધસંઘમાં ભળનાર બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ પણ એમના ધાર્મિક બંધારણને લીધે બ્રાહ્મણ અને ક્ષત્રિયના ધંધા છોડી દઈને વણિકોના ધંધામાં ભળી જતા હતા. અથવા વણિકના સમૂહ સાથે જોડાઈને વાણિયા થઈ જતા હતા. આ સંઘની સાથે સમાન દરજ્જો રહે એટલા માટે વેદધર્મી વાણિયાઓનો દરજ્જો ઊંચો ઠરાવ્યો. બ્રાહ્મણો વગેરે ખાવા ખવરાવવા અને કન્યા આપવા લેવા માટે પોતાની અનુકૂળતા પ્રમાણે જથા બાંધતા ગયા, તેમ વણિકોમાં પણ ગામ પ્રમાણે જથા બંધાવા લાગ્યા. આ કાળે શ્રીમાળનગ૨ મોટું પ્રસિદ્ધિ પામેલું, ધનધાન્યથી ભરપૂર અને રાજસત્તા ધરાવનારું શહેર હતું. સાધારણ રીતે શહેરના લોકો ગામડાના લોકો કરતાં પોતાને ચઢતા માને છે. ગામડાના લોકો પણ તેમના તેજથી અંજાય છે, તેથી શહેરીઓ ઊંચો દરજ્જો પામે છે. આમાં પણ જ્યારે શહેર એક જ પ્રકારના લોકોની બહોળી વસ્તીવાળું હોય, વ્યાપારધંધાથી ખીલેલું હોય અને વળી રાજરક્ષાથી રક્ષાયેલું હોય ત્યારે તે શહેરનું મહત્ત્વ બીજાં સાધારણ શહેરો કરતાં વધારે ગણાય અને તે શહેરના શહેરીઓ પોતાને માટે વધારે અભિમાન ધરાવતા થાય એ સ્વાભાવિક છે. ગુજરાતનું પાટણ તે વખતે વચ્ચું ૪૩ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ નહોતું અને વૃદ્ધનગર (વડનગર) સિવાય ગુજરાતમાં બીજું કોઈનગર હતું નહીં. શ્રીમાળ એ ગુજરાત અને મારવાડની સરહદ પર આવે છે, એટલે જ્ઞાતિબંધારણના કાળે શ્રીમાળની રાજસત્તા અને શ્રીમાળનો વ્યાપાર ગુજરાત અને મારવાડમાં લાબે સુધી પથરાયેલો હતો. આથી ત્યાંના લોકો પોતાને શ્રીમાળી જ્ઞાતિઓમાં કેવા ફેરફાર થયા છે તે હવે આપણે જોઈશું. XX Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાળ અને શ્રીમાળીઓ ભીનમાલ નગરરાજ જે સ્થાને જે જ્ઞાતિની સ્થાપના થઈ હોય અથવા જે સ્થાને જે જ્ઞાતિનું મુખ્ય સ્થાન હોય તે સ્થાન તે જ્ઞાતિનું "મહાસ્થાન” કહેવાય છે. નગરોનું મહાસ્થાન વડનગર, મોઢજ્ઞાતિનું મહાસ્થાન મોઢેરા, વાયડાઓનું મહાસ્થાન વાયટ તેમ શ્રીમાળીઓનું મહાસ્થાન શ્રીમાળ છે. અમદાવાદથી અજમેર જતી રેલવે લાઈનના પાલનપુર અને આબુરોડ સ્ટેશનથી પશ્ચિમે ચાળીસેક માઈલ ઉપ૨ ગુજરાત અને મારવાડની સરહદ ઉપ૨ શ્રીમાળ નગરનાં પ્રાચીન ખડેરો પડ્યા છે. ઘણું ખરું બધી પ્રાચીન જ્ઞાતિઓનાં મહાસ્થાન નષ્ટ ભ્રષ્ટ થઈ ગયાં છે. જાહોજલાલી ભોગવતી જ્ઞાતિનાં આદિસ્થાનમાં અત્યારે તે જ્ઞાતિનું એકપણ ઘર હોતું નથી. (વર્તમાનમાં જેને આપણે ભીનમાલ તરીકે ઓળખીએ છીએ). કારણ કેबडे बडेकुं दुख है, छोटेसे दुख दूर; तारा सो न्यारा रहै, ग्रहै चंद्र और सूर. મોટાઈ પામનારા દરેકને માથે મોટા ભય હોય છે. રાજસત્તાવાળાં અને ધનધાન્યથી ભ૨પૂ૨ નગરો ઉપર મોટા રાજકીય ભય અનેકવાર આવી પડે છે. મોટા રાજકીય હુમલાઓ આવે તે હંમેશાં એવાં સ્થાન તરફ જ ઘસતા આવે છે. શ્રીમાળ નગર ઉપર અનેક રાજકીય હુમલા આવ્યા છે અને અનેકવાર તેનો નાશ થયો છે. અને શ્રીમાળ પડ્યું છે તેમ એ નગરવાસીઓનું નામ શ્રીમાળી એ પણ તે કાળ પછી પડ્યું છે, તેથી શ્રીમાળનગરની સ્થાપના અંતે થઈ, એમ માનવું સુગમ પડે છે. વિમળપ્રબંધ અને વિમલચરિત્રમાં કહ્યા પ્રમાણે - श्रीकार स्थापना पूर्व, श्रीमाले द्वापरान्तरैः । श्री श्रीमालि इति ज्ञाति, स्थापना विहिता श्रिया ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ भेटतणी लषिमी वाषरी, श्रीप्रासाद सुरंगउ करी । थापी मूरति महूरत जोइ, लषिमी लक्षणवंती होई ॥ वापरमांहि होइ थापना, जेहनइ भय टलीया पापना । श्री गोत्रज श्रीमाली तणी, करइ चीत प्रासादह तणी॥ દ્વાપરયુગને અંતે શ્રીમાળનગરમાં શ્રીમાળી જ્ઞાતિની સ્થાપના થઈ; અને જ્યારથી ગોત્રજા દેવી તરીકે સ્થપાઈ. એ નગર વસાવવા માટે શ્રીદેવીએ જુદાં જુદાં અનેક તીર્થોમાં ચારે વેદના વિદ્વાન સંખ્યાબંધ બ્રાહ્મણોને તેડાવ્યા. શ્રીમાળ પુરાણમાં કહ્યું છે કે ૧૮૦૦ ગોત્રના ૫,૦૦૦ બ્રાહ્મણો ત્યાં વસ્યા. લક્ષ્મીદેવીને પહેલા હારમાં બ્રાહ્મણોનાં પ્રતિબિંબ દેખાતાં હતાં. દેવી તે જોઈ રહ્યાં અને જોતાં જોતાં હર્ષથી તેમના નેત્રમાં આંસુ આવી ગયાં. લક્ષ્મીદેવીના હારના અષ્ટદલ કમળમાં બ્રાહ્મણનાં પડેલાં પ્રતિબિંબ સજીવન થઈને બહાર નીકળ્યાં. તેઓ રેશમી વસ્ત્ર, રત્ન, સુવર્ણ અને ચંદનથી શોભતાં હતા. હાથ જોડીને તેમણે કહ્યું કે અમારાં નામ પાડો, અમારે ક્યાં રહેવું અને કઈ કળાથી વર્તવું (શું ઉદ્યોગ કરવો ?) લક્ષ્મીદેવીએ કહ્યું. તમે સુવર્ણ યજ્ઞથી ઉત્પન્ન થયા છો, માટે તમારે સુવર્ણકળાથી વર્તવું. આ નગરમાં તમે વસો નગરને કલા આપનાર સોની થાઓ. આ પ્રમાણે આઠ હજાર ચોસઠ સોનીઓ ઉત્પન્ન થયા. જે બ્રાહ્મણ પ્રતિબિંબથી જે સોની થયો હતો તે બ્રાહ્મણોના આટલા બધા ઘન ધન્યનું રક્ષણ કોણ કરશે ? ભગવાને લક્ષ્મીનો વિચાર સમજી જઈને પોતાની સાથળ તરફ જોયું એટલે ઘોળાં વસ્ત્ર, ઉંબરાનો દંડ અને જનોઈ ધારણ કરેલા ૯૦,૦૦૦ વણિકો ઉત્પન્ન થયા. પોતાને માટે કામ માગતાં વિષ્ણુએ તેમને કહ્યું કેविप्राणामाज्ञया नित्यं वर्तितव्यमशेषतः ૨૦ છે. पशुपाल्यं कृषितिवाणिज्यं चेति वः क्रियाः । अध्येष्यति द्विजा वेदान्यजिष्यति तथश मखैः છે ૨૧ तपस्यंति महात्मानो यजिष्येति समाधिना । गृहभारं समारोष्य युष्मासु प्रवीणेषु च | | ૨૨ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ તમારે સંપૂર્ણ રીતે બ્રાહ્મણોની આજ્ઞામાં રહેવું. તમને પ્રવીણને ઘરભાર સોંપીને બ્રાહ્મણો વેદ ભણશે, યજ્ઞ કરશે અને સમાધિ વડે (પરબ્રહ્મનું) પૂજન કરશે. જે જેન જે બ્રાહ્મણનું દાનાદિથી પોષણ કરતા થયા તે બ્રાહ્મણનું ગોત્ર તે તે જેનનું ગૌત્ર ગણાયું. આ પ્રમાણે શ્રીમાળી બ્રાહ્મણ, શ્રીમાળી સોની અને શ્રીમાળી જૈન થયા. શ્રીમાળી પુરાણીને આ કથામાં બ્રાહ્મણ એ જ જાણે માણસ હોય અને તેમના સુખના માટે જ બીજાં બધાં માણસો સરજાયાં હોય તેવું છે. ખરું જોઈએ તો કોઈ કોઈન માટે નહિ પણ મોટામાં મોટા હરકોઈ માણસની પેઠે પોતાને અને જગતને માટે જીવવાને હકદાર છે. અસ્તુ આ કથા ઉપરથી આપણે એ જોઈ શકીએ છીએ કે શ્રીમાળી સોનીઓ બ્રાહ્મણો સાથે સંબંધ ધરાવે છે. અર્થાતુ એમની ઉત્પત્તિ બ્રાહ્મણો સાથે સંબંધ ધરાવે છે. શ્રીમાળી સોનીઓમાં અત્યારે ઘણા ભેદ પડી ગયા છે અને તેમની જુદી જુદી જ્ઞાતિઓ બંધાઈ છે. તેમનામાં ઘરશઓજનોઈ રહિત રહી ગયા છે. જેઓ જનોઈ પહેરે છે તેઓ ત્રાગડ સોની એ નામે ઓળખાય. (તરાગડો) એ નામે જનોઈન ઓળખવામાં આવતી હતી. સંવત ૧૪૬રમાં રચાયેલા પૃથ્વીધર ચરિત્રમાં બ્રાહ્મણોનું વર્ણન કરતાં લખે છે. "શ્રી વચ્છ, પદ્મનાભ, પુરષોત્તમ, પ્રમુખ બ્રાહ્મણ મલ્યા, શાંતિક કીવા તણિઈ કારણિ કલકલ્યા. ગલે ત્રાગા, વેદધ્વનિ ઉચરવા લાગા”. સંવત્ ૧૬૮૩માં હાથે લખેલા એક પુસ્તકમાં હરિયાલી (સમશ્યા) તરીકે એક કુંડળીઓ છંદ લખ્યો છે, તેમાં ત્રાગડ" શબ્દ વપરાયો છે. એ છંદ આ પ્રમાણે છે - જીજે ઉદયો ન ચંદ્રમા, દસર નહીં અસુરેશ, હરીવસે જ્યાદવ નહીં, લંબોદર, ન ગણેશ. લંબોદર ન ગણેદ વસે કેદારન શંકર, ધારાશો નહીં ખડગ અ છે ત્રાગડ નહીં દ્વિજવર. પાક શ્યાક નહીં અંદ્ર, ડિજ કાલ લોધી નહીં, વધાયો વગડ વરાહ નહી, તે બીજે દિયો ન ચંદ્રમા. (ધીસોડાં) ४७ Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ભવાઈ કરનારા લોકોની વાત "તરગાળા" એ નામે ઓળખાય છે, કારણ કે તેઓ પણ જનોઈ પહેરે છે. એ તરગાળા તે ત્રાગડવાળા એ શબ્દનો ઉચ્ચારભેદ છે. ત્રાગાળા (ત્રાગ કરનારા) એ અર્થમાં નથી. સાતસે વર્ષ પહેલાંના એક પ્રસંગને માટે આજના દશા વીશાઓને ચઢતા ઊતરતા માનવા એ ભૂલ અજ્ઞાન છે. બુદ્ધિવાદના હાલના યુગમાં દશા વિશા જેવા ક્ષુલ્લક ભેદો રાખી મૂકીને હજારો લોકોને સંકડાવી મારવા એ ભૂલ છે. ઐતિહાસિક સ્થિતિને માટે શરમાવું અને તે સ્થિતિ છુપાવવા ઈચ્છવું એ અજ્ઞાન છે. અપવાદ અનિવાર્ય છે. હિસાબે દશા વિશાની ૩૫ પેઢી ગુજરી ગઈ. ૩પ પેઢી ઉપરના વશાના પૂર્વજોએ નિદાતા બે માણસનો પક્ષ ના કર્યો તેને માટે ૭૦૦ વર્ષ પછીની જ તેમની પ્રજા ઉત્તમ અને દશાના પૂર્વજોએ નિદાતા બે માણસનો પક્ષ કર્યો તેને માટે ૩૫ પેઢી પછીની તેમની પ્રજાને હલકી માનવી એ ન્યાય અને એ બુદ્ધિવાદ અદૂભુત ગણાય ! બાપે દેવાળું કાઢ઼યું હોય તો પણ દીકરી સારી કમાણી કરતો થાય તો તેને કોઈ દેવાળિયો કહી શકતું નથી. શેઠ તરીકે જ સર્વ સ્થળે તે પ્રતિષ્ઠા પામે છે. પણ આ એબ તો દેવાળું કાઢવા કરતાં પણ વધારે ભયંકર કે આજે ૩૫ પેઢી વીતી ગયા છતાં હતું તે કાયમની કાયમ ! બાપે ચોરી કરી હોય ને જેલમાં જઈ આવ્યો હોય પણ દીકરો સદાચરણી થાય તો દીકરાને કોઈ ચોર કહેતું નથી, પણ અહીં તો ચોરનો ન્યાય પણ નહિ ! મુસલમાની રાજ્યકાળે શ્રાવકોના અને બ્રાહ્મણવર્ગના લાખો લોકોને મુસલમાનોએ જોર જુલમથી વટલાવ્યા છે. લાખો લોકોની બહેન દીકરીઓને પકડીને લઈ ગયા છે, લાખો દેવસ્થાનોનો નાશ કર્યો છે અને લાખો મૂર્તિઓ ભાંગી નાખીને મસ્જિદો ચણાવી છે. હાલના મુસલમાનોના પૂર્વજોએ આવાં ભયંકર કૃત્ય કર્યા છે, પણ એ કૃત્ય કરનારની દશમી પેઢીના કે પચીસમી પેઢીના હાલના મુસલમાનોને કોઈ ગુન્હેગાર ગણતું નથી. અત્યારે તો ઊલટા મુસલમાનોના પક્ષમાં રહેવાને હિંદુઓ તૈયાર થાય છે. પણ દશાના પૂર્વજોના ગુન્હો તો મુસલમાનોના પૂર્વજો. ४८ Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ તેજપાળની ઉદારતા વસ્તુપાળ તેજપાળે ઉદારતાથી જેટલું ધન વાપર્યું છે તેટલું બીજા કોઈએ વાપર્યું નથી. એકલા જૈનધર્મના જ નહિ, સર્વ ધર્મના લોકો માટે તેમણે તળાવ, કૂવા વગેરે સાર્વજનિક કામો પાછળ એમણે જેટલું ધન ખચ્યું છે, તેટલું બીજા કોઈ શ્રાવકે ખર્યું નથી. ને તેથી જ એમ કહેવામાં આવ્યું છે કે ઉદારતામાં વસ્તુપાળે જે કર્યું છે તેવું બીજા કોઈએ કર્યું નથી. અમદી ઉદારકૃતિની નોંધ જેની પાસે ન હોય તેવો કોઈપણ જૈન સાધુ નહોતો. સં. ૧૭૨૧માં મેરુવિજય કવિએ વસ્તુપાળ તેજપાળને રાસ બનાવ્યો છે, તેમાં એમની ઉદાર કરણીની નોંધ આ પ્રમાણે છે. "જૈન પ્રાસાદ કરાવિયા, પંચ સહસ્ર પાંચસેં ચ્યારરે. વીસ સહસ્ત્ર ત્રણસો ઉર્ધયાં, જિનમંદિર ઉદારરે. ૪ ભગવંત બિંબ ભરાવિયાં, લાંખ સવા કહેવાયરે, અઢાર કોડિ ત્યાં વ્યય કરી, વલિ ત્રણ ભંડાર ભરાય. ૫ દાંત સિંહાસન સાતમે, નવદે નેવ્યાસી પોલાસ રે, * સિદ્ધરાજને માટે જેમ કહેવામાં આવ્યું છે કે :महालयो महायात्रा महास्थानं महासरः । यत्कृतं सिद्धराजेन तत्कृतं केतक्वचित् । વસ્તુપાળ માટે પણ તેમજ કહેવામાં આવ્યું છે કે સન્નીને પથ:પાને અપાસરા-જેન સાધુઓને રહેવાનાં સ્થાન અને શ્રાવકોને ધર્મધ્યાન કરવા બેસવાની જગા. સમવસરણ + પટકૂલનાં, પાંચસે પંચ રસાલરે. શનું જે દ્રવ્ય ખરચિયું, અઢાર કોડિ છ— લાખરે, ગિરનાર ઉપર એટલા, એંશી લાખ અઢાર કોડિ ભાંખરે. ૭ અર્બુદાચલ ઊપરે, દ્રવ્ય ખરચે મનરંગ રે, બાર કોડિ એશીલાખ લહું, હૂંણિગ વસહી નામે સુચંગરે. ૮ *ત્રાગો" ૪૯ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ તોરણ ત્રણ ચઢાવિયાં, શેત્રુંજે આ ગિરનાર રે, સોનઈયા ત્રણ લાખન, એકેકું તોરણ સાર રે. દેહરાસર ઘર પૂજતા, સાગ તણાં તે સો પંચવિસ રે, જૈનરથ નીપજાવિયા, દાંત તણા તે ચોવીસરે. જ્ઞાન પંચમી આરાધતો, ઊજવણું અનેક પ્રકાર રે, અઢાર કોડિ સોના તણાં, પુસ્તક લિખ્યાં ભંડાર રે. બ્રાહ્મણ નિશાલ સાતસે, સાતમેં ઘર શત્રુકાર રે, મેસરી પ્રાસાદ કરાવિયા, ત્રણ સહસ્સ ને વલિ ચાર રે. ૧૨ તાપસ મઠ કર્યા સાતમેં, ચોસઠ મસીત તે લાયરે. ચૈત્ય રખવાલા તે કહું, શિવ મસ્જીનાં મન શખરે, પાષાણ ખંઘજ તે કર્યા, ચોરાસી સરોવર જોય રે, વાટે કરાવી વાવડી, ચારસે ચોસઠ લિ હોય રે. સાતમેં કૂપ કરાવિયા, વીસામા ચાર હજારે, ચરમ તલાવ તે ચાલતાં, ચારમેં ચોરાશી સાર રે. મોટા ગઢ ભંડાવિયા, છત્રીસકે પ્રસિદ્ધરે., પ્રપા + મંડાવી બરસેં, એમ ઉપકાર મંત્રી કીધરે. ગચ્છવાસી જતી સાતસેં, સૂજતો લહે ત્યાં મહાર રે, એક સહસ્સ ને આઠશે એકાકી વિચરે વિહાર રે, બ્રાહ્મણ વેદ તિહાં ભણે, પાંચર્સે ત્યાં દરખાર રે, એક સહસ તાપસ કહું, કાપડી સહસ્સ ચાર રે. પ્રેમસું સહુને પોષતો, મંત્રી બોલે મધુરી ભાષ રે, ત્રંબાવતીમાં વ્યય કરે, સોનઈયા તે બે લાખરે. જય જયકાર દીસે સદા, સામીવચ્છલ બહુ કીધરે, સંઘપૂજા વરસે ત્રણ કેહું, વસ્ત્ર આભરણ અનેક દીધરે. ૨૦ જે જે મનોરથ ઉપન્યા, તે તે ઈઘલા થયા સિદ્ધરે, એકવીશ સૂરિપદ થારિયાં, પદ મહોચ્છ મેરુસમ કીધરે. ૨૧ Jain Educationa International *** ૫૦ For Personal and Private Use Only ૧૦ ૧૧ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ એક મારવાડી કવિકૃત્ય કાવ્ય પંચ અર્ખ જિન ખર્વ દુર્ભલાં અધારા, પંચ અર્ખ જિન ખર્વ કીધ જિન જામણવારા. સિત્યાણવે કોટિ દીધ પ્રોહિતાં, પોરવાડ કબહુ ન નૌ, ઓર પિચાસી કોડિ, ફૂલ તંબોલી હટે. ચંદન સુ ચીર કપૂર મિસિ, કોડિ બહતરિ કપડા, દેતાજ દાંન ખસ્તપાલ યોં, તેજપાલ કરતબ ખડાં. शुरो रणेषु चरणप्रणतेषु सोमो, वक्रोतिवक्र चरिषि बुद्धोडर्थ बोधे । जीतौ गुरुः कविजने कविरक्रियासु, मंदोपि च ग्रहमयो नहि वस्तुपालः १५ (અર્થ: યુદ્ધમાં શૂરો શરણે આવેલાને શીતળ, વાંકાની સાથે વાંકો, અર્થ ખોધમાં જ્ઞાતા, ઈંદ્રિય જીતનારનો ગુરુ (મોટો જિતેન્દ્રય), કવિઓમાં કવિ, અને સદ ઉદ્યોગી એવો (સર્વ ગ્રહોના ગુણવાળો) વસ્તુપાલ છે. વસ્તુપાલ આટલો મોટો ધનવાન અને આવો મોટો સત્તાધારી છતાં કેવો ત્યાગી અને જિતેન્દ્રિય હતો તે આ શ્લોક ઉપરથી જણાય છે : । एकलहारी भूमिसंस्तारकारी, पद्रयांचारी शुद्ध सभ्यकथत्वधारी । यात्राकाले सर्वसच्चितहारी, पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी । (અર્થ : દિવસમાં એક વખત ભોજન કરનાર, જમીન પર પથારી કરીને સૂનાર, પગે ચાલીને જનાર, શુદ્ધ સદાચારી, યાત્રાએ જતાં આવતાં જૈન સાધુઓને ન ખપે તેવા સર્વ આહારનો ત્યાગી બ્રહ્મચારી, પુણ્યાત્મા અને વિવેકી છે.) વસ્તુપાળ-તેજપાળના ચારિત્ર્યવર્ણનને માટે ખાસ બે સંસ્કૃત ગ્રંથો રચાયા છે. દરેક જૈનકથાસંગ્રહમાં એમની કથા નોંધાયેલી છે અને સોમેશ્વર જૈનકથાસંગ્રહમાં એમની કથા નોંધાયેલી છે અને * પીતલની ઉપાશ્રય. Jain Educationa International ૫૧ For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ સોમેશ્વર નામના બ્રાહ્મણ કવિએ તેમની કીતિને ઉદ્દેશીને કીર્તિકોમુદી” નામનું અતિ ઉત્તમ સંસ્કૃત કાવ્ય રચ્યું છે. એમની હયાતીને કાળે હજારો વિદ્વાન તેમની ઉદારતાનો લાભ લેવા આવતા હતા અને દરેક કવિ એમને ગુણવર્ણન કંઈ કંઈ કાવ્ય કરી જતા. વસ્તુપાળ જેવા કાવ્યને મર્મ સમજનારા અને કવિઓને ઉત્તેજન આપનાર હતા તેવા તે પોતે પણ વિદ્વાન હતા. તેઓ સંસ્કૃત ભાષા સારી રીતે સમજતા હતા એટલું જ નહિ પણ વસ્તુપાળ પોતે સંસ્કૃત કાવ્ય કરતા હતા. દુર્ભાગ્યે એમનાં રચેલાં કાવ્ય બહુજ થોડા હાથમાં આવ્યાં છે. * એમનું રચેલું કાવ્ય જે હજુ સુધી અપ્રસિદ્ધ છે તે મારી પાસે છે તે જૈન ધર્મની ક્રિયા વિધિને લગતું અને સંસ્કૃતમાં છે. વસ્તુપાળનાં બિરુદ (પદવી) આ પ્રમાણે બોલતાં : "(૧) પ્રાગ્વાટજ્ઞાતિ અલંકરણ (૨) સરસ્વતી કંઠાભરણ (૩) સચિવચૂડામણિ (૪) કુલસરસ્વતી (૫) ધર્મપુત્ર (૬) લઘુભોજરાજ (૭) ખડેરા (૮) દાતારચક્રવર્તી (૯) બુદ્ધિ અભયકુમાર (૧૦) રૂપિ કંદર્પ (૧૧) ચતુરિમા ચાણક્ય (૧૨) જ્ઞાતિવારાહ (૧૩) જ્ઞાતિગોવાલ (૧૪) સઈદવંશ ક્ષયકાલ (૧૫) સાંખલારાય માનમર્દન (૧૬) મજા જૈન (૧૭) ગંભી૨ (૧૮) ધી૨ (૧૯) ઉદાર (૨૦) નિર્વિકાર (૨૧) ઉત્તમ જન માનનીય (૨૨) સર્વજન શ્લાઘનીય (૨૩) શાંત (૨૪) ઋષિપુત્ર (૨૫) પરનારી સહોદર ઈતિ શ્રી વસ્તુપાલ બિરુદાવલી.” પોરવાડના કુલગુરુ (ગો૨) શ્રીમાળી બ્રાહ્મણો છે, એ તેમની શ્રીમાળીઓ સાથેની એકતાનો સબળ પુરાવો છે. પોરવાડની વસ્તી ગુજરાતમાં બધે ફેલાયેલી છે, તેમજ માળવા, આબુની આસપાસનો પ્રદેશ, મારવાડ અને દેશના બીજા ભાગોમાં પણ છૂટીછવાઈ છે. પોરવાડોની શાખા સોરઠિયા પોરવાડ અને કપોળ એ જ્ઞાતિઓ વૈષ્ણવ ધર્મ પાળે છે તેમજ શુદ્ધ પોરવાડમાં પણ વિષ્ણવ અને જેન એ બેઉ ઘર્મ ચાલે છે. પોરવાડોની એક શાખા જાંઘડા નામની છે તે મુખ્યત્વે જૈન છે. એ શાખાનાં ચોવીસ ગોત્ર છે તે આ પ્રમાણે : ચૌધરી, કાલા, ધનગર, રતનાવત, ઘનૌત, મજાવર્યા, ડવકારા, ભાદલીયા, કામલીયા, શેઠીયા, ઉધિયા, બે ખંડ, ભૂત, ફરક્યા, ભલે પરીઆ, મંદાવરીયા, મુનિયા, ઘાંટીઆ, ગલિયા, ભેસોતા, નવે પર્યા, દાનગડ, મહતા, ખરડીયા. + સાધુઓ વ્યાખ્યાઓ વાંચવા બેસે તેમના ઉપર બાંધવાના કીમતી ચંદરવા. સદાવ્રત આપનારાં સ્થાન. પરબ. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ મલ્લિકાર્જનનો શિલાલેખ | શ્રી ગણેશાય નમ: || સંવત ૧૬૭૯ વર શાકે ૧૫૪૫ પ્રવર્તમાને..... મતે શ્રી સૂર્ય ગ્રીષત રતે મહા મંગલપ્રદે વિસાખ મા છે શુક્લ પણ ૧૨ ગુરુવારે સી નક્ષત્રે સીધી જોગે તદ પ્રારંભ પ્રાસાદ મુર્ત પાદસા શ્રી જાંગીરસાહા વીજય રાજ્યે પઅગણે ચીખલી દેસાઈ નાયક પ્રાગજી ભ્રાતા સૂરજી પ્રાસાદકર્તા સૂરત બંદરે વાસ્તવ્ય શ્રી જાંગીસાહા વળે રાજ્યે પ્રગણે ચીખલી દેસાઈ નાયક પ્રાગજી ભ્રાતા. સૂરજી પ્રાસાદકર્તા સૂરત બંદરે વાસ્તવ્ય તપસી રઘુનાથ ભટ ગીરનારા આશીર્વાદ પરીખ માધવ સૂત પરીખ રામાં સૂત પરીખ રાજપાલ, સૂત પરીખ કી કા સૂત પરીખ નાથજી ભાર્યા બાઈબબાઈ પીતા પરીખ સહકીર્ણ શીરંગની દીકરી તેના સૂત ૨ પરીખ કહાનની ભાર્યા માનબાઈ સીહા ભાઈઆની દીકરી તેનિ સૂતા ૪ તાપીદાસ || તુલસીદાસ || ગોવિંદદાસ || ગોકલદાસ |નિ ૧ બાળ લાડકી, બીજુ ભાઈ પરીખ નામની ભાર્યા ગુરબાઈ, તેનું પીતા વીરજી કાહનની દીકરી તેનિ સૂત માહનદાસ ગ્રાતી શ્રી ડિડૂ સાજનિ વસા ૨૦, ગોત્રદેવ્યા લેખશસર વાસવસૂત્ર | કાર્યકર્તા સાર્થી સાહા દેવજી વાઘજી વંત ત્રય પેઢી ગ્રાતી સોમપરા શાષા ઈંદુલ્યભી ગોત્રદેવ્યા ત્રીપૂરસૂનરી વિશ્વકર્મા કુલે પ્રાસાદ કર્તસંવત ૧૬૮૬ વર્ષ શાકે ૧૫૫૧ પ્રર્વતમાને માર્ગશીર્ષ માસે કૃષ્ણપક્ષે ૧૩ બુધવારે વીસાખા નક્ષત્રે તદિને કાર્ય સંપૂર્ણ શીવમલકાઅર્ચનની ક્રીપાથી કાર્ય દાપાદઆ. આ લેખમાં "ડિડુ સાજનિ વસા ૨૦” એમ લખ્યું છે. 'વિસા ડીડૂ” એમ લખવાને બદલે "વસા ૨૦” એમ લખ્યું છે. "વીસા” અથવા "વિસા વસા” એ બે એક જ અર્થના શબ્દો છે એવું લેખ ઉપરથી જણાય છે. સંવત્ ૧૭૪૧ માં લક્ષ્મીરને રચેલા "ખેમા હડાલીયા"ના રાસમાં પણ વીશાનો અર્થ વીસ વશાના એવો જ કર્યો છે. "લિએ દીએ લેખે કરી લાખ કોટ ધનધાર; વણીક સમો કો અવાર નહી, ભરણ ભૂપભંડાર. ૫૩ Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ "વીસ વસાયલ વાંણિઓ જુઓ તે નામ કહાઈ, આચારજ થાપન કરી ગછ ચોરાસી માંહિ" પર. (ઐતિહાસિક રાસમાલા) શામળભટ પણ એમ જ કહે છે :"વણિક માંહિ ગુણ વીશ, રીસનો ન ચડે રંગે, "વીશ વસા નહિ, વણિક, જીભે જે જૂઠ્ઠું ખોલે, વીશ વસા નહિ વણિક પેટના પડદો ખોલે, વીશ વશા નહિ વણિક ઉતાવણીઓ જે થાએ, વીશ વશા નહિ વણિક વનિતા શું વહેવાયે, વળી વીશ વસા તે ણિક નહિ, ચડ્યો રાવલે જાણિયો, જે સત્ય તજે શામળ કહે, વીશ વશા નહિ વણિયો.” "જૈન સંપ્રદાય શિક્ષા" નામના હમણાં પ્રકટ થયેલા ગ્રંથમાં સન્નિપાતનું વર્ણન કરતાં એ શબ્દનો આ પ્રમાણે ઉપયોગ કર્યો છે : જિન્હાસ્યમામ Üસી દીસે, તીક્ષ્ણ સ્પર્શ પુનિ વિશ્વાવિસે" ૫ (પૃ. ૪૬૪) "ઉખાઘ ખાઈ દિન એકવીસ,ખયનરોગ જાઈ વિશ્વા વીસ." ૮૯ જૈન પત્રલેખન પદ્ધતિમાં શ્રાવક પોતાના ગુરુને પત્ર લખે તો તેમાં બીજી ઉપમાઓ સાથે આ ઉપમા લખાય છે. वीस विश्व जीवदया प्रतिपालक || ચારણ કવિ લક્ષ્મણે રચેલા રૂકમણિ વિવાહમાં એ શબ્દો આ પ્રમાણે વપરાયા છે : "મૈં મન કલ્પ્યો માહ હૈ, કારણિ તુજ કિસંન, ખીસવા ખીસ ન આવીસ્સૌ, તો હોમેસ્સી તન." ઉત્તમ કુળવાળા - પૂરેપૂરી યોગ્યતાવાળા તે વીસ વસાના અને તેથી ઓછી યોગ્યતાવાળા તે ઓછા વશાના એવું કહેવાનો ચાલ ઘણા લાંબા કાળથી આપણા આખા દેશમાં ચાલતો આવ્યો છે. પૃથરાજ ચૌહાણના મસીઆઈ જયચંદે યજ્ઞ કર્યો ત્યારે જે કાન્યકુબ્જ બ્રાહ્મણો વરુણમાં આવ્યા હતા, તેમને તેમની યોગ્યતા પ્રમાણે ૫૪ Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ચઢતા-ઊતરતી પદ આપવામાં આવ્યાં હતાં. તે ચઢતા પદ એક વિશ્વા (વશા)થી વીસ વિશ્વા સુધીનાં હતાં. તે વખતે અસ્તિત્વમાં આવેલો એ વશાના ચઢતા-ઊતરતાપણાનો ભેદ સંયુક્ત પઆન્તના કુળ એક વશાથી વીસ વશા સુધીની ચઢતા-ઊતરતી મરજાદ (યોગ્યતા)નાં ગણાય છે. પાંચ વશાના કુળવાળો સાત વશાના કુળવાળાને કન્યા આપે તો કન્યાના બાપે વરને પહેરામણી આપવી પડે, પણ સાત વશાના કુળવાળો તો પાંચ વશાના કુળવાળાને કન્યા આપે જ નહિ. વીસ વસાવાળાનાં ખટકુળ છે. દશથી ઓગણીસ વસા સુધીના તે "પંચાદર" કહેવાય છે. અને દશથી ઓછા વસાની મરજાદ (યોગ્યતા) વાળા તે "ધાકર" (નાના) કહેવાય છે. ગુજરાતમાં વસતી કેટલીક જ્ઞાતિઓમાં પણ વશાનું પ્રમાણ ચાલે છે. ખંભાતના ઔદિત્ય ટોળકિયા બ્રાહ્મણમાં દશા, વીશા, અને પાંચાના કુળ ભેદ છે. એ ભેદમાં વીસા સૌથી ચઢતા, દશા તેથી ઊતરતા, અને પાંચા દશાથી પણ ઊતરતા એમ મનાય છે નવા વર્ષની શરૂઆતમાં વાસનો વરતારો વાંચવામાં આવે છે, જેને સારપત્રિકા અથવા સારો કહે છે. તેમાં જુદી જુદી વસ્તુનું પ્રમાણ વસાથી બતાવવામાં આવે છે. જેમ વાયુના વા, વિગ્નના ૧૧ વા, વિનાશના ૧૫ વશા, પરચક્રના ૧૭ વશા, વસ્ત્રના ૧૭ વશા, ઘીના ૯ વશા, એમ અનેક વસ્તુઓનું વધતા ઓછાનું પ્રમાણ વશાથી ખતાવવામાં આવે છે. જેના વીશ વશા હોય તે પરિપૂર્ણ કહેવાય અને તેથી જેટલા વશા ઓછા હોય તેટલું તે ઓછું ગણાય. એ જ પ્રમાણે માણસને માટે બોલતાં જે ઠરેલ, પ્રમાણિક, ડાહ્યા તેને "એ તો વીશી માણસ છે." એમ કહે છે. માલમાં પણ સારા માઠાને બદલે "વીશી પોણીવીશી" કહેવાનો ચાલ છે. અર્થાત્ હરકોઈ માણસ, સમૂહ કે વસ્તુનું ચઢતા ઊતરતાપણું વશાથી ગણાય છે. સત્તરમા શતકમાં થયેલા મહોપાધ્યાય શ્રી જયસોમના શિષ્યમહો શ્રી ગુણવિજય તેમના શિષ્ય વાચકથી કીર્તિ ગણિ એમના Jain Educationa International ૫૫ For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ લખેલા "પ્રશ્ચિત પશ્ચાનાં પ્રત્યુત્તરા"િ એ નામના લેખમાં હીનજાતિ સંબંધનીના પ્રશ્નના જવાબમાં લખે છે કે तेने लोके विंशति विश्वापकोड्यं दश विश्वकोड्यं इत्तेवं व्यवहारः सांप्रतोन एव बोधव्यो”. (અર્થ : તે લોકોમાં આ વીશો વીશ વશાનો, આ દેશ વશાનો એવો વ્યવહાર ચાલે છે તે જાણવું.) અર્થાત્ ચઢતા તે વીસ વશાના અને ઊતરતા તે દશ વશાના એવું લોકમાં મનાય છે. ભરૂચ અને કામરેજના ભાર્ગવ બ્રાહ્મણોમાં પણ ઊંચા-નીચાના ભેદથી દશા વીશા મનાય છે. બ્રાહ્મણોત્પત્તિ માર્તંડ'માં લખે છે કે વાવીસાપ્રેમવશ્વ વેષાં મધ્યેક્તિ સાંપ્રતમ્ (એમનામાં હાલ દશા-વીશાના ભેદ ચાલે છે.) જૈનોમાં દશા વીશા મનાય છે, તે પણ આ જ ધોરણે મનાય છે. વીશા તે ઊંચા અને દશા તે નીચા એવી માન્યતા સર્વ ઠેકાણે ચાલે છે. આ માન્યતા શા કારણથી ઉત્પન્ન થઈ તે આપણે આગળ જોઈશું. હમણાં આપણે એ જોઈએ કે આ માન્યતા ક્યારથી ચાલતી આવે છે. - જૈન દેરાસરોમાં પાષાણની અને પિત્તળની પ્રાચીન સંખ્યાબંધ મૂર્તિઓ મળે છે. આ મૂર્તિઓ ઉપર તે મૂર્તિની પ્રતિષ્ઠા કરાવનારનું નામ, તેના બે-ત્રણ પેઢીના પૂર્વજોનાં નામ, તેની જ્ઞાતિનું નામ, તેનાં સ્ત્રી-પુત્રાદિનાં નામ, જે ગામનો તે રહીશ હોય તે ગામનું નામ અને જે ગામે તે મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હોય તે ગામનું નામ પણ ઘણી મૂર્તિઓમાં હોય છે. આ ઉપરાંત પ્રતિષ્ઠા કર્યાની તિથિ, વાર, માસ, સંવત અને પ્રતિષ્ઠા કરાવનાર ધર્મગુરુ તથા તેમનો ગચ્છ અને તેમના પૂર્વગુરુઓનાં નામ પણ હોય છે. વાણિયા જ્ઞાતિના ઈતિહાસની શોધ કરનારને માટે આ બહુ સારાં સાધન છે. ‘દશા', વીશા'ના ભેદ ક્યાંથી પડ્યા એ પ્રશ્નના ખુલાસા માટે આ મૂર્તિઓ ઉપરના લેખ બહુ પ્રમાણભૂત પુરાવા પૂરા પાડે છે. મૂર્તિઓ ઉપરના લેખ નાગરી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં લખેલા હોય છે, એથી ‘દશા’ અને ‘વીશા' એ પ્રાકૃત નામોને બદલે Jain Educationa International ૫૬ For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતમાં "લઘુશાખા" અને "વૃદ્ધશાખા" એ નામે બે ભેદ બતાવવામાં આવ્યા છે. અત્યારે કોઈ પણ વાણિયાને તેની જ્ઞાતિ પૂછીએ તો તે પોતાની જ્ઞાતિ સાથે “દશા" કે "વિશા" જે હશે તે ભેદ જોડીને પોતાની જ્ઞાતિનું નામ કહેશે. એ જ પ્રમાણે પાછલાં એક બે શતકોમાં પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓ પર “દશા" કે "વીશા" અથવા "લઘુશાખા" કે વૃદ્ધશાખા" એ ભેદ જ્યાં ત્યાં બધા લેખોમાં લખાય છે. આપણે એ ભેદની પ્રાચીનતા જોવી છે તેથી પાછલા એક બે શતક પડ્યાં મૂકીને આગળના વખતના લેખોમાં "લઘુશાખા" "વૃદ્ધશાખા" ને ભેદ ક્યાં સુધી મળે છે તે જોઈએ. I ૫૭. Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ "મધુપુરી (મહુડી) તીર્થની પ્રાચીનતાનો ઈતિહાસ અને ખડાયત ગામની પ્રાચીનતા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખડાયત ગામ પાસે કોટયાર્કનું જનું મંદિર છે. જ્યાં ખડાયતા વણિકો દર્શન કરવા આવે છે. અત્યારે મહુડીમાં છે એ તો નવું મંદિર છે. વિજાપુરથી અગ્નિ ખૂણામાં સાબરમતી નદી ઉપર ખડાયત ગામ વસેલું હતું. આ ગામ એક હજાર વરસ ઉપરાંત જૂનું હોવાનું મનાય છે. મુસલમાનોને શાસન દરમિયાન આ ગામ ભાંગી ગયું હતું. ખડાયત ગામમાં હાલ કોઈ ઘર નથી પરંતુ તેની પાસે નવું ખડાયત ગામ ઠાકોરોએ વસાવ્યું હોવાનું મનાય છે. ખડાયત ગામ સંસ્કૃતમાં ખડાયતન નગર તરીકે પ્રસિદ્ધ છે. માળવાના રાજા ગદર્ભસેનની રાજ્યની હદ ખડાયતા સુધી હોવાનું મનાય છે. ગદર્ભસેનને ગર્દભી વિદ્યા સાધ્ય હતી. ખડાયતા પ્રાચીન નગર છે. નદીમાં જૂની વાવ છે. નદીમાં કોઈ વાવ કરાવે નહિ પરંતુ આ વાવનું અસ્તિત્વ એ પુરાવો આપે છે કે નદી ત્યાંથી દૂર હોવી જોઈએ. મહુડીના આરે કોટયર્ક મંદિરના માર્ગે એક કૂવો પણ છે. ખડાયતમાં ભીલ ઠાકોરોની વસતી વધુ હતી. જૂના ખડાયત ગામમાંથી ખોદકામ કરતાં જેનતીર્થકર અજિતનાથ ભગવાનની ચાર હાથ ઊંચી પ્રતિમા મળી હતી તેથી એ ફલિત થાય છે કે આ નગરમાં જૈન દેરાસર વિદ્યમાન હતું. તેના અવશેષો ક્યાંક ક્યાંક નજરે પડે છે. મુસ્લિમ શાસન દરમિયાન વારંવાર હુમલાથી કંટાળીને કહે છે કે નડિયાદ, મોડાસા, હલધરવાસ, ઉમરેઠ વગેરે ત૨ફ સ્થળાંતર કરી ગયા. જૈનાચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ વિજાપુર વૃત્તાંત નોંધ્યું છે તેમ ખડાયતા વાણિયાઓ પહેલાં જેન શ્રાવકો થયા એમ જૈન ધાતુ પ્રતિમાના લેખ ઉપરથી માલૂમ પડે છે. ગુજરાતના સુલતાન અહમદ શાહના વખતમાં ૫૮ Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ખડાયત ભાંગ્યું અને મંદિર પણ તૂટ્યું હતું. અત્યારે જે કોટયર્ક મંદિર ઊભું છે તે તો પંદરમા - સોળમા સૈકામાં બંધાયેલું લાગે છે તે મંદિર કોણે નિર્માણ કર્યું તેની કોઈ વિગતો મળી નથી. પણ મંદિર ભવ્ય છે. જૂનું ખડાયત ગામ ભવ્ય હશે તે અવશેષો પરથી ખ્યાલ આવે છે. અત્રેના ટેકરા પર આરસની જૈન અંબિકા દેવીની મૂર્તિ પણ હતી. તે પર પૈસો ખખડાવતાં મધુર અવાજ નીકળતો હતો. નવું કોટયર્ક મંદિર સંવત ૧૯૭૭માં બંધાવું શરૂ થયું હતું. (ખડાયતના) વિણકોને ખડાયતા વણિકો, બ્રાહ્મણોને ખડાયતા બ્રાહ્મણો અને ઠાકોરો, ભીલો ને ખડાયતા ઠાકોરો કહેવામાં આવે છે. વણિકોના વીસા ખડાયતા અને દશા ખડાયતા એમ બે ભેદ છે. એક વાયકા પ્રમાણે વસ્તુપાળ તેજપાળે પાટણમાં ચોરાશી નાત જમાડી ત્યારથી દશા વીશા એમ બે ભેદ પડ્યા છે. વસ્તુપાળ રાસમાં આ નિર્દેશ જોવા મળે છે. હાલનું મહુડી - મધુપુરી સંવત ૧૯૭૧ વસાવવાનો મહાજને ઠરાવ કર્યો હતો. સાબરમતી નદી ઠેઠ પાસે આવી જવાથી મોટાં કોતરો પડી જવાથી સાતસો વરસ જૂની મહુડીની આથમણી દિશામાં ચાર ખેતર દૂર નવું મહુડી વસાવવામાં આવ્યું હતું. જૂના મહુડી ગામમાં વીસ જેટલા જૈન વાણિયાઓનાં ઘ૨ અને એક જૈન દેરાસર હતું. મહુડીમાં ઠાકોરોની વસતી વધારે હતી. તેઓ ખેત-મજૂરોનો ધંધો કરતા હતા. ખડાયત મહુડીમાં કોટયર્કનું વૈષ્ણવ દેવનું મંદિર છે અને ત્યાં વિષ્ણુની મૂર્તિ છે. અહીંયા કારતક મહિનામાં અગિયારસથી પૂનમ દરમિયાન મેળો ભરાય છે. શામળાજીમાં પણ આ સમય દરમિયાન કાળિયાદેવના સાન્નિધ્યમાં મેળો ભરાય છે. કિંવદંતી પ્રમાણે ખડાયતના કેટલાક ઠાકોરે એક મહુડીના વૃક્ષ નીચે પરું વસાવ્યું તેથી તે મહુડી ગામ ગણાયું હતું. જૂના મહુડી અને ખડાયત ગામથી દોઢ ગાઉ ઉપ૨ સાબરમતી વહેતી હતી. કોટયર્કની પાસે એક જૂનું મહાદેવનું દહેવું છે. પૂ. જૈનાચાર્ય સૂરિ બુદ્ધિસાગર મહારાજે મહુડીનું મધુપુરી નામાભિધાન કર્યું હતું. જેનું ખડાયત ગામ તો હજા૨ બે-હજાર વરસ કે તેથી પણ પ્રાચીન હોવાનો સંભવ છે. Jain Educationa International ૫૯ For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ આજે મહુડી મધુપુરી જે કંઈ છે તે જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરીજી મહારાજના પુણ્યપ્રતાપે છે. જૂની મહુડીના દેરાસરમાંથી પદ્મપ્રભુની પ્રતિમા હતી તે લાવીને નવી મહુડીના દેરાસરમાં પધરાવી છે. ત્યાં સુધી ઘંટાકર્ણ વીરની પૂજા પૂર્વ થતી હતી તેની થાળી પ્રતિષ્ઠા વખતે બાંધવામાં આવતી હોવાનો નિર્દેશ મળે છે પરંતુ યોગનિષ્ઠ જૈનાચાર્ય બુદ્ધિસાગર સૂરી મહારાજે પાદરામાં ઘંટાકર્ણવીરને પ્રત્યક્ષ કરી તેમણે આપેલાં દર્શન પ્રમાણે તેની આકૃતિ દોરી મૂર્તિ કંડારાવી દેરી બનાવીને સંવત ૧૯૮૦માં પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યાર પછી તેનો મહિમા વધતા જતાં આજે મહુડી મધુપુરી એક મહાતીર્થ બની ગયું છે. જેનો અને જેનેતરો પણ વીરની માનતા માટે આવે છે. મહુડીની સુખડીની પ્રસાદી વધુ પ્રખ્યાત બની છે. મહુડીમાં દેરાસરમાં તીર્થંકર પદ્મપ્રભુની ચમત્કારિક મૂર્તિ છે. તેના રક્ષક વીર તરીકે ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરવામાં આવી છે. મહુડીની જેમ આગલોડમાં પણ જેને શાસન રક્ષક માણીભદ્રકનું સ્થાનક એટલું જ પ્રસિદ્ધ છે. આગલોડ ઘણું પ્રાચીન નગ૨ છે. મહુડીનો મહિમા દિવસે દિવસે વધવા માંડ્રયો છે. યાત્રિકોની અવરજવરના કારણે ગામના વિકાસની પણ વૃદ્ધિ થઈ છે. ગાડા રસ્તાનો અત્યારે ડામરનો પાકો રસ્તો થઈ ગયો છે. એસ. ટી.ની સુવિધામાં વધારો થતાં યાત્રિકોને ઘણી સુવિધા થઈ છે. ભોજનશાળા અને રહેવા માટેની સગવડના કારણે યાત્રિકોને રાત્રિ રોકાણમાં કોઈ મુશ્કેલી પડતી નથી. ઉત્તર ગુજરાતમાં મોટા એક એક ગામોમાં પ્રાચીન કાળમાં એક એક દેરાસર હતાં તેવા નિર્દેશો મળે છે. માણસા વિક્રમ સંવતું તેરમા સૈકામાં વસ્યું હતું. તેમાં એક દેરાસર હતું. તે એ કાળે વિદેશી હુમલામાં તોડવામાં આવ્યું હતું તેમજ વિ.સં. ૧૭૯૮માં માણસાને ભારે ક્ષતિ પહોંચાડવામાં આવી હોવાનો નિર્દેશ મળે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ | લેખ સંગ્રહ ] સુરત દેસાઈપોળ સુવિધિનાથના દેહરામાં પિત્તળની પ્રતિમા ઉપરનો લેખ સંવત ૧૫૫૧વર્ષે શાખ શુદિ ૧૩ ગુરૌ ઉપકેશ શા. વૃદ્ધસને . ઉલ્હા ભા. કિલ્હણદે પુ. મના, શવા, નિહીયા ભા. ગુજરિ પુ. ૨ દેવા, માંકા સહિતેન ભા.દેવલદે અકુટુંબ શ્રેયોર્થ શ્રી સંભવનાથ બિંબ કાર. પ્રતિષ્ઠિત શ્રી બિવંદણીકગ છે શ્રી શવાચાર્ય સંતાને શ્રી ક*સૂરિભિઃ સુરત તાલાવાળાની પોળમાં મંદિર સ્વામીના દેરાસરમાં પિત્તળની પ્રતિમા ઉપરનો લેખ સં. ૧૫૧૧ વર્ષે માઘ વદિ ૫ શુકે શ્રી શ્રીમાલ વંશે લઘુ સંતાને વ. મહુણા ભા. માણિકદે પુ. જગા ભાર્યા ગંગી સુ શ્રાવિકયા શ્રી અંચલગચ્છનાય શ્રી જય કેસરિસૂરીણામુપદેશેન સ્વશ્રેયસે શ્રી કુથનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી સંઘેન || શ્રી - લઘુ શાખીય સંવત ૧૫૭૩ વર્ષે માહ વદિ ૨ ૨ | ઉસવાલ જ્ઞાતિય લઘુશાખીય મં. સહજા ભાર્યા પૂતલિ પુત્ર પાહિરાકેન માલ્હણદેવી યુએન સ્વશ્રેયસે શ્રી સુમતિનાથ બિબકારિત પ્રતિષ્ઠિત શ્રી કોરંટ ગચ્છે શ્રી સાવેદેવસૂરિ પદે શ્રી નન્નસૂરિ તજાદઉલી ગ્રામ. સં. ૧૫૯૧ લઘુશાખા સં. ૧૫૯૧ વ. પોસ વ. ૧૧ ગુરે શ્રી પત્તને ઉસવાલ લઘુશાખાયાં દો. ટાઉ: ભા. લિંગી પુ. લકે ભા. ગુરાઈ નામ્રા વિશ્રેયોર્થ પુ. વીરપાલ અમીપાલ યુ. અંચલગચ્છ શ્રી ગુણનિધાનસૂરીણા મુ. કુંથુનાથ બિંબ કા.પ્ર. (સુરત હરિપુરાનું દેહરું) શ્રીમાનું શેઠ પૂર્ણચંદ્રનાહરે પ્રકટ કરેલા જૈન લેખ સંગ્રહમાંથી લઘુશાખા સં. ૧૫૧૫ વર્ષે ફાગણ વદિ ૫ ગુરી શ્રી શ્રીમાલ જ્ઞાતીય લઘુશાખામાં છે. અર્જુન ભા. મંદોઅરિ પિતૃ માતૃ શ્રેયસે સુત ગોઈદન Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ભા. માપુત્ર મહાજલ સહિતેન શ્રી કુંથુનાથ વિવે કારિત પૂર્ણિમાપક્ષે ભીમપલ્લીય ભટ્ટા૨ક શ્રી જયચંદ્રસૂરીણામુપદેશેન પ્રતિષ્ઠિત શ્રી છ | (દિનાકપૂર-ધાતુની પ્રતિમા ઉપર લેખ) કતારગામ લાડુઆ શ્રીમાળી જ્ઞાતિના દેહરામાં | પિત્તળની પ્રતિમા ઉપરનો લેખ અલાઈ ૪૫ સં. ૧૬૫૬ વર્ષે વૈશાખ સુદિ ૭ બુધવારે લઘુશાખાયાં ઓસવાલ જ્ઞાતીય તંભતીર્થ વાસ્તવ્ય સા. અમી ભાર્યા અસરાદે પુત્ર સા. કાનજીકેન ભાય મરઘાઈ પ્રમુખ કુટુંબમૃત સ્વશ્રેયોથી શ્રી ધગ્રામનાથ બિબ કારિત પ્રતિષ્ઠિત ચ તપાગચ્છે છી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિભિ શુભંભવ કલ્યાણ / વૃદ્ધશાખા સં. ૧૬૬૭ વ.વિશાખ વ. ૭ બુધે સ્તંભતીર્થ વાસ્તવ્ય ઊકેશ જ્ઞાતીય વૃદ્ધશાખાયાં સા. કર્મસી ભા. સખમાદે સુત સા. ઉદયન ભા. ગામનાદે યુનેન સ્વકુટુંબ શ્રેયસે શ્રી આદિનાથ બિંબ કારિત || શ્રી તપાગચ્છશ શ્રી હેમ સોમસૂરિભિઃ આચાર્ય શ્રી વિમલસોમસૂરિ યુનું પ્રતિષ્ઠિત || લઘુશાખા પુસ્તકની નીચેનો લેખ"ઈતિ શ્રી સેરીસા લોડણ પાર્શ્વનાથ સ્તવન સમાપ્ત: સંવત ૧૬૭૦ વર્ષે આશ્વન માસે કૃષ્ણ પક્ષ દ્વાદશ્યાયાં તિથી ગુરુ વાસરે શ્રી સૂર્યપુરે લિખિત Iછી શ્રીમાલ જ્ઞાતીય લઘુશાખાયાં સા. કેશવરગૃહે ભાર્યા બા. કમલાદે તત્સત સાહા અમરશી પઠનાર્થ | ગ્રંથાૐ //પપી. કુંભારીયાનાં દેહરાની પ્રતિમાઓ ઉપરના લેખ. સંવત ૧૬૦૫ વર્ષે માઘ શુદ્ધ ચતુર્કીય-શની-શ્રી ઉપકેશ જ્ઞાતીય વૃદ્ધસજનીય તપાગછે ભટ્ટારક. (તીર્થ ગાઈડ) Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૬૩૫ વર્ષે માઘ વદિ ૫ શ્રીમાળી જ્ઞાતિય વૃદ્ધશાખીય શા રંગ ભાર્યા કિલા ભાર્યા સપત્ની ભાર્યા સેપૂર સુત હીરજી શ્રી આદિનાથ બિંબ કારિત. (તીર્થ ગાઈડ) સંવત ૧૬૬૫ વર્ષે માઘ ઘવલેતર શન ઉપકેશ વંશીય વૃદ્ધસજનીય સા. જગડુ ભાર્યા જમનાદે સુત રહિયા ભાર્યા ચાપલદે સુત નાનજીકેન ભાય નવરંગદે. (તીર્થ ગાઈડ) સુરત તાલાવાળાની પોળમાં મંદિર સ્વામીના દેહરામાં પિત્તળની પ્રતિમા ઉપરનો લેખ || સંવત ૧૬૫૯ વર્ષ વૈશાખ શુદિ ૧૩ બધે લઘુ ઉસવાલ જ્ઞાતીય સૂરત બંદર વાસ્ય સા. દેવરાજ ભાર્યા ધનાદે સુત જેષ્ટ સા. ભાણજી, લઘુ સુત સોમજી તદભાર્યા, શ્રા. લાલબાઈ કારિત ચતુર્વિશતિ જિન પરિકરિત સી શાંતિનાથ બિંબ પ્રતિષ્ઠિત ચ તપાગચ્છ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ શિષ્ય શ્રી વિજયસેન સૂરિભિઃ સંવત ૧૬૬૪ વર્ષે જેષ્ઠ સુદિ ૫ સોમે વૃદ્ધશાખાયાં ઊકેશ જ્ઞાતીય સૂરતિ બંદિર વાસ્તવ્ય સા. નાના ભા. વઈજબાઈ સુત સા. વસ્તુપાલ નામના ભા. હીરબાઈ સુત સા. અલવેસર કુંઅરજી હેમજી ભા. હરખાદે, કમલાદે, પ્રમુખ કુટુંબ યુનેન સ્વશ્રેયશે શ્રી સુપાર્શ્વ બિબકા. પ્રતિ અકબ્બર સભાલબ્ધ વાદિવાદ જયકાર ભટ્ટારક પુરંદર પ્રભુ શ્રી વિજયસેનસૂરિભિઃ આ ચંદ્રક નંદનાત્ | સુરત નગરશેઠની પોળમાં ગોડી પાર્શ્વનાથના દેહરામાં પિત્તળની પ્રતિમા ઉપરનો લેખ સંવત ૧૬૧૫ વર્ષે પોષ વદિ ૬ શુકે શ્રી ભૃગુકચ્છ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય વૃદ્ધશાખાય સા. જીવા ભાર્યા બાઈ અમારી સુત દોસી માધવકેન શ્રી સુમતિનાથ બિંબ કરાવિત શ્રી લઘુતા પક્ષે ભ. શ્રી વિજયદાન સૂરિભિઃ || Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ આમોદ વાંટાના દેહરામાં પિત્તળની પ્રતિમા ઉપરનો લેખ વૃદ્ધશાખા "સંવત ૧૬૪૩ વર્ષે ફાગણ શુ ૫ ગુરુ શ્રી સ્વંભતીર્થ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય વૃદ્ધશાખાયાં સા. જગપાલ ભા. જાસલાદે સુત સા. જિનપાલ ભા. સંપૂરાદે સૂ.દેવકરણ, સોમકરણ શ્રી આગમગચ્છ શ્રી સંયમરત્નસૂરિ તત્પટે શ્રી કુલવર્ણનસૂરિણા મુપદેશેણ શ્રી ચંદ્રપ્રભસ્વામિ બિંબ કારાપિત પ્રતિષ્ઠિત | શ્રી વસ્તુ છે. લઘુશાખા // સંવત ૧૬૪૩ વર્ષે ફાગણ સુ. ગુરુ શ્રી સ્થંભ તીર્થ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય લઘુશાખાયાં સા. હાસા ભાર્યા લખમાદે સૂ. સા. લાલા ભાર્યા ગંગાદે સૂત સા. જસા ભાર્યા વજુ સૂત સી. કેસવ, દેવકરણ, કાન્હજી શ્રી આગમગચ્છ શ્રી વિવેકરત્નસુરિ તત્પટે શ્રી સંયમરત્નસુરિ તત્પટે શ્રી કુલવર્તનસુરિણામુપદેણ શ્રી શ્રીઆસનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત | - આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિન જેને ઘાતુપ્રતિમા લેખસંગ્રહ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસુરિએ પાટણ, માણસા, વિજાપુર, ઊંઝા, ડભોઈપાદરા, ડુંગરપુર, ઈડર, વિરમગામ, કેસરીયાજી, ભોયણી, કડી, કલોલ, પેથાપુર, અમદાવાદ, વડનગ૨, પ્રાંતિજ વગેરે ગામે ઉત્તર ગુજરાતમાં ફરીને ઘાતુની પ્રતિમાઓ ઉપરના લેખોને મોટો સંગ્રહ ભેગો કર્યો છે. એ સંગ્રહમાંના ૧૫૨૩ લેખનો એક ભાગ એમણે પ્રસિદ્ધ કર્યો છે. તલ ગુજરાતમાંથી ભેગો કરેલો પ્રાચીન લેખોનો આ મોટો સંગ્રહ ઈતિહાસને લગતી વિવિધ સામગ્રીથી ભરપૂર છે. વાંચનાર સુજ્ઞ હોય તો આ સામગ્રીનો ઉપયોગ કરીને પોતાને જોઈતા વિવિધ ઘાટ ઘડી શકે. આપણે આપણા પ્રસંગને માટે જોઈએ તો આ સંગ્રહમાં ૧૫ર૩ લેખ છે. તેમાંથી પાંચમા ભાગના એટલે ૩૦૩ લેખમાં લેખ લખાવનારની જ્ઞાતિનું નામ નથી. તે લેખો કુલ લેખમાંથી બાદ કરીએ તો બાકીના ૧૨૨૦ લેખ રહે. એ લેખમાં ૪૭૭ એટલે લગભગ ૨/૫ ભાગ જેટલા શ્રીમાળી વાણિયાના લેખ છે. ર૯૪ એટલે લગભગ ૧/૩ ૬૪ Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ભાગ જેટલા પોરવાડોના લેખ છે અને ૩૦૯ એટલે તે પણ લગભગ ત્રીજા ભાગના ઓશવાળોના લેખ છે. એ રીતે શ્રીમાળી પોરવાડ અને ઓશવાળ ત્રણ જ્ઞાતિના લેખોનો સરવાળો કરીએ તો તે ૧૦૮૦ લેખ થાય છે. ઉપર જણાવ્યા પ્રમાણે જ્ઞાતિના નામવાળા ૧૨૨૦ લેખમાંથી ૧૦૮૦ લેખ બાદ કરીએ તો બાકી ૧૪૦ લેખ રહે છે જે જુદી જુદી જ્ઞાતિઓના લેખને સરવાળો છે. પણ એ ૧૪૦ માંથીએ "શ્રી વંશને ૧ અને "શ્રી શ્રીવંશના ૧૪ એ કોઈ જદી જ્ઞાતિને નહિ પણ શ્રીમાળી વાણિયા જ્ઞાતિના જ ટૂંકા નામના લેખ છે તે અને લાડવા શ્રીમાળીના ત્રણ લેખ છે તે શ્રીમાળીને લેખમાં મેળવી લઈએ, "વીરવંશ"ના ૮ લેખ છે તે ઓશવાળમાં મેળવી લઈએ, હુંબડ જ્ઞાતિના ૩૩ લેખ છે તેમાંના દિગંબરોના હોય તે તેમજ શ્રીમૂલસંઘના ૯ લેખ છે તે દિગંબરોના લેખ બાદ કરીએ તો બાકી બહજ થોડા લેખ જુદી જુદી જ્ઞાતિઓ માટે બાકી રહે છે. જુદી જુદી જ્ઞાતિઓમાં વાયડાના ૮, ડીસાવાલના ૧૦, ગુર્જર જ્ઞાતિના ૧૧, નાગર જ્ઞાતિના ૧૧, પલ્લીવાલના ક, નેમાના ૪, નરસિંગપુરાના ૨, નાગૅદ્રના ૩, ખડાયતાના ૨, સિંહપુરાનો ૧, વાઘેલાનો ૧, કપોળનો ૧, મોઢના ૨, ખંડેલવાલ ૧, ભાવસારના ૪, અને શલાટનો ૧ લેખ છે. વાણિયાની કઈ જ્ઞાતિમાં જૈનધર્મનો કેટલો પ્રચાર હતો તે લેખોની આ સંખ્યા ઉપરથી જોઈ શકાય છે.* લેખોની સાલવાર સ્થિતિ જોઈએ તો શ્રીમૂલસંઘનો ૧ લેખ ૯૫૬ નો છે. ૧ લેખ શક સંવત ૧૦ નો છે. એક લેખ જ્ઞાતિના નામ વગ૨નો ૧૦૪૨ નો છે. ૧૦ લેખ સં. ૧૧૦૦ થી ૧૨૦૦ સુધીના નામ વગરના અને એક લેખ સં. ૧૧૮૮ નો શ્રી શ્રીમાળી જ્ઞાતિનો છે. ૧૨૦૦ થી ૧૩૦૦ સુધીના ૪૩ લેખ છે, જેમાં ૨ પોરવાડના, ૨ ગુજર વાણિયાના, ૧ ખંડેરકગચ્છનો અને ૩૮ જ્ઞાતિના નામ વગરના છે ૧૩૦૦ થી ૧૪૦૦ સુધીના ૧૦૮ લેખ છે જેમાં શ્રીમાળી જ્ઞાતિના ૧૯ * હજારો માણસોની વસ્તીવાળી એક જ્ઞાતિમાંથી એકાદ બે લેખ મળી આવે તે ઉપરથી એ આખી જ્ઞાતિ પરાપૂર્વથી જેનધર્મ પાળતી હતી, એવું અનુમાન કરવું ભૂલ ભરેલું ગણાય. Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ (એમાં ૬ લેખમાં શ્રી શ્રીમાળી જ્ઞાતિનું નામ છે ને ૧૩ લેખમાં "શ્રીમાળી જ્ઞાતિ” લખ્યું છે.) પોરવાડના ૧૩, ઓશવાળના ૮, વાયડાના ૨, ખડાયતાના ૨, ગુર્જરનો ૧, પલ્લીવાલના ૪, મોઢનો ૧ ને ૫૮ લેખ જ્ઞાતિના નામ વગરના છે. ૧૪૦૦ થી ૧૫૦૦ સુધીના ૨૫૦ લેખ છે. તેમાં શ્રીમાળીના ૮૦ (શ્રીમાળીના ૬૧ ને શ્રીમાળીના ૧૮ મળીને), પોરવાડના ૬૧ અને ઓશવાળના ૪૯ લેખ છે. એમાં સં. ૧૪૯૫ના એક લેખમાં "ઊકેશવંશે સાહ શાખાયાં” એમ લખ્યું છે. સાધુનો અર્થ સન છે. વૃદ્ધશાખાવાળા પોતાને સારા માણસ માનતા હતા ને તેથી તેમણે પોતાના તડને આ શબ્દ લગાડ્યો હોય તો તે સંભવિત છે. આગળ પણ સાધુ શાખાના બીજા બે લેખ છે અને બાબુ સાહેબે પ્રસિદ્ધ કરેલા સંગ્રહમાં પણ એક લેખમાં સાધુશાખાનું નામ છે, એટલે આ શબ્દ વીશા અથવા વૃદ્ધશાખાને બદલે લખાયેલો હોય એમ લાગે છે. હુંબડના ૧૬, નાગરના ૩, વાયડાના ૩, ડાસાવાલના ૨, ગુર્જરનો ૧, વીરવંશનો ૧, ને ૩૪ લેખ જ્ઞાતિના નામ વગરના છે. એકંદરે સંવત ૯૦૦ થી ૧૫૦૦ સુધીના ૪૧૫ લેખ છે. તેમાં ઉપરનો સાધુશાખાને એક લેખ છેક છેવટના સંવતમાં છે તે બાદ કરતાં બીજા કોઈ પણ લેખમાં દશાવીશા સંબંધીનો કંઈ પણ ઉલ્લેખ મળતો નથી. સંવત ૧૫૦૦ પછીના લેખોમાં દશાવશાનો ભેદ જણાવા માંડે છે. સંવત ૧૫૦૦ થી ૧૬૦૦ સુધીના ૯૧૦ લેખ છે. જેમાં શ્રીમાળીના ૩૩૭ (એમાં ૨૭૧ લેખમાં શ્રી શ્રીમાળી લખ્યું છે ને ૬૬ લેખમાં શ્રીમાળી લખ્યું છે.) સં. ૧૫૧૫ના એક લેખમાં શ્રી શ્રીમાલ સ. છે. સિદ્ધસંતાને એમ લખ્યું છે, પણ તે ભૂલ છે. સિદ્ધને ઠેકાણે વૃદ્ધ જોઈએ. ૧૫૧૭ના એક લેખમાં શ્રી શ્રીમાલ જ્ઞાતીય લઘુમંતાનીય દોસી મહિરાજ એમ લખ્યું છે. ને સં. ૧૫૭૫ના એક લેખમાં શ્રીમાલ સા. લઘુ સંતાનીય લખ્યું છે. સં. ૧૫૧ના એક લેખમાં "લઘુશાખાયાં” એવું લખ્યું છે, પણ તેમાં જ્ઞાતિનું નામ લખ્યું નથી. એકંદરે આ શતકમાં શ્રીમાળી જ્ઞાતિના લઘુશાખા (દશા)ના બે અને વૃદ્ધશાખા (વીસા)નો એક મળી ૩ લેખ છે. આ શતકમાં પોરવાડ જ્ઞાતિના ૧૯૮ લેખ છે. જેમાં વૃદ્ધપ્રાગ્વાટ જ્ઞાતીય કે પ્રાગ્વાટ જ્ઞાતીય વૃદ્ધશાખામાં એવું લખેલા ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ લેખ છે. જેની સંવત ૧૫૦૯, ૧૫૧૨, ૧૫૧૩, ૧૫૫૯, ૧૫૮૧, ૧૫૭૭, ૧૫૨૮, ૧૫૯૬, ૧૫૭૩ અને ૧૫૮૦ છે. ૧૫૮૦ના એક લેખમાં "પ્રાગ્વાટ જ્ઞાતીય વૃદ્ધસંતાને” એવું લખ્યું છે. ૧૫૪૮ના એક લેખમાં "પ્રા. શા. બૃહસ્તજને ગાં. સા. હેમરાજ” એમ લખ્યું છે. ૧૫૩૩ના એક લેખમાં "પ્રાગ્વાટ જ્ઞા. લઘુમંત્રિ” એમ લખ્યું છે અને સં. ૧૫૦૮ અને ૧૫૮૪ના બે લેખોમાં "પ્રાગ્વાટ જ્ઞાતીય લઘુશાખાયાં” એ પ્રમાણે લખ્યું છે. એકંદરે આ શતકમાં પોરવાડના ૧૨ લેખમાં વૃદ્ધશાખા (વીસા)નો ઉલ્લેખ છે અને ૩ લેખમાં લઘુશાખા (દશા)નું નામ છે. આ શતકમાં ઓશવાળ જ્ઞાતિના ૨૦૯ લેખ છે. તેમાં દશા અને વીશાના ઉલ્લેખવાળા ૧૬ લેખ છે. સં. ૧૫૧૫ અને ૧૫૨૧ના લેખમાં "ઉકસ જ્ઞાતીય વૃદ્ધ સંતાનીય" એમ લખ્યું છે. ૧૫૬૬ના લેખમાં "ઊકેશ વંશીય વૃદ્ધ સોની શાખાયાં” એમ લખ્યું છે. સં. ૧૫૨૮ અને ૧૫૬૮ના લેખમાં "ઊ કેશવંશે સાધુ શાખાયાં” લખ્યું છે. ૧૫૨૧ના લેખમાં "ઉકેશ વંશે બૃહત્સતાનીય” લખ્યું છે. ૧૫૩ન્ના લેખમાં "ઓસવાલ વૃદ્ધ જ્ઞા.” એ પ્રમાણે છે અને ૧૫૭રના લેખમાં ઊકેશ જ્ઞાતીય વૃદ્ધ શાખાયાં એમ લખ્યું છે. ઉપર જણાવ્યા તે "સાધુ” "બૃહત અને "મહા શાખીય" એ બધા વૃદ્ધશાખા (વીસા)ના પર્યાય (બદલે વપરાયેલા શબ્દો એમ લખ્યું છે. ૧૫ર૧ના એક લેખમાં "ઉપ. આવવાણ ગોત્રે લઘુ પારેખ નાથા” એમ લખ્યું છે. ૧૫૧૪ના એક લેખમાં "ઉપકેશ જ્ઞાતીય લઘુ સંતીનીય મં. સાથલ", અને ૧૫ર૧ના એક લેખમાં "ઉપકેશ જ્ઞાતીય લઘુ સંતાનીય મુ. ભોજા એ પ્રમાણે છે. ૧૫૭ન્ના લેખમાં "ઉપકેશ જ્ઞાતી બપ્પણા ગોત્રે લઘુ શાખીય ફોફલિયા સંજ્ઞાયાં મં. નામણ” એમ છે. ૧૫૬૬ના લેખમાં "ઉકેશવંશે લઘુશાખાયાં” ૧૫૯૧ના લેખમાં "ઉસવાલ લઘુશાખાયાં દો. ટાઉ” અને ૧પ૯૭ના લેખમાં "શ્રી ઓશવશે લઘુશાખાયાં” એ પ્રમાણે છે. એ કંદરે આ શતકમાં ઓશવાળના વૃદ્ધશાખાના ૯ અને લઘુશાખાના ૭ મળી ૧૬ લેખ છે. સંવત ૧૬૦૦ થી ૧૭૦૦ સુધીના ફક્ત ૯૯ લેખ છે. તેમાં શ્રીમાળીના ર૦ લેખ છે. તેમાં શ્રી શ્રીમાળીના ૧૬ અને શ્રીમાળીના ૪ છે). તેમાં ૧૬૬૬, ૧૬૭૦, ૧૬૮૨, ૧૬૪૩, ૧૬૭૫, અને ૧૬૬૮ Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ મળી છ લેખોમાં "શ્રી શ્રીમાળી જ્ઞાતીય વૃદ્ધશાખાયાં” કે "વૃદ્ધ શાખીય લખ્યું છે. ૧૬૭૨ના લેખમાં વૃ. શ્રી જ્ઞા. દો. મેઘા."લખ્યું છે. ૧૬૯૭ના લેખમાં "શ્રી શ્રીમાલ જ્ઞાતીય વીસા શ્રી" એમ લખ્યું છે. એકંદરે ૨૦માંના ૮ લેખમાં વૃદ્ધશાખા (વીસા) નો ઉલ્લેખ છે. આ શતકમાં શ્રીમાળીની લઘુશાખા (દશા)નો કોઈ લેખ નથી. પોરવાડના ૧૨ લેખ છે. તેમાં ૧૬૩૨, ૧૬૬૩ અને ૧૬૮૧ને લેખમાં "પ્રાગ્વાટ જ્ઞાતીય વૃદ્ધશાખાય" લખ્યું છે. ૧૬૨૪ના લેખમાં "વું. પ્રાગ્વાટ જ્ઞાતીય" લખ્યું છે. ૧૬૧૭, ૧૬૭૮ અને ૧૬૯૭ના લેખમાં પ્રાગ્વાટ જ્ઞાતીય લઘુશાખાયાં લખ્યું છે. ૧૬૦૮ના લેખમાં કુમરિગિરિ કુણઘે૨) વાસ્તવ્ય પ્રાગ્વાટ જ્ઞાતીય લઘુસને અને ૧૬૭૧ના લેખમાં લઘુસજન પ્રાગ્વાટ જ્ઞાતિ એ પ્રમાણે લખ્યું છે. એકંદરે ૧૨ લેખમાંના ૯ લેખમાં વીશા દશાનો ઉલ્લેખ છે ને ૩ લેખમાં એકલું પ્રાગ્વાટ જ્ઞાતિ લખ્યું છે. ઓશવાળોના ૨૪ લેખ આ શતકમાં છે. તેમાં ૧૬૫૫નો એક ૧૬૭૫, ૧૬૯૭ ના બે, અને ૧૬૧૩ના એક લેખમાં ઉકશ જ્ઞાતીય કે ઓશવાળ જ્ઞાતીય વૃદ્ધશાખાયાં લખ્યું છે. ૧૬૬૫ના લેખમાં ઉપકેશવંશીય વૃદ્ધસજનીય લખ્યું છે. ૧૬૨૪ના લેખમાં વૃદ્ધકેશ લખ્યું છે. ૧૬૬૮ના લેખમાં વૃદ્ધશાખીય ઓસવાલ સા. લખ્યું છે. ૧૬૨૮ના લેખમાં ઓસવાલ જ્ઞા. ઉટસન સોની શ્રીત લખ્યું છે, પણ તે ભૂલ છે. ઉટની જગાએ વૃદ્ધ જોઈએ. એકંદરે આ શતકમાં ઓશવાળોના ૨૪ લેખમાં ૯ લેખ વૃદ્ધશાખા (વીસા)ના ઉલ્લેખવાળા છે. બાકીના ૧૫ લેખમાં એકલું ઉએશ ઉપકેશ કે ઓસવાલ જ્ઞાતિનું જ નામ લખ્યું છે. ૩૪ લેખ જ્ઞાતિના નામ વગરના, ૨ હુંબડા, ૧ લાડવા શ્રીમાળીનો. ૧ નાગહુદ જ્ઞાતિનો, ૪ મૂલ સંઘના અને ૧ સિંહપરાજ્ઞાતિનો મળી કુલ ૯ લેખ આ શતકમાં છે. સં. ૧૭૦૦ થી ૧૮૦૦ સુધીનાં સો વર્ષમાં બઘા મળીને ફક્ત ૨૫ જ લેખ છે. તેમાં શ્રીમાળી જ્ઞાતિના ૬ જેમાં ૧૭૦૧, ૧૭૨૧, ૧૭૬૮ અને ૧૭૦૬ના મળી ચાર લેખોમાં "શ્રી શ્રીમાળી વૃદ્ધશાખામાં" લખ્યું છે. ૧૭૬૮ ના લેખમાં "શ્રીમાળી જ્ઞાતીય લઘુશાખાયાં" લખ્યું છે અને Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦૫ના લેખમાં ફક્ત "શ્રી શ્રીમાલી" લખ્યું છે. પોરવાડ જ્ઞાતિના ૫ લેખ છે, જેમાં ૧૭૫૧, ૧૭૮૩ અને ૧૭૨૧ ના ત્રણ લેખમાં "પ્રાગ્વાટ જ્ઞાતીય બૃહત્સા ખાયાં" લખ્યું છે અને એક લેખમાં એકલું પ્રાગ્વાટ જ્ઞાતિ લખ્યું છે. ઓશવાળોના ૫ લેખ છે. જેમાં ૧૭૦૫ના બે અને ૧૭૮૮ના એક લેખમાં "ઉકેશ જ્ઞાતીય વૃદ્ધશાખાયાં" લખ્યું છે. ૧૭૬૮ના એક લેખમાં "ઉકેશ જ્ઞાતીય લઘુશાખાયાં" લખ્યું છે ને એક લેખમાં એકલું જ્ઞાતિનું જ નામ લખ્યું છે. આ શતકમાં જ્ઞાતિના નામ વગરના ૯ લેખ છે. બીજી જ્ઞાતિઓનો એક પણ લેખ નથી. ૧૮૦૦ થી ૧૯૦૦ સુધીના ૫૮ લેખ છે. જેમાં શ્રીમાળીઓના ૧૪ છે. તેમાં “શ્રી શ્રીમાળી જ્ઞાતીય વૃદ્ધ શાખાયાં" લખ્યું હોય એવા ત્રણ લેખ છે. ૪ લેખમાં "શ્રીમાળી જ્ઞાતીય વૃદ્ધશાખાયાં" લખ્યું છે. એક લેખમાં "વીસા શ્રીમાલી"લખ્યું છે. લેખમાં એકલું શ્રી શ્રીમાલી લખ્યું છે ને એક લેખમાં શ્રીમાળી લખ્યું છે. પોરવાડના બે લેખ છે, તેમાં ૧ વૃદ્ધશાખાને ને એક લઘુશાખાનો છે. ઓશવાળોના ૧૨ લેખ છે તેમાં ૭માં વૃદ્ધશાખાયાં લખ્યું છે. એકમાં વૃ. શાખામાં લખ્યું છે, પણ તેનો સંવત ૧૨૦૦ લખ્યો છે તે ભૂલ છે. સાવલી ગામના ગૃહસ્થની ભરાવેલી એ પ્રતિમા સાથે બીજી પ્રતિમાઓ પણ છે જેમાં સં. ૧૮૮૮નો સંવત છે. એટલે આ પ્રતિમા ઉપરનો સંવત ૧૯૦૦ હોવો જોઈએ. છાપનારે બાળબોધ ને બદલે ર મૂક્યો હશે. ત્રણ લેખમાં લઘુ વૃદ્ધ કંઈ નથી. એકલું જ્ઞાતિનું નામ છે. નામ વગરના ર૯ અને ૧ લેખ હુંબડ જ્ઞાતિનો છે જેમાં બહુંબડ જ્ઞાતીય વૃદ્ધશાખાયાં" લખ્યું છે. સંવત્ ૧૦૦ પછીના ૧૦ લેખ છે. જેમાં શ્રીમાલી જ્ઞાતીય લઘુશાખાયાં વાળો, ૧, પોરવાડ જ્ઞાતિના નામવાળો ૧, ઓશવાળ લઘુશાખાને ૧, વૃદ્ધશાખાને ૧, અને એક એકલા જ્ઞાતિના નામવાળો મળી કુલ ત્રણ, જ્ઞાતિના નામ વગરના ૩, તેમાં ૧ અને ૧ વાઘેલાને ઉપર જણાવેલી વિગતમાં વૃદ્ધશાખાને જુદી જુદી રીતે ઓળખાવી છે. જ્ઞાતિ સમૂહને સાજનું કહેવાનો ચાલ તો હજુ પણ સુરતમાં સર્વ જ્ઞાતિઓમાં ચાલે છે. એટલે Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ * છેલ્લાં ૧૨ શતકના આ સંગ્રહમાં ૧૫ર૩ લેખ છે. જેમાંના અર્ધા ભાગ કરતાં પણ વધારે ૧૦ લેખ એકલા ૧૫૦૦ થી ૧૬૦૦ સુધીના એક શતકમાં છે. એથી ઊતરતા એટલે ૨૫૦ લેખ એની પહેલાના ૧૪૦૦ થી ૧૫૦૦ સુધીના શતકમાં છે. આ બે શતકના લેખનો સરવાળો કરીએ તો ૧૧૬૦ લેખ એટલે કુલ લેખના પોણા ભાગના લેખો ફક્ત આ બે શતકમાં સમાઈ જાય છે. આ શતક પછીનો નંબ૨ ૧૩૦૦ થી ૧૪૦૦ સુધીના શતકનો છે. એ શતક આપણાથી ઘણું છેટે હોવાને લીધે તેના ઘણા લેખ જતા રહેલા હોવાનો સંભવ છે, છતાં હજુ પણ ૧૦૮ લેખ એ શતકના મળ્યા છે તે એ શતકમાં મૂર્તિઓ ગણી હોવાનો સબળ પુરાવો છે. વસ્તુપાળ તેજપાળે ઘણાં દેહરો બંધાવ્યાં ને ઘણી મૂર્તિઓ પધરાવી તે દેખાદેખી લોકોમાં મૂર્તિઓ વધારવાની વૃત્તિ વધી ગઈ. ઉપદેશક સાધુઓએ પણ એ જ ઉપદેશ ચાલતો રાખ્યો, પરિણામે ૧૫૦૦ થી ૧૬૦૦ સુધીમાં જ્યાં ત્યાં મૂર્તિઓ જ મૂર્તિઓ થઈ રહી. જે ઘણું થાય તે કોઈની પણ આંખમાં આવ્યા વગર રહે નહિ. મૂર્તિઓની પ્રવૃત્તિ ઘણી વધી પડતાં લૉકાશાહ નામનો અમદાવાદનો વાણિયો તેના વિરોધી તરીકે બહાર પડ્યો. તેણે હજારો શ્રાવકોને મૂર્તિપૂજાના વિરોધી બનાવ્યા. સંવત ૧૬૦૦ પછીના આરંભ કાળમાં શ્રી હીરવિજય જેવા મહા પ્રભાવ આચાર્ય થયા. એમણે તેમજ એમની પછી ગાદીએ આવનાર સિંહ અને સેનસૂરિએ મૂર્તિઓ પધરાવવા અતિશય પ્રવૃત્તિ કરી છે, છતાં એમના શતકની મૂર્તિઓના ફક્ત ૯૮ લેખ છે જે એની અગાઉના શતકના ૯૦૦ લેખ સાથે સરખાવતાં બહુ જ જજ છે એમ કહ્યા વગર ચાલતું નથી. મૂર્તિઓની સંખ્યા એકાએક આટલી બધી ઘટી ગઈ તે આ શતકમાં મૂર્તિપૂજક જૈનો ઘટી ગયાનો સબળ પુરાવો છે. એક બાજુએ લૉકાશાહની સ્થાપેલો ધર્મ જોર ઉપર આવ્યો ને બીજી બાજુએ વલ્લભાચાર્યનો વૈષ્ણવ ધર્મ ફેલાતાં ઘણા શ્રાવક વૈષ્ણવધર્મી થયાં એ બે કારણથી આ શતકમાં શ્રાવકો અને તેમણે સ્થાપેલી પ્રતિમાઓની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ મૂર્તિઓની સંખ્યામાં સૌથી વધારે ઘટાડો ૧૭૦૦ થી ૧૮૦૦ સુધીના શતકમાં જણાય છે. એકંદર ૧૫ર૩ લેખમાં આ શતકને ફક્ત Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જ લેખ છે. એનું કારણ આ શતકની જુલમી રાજનીતિ છે. ઔરંગઝેબનો જુલમી અમલ શરૂ થતાની સાથે જ મૂર્તિઓ અને દેવળો ભાંગવાનું કામ ચાલતું થયું. કેરવાડાના દેહરાની સં. ૧૬૮૩માં બેસાડેલી નવ દશ પંડિત પ્રતિમાઓ જમીનમાં ભંડારી રાખેલી મળી છે. એ ખતાવે છે કે ૧૬૮૩ પછી જુલમનું રાજ્ય ચાલ્યું છે. મુગલાઈ તૂટી અને પેશ્વાનો અમલ ચાલતો થયો એટલે મૂર્તિઓ સામેનો વિરોધ પણ જતો રહ્યો. સં. ૧૮૦૦ પછીના લેખો વધારે છે તે આ કારણથી છે. Jain Educationa International ૭૧ For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાળી જૈનોની વર્તમાન અટક કેવી રીતે પડી? જે નામને છેલ્લે ણી પ્રત્યય હોય તે બાપદાદા પૂર્વમાંની પેઢીમાં પ્રસિદ્ધ થઈ ગયા હોય અને તે નામથી અટક પડી હોય છે. જેમ કે "દંગાણી" બારમી પેઢીએ ડુંગરશીભાઈથઈગયેલ અને દંગાણી તરીકે અટક પ્રસિદ્ધ થઈવેલાણી ફોફાણી ઉદાણી પીતાણી વિગેરે પણ તે જ પ્રમાણે અટક જાણવી. જે નામને છેલ્લે યા પ્રત્યય લાગ્યો હોય તે અટક ગામથી આવેલા અને તે નામથી પ્રસિદ્ધ થયા. જેમકે લોલાડીયા - મશાલીયા, વિગેરે લોલાડા મશાલી વિગેરે ગામોથી આવેલ હોવાથી તે નામથી પ્રસિદ્ધ થયા. મોરખીયા ફો ફલીયા વિગેરે. અને ત્રીજી અટક ધંધા વેપાર દ્વારા પડી ગયેલ છે. જેમકે કોઠારી - ભંડારી મહેતા, ઘીયા તેથી, રાજા મહારાજાઓના સમયમાં કોઠારીનું કામ સંભાળે, કરે તેને કોઠારી, ભંડારીનું કામ સંભાળે તે ભંડારી અને ઘીઆપીને ધંધો વેપાર કરતા હોવાને કારણે ઘીયા. આવી અટક પડેલ ઉપરની બધી શ્રીમાળી જ્ઞાતિની અટક છે. મોકલનાર, ડી. એ. મોદી ૨૬, જ્ઞાનનગર, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ ૪૦૦ ૦૯૨. ૧. દંગાણી ૨. કપાસી ૩ રવણી ૪.જુઠણી પ.અજમેરા ૬. પરીણ ૭. ડોસાણી ૮. ડિલીવાળા ૯, બીલખીય ૧૦.મેઘાણી ૧૧. ટોલીયા ૧૨. મણીયાર ૧૩. લાડીયા ૧૪. સુતરીયા ૧૫. હીમ્બડીયા ૧૬. તુરખીયા ૧૭. બદાણી ૧૮. કામાણી ૧૯. લાખાણી ૨૦. અવલાણી ૨૧.ખારા ૨૨. પીપલીયા ૨૩. મારડીયા ૨૪. તેલી રપ. રાભીયા ૨૬. ૭૨ Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ગાઠાણી ર૭. મડીયા ૨૮. ગોરડીયા ૨૯. મખીદા ૩૦. જીવાણી ૩૧. પતીરા ૩ર. ઝવેરી ૩૩. મોદી ૩૪. સંઘાણી ૩૫. દોશી ૩૬. બાવીસી ૩૭. ભીમાણી ૩૮. ભાયાણી ૩૯, હેમાણી ૪૦. મોટાણી ૪૧. વિરાણી ૪૨. સંઘવી ૪૩. વોરા જ. ભરવાડા ૫. પારેખ ૪૬. છેડા ૪૭. ગડા ૪૮. ગંગ૨ ૪૯. ગેસલીયા ૫૦. મહેતા ૫૧. શાહ પર. શેઠ ૫૩. જશાણી ૫૪. ચીત્તલીયા ૫૫. દોલાણી ૫૬. મગીયા ૫૭. ગાઠીમી ૫૮. જલાલીયા ૫૯. ગાંધી ૬૦. તુરખીયા ૬૧. ગાલા ૬૨. પુનમિયા ૬૩. પંચમિયા ૬૪. અવલાણી ૬૫. પાદશાહ ૬૬. દેશાઈ ૬૭. પરીખ ૬૮. આણી ૬૯, પોપરાણી ૭૦. ઝારકીયા ૭૧. રૂપાણી ૭૨. દોમડીયા ૭૩. ગદાણી ૭૪. ચોવટીયા ૭૫. દાક્તરી ૭૬. ઘુયુ ૭૭. ગોડા ૭૮. કામદાર ૭૯. ખેઢલીયા ૮૦. કોટીચા ૮૧. પીપલીયા ૮૨. ઢેઢા ૮૩. ઉચાટ ૮૪. દડીયા ૮૫. કપાસી ૮૬. રવાણી ૮૭. જુઠાણી ૮૮. અજમેરા ૮૯. સિરોહીયા ૯૦. કોશાલી ૯૧. ડેલીવાલા ૯૨. બીલખીયા ૯૩. મેઘાણી ૯૪. ટોખીયા ૫. મણિયાર ૯૬. લાડીયા ૯૭. સુતરીયા ૯૮. ટીમડીયા ૯. તુરખીયા ૧૦૦. બદાણી ૧૦૧. કામાણી ૧૦૨. લાખાણી ૧૦૩. અવલાલી ૧૦૪. ખારા ૧૦૫. પીપલીયા ૧૦૬. મરડીયા ૧૦૭. ટેણી ૧૦૮.રાંભીયા ૧૦૯, ગાકાણી ૧૧૦. મડીયા ૧૧૧. ગોરડીયા ૧૧૨. સખીદા ૧૧૩. જીવાણી ૧૧૪. જવેરી Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ િવિચારણીય વાક્યો | ૧. પંડિત પુરુષ વિચારીને બોલે અને મૂર્ખજન બોલ્યા પછી વિચારે. આ બન્નેમાં આટલો જ ફરક હોય. ૨. ઉન્માર્ગે જાય તે મહાજન નહિ પરંતુ મૂર્ખજન કહેવાય. ૩. મનુષ્યભાવ પામીને જે આત્માઓ રત્નત્રયીની આરાધના કરે છે તેઓનો જન્મ સફળ થાય છે. ૪. નવયુગના નામે ફેલાવાતા ઝેરી પ્રચારથી બચવા માટે ધર્મક્રિયાઓ ખૂબ વધારો. ૫. પેટ ભરવાની વિદ્યા માટે વર્ષો ગુમાવ્યાં પણ સંસારમાંથી તા૨ના૨ તત્ત્વજ્ઞાન માટે કેટલાં વર્ષો કાયાં તેનો કદીએ વિચાર કર્યો છે ? ૬. શરીર તે હું નથી અને આજુબાજુ દેખાતી પુદ્ગલિક સામગ્રી મારી નથી. ૭. જે જ્ઞાનનું ફળ વિરતિ નથી તે જ્ઞાન અજ્ઞાન છે. ૮. સંસારમાં નહિ રહેવાની ઈચ્છાવાળો તે જેન અને જેન તો જિનેશ્વર પરમાત્માની વાણીનું રસપાન કરી આચરણમાં ઉતારે તેને જેન કહેવાય. ૯. આપણે જ્ઞાની છીએ કે અજ્ઞાની તે મહત્ત્વની વસ્તુ નથી પણ મહત્ત્વની વસ્તુ તો આપણું અંત:કરણ પવિત્ર છે કે અપવિત્ર તે છે ! ૧૦. જીવનની એક ક્ષણ કરોડ સોનામહોરોથી પણ ખરીદી શકાતી નથી, તેને વ્યર્થ ગુમાવવા જેવી બીજી નુકસાની કઈ છે? ૧૧. પશ્ચાત્તાપથી પાપનાશ, પાપનાશથી ચિત્તશુદ્ધિ અને તેનાથી પરમાત્મ પદની પ્રાપ્તિ થાય છે ! ૧૨. શરીરને ખોરાક અન્ન છે, મનને ખોરાક ભક્તિ છે, જ્ઞાનને ખોરાક ગુણાનુવાદ છે, નેત્રનો ખોરાક પરમાત્મ દર્શન છે. અને હાથનો ખોરાક પવિત્ર પુરુષોની સેવા છે ! ૭૪ Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ૫૨સ્ત્રી-૫૨ દ્રવ્ય-અને પ૨ નિંદાથી જેઓ દૂર છે, તેઓ પવિત્ર વસ્તુથી પણ વધુ પવિત્ર છે ! ૧૪. સમજણ ભાડે મળે છે, પરંતુ સદ્દવર્તન ભાડે મળતું નથી. તે તો પોતે જાતે જ સેવવું પડે છે. ૧૫. ‘કોઈનું મારે ન જોઈએ અને મારું સૌને આપો” એવી ભાવના ભગવાન બનાવે છે ! ૧૬. કોઈને પાડી નાખવામાં બહાદુરી નથી, પણ પડી ગયેલાને ઊભો કરવામાં સાચી વીરતા છે ! ૧૭. સૌથી મોટો કોણ ? જે કોઈની પાસેથી કાંઈ પણ ઈચ્છતો નથી તે. ૧૮. આપણા મનના ચશ્માંનો જે રંગ હોય છે, તે અંગે જ આપણને દુનિયા દેખાય છે. ૧૯. સેવા-સહકાર-શ્રદ્ધા-સદૂભાવ જીવનની ઈમારતના ચાર પાયા છે. ૨૦. જ્ઞાનથી પ૨માત્માને જાણી શકાય છે, પ્રેમથી તેને ૫૨ખી શકાય છે અને ધ્યાનથી તેને મેળવી શકાય છે. ૨૧. ભાગ્ય બંધ તિજોરી છે, પુરુષાર્થ તેની ચાવી છે. ૨૨. તપનું અજીર્ણ ક્રોધ અને જ્ઞાનનું અજીર્ણ અભિમાન છે. ૨૩. માન માંગીને નહિ પણ આપીને જ મેળવી શકાશે. ર૪. ઉદાર આપીને શ્રીમંત બને છે, જ્યારે કંજૂસ સંઘરીને રંક બને છે. ૨૫. સંસારનું સુખ એ ખરેખર સુખ નથી, પણ દુ:ખનું જ એક બીજું નામ છે. ૨૬. જે સીધું ચાલે, સાદું ખાય, સાદું પહેરે અને સાચું બોલે તેનું નામ જ સત્પુરુષ. ૨૭. નિંદા કરવા કરતાં નિદ્રા લેવી સારી છે. ૨૮. ક્રોધના આવેશમાં કોઈ પણ કાર્ય કરવું તે તોફાની દરિયામાં નાવ ચલાવવા જેવું છે. Jain Educationa International ૭૫ For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨૯. અનીતિનો આરંભ એ વિપત્તિનું આમંત્રણ છે. ૩૦. પ્રમાદ એ જીવતા મનુષ્યની કબર છે. ૩૧. સ્વેચ્છાએ સ્વીકારેલ નિયમ એ બંધન નથી સંયમ છે. ૩૨. જીવનને વર્ષોથી નહિ, સારાં કાર્યોથી માપો. ૩૩. તક, તકરાર અને શ્રદ્ધા એકરાહ કરાવે છે. ૩૪. નિષ્ક્રિય ઊંડા જ્ઞાન કરતાં સક્રિય સાદી સમજ મહાન છે ! પ્રથમ ભાગ સમાપ્ત Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫. પૂ. વિઘાઘર ગચ્છ ભૂલભૂષણ આ. ભ. શ્રીમત્ સ્વયંપ્રભ સૂરીશ્વરેણ્યો નમ: શ્રીમાળી વંશની ઉત્પત્તિ અને શ્રી ભીનમાલ તીર્થ ભાગ- રજો Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન તીર્થ ભીનમાલ શ્રીમાલ (રાજ.) ગુજરાતની પ્રાચીન રાજધાનીનું મુખ્ય નગર ભિન્નમાલ એક સમયે ખૂબ પ્રસિદ્ધ હતું. આ નગર કોણે વસાવ્યું એનો ઈતિહાસ મળતો નથી પણ લોકસાહિત્યના આધારે આ નગરનું અસ્તિત્વ અતિ પ્રાચીન કાલથી હતું એમ જણાય છે. પુરાણોના કથન મુજબ આ નગરના ચાર યુગમાં જુદા જુદા નામો હતાં. સત્યયુગમાં તેનું નામ શ્રીમાલ, ત્રેતા યુગમાં રત્નમાલ, દ્વાપર યુગમાં પુષ્પમાલ અને કલિયુગમાં ભિન્નમાલ હતું. છેલ્લું નામ ભિન્ન અને માલ નામની જાતિઓના કારણે પડ્યું. ઈતિહાસવિદોનું માનવું છે વસ્તુત: શ્રીમાલ ચાર વખત કરતાં પણ વધુ વખત લૂંટાયું છે. એને જ યુગની કલ્પનામાં ઘટાવાયું હશે. બીજાં બે નામો કરતાં શ્રીમાલ અને ભિન્નમાલ એ નામો લોક પ્રસિદ્ધ રહ્યાં છે. શ્રી માલમાંથી ભિન્નમાલ નામનો ફેર કોઈ ઘટના વિશેષને આભારી જણાય છે. શ્રી થી ભિન્ન એવું ભિન્નમાલ એવો સંકેત જ આમાંથી ફલિત થતો લાગે છે. પરંતુ અહીં એની ચચનિ અવકાશ નથી. લોક સાહિત્યના આધારે આ નગરીની કેટલીક તાવારીખો બોમ્બેમાં નોંધેલી છે. એ મુજબ જગત સ્વામી સૂર્યમંદિર સંવત ૨૨૨ માં અહીં બંધાયું. સં. ૨૬૫ માં આ નગરનો ભંગ થયો. સં.૪૯૪ માં આ નગ૨ લૂંટાયું સ. ૭૦૦ માં આ નગર ફરી રચાયું. સં. ૯૦૦ માં ત્રીજીવાર લૂંટાયું સં. ૯૯૫ માં આ નગરનો ફરીથી સંસ્કાર થયો. અને ચૌદમા સૈકાના આરંભ સુધી એની જાહોજલાલી જળવાઈ રહી છે. આજે ૩૦૦૦ જન સંખ્યાવાળું નાનું શહેર છે. લગભગ ૨૦૦૦ જેનોનાં ઘરો છે. આ હકીકત ઉપરથી આ નગર ઉપર ફરી વળેલા ભરતી ઓટના ચક્રનો ખ્યાલ આવે છે. જૈન સાહિત્ય આ નગરમાં બની ગયેલી કેટલીક વિશિષ્ટ ઘટનાની નોંધ કરે છે. અહીંના એક જૈન મંદિરના ખંડિયેરમાંથી સં. ૧૩૩૩ ને શિલાલેખ મળી આવ્યો છે જેની નોંધ અમે આગળ આપીશું તેમાં જણાવ્યું છે કે ભગવાન મહાવીર સ્વામી અહીં શ્રી માલમાં પધાર્યા હતા. જો કે આ ૭૮ Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ હકીકત ઈતિહાસ સંશોધકો માટે એક નૂતન સમસ્યા ખડી કરે છે. કેમકે ભગવાન શ્રી મહાવીર સ્વામીના વિહાર ક્રમમાં મારવાડ કે ગુજરાત તરફ તેમના આવવાનો ક્યાંય પણ ઉલ્લેખ મળતો નથી. એથી આ વિષયના ઈતિહાસવિદ જ આનું નિરાકરણ આપે એ જ વધુ યોગ્ય ગણાય. જૈનોના ચૂર્ણ ગ્રંથોથી જણાય છે કે વિક્રમની પહેલી શતાબ્દીમાં હયાત વજ સ્વામીએ શ્રીમાલ તરફ વિહાર કર્યો હતો. સંભવ છે કે એ જ સમયે અહીં જેનોનું પવિત્ર યાત્રાસ્થાન હોય. એ જેન પટ્ટાવલીની નોંધમાંથી જણાય છે કે શ્રી માલ નગરના રાજવીથી અસંતુષ્ટ થયેલા રાજકુમાર સુંદર અને મંત્રી ઉહડે શ્રી રત્નપ્રભ સૂરિ (વીર નિવણ સં. ૭૦) ના સમયમાં ઓસીયા નગર વસાવ્યું જેમાં શ્રીમાલના અનેક શ્રાવક કુટુંબો આવીને વસ્યા. બીજા મતે શ્રીમાલના રાજા દેશલે જ્યારે મોટા ઘનાદ્રોને જ પોતાના નગરના કિલ્લામાં રહેવાની પરવાનગી આપી ત્યારે બાકીના લોકોએ રાજાથી અસંતુષ્ટ થઈને દેશલના પુત્ર જયચંદ્રની આગેવાની હેઠળ વિ. સં. રર૩ લગભગમાં આ નગરમાંથી ઉચાળા ભરી બીજે સ્થળે વસવાટ કર્યો. એમના વસવાટનું સ્થળ એ જ ઓસિયાનગર પાછળથી ખૂબ પ્રસિદ્ધિને પામ્યું. આ અને બીજી હકીકતોના સમન્વયથી એટલું તો નિશ્ચિત છે કે લગભગ બીજા સૈકા સુધી આ શ્રીમાલ (નગ૨) એક સમૃદ્ધિશાળી નગર હતું. વહી વંચા અને વંશાવલીઓ આ નગરની સમૃદ્ધિનું વર્ણન આપતાં નોંધે છે કે એટલા પ્રાચીન કાળમાં આ નગર વીસ ગાઉના ઘેરાવામાં હતું. એને ફરતો મજબૂત કિલ્લો હતો. એ કિલ્લાને ૮૪ દરવાજાઓ હતા એમાં ૮૪ કરોડપતિ શ્રીમંત શ્રાવકો વસતા હતા ઉપરાંત ૬૪ શ્રીમાલ બ્રાહ્મણો અને ૮ પ્રાગ્વાટે બ્રાહ્મણો કરોડપતિ હતા. સેંકડો સૌધ શીખરી મંદિરોથી આ ભૂમિ રમણીય બનેલી હતી. મોટા વિદ્વાનો પૈકી બ્રહ્મગુપ્ત નામના જ્યોતિષી જેમણે ફૂટ આર્ય સિદ્ધાન્તની સં. ૬૮૫ માં રચના અહીં કરી હતી અને લગભગ ૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ એ જ સમયમાં શિશુપાલવધ મહાકાવ્યના કર્તા કવિ માઘ આ ભૂમિમાં જમ્યા હતા. - જિનદાસ ગણિએ સં. ૭૩૩ માં રચેલી નિશીથ ચૂર્ણમાં અહીંના રૂપા નાણાંના ચલણની હકીકત આ પ્રકારે આપી છે. રુખ્યમય જહાં ભિન્નમાલે વિમ્બલતો એટલે કે સાતમા આઠમા સૈકા પહેલાંથી આ નગર ખૂબ સમૃદ્ધિશાલી હતું જેમાં શ્રાવકોની વિપુલ વસ્તી હતી. જૈન દેરાસરો પણ મોટી સંખ્યામાં વિદ્યમાન હતાં. આનું પ્રમાણ ઉદ્યોતનસૂરિ વિ.સં. ૮૩૫ માં પ્રાકૃતમાં રચેલા કુવલય માલા નામના ગ્રંથની પ્રશસ્તિમાં આપે છે. પ્રશસ્તિનો આ ઉલ્લેખ આપણું ધ્યાન ખેંચે છે :सिवचंदगणि य महयारो ति (१) सो जिण वंदण हेउ कहवि भमतो कमेण संपत्तो। सिरिभिन्नमालणयरम्म संठिओ कप्परुक्खोव्व શ્રી શિવચંદ્ર ગણિ મહત્ત૨ વિહાર કરતા કરતા ક્રમશ: અહીં જિનવંદન નિમિતે આવ્યા અને શ્રી ભિન્નમાલ નગરમાં કલ્પવૃક્ષની જેમ સ્થિર થયા. આ ઉલ્લેખ આપણને સૂચવી રહ્યો છે કે સાતમા અને આઠમા સેકાના વચગાળાના સમયમાં અહીંના જિનમંદિરનું પવિત્ર સ્થળ એટલું બધું પ્રસિદ્ધિ પામી ચૂક્યું હતું કે જેની યાત્રા કરતા શિવચંદ્ર ગણિ બીજાઓની જેમ અહીં આવ્યા હતા અને ધર્મના કલ્પદ્રુમની જેમ અહીં જ સ્થિર થયા. એ જ કારણ છે કે એમના શિષ્ય પ્રશિષ્ય ઘર્મની લહાણ કરી આ ગુજરાત દેશને દેવગૃહો જિનમંદિરોથી રમ્ય બનાવી દીધો; એ વિશે પ્રશસ્તિમાં જ આ પ્રકારે ઉલ્લેખ આવ્યો છે "तस्सय बहुया सीसी तववीरे अवयणल द्वि संप्पष्णो रम्मो गुजरदेसो जो हिकओ देवहरएहिं च" એ પછી એટલે લગભગ સાતમા સૈકાથી લઈને દશમા સૈકા સુધીમાં થયેલા પ્રભાવશાળી આચાર્યોએ આ નગરમાં પદાર્પણ કરીને આ પ્રદેશને પવિત્ર અને રમણીય બનાવ્યો. તેમ મોટી અનુપમ સાહિત્ય કૃતિઓથી સુવાસિત બનાવી જૈન ભંડારને ભરી દીધો; જેના Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રતાપે આજે એ સમયની સમગ્ર સ્થિતિનો ખ્યાલ આપતો ઐતિહાસિક આદર્શ આજની પ્રજાને નવી તાજગી બક્ષે એવો મળી શકે એમ છે. વિક્રમની આઠમી સદીમાં ભિન્નમાલમાં કુલગુરુઓની સ્થાપના થયાના ઉલ્લેખો સાંપડે છે. એ સમયે અહીં ૮૪ ગચ્છના સમર્થ આચાર્યો વિદ્યમાન હતા. અહીંના શ્રીમાલ બ્રાહ્મણો અને પ્રાગ્વાટ બ્રાહ્મણોને શંખેશ્વર ગચ્છના આચાર્ય શ્રી ઉદયપ્રભસૂરિએ સંવત ૭૯૧ માં જૈનધર્મી બનાવ્યા હતા. સેંકડો સાહિત્ય કૃતિઓના રચયિતા તાર્કિક શિરોમણિ શ્રી હરિભદ્રસૂરિએ આ સ્થલમાંથી મોટા ભાગની કૃતિઓ રચવાની પ્રેરણા મેળવી હતી. શ્રી સિદ્ધર્ષિ ગણિ આચાર્યે પોતાની વિશાલ કાય ઉપમિતિભવ પ્રપંચ કથાની રચના વિ. સં. ૯૯૨ માં અહીં જ કરી હતી. શ્રી સિદ્ધર્ષિની જેમ વીર ગણિએ પોતાના જન્મથી અને પાંડિત્યથી આ નગરને પવિત્ર કર્યું હતું. આ વીર ગણિએ ગૂર્જર નરેશ ચામુંડ રાજને પોતાની માંત્રિક શક્તિથી આશ્ચર્યચકિત કર્યો હતો. લગભગ દશમાં અગિયારમા સૈકામાં આ નગરમાંથી ૧૮,૦૦૦ શ્રીમાલીઓ ચાલ્યા ગયા અને ગુજરાતની નવી રાજધાની પાટણ અને તેની આસપાસના ગામડાંઓમાં જઈને વસ્યા. આ રીતે ભિન્નમાલની (વસ્તીનો) સમૃદ્ધિનો પ્રવાહ ગુજરાત તરફ વળ્યો અને જોત જોતામાં પાટણ અને ગુજરાત સંપત્તિ અને શક્તિથી સંપન્ન બન્યું. ટૂંકમાં શ્રીમાલ પાટણને બધી રીતે પ્રેરક થઈ પડ્યું હતું. લગભગ ચૌદમા સૈકામાં આ ભિન્નમાલ ઉપ૨ નમતા પહોરનો સૂર્ય આથમી ચૂક્યો હતો. ઈ. સ. ૧૬૧૧ માં નિકોલસ ઉપલેટ નામને અંગ્રેજ વ્યાપારી આ શહેર ફરતા વેરાન બનેલા ૩૬ માઈલને વિસ્તારની અને સુંદર ટાંકાવાલા કિલ્લાની વાત કરે છે. આજે પણ ભિન્નમાલથી ૫-૬ માઈલ દૂર ઉત્તર તરફ જાલોરી દરવાજો, પશ્ચિમ તરફ સાંચોરી દરવાજો, પૂર્વ તરફ સૂર્ય દરવાજો અને દક્ષિણ તરફ ૮૧ Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી દરવાજો છે. એ વિસ્તારમાં ટેકરાઓ અને મેદાનમાં ઘાસ ઊગી ગયું છે અને તેમાં જ મકાનના પાયા, ઈંટો, કોરણીવાળા થામલા તેમજ મંદિરના કોરણીવાળા પથ્થરો વગેરેના ઢગલાબંધ અવશેષો પડેલા જોવાય છે. આજે આ સ્ટેશનનું ગામ છે. ગામમાં લગભગ ૧૪૦૦ ઘરો જેનોનાં વિદ્યમાન છે. ચાર જૈન ધર્મશાળા, ૪ ઉપાશ્રય અને ૧૨ જૈન મંદિરો ઊભાં છે. શહેરની ઉત્તર દિશામાં આવેલી ગજની ખાનની કબરની પાસે એક જૈન મંદિરનું ખંડિયેર પડ્યું છે. તેની મહેરાબમાં જેન મૂર્તિ અંકિત છે. પાસેના જાકબ તલાવની ભીતમાં સં. ૧૩૩૩ નો મોટો લેખ આ પ્રકારે ઉત્કીર્ણ છે. य पुरात्र महास्थले श्रीमाले स्वयमागतः । स देवः श्री महावीरो देया [:] सुख संपदं ॥१॥ पुनर्भवगस्ताः संतो यं शरण गताः । तस्य वीर जिनेन्द्र[स्य] पूजार्थ शासनं तवं ॥२॥ थारापद्र महागच्छे पुण्ये पुण्येक शालिना श्री पूर्णचंद्रसूरिना प्रासादाल्लिख्यते यथा स्वस्ति संवत् १३३३ वर्षे अश्विनी शुदि १४ सोमे अयेद्य श्री श्रीमाले महाराजकुल श्री चा चिगदेव कल्याण विजयि राज्ये तनियुक्त महं गजसिंह प्रभृत्ति पंचकुल प्रति पलौ श्रीश्रीमाल देशवादिकाधिकित्तेन मेघमावयकायस्थ महतमसुमहेन तर्था चट्टेकर्य श्रीदेन सवश्रेय अश्विन क्षासीय यात्रा महोत्सवे अश्विन शुदि १४ चतुर्दशी दिने श्री महावीर देवाय प्रतिवर्षे पंचोपचार पूजा निमित्तां श्री करणिय पंच शैल हथडाभी नरपालं स भक्ति पूर्वशम्भुदय Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ तलपदेएलसह दीपद मध्यात् फूरकरहलसहडी एक सक्तपद पार सप्तविंशको केत पंच चन्द्रमास ( त ) था सेलह थामाव्ये आठडा मध्याद्र द्र ८ अथे द्रमा ॥ उभयं सप्त विशोपको पेतत्रयोदश द्रम्मा आचंद्राकर्क देवदाये कारपिताः वर्तमान पंचकुलेन वर्तमान सेलहथेन देवदायकृतमिदं स्वश्रेयसे पालमीयं ॥ આ લેખમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન શ્રીમાલમાં પધાર્યા હતા એવો ઉલ્લેખ કર્યો છે જેના વિશે અમે અગાઉ નિર્દેશ કર્યો. વળી, સંવત ૧૩૩૩ આસો વદ ૧૪ના યાત્રા મહોત્સવ પ્રસંગે તે સમયના રાજવી ચાચિંગદેવ આ મહાવીર સ્વામીના મંદિરમાં પૂજા ભણવવા માટે ગામના પંચને અધિકારીઓ પાસેથી માંડવીની જકાતમાંથી પ્રતિવર્ષ ૧૩ક્રમ ૭વિશપક ઉક્ત મંદિરમાં દેવદાન તરીકે આપવાનો ઠરાવ કરાવ્યો એ સમયે થારાપદ્રગચ્છીય શ્રી પૂર્ણચંદ્ર સૂરિ અહીં હતા જેમના ઉપદેશથી આ દાન અપાયું હશે. અહીંના વિદ્યમાન મંદિરોના પરિચય આ રીતે જણાય છે. ૧ શેઠના વાસમાં ભગવાન શ્રી પાર્શ્વનાથનું શિખરબંધી મોટું જિનાલય ઊંચી બેઠક પર બંધાયેલું છે. તેમાં મૂળનાયકની ધાતુમય પરિકરવાળી સુંદર મૂર્તિ બિરાજમાન છે. પરિકર ઉપર સં. ૧૦૧૧ ની સાલનો લેખ છે. આ મૂર્તિ ભિનમાલ અને નરતા ગામની વચ્ચેના ખેતરમાંથી મળી આવી હતી તેની અંજન શલાકા કોણે કરી હતી એ જણાવ્યું નથી. ધાતુની બીજી ચારેક પ્રતિમાઓ ઉપર બારમીથી અઢારમી સદીના લેખો છે. મંદિરના પ્રવેશદ્વારમાં ઉપ૨ પાષાણના પાટલા ઉપર આ પ્રમાણે લેખ વંચાય છે. श्री पार्श्वपते (तये नमः ) || संवत १६७१ वर्षे शाके १५२६ वर्तमाने चैत्र शुदि १५ सोमवारे श्री पार्श्वनाथादेवल मध्ये श्री चंद्रप्रभमंदिरं कारायितं रुपईया सहस्त्र २०१५६ स्वस्वाणा जालोरं खां पहाडखान सुत्त राज्ये भीनमाल सोलंकी विद्वा रहनेरा दोकडा श्री पारसनाथरा देवका स्वरचाणा Jain Educationa International ૮૩ For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ प्र. उद्विम श्री वडवीर भीमशा - रवावाला श्रीमानचंद्र शिष्य भट्टारक श्री विजय चंद्रसूरी वराभ्यां सगृवट जसा सोदा देदा काम कीधुं नाम उकेर्यो श्री શ્રી આ લેખથી જણાય છે કે, શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીજીનું જિનાલય બંધાવવામાં આવ્યું હતું. મૂળ મંદિરના શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ વિશે સં. ૧૬૬૨ માં શ્રી પુણ્યકમલ મુનિએ રચેલા "ભિન્નમાલ સ્તવન"માં ચમત્કાર ભરી ઘટના આલેખી છે. તેમાં જણાવ્યું છે કે સં. ૧૬૫૧ માં આ મૂર્તિ અને ખીજી કેટલીક મૂર્તિઓ જમીનમાંથી મળી આવી હતી જે મૂર્તિઓને જાલોરના ગજનીખાને કબજે કરી હતી પરંતુ કબજે કરેલી એ મૂર્તિઓના કારણે એ દુ:ખી થયો હતો. આખરે એ મૂર્તિઓ તેણે શ્રી સંઘને સુપરત કરી ત્યારે સં. ૧૬૬૨ માં સંઘવી વજંગ શ્રેષ્ટિએ અહીં નવચોકી અને પ્રદક્ષિણાની ભમતીવાળું ભવ્ય મંદિર બંધાવી એ મૂર્તિઓને મોટા ઉત્સવપૂર્વક સ્થાપન કરી હતી. એ પ્રસંગે ખુદ ગજનીખાને જિનમંદિર ઉપર સુવર્ણના ૧૬ કળશ ચઢાવ્યા હતા. આ હકીકતનું સમર્થન શ્રી શીલવિજય ગણિએ રચેલી ‘તીર્થમાલા’ માંથી પણ આ પ્રકારે મળે છે. जालोर नयरी गजनीखान वरसंग संघवी वरीउ जाप स्वामी महिमा घरणेन्द्रि धर्मो पूजी प्रणमी आप्या पास स्वामी सेवा तणी संयोगि सोल कोचीसां दिन हर सिरि Jain Educationa International पिसुत वचति प्रभु धरिया तान पास पेरवीनिं जिंमस्वूं ताम मानी मलिक्कनि वली वसी कर्यो संघ चतुर्विध पूगी आस पाल्ह परमारनो हलीयो रोग ૮૪ For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ हेमतणां तिणि कीधां धारे भिनमाली भयभंजन नाथ મતલબ કે આ મંદિર સં. ૧૬૬૨ માં બંધાયું અને સંવત ૧૬૭૧ માં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું મંદિર પણ તેમાં જ બંધાવવામાં આવ્યું જેમાં મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પરિકરના સંવત - ૧૦૧૧ ની સાલની પ્રાચીન હોવાનું જણાય છે પરંતુ પરિકરમાંની મૂર્તિ એટલી પ્રાચીન જણાતી નથી. ૨. ગાંધીભૂતાના વાસમાં શ્રી શાંતિનાથજી ભ. નું શિખરબંધી જિનાલય પ્રાચીન છે. સંવત ૧૬૩૪ માં શ્રી હીરવિજય સૂરિએ એની પુનઃ પ્રતિષ્ઠા કરેલી છે. આ મંદિરમાં એક ઊભી અને બે બેઠેલી મૂર્તિઓ લગભગ સાતમા સૈકાની જણાય છે. સિવાય ચાર મૂર્તિઓ શ્રાવક - ગૃહસ્થોની પણ છે. ૩. ગાંધી મૂતોના વાસ માં થી પાર્શ્વનાથ ભગવાનનું ઘુમટબં ધ નાનું દેરાસર છે. મૂળ નાયકની ગાદી નીચે આ પ્રકારે લેખ વંચાય છે. संवत १६८३ वर्षे अषाढ वदी ४ गुरौ श्रीमाल वासी सा पेमा खेमा श्री पाबिंब का. प्र. श्री देवसूरिभिः સંવત ૧૬૮૩ના આષાઢ વદ ૪ને ગુરુવારે શ્રીમાલ રહેવાસી શા પેમા અને ખેમા નામના શ્રાવકોએ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને શ્રી વિજયદેવ સૂરિએ પ્રતિષ્ઠા કરી. સંભવત: આ મંદિર સં. ૧૬૮૩ માં બંધાયું હશે. આમાં રહેલી બીજી મૂર્તિઓ લગભગ ૧૫-૧૬મી શતાબ્દીની પ્રતીત છે. ૪. ઉપર્યુક્ત - તે મંદિરના પાસે આવેલા જૂના તપગચ્છના ઉપાશ્રયના ગોખલામાં બદામી વર્ણની એક હાથ ઊંચી શ્રી મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત છે તેના ઉપર સં. ૧૮મીનો લેખ છે. ૫. બજારમાં આવેલા ગણેશ ચોકમાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી નાનું દેરાસર છે. મૂળનાયક શ્રી શાન્તિનાથની બદામી વર્ણની પ્રતિમા ૨ ફૂટ ઊંચી બિરાજમાન છે. અહીં પહેલાં Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન હતા. એ સંબંધી આ મંદિરના મંડપના ડાબા હાથ તરફની ભીંતમાં સં. ૧૨૧૨ નો લેખ આ પ્રકારે श्री श्रुतायः नम संवत ।। १२१२ वेसाख शुदी ३ गुरुवासरे रत्नरपुरे भूपतिश्री रायपाल देव सुत महाराज सुवर्णदेवस्य प्रति भुजायमान महाराजाधिराज भूपति श्री रत्नपाल देव पादा पद्मोपजी विनः पादपूज्य भाडा कबीर - देवस्य महं देवहृत साठा पातस-मति महामातृ लखणा श्रेयसे धानत्यसक्रयमहनीयजूपामिधा ।। श्रेयो निमित्तं श्री ऋषभदेवयात्रायां भूप श्रीमान् मातृ जागेरवलि निमित्तं दत्तं शतमेकं शुमा देवकस्मलके प्रविष्टमत्र शत सूवर्ण व्याजेन गोवृषसोलस्य लखावत श्रयार्थ प्रवृद्वेन लाषा साढा प्रभृति श्रावकैयत वत श्रेयार्थ प्रवृद्वेन लाषा साढा प्रभृति श्रावकैधनसेससमलकेन वर्षप्रति द्र. १२ द्वादशं देयं सेवार्थेति मंगलं महाश्रीः ।। આ લેખમાંથી કેટલીયે ઐતિહાસિક વિગતો પ્રાપ્ત થાય છે. અહીં તો માત્ર આ ઋષભદેવનું જિનાલય સંવત ૧૨૧૨ માં બંધાયું એ મુખ્ય હકીકત જાણ્યા પછી અત્યારના મૂલનાયક શ્રી શાન્તિનાથ ભગવાનની પ્રતિમા જિર્ણોદ્ધાર સમયે પ્રતિષ્ઠિત થઈ એટલું નિર્મીત થાય છે. ૬. બુધ વાસમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ઘર-દેરાસર છે. કહેવાય છે કે આ મંદિર ગૂર્જર નરેશ શ્રી કુમારપાલે બંધાવ્યું છે. એ સમયે અહીં મૂલનાયક શ્રી આદીશ્વર પ્રભુ હતા. પણ એ સમયનો કોઈ લેખ મળતો નથી. આજે મૂળનાયક શ્રી વિરપ્રભુની જે પ્રતિમા બિરાજમાન છે તે સંવત ૧૮૦૩ માં શ્રી જિતેન્દ્ર સૂરિએ પ્રતિષ્ઠિત કરેલી છે. બીજી મૂર્તિઓ એ જ સાલના લેખવાળી છે. ભીનમાલથી ૧ માઈલ દૂર પશ્ચિમોત્તર દિશામાં એક નાનું દેવળ છે તેમાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનની અતિ પ્રાચીન ચરણ પાદુકાઓ સ્થાપના કરેલી છે. જેન જૈનેતર લોકો આ સ્થળે દર્શનાર્થે આવે છે. ભિન્નમાલથી on માઈલ દૂર દક્ષિણ પશ્ચિમ દિશામાં મજબૂત કોટવાળું એક જિનમંદિર છે. તેમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની ચરણ પાદુકાઓ બિરાજમાન છે. અહીં પ્રતિવર્ષ કાર્તિક શુદ ૧ ના દિવસે મેળો ભરાય છે. पल्ली संडेरय नाणण्सु कोरिट भिन्नमालेसु । वंदे गूजरदेसे आहाडाईसु મેવાડે .. આ રીતે જૈન દૃષ્ટિએ ભિન્નમાલનું ઐતિહાસિક મહત્ત્વ ગૌરવ ભર્યું છે. “સકલ તીર્થ સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન સૂરિએ ભિન્નમાલને એક તીર્થ સ્વરૂપ ગણાવ્યું છે. આમ તીર્થ તરીકે પણ પ્રસિદ્ધ આ સ્થળને પ્રાચીન અવશેષો શોધી કાઢવામાં આવે તો બીજુ ઘણું જાણવા જેવું મળી શકે એમ છે. મહાન શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રી જ્ઞાનવિમલ સૂરીશ્વરજી મ.નો જન્મ ભીનમાલ નગરમાં થયેલ હતો. મહાન શાસન પ્રભાવક ઉપમિતિ ભપ્રપંચ કથાને રચયિતા શ્રી સિદ્ધર્ષિ ગણિનો જન્મ ભીનમાલ નગરમાં થયેલ હતો. ભીનમાલ નગરમાં આજ ૧૧ જૈન દેરાસર છે. એનો વિશેષ પરિચય આ પ્રકારે છે. (૧) ગાંધી મુતોનો મહોલ્લો. ત્યાં ભગવાન શ્રી શાન્તીનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર અતિ પ્રાચીન છે. સં. ૧૬૩૪ માં મહાન આચાર્ય શ્રી હીરવિજય સૂરિજી મહારાજ દ્વારા પુનઃ પ્રતિષ્ઠિત છે. આ મહોલ્લામાં ભગવાન શ્રી પાર્શ્વનાથનું ઘુંમટબંધી મંદિર છે. મૂળનાયક શ્રી ભગવાનની ગાદી નીચેના લેખથી આ પ્રાચીનતમ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૬૮૬ અષાડ વદિ ૪ ના આચાર્ય શ્રી વિજયદેવ સૂરીજી દ્વારા થઈ હતી. અને મૂળનાયકજી ભગવાનની પ્રતિમાજી ભરાવવાનો લાભ શ્રીમાલનગર ભીનમાલ નિવાસ આદરણીય શેઠ શ્રી પ્રેમાશા અને ખેમાશાએ લીધો હતો. (૩) આ મંદિરની પાસમાં તપાગચ્છનો ઉપાશ્રય ગોખલામાં શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠિત છે અને તે વિક્રમ ૮૭ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૮ ની હોવાનો લેખ છે. ઉપર લખેલ ત્રણે જિન મંદિરોની પાસે નવો વિશાળ તપાગચ્છ ઉપાશ્રય છે. (૪) બજારમાં આવેલ શાનિચોક (ગણેશ ચોક)માં શ્રી શાન્તિનાથ ભગવાનનું શિખરબંધી સુંદર જિનાલય છે. આ દેરાસર પણ અતિ પ્રાચીન છે. સંવત ૧૨૧૨ માં આ દેરાસરમાં આદીશ્વર ભગવાનની પ્રતિમાજી બિરાજમાન કરેલી છે. શેઠોના મહોલ્લામાં ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધી વિશાળ જિનાલય છે. મૂળનાયક પાર્શ્વનાથ પરમાત્માની મૂર્તિ આ નગરની સૌથી વધારે પ્રાચીન મૂર્તિ છે. વિ. સં. ૧૦૧૧ ના વર્ષમાં પ્રતિષ્ઠા કરેલી છે. ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ સુવર્ણમય પ્રતિમાજી ભીનમાલ અને નરતા ગામની વચમાં આવેલ એક ખેતરમાંથી નીકળેલી હતી. આ મૂર્તિને લાવવાવાળા નરતા ગામના શ્રાવકો પ્રતિદિન ત્રણ ગાઉ દૂરથી આવીને ભગવાનની પૂજા કરીને કઠોર નિયમનું પાલન કરતા હતા. આ મંદિરના પાસમાં શ્રી મહાવીર સ્વામીજી ભગવાનનું શિખરબંધી સુંદર દેરાસર છે. શ્રી મહાવીર સ્વામીની સુવર્ણમયી આકર્ષક પ્રતિમાજી સાત ધાતુના સિંહાસન અને બે વિશાળકાય ઘેરાના આ નગરના ખેતરમાંથી એકએક પ્રાપ્ત થયેલ છે. આ મંદિરના પ્રતિષ્ઠા વર્તમાન આ વિદ્યાચંદ્ર સૂરિએ કરાવેલી છે. સં. ૨૦૧૮ નગરની પુરાણી પોસ્ટ ઑફિસની પાસે શ્રી મહાવીર સ્વામીનું વિશાળ જિનાલય શિખરબંધી છે. મહાવીર સ્વામીની મૂર્તિ મહાન ચમત્કારી છે અને દર્શનાર્થીઓના માટે ધ્યાનથી દર્શન કરવાની પ્રેરણા પ્રદાન કરવાવાળી છે. પહેલાં આ મંદિર ગુજરાતના મહાન રાજર્ષિ શ્રી કુમારપાળ દ્વારા બંધાયું હતું. અને સં. ૧૮૭૩ માં Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ (૮). મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા શ્રી જિતેન્દ્ર સૂરિજી દ્વારા થયેલી હતી. અને પછી પ્રાચીન દેરાસરની જગ્યાએ નવું કલામય શિખરબંધી જિનમંદિર શ્રી સંઘ ભીનમાલ દ્વારા નિર્માણ થયું અને સં. ૨૦૧૮ માં વિદ્યાચંદ્ર સૂરિજીના કરકમલો દ્વારા પાછી પ્રતિષ્ઠા સંપન્ન થઈ. આ મંદિરની પાસે વિશાળ ધર્મશાળા, એક આયંબિબ ખાતું અને પાઠશાળા નવી તૈયાર થઈ રહી છે. અહીં રહેવા માટે અને ખાવા પીવા માટેની સારી સગવડ રહેલી છે. ભીનમાલ રેલવે સ્ટે. રોડ પર પ્રતાપ સરાય ધર્મશાળામાં શ્રીમાનું ખિમચંદજી પ્રતાપજી ભીનમાલ નિવાસી દ્વારા શ્રી જગવલ્લભ પાર્શ્વનાથની મનોહર મૂર્તિનું બિંબ ભરાવી આચાર્ય શ્રી વિદ્યાચંદ્ર સૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાઈ. (૯) ભીનમાલથી રાનીવાડા રોડ ઉપર ૧ કિલોમીટર નગરથી દૂર પ્રાચીન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય છે. અને નૂતન જિનાલયનું નિર્માણ કાર્ય ચાલુ છે. (૧૦) નગરથી એક કિલોમીટર દૂર શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું અતિ રમણીય જિનમંદિર છે. (૧૧) ખારી રોડ પર આવેલું ચૌમુખજીનું જિનાલય નવું છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન છે. દેરાસરની નીચે ઉપાશ્રય છે. આ મંદિર અને ઉપાશ્રય શ્રીમતી વિજુભાઈ ઉખચંદજીએ બનાવેલું છે. (૧૨) માઘ ચોરાયા ઉપર નવનિર્માણ થતું જિનાલય એસ. એમ. બાફણા પરિવારે પૂ. પિતાશ્રીની સ્મૃતિ નિમિત્તે બનાવેલ છે. અંજનશલાકા પ્રતિષ્ઠા આ. ભ. શ્રીમદ્ પદ્મસાગ૨ સૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં સંવત ૨૦૫૦ મહામહિનામાં થશે. Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ભીનમાલ નગરની મહત્વપૂર્ણ ઘટનાઓનો ઉલ્લેખ વિ. સં. વર્ષો પૂર્વે વીર સંવત ૪૫ ૧. શ્રી સ્વયંપ્રભુસૂરિનું આગમન ૨ જયસેન રાજાનું નગર ઉપર આધિપત્ય અને જૈન ઘર્મને સ્વીકાર કરવો. વિ. સં. ૪૦૦ પૂર્વ વીર સં. ૧૦ ૧. નગરનો ૪૦ વર્ગ માઈલનો વિસ્તાર તથા ૭૨ કોટ્યાધિ બ્રાહ્મણોનું નિવાસ સ્થળ વિ. ૩૦૬ પૂર્વ ૨. ઉપલદેવના મંત્રી ઉહડ દ્વારા ઉપકેશપુર વસાવવું નગર પર મૌર્ય પરમાર રાજાનું રાજ્ય વિક્રમની પહેલી શતાબ્દીમાં ૧. વજસ્વામીજીએ નગરમાં વિહાર કર્યો. વિ. સં. ૧૫૭માં - ક્ષત્રિય રાજાનું રાજ્ય વિ. સં. ૨૦૨માં - સોલંકી રાજા અજિતસિંહ દેવનું રાજ્ય વિ. સં. ૨૨૨ યા ૨૨૩માં - યયાતિએ સાત મંજિલનું જગતસ્વામીનું સૂર્યમંદિર બનાવ્યું. વિ. સં. ૨૬૫માં - ભૂકંપના કારણે નગરનો નાશ થયો. વિ. સં. ૪૯ત્માં વિદેશીઓ દ્વારા નાશ થયો. વિક્રમની છઠ્ઠી શતાબ્દી : ૧. પંજાબથી આવીને તોરમાણે અહીં રાજધાની બનાવી. ૨. હરિગુપ્તસૂરિના ઉપદેશથી તોરમાણે જૈનધર્મનો સ્વીકાર કર્યો, ૩. મિહિરકુલનું શાસન બનાવ્યું. વિ. સં. ૫૮૫માં - વિધ્રરાજ રાજા થયો. ૯૦ Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૦મી શતાબદીમાં - જાલોર નાગોર જોધપુર વિ. સં. ૨૦૪માં - મિહિરકુલનું મૃત્યુ થયું વિ. સં. ૧૮૨ વિ. સં. ૬૮૫માં - બ્રહ્મગુપ્ત દ્વારા બ્રહ્મપુટ સિદ્ધાન્ત ગ્રંથની રચના. કરવી.. વિ. સં. ૬૮માં - આ નગર વિદ્યાના મોટા કેન્દ્રસ્થાન તરીકે ઓળખાયું વિ. સં. ૭૦૦માં - નગરની ચરમ સીમા પર પ્રગતિ વિ. સં. થી ૮મી શતાબ્દીમાં - ગૂર્જર પ્રતિહારોની શાન્તિનો પ્રારંભ થયો. વિક્રમની ૮મી શતાબ્દીમાં - કુલ કરોની સ્થાપના તથા ૮૪ ગચ્છોનું ઉત્પત્તિ સ્થળ વિકમ સં. ૦૩માં - મહાકવિ માઘ દ્વારા શિશુપાલ વધ મહાકાવ્યની રચના વિ. સં. ૭૩૩માં - નગરમાં ચાંદીના સિક્કાનું ચલન વિ. સં. ૭૦૫ ૧. રાજા ભાલ દ્વારા નગર ઉપર રાજ કરવું ૨. શ્રી ઉદયપ્રભસૂરીશ્વરજી દ્વારા નગરના ૬૪ કોયાધિપતિ બ્રાહ્મણોને જૈન બનાવવું ૩. રાજ ભાણના કાકાએ દીક્ષા લીધી જેઓ બાદમાં સોમપ્રભાચાર્યના નામે પ્રસિદ્ધ થયા. વિ. સં. ૯૯૧માં - શ્રી ઉદયપ્રભ સૂરિ દ્વારા પ્રાગ્વાટે બ્રાહ્મણોને જૈનધર્મી બનાવીને પોરવાડ જાતિનું ઉત્પત્તિ સ્થળ ૯૧ Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૦૫માં - શ્રી ઉદયપ્રભસૂરિએ ૨૪ બ્રાહ્મણોને જેન બનાવ્યા જેઓ બાદમાં સેઠિયા જાતિ (ઓસવાલ જેન)ના નામે પ્રસિદ્ધ થયા. વિ. સં. ૦૬માં - અરબ તથા સિંધ બાળીએ નગર ઉપર આક્રમણ કર્યું. નવમી શતાબ્દીમાં - શ્રી હરિભદ્રસૂરિજીને સાહિત્ય પ્રેરણાઓ અહીંથી (મળેલી) હતી. વિ. સં૮૨૦માં - પાટણની સ્થાપના વિ. સ. ૮૩પમાં - શ્રી ઉદ્યોતનસૂરિએ કુવલયમાળા કથા પ્રશસ્તિની પૂર્ણાહુતિ અહીં કરી હતી. દશમી શતાબ્દીમાં - ૧૮,૦૦૦ બ્રાહ્મણોનું નગર છોડીને પાટણ જવું. વિ. સં. ૯૦૧માં - મુસલમાનોના આક્રમણથી નગરનો નાશ થવો. વિ. સં. ૫પમાં - નગરનો ફરી વિકાસ થવો અને પ્રગતિ કરવી. વિ. સં. ૧૧૦૮માં - શ્રી ભેંસાસાહ શેઠ દ્વારા ગુજરાતીઓને ઘોતીની એક લાંગ ખોલવાની પ્રતિજ્ઞા કરાવવી. તેરમી શતાબ્દી - શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી કુમારપાળ દ્વારા અહીં મહાવીર સ્વામીજીનું એક જિનાલય બનાવવું. વિ. સં. ૧૨૦૩માં - શેઠ સુનન્દના વિશેષ આગ્રહથી લક્ષ્મીનું પાટણ જવું. જ Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી શતાબદી - ૧. નગરમાં ફક્ત ૧૫૦૦ ઘર તેમાં ૧૨૦ ભીલોનાં ઘરો હતાં. ૨. જૈન ધર્મને સારો એવો પ્રભાવ વિ. સં. ૧૩૦૧માં - નગરની ઈટી દ્વારા જાલોરના કિલ્લાનો પરકોટો બનાવવો. વિ. સં. ૧૩૨૩માં - શ્રી પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.સા. સં. ૧૩ર૪માં - શ્રી પ્રભાચંદ્રજીએ અહીંયા પ્રભાવક ચારિત્રની રચના કરી હતી. વિ. સં. ૧૩૫માં - અલ્લાદીન ખીલજી દ્વારા નગર પર આક્રમણ કરવું. વિ. સં. ૧૩૯૩માં - ઉદ્યોતનસૂરિ મ. ઉપકેશગચ્છ પ્રબંધની રચના કરી. વિ. સં. ૧૩૫૦માં - રાયસિંહે અહીં આક્રમણ કર્યું તેમાં જાલોરના પઠાણોના હાથે માર્યો ગયો વિ. સં. ૧૩૬૮માં - અંગ્રેજ નિકોલસ ઉપલેટે આ નગરને ૧૬ માઈલના ક્ષેત્રમાં બનાવ્યું જેમાં ૬ જૈન મંદિરો હતા. વિ. સં. ૧૩૦રમાં - ૧. અજિતસિંહે કૂકરશિયરથી હારીને સંઘી સ્વરૂપ પુત્રીની શાદી બાદશાહ ફકરુશિયર સાથે કરી જેમાં રાજ્ય અને ગુજરાતની સૂબેદારી પ્રાપ્ત થઈ ૨. અજિતસિંહ દ્વારા ગુજરાત જતી વખતે ભીનમાલને લૂંટવું. ૧૯૯૨ ઉજ્જૈનના – તીર્થેન્દ્ર સૂરિ દ્વારા નગરનો ચારે બાજ વિકાસ થયો. Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ભીનમાલના વિભિન્ન રાજાઓનો કાર્યકાળ - ભીનમાલ પ્રતિહાર રાજાઓનું વિવરણ ૧. શ્રી નાગભટ્ટ - ૭૬૫ ઈ.સ.ના લગભગ ૨. શ્રી કુકુડરથ અજ્ઞાત ૩. શ્રી દેવરાજઅજ્ઞાત અજ્ઞાત ૪. શ્રી વત્સરાજ ૭૮૩ ઈ.સ.ના લગભગ ૫. શ્રી નાગભટ્ટ - ૨ (નાગરાજ) ૮૧૫ - ૮૩૩ સન લગભગ (નાગવલોક) ૬. શ્રી રામચંદ્ર ૮૩૩ સન લગભગ ૭. શ્રી ભોજદેવ- (ભોજ) ૮૪૩ - ૮૮૧ લગભગ (આદિ વરાહ યા મિહિ૨) ૮. શ્રી મહેન્દ્રપાલ - ૧ ૮૯૩ લગભગ ૯. શ્રી મહિપાલ ૯૧૭ લગભગ ૧૦. શ્રી ભોજ - ૨ અજ્ઞાત ૧૧. શ્રી વિનાયક પાલ સન ૯૩૧ લગભગ Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રી મહેન્દ્ર પાલ ૯૪૬ ઈ.સ. લગભગ ૧૩. શ્રી દેવપાલ ૯૪૮ સન્ લગભગ ૧૪. શ્રી કવિ જયપાલ ૯૫૯ સન લગભગ ૧૫. શ્રી રાજપાલ ૧૦૧૮ સન લગભગ ૧૬. શ્રી ત્રિલોચનપાલ ૧૦૨૭ સન લગભગ ૧૦. શ્રી યશપાલ ૧૦૩૯ સન લગભગ Jain Educationa International ૯૫ For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભીનમાલના પરમાર રાજાઓનો રાજ્યકાલ ૧. શ્રી દેવરાજ ૨. શ્રી કૃષ્ણરાજ ૧૦૬૦ - ૧૦૬૬ ઈ. સ. લગભગ ૩. શ્રી સૌછારાજા અજ્ઞાત ૪. શ્રી ઉદયરાજ ૧૧૧૬ ઈ. સ. લગભગ 6. ૫. શ્રી સોમેશ્વર ૧૧૧૭ સન લગભગ ૬. શ્રી જયંતસિંહ Jain Educationa International ૧૧૬૧ સન લગભગ ૧૧૮૨ સન લગભગ શ્રી અલગ અજ્ઞાત ભીનમાલની પાસે સાવીદર ગામમાં ગયા બે મહિના પહેલાં પાષાણની જિન પ્રતિમાજી ખેડૂતના એક ખેતરમાંથી હળ ખેડતા (મળેલી) પ્રાપ્ત થયેલી ૬ પ્રતિમાઓ સંવત ૧૩૬૩ શ્રાવણ સુદ ૮ આ પ્રમાણે શિલાલેખ છે અને આ મૂર્તિઓ પર ભીનમાલનું પ્રાચીન નામ શ્રીમાળ અંકિત કરેલ છે. ૯૬ For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. આચાર્ય ભ. રવચંમપ્રભસૂરિશ્વરજી મ. સા.નું જીવન ઝરમર કેશી શ્રમણ આચાર્ય પટ્ટ વિભૂષક ઉદયાચલ પર સૂર્ય સમાન શ્રુત જ્ઞાનનો પ્રકાશ કરવાવાળા આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિ થયા. તેઓનો જન્મ વિદ્યાધર કુળમાં થયો હતો. તેથી કરી તેઓ અનેક વિદ્યાઓના પારગામી અને સ્વપરમતના શાસ્ત્રોમાં નિપુણ હતા. તેઓના આશાવર્તી હજારો મુનિઓ ભૂમંડલ પર વિહાર કરી ઘર્મ પ્રચારની સાથે જનતાનો ઉદ્ધાર કરી રહ્યા હતા. ભગવાન મહાવીરના ઉપદેશથી બ્રાહ્મણોનું જોર અને યજ્ઞ કર્મ નષ્ટ પ્રાય: થઈ ગયા હતા. તથાપિ મરુસ્થલ જેવા રેતીલા પ્રદેશમાં ન તો જેને પહોંચી શકે અને ન બુદ્ધ પણ અહીં આવી શકતા તેથી કરી અહીં વામમાર્ગીઓનું ભારે જોર હતું. યા હોમ સિવાય પણ મોટા-મોટા અત્યાચાર થઈ રહ્યા હતા. ધર્મના નામે દુરાચાર (વ્યભિચાર)નું પણ પોષણ થઈ રહ્યું હતું. કંડાપંથ, કાંચલિયા પંથ એ વામમાર્ગીઓની શાખાઓ હતી. દેવી શક્તિના ઉપાસક હતા. તે સમયે મારવાડમાં શ્રીમાલ નામનું નગર વામમાર્ગીઓનું કેન્દ્રસ્થાન માનવામાં આવતું હતું. આચાર્ય સ્વયંપ્રભસૂરિના ઉપાસક જેમ ખેચર-ભૂચર મનુષ્ય વિદ્યાધર હતા તેમ દેવી દેવતા પણ હતા. તેઓ પણ સમયે જો ઈન વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. એક સમય આચાર્ય શ્રી સંઘની સાથે સિદ્ધાચલની યાત્રા કરી - અર્બુદાચલની યાત્રા કરવા માટે આવ્યા હતા તે સમયે વ્યાપાર નિમિત્તે આવેલ શ્રીમાલનગરના કેટલાક શેઠ - શાહુકારે સૂરિજીની અહિંસામય અપૂર્વ દેશના સાંભળીને સૂરિજીને વિનંતી કરી કે હે ભગવન્! આપ તો અહિંસા ભગવતીની ભારે મહત્તા બતાવી રહ્યા છો. અને અમારે ત્યાં તો હર વર્ષે હજારો-લાખો પશુઓનું યજ્ઞમાં બલિદાન થઈ રહ્યું છે. અને એમાં જ જનતાની શાંતિ અને ધર્મ માનવામાં આવે છે. આજે આ પનો ઉપદેશ સાંભળવાથી એ જાણવા મળ્યું કે આ તો એક મહાન નરકનું જ દ્વાર છે. અગર આપ જેવા પરોપકારી મહાત્માઓનું અમારા જેવા અજ્ઞાન દેશમાં ૯૭ Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ પધારવાનું થાય તો ત્યાંની ભદ્રિક જનતા આપના ઉપદેશનો મહાન લાભ જરૂર ઉઠાવે. ઈત્યાદિ વિનંતી કરવાથી સૂરિજીએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો. જેમ ચિત્ત સારથીની વિનંતીનો સ્વીકાર કશી શ્રમણાચાર્યે કર્યો હતો તેમ અવસર જોઈન સૂરિજી ક્રમશ: વિહાર કરી શ્રીમાળ નગરના ઉદ્યાનમાં પધાર્યા, એ સમાચાર નગરમાં પણ પહોંચી ગયા. ત્યારે જેઓ અબુદાચલ પર વિનંતિ કરી હતી તેઓ મિત્ર પરિવાર સાથે સૂરિજીની સેવામાં તત્પર થયા અને હરેક પ્રકારની સુવિધા કરી આપી. તે સમયે શ્રીમાળ નગરમાં અશ્વમેઘ નામના યજ્ઞની તૈયારી થઈ રહી હતી. દેશ-પરદેશથી હજારો યાજ્ઞિક લોક એકત્ર થયા અને આ બાજ હજારો લાખો નિરપરાધી પશુઓને એકઠાં કર્યા હતાં. એક મોટો ભારે યજ્ઞમંડપ પણ બાંધવામાં આવ્યો હતો. ઘર-ઘરમાં બકરાં ભેંસ બાંધી હતી. તેઓને ધર્મના નામ પર યજ્ઞમાં બલિદાન કરી શાંતિ મનાવીશું વગેરે વગેરે. આ બાજુ સૂરિજીના શિષ્ય નગરમાં ભિક્ષા માટે ગયા હતા તેઓ નગરની હાલત જોઈને જનતા ઉપર કારુણ્ય ભાવ લાવી એમને એમ પાછા આવી ગયા. સૂરિજીને વિનંતી કરી કે હે ભગવંત ! આ નગર સાધુઓને ભિક્ષા લેવા યોગ્ય નથી એમ કહી યજ્ઞ સંબંધી બધી વાત કહી સંભળાવી. આ વાત સાંભળીને કરુણાસિંધુ સૂરિજી મહારાજ પોતાના ખાસ વિદ્વાન શિષ્યોને સાથે લઈ રાજસભામાં ગયા. ત્યાં યજ્ઞ સંબંધી વિચાર વિમર્શ અને તૈયારીઓ થઈ રહી હતી. અને મહાનું નિષ્કર કર્મના અધ્યાપક મોટા મોટા જટાઘારી શિર ઉપર રાખ લગાવી અને ગલમાં સુતરની દોરી ઘાલી માંસ લુબ્ધક મદિરા લોલુપરી નામધારી પંડિતો બેઠા હતા અને તેઓ બધા અનેક કપોલા કલ્પિત વાતો કરીને રાજાને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા હતા. કારણ નગરમાં મોટા જૈનાચાર્યનું આગમન થવાથી તેમના મનમાં મોટો ભય હતો. આચાર્ય ભગવંતનો પ્રભાવ - ૫ - તેજ એટલો બધો જબરજસ્ત હતો કે તેઓ સભામાં પ્રવેશ કરતાં જ રાજા જયસેન પોતાના આસનથી ઊઠીને સૂરિજીની સામે આવ્યો અને ખૂબ આદર સત્કારથી વંદના કરી નમસ્કાર કર્યા. સૂરિજીએ પણ રાજાને ૯૮ Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ "ધર્મલાભ” આપ્યો. એના ઉપર ત્યાં બેઠેલા નામધારી પંડિત આપસમાં હસવા લાગ્યા. રાજાએ આ પહેલાં ક્યારે પણ "ધર્મલાભ” શબ્દ કાનથી સાંભળ્યો નહોતો. એટલે રાજાએ નમ્રતાપૂર્વક સૂરિજીને પૂછ્યું કે હે પ્રભો ! આ ધર્મલાભ શું ચીજ છે? શું આપ આશીર્વાદ નથી આપતા જેમ કે અમારા ગુરુ બ્રાહ્મણ લોક આપ્યા કરે છે ? એના જવાબમાં સૂરિજીએ રાજાને કહ્યું કે હે રાજનું કેટલાક લોકો દીર્ધાયુષ્યનો આશીર્વાદ આપે છે. પરંતુ દીર્ધાયુષ્ય તો નરકમાં હોય છે. કેટલાક ઘણા પુત્રાદિકને આશીર્વાદ આપે છે પરંતુ એ તો ડુક્કર જાનવરાદિને પણ હોય છે. કેટલાક લક્ષ્મીવૃદ્ધિનો આશિર્વાદ આપે છે પરંતુ લક્ષ્મી તો શૂદ્ર અને વેશ્યાને ત્યાં પણ હોય છે. હે રાજનું એમાં કોઈ મહત્ત્વનો આશીવદ નથી પરંતુ જેને સાધુઓનો જે "ધર્મલાભ” રૂપી આશીર્વાદ અર્થાત્ તમને ધર્મનો લાભ કાયમ મળતો રહે. ધર્મલાભના પ્રભાવે જ આ લોકમાં કલ્યાણની સાધનસામગ્રી (સુખ -સંપત્તિ) અને પરલોકમાં સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ જ કારણથી જૈન સાધુઓનો ધર્મલાભ જગતના જીવોના કલ્યાણના હેતુ રૂપ છે. સૂરિજી મહારાજની યુક્તિ અને વિદ્વત્તામય શબ્દ સાંભળીને રાજાને અત્યંત આનંદ થયો. રાજાએ સૂરીશ્વરજીની સ્તુતિ અને આદર સત્કાર કરી અને આસન ગ્રહણ કરવાની વિનંતી કરી. ત્યાર બાદ સૂરિજી ભૂમિ પ્રમાર્જન કરી કાંબલીનું આસન બિછાવી શિષ્યોની સાથે બેસી ગયા. રાજા શિવ ઉપાસક હતો પરંતુ એના હૃદયમાં મધ્યસ્થ વૃત્તિ હતી અને નીતિજ્ઞ હોવાથી મહાપુરુષો ઉપર ગુણાનુરાગ હોવો સ્વાભાવિક વાત હતી. રાજાએ આચાર્ય ભગવંતને વિનંતી કરી પૂછયું કે હે ભગવંત ધર્મનું શું લક્ષણ છે? કયા ધર્મથી જીવ જન્મ-મરણથી મુક્ત થઈને અક્ષયપદ પ્રાપ્ત કરી શકે ? તેના જવાબમાં સૂરિજી મહારાજે પોતાના વિશાળ જ્ઞાનથી ઘર્મની વ્યાખ્યા કહી સંભળાવી. તેના સારાંશ રૂપે અહીં તેનો થોડો ઉલ્લેખ બતાવે છે. "अहिंसा लक्षणो धर्मो य धर्म प्राणिनां वधः तस्मात् धर्मार्थिर्मिर्योगः कर्तव्या प्राणिनां दया ॥" Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ ધર્મનું લક્ષણ અહિંસા છે. અને જીવોનો વધ એ અધર્મ છે. એટલા માટે ધર્માર્થીનું કર્તવ્ય છે કે સદૈવ જીવોની રક્ષા કરે અને સાંભળો. " પચૈતાનિ પવિત્રાળિ, સર્વેમાં ધર્મ ચારિબાપુ । અહિંસા સત્યમસ્તેય, ચાળો મૈથુન વર્ઝનનું ।।’ અર્થાત્ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને મૂર્છા ત્યાગ આ પાંચ મહાવ્રત સર્વ દેશના અનુયાયી મહાપુરુષોને બહુમાનપૂર્વક માનનીય છે. હે રાજન્ ! પ્રાણીઓની દયા કરવી એ જ મનુષ્યોનો ૫૨મ ધર્મ છે. જુઓ શ્રી કૃષ્ણચન્દ્રે પણ એ જ ફરમાવ્યું છે કે - यो दद्यात् कांचनं मेरुः कृत्स्नां चैव वसुन्धरा । एकस्य जीवीतं दद्यात् न च तुल्यै युधिष्ठिरः ॥ સોનાનો મેરુ અને સંપૂર્ણ પૃથ્વીનું દાન દેનાર પણ એક જીવને પ્રાણદાન દેનારની બરાબરી કરી શકતો નથી. અને સાંભળો " सर्वे वेदा न तत् कुपुः सर्वे यज्ञाश्च भारत । સર્વે તીર્થા મળેવાન્ન, યંત્ ર્થાત્ પ્રાળિનાં વા ।।’ અર્થાત્ હે અર્જુન ! જે પ્રાણી દયાનું ફળ આપે છે એ ફળ ન તો ચારો વેદ ભણવાથી, ન તો સર્વ યજ્ઞોથી, ન તો બધા તીર્થોમાં સ્નાન કરવાથી, ફળ મળતું નથી, એટલા માટે સર્વ તત્ત્વવેત્તા મહર્ષિઓએ ધર્મનું લક્ષણ અહિંસા જ બતાવ્યું છે. " अहिंसा सर्व जीवेषु तत्त्वज्ञैः परिभाषितम् । તું હી મૂર્ણ ધર્મસ્ય, શેષસ્તસ્યેવ વિસ્તરનું ।।'' હે નરેશ ! આ અપરંપાર સંસારની અંદર જે તત્ત્વવેત્તા અવતારીક મહાપુરુષો થયા છે તેઓએ ધર્મનું મૂળ અહિંસા જ બતાવી છે. બાકી સત્ય-અચાર્યાદિ અહિંસાના જ વિસ્તાર રૂપ છે. ઇત્યાદિ અનેક ઉદાહરણોથી સૂરિજીએ રાજાને ઉપદેશ આપ્યો. અને કહ્યું કે હે રાજન જેમ આપણું જીવન આપણને પ્યારું છે એવી જ રીતે બધા જીવોને પોતાનો પ્રાણ પ્રિય હોય છે. પરંતુ માંસ લોલુપી કેટલાક અજ્ઞાની પાપાત્માઓએ બિચારા નિરપરાધી પ્રાણીઓનાં ખલિદાન Jain Educationa International ૧૦૦ For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ કરવામાં પણ ધર્મ માની ભદ્રિક લોકોને ઘોર નરકમાં નાખવાનો પાખંડ મચાવી રહ્યા છે. પરંતુ કેટલાક દેશોમાં સત્યવક્તાઓના ઉપદેશથી જ્ઞાનનો પ્રકાશ થવાથી આ નિષ્ઠુર કર્મ મૂળથી નાશ થઈ ગયું છે. પરંતુ મરુસ્થલ જેવા અજ્ઞાન પ્રદેશમાં સદૂજ્ઞાન અને ઉપદેશના અભાવના કારણે અજ્ઞાન લોકો આ ગલત કાર્યના કીચડમાં ફરીને નરકના અધિકારી બની રહ્યા છે. વગેરે. . સાંભળતાં જ નિર્દય પાખંડી માંસ લોલુપી યજ્ઞાધ્યક્ષ ખોલી ઊઠયો કે મહારાજ આ જૈન લોકો તો નાસ્તિક છે. વેદોને અને ઈશ્વરને માનતા નથી. દયા યા કરીને સનાતન યજ્ઞ ધર્મનો નિષેધ કરી રહ્યા છે. આ લોકોને શું ખબર છે કે શાસ્ત્રોમાં યજ્ઞ કરવો મહાન ધર્મ અને દુનિયામાં શાંતિ થવી કહ્યું છે. દેખો ભગવન મનુએ શું ફરમાવ્યું છે - " यज्ञार्थ पशवः सृष्टाः स्वयमेव स्वयम्भूवा । यज्ञस्य भूत्त्यै सर्वस्य तस्मात् यज्ञे औषध्यः पशवोवृक्षास्तिर्यचः पक्षिणस्तथा यज्ञार्थ निधानं प्राप्ताः प्राप्नुवन्त्युत्सृतीः पुनः ॥" અર્થાત્ બ્રાહ્મણોને સ્વયં યજ્ઞ માટે અને સંપૂર્ણ સિદ્ધિ નિમિત્તે જ પશુઓને બનાવ્યા છે. યજ્ઞમાં ઔષધી-પશુ-પક્ષી તીર્યંચાદિ જીવો અને કપીજળાદિ પક્ષીઓનો જે બલિ આપવામાં આવે છે તે જીવો યજ્ઞમાં મરીને ઉત્તમ જન્મને પામે છે..... ઇત્યાદિ. એના જવાબમાં સૂરિજી મહારાજે કહ્યું કે હે મહાનુભાવો તમે લોકો થોડાસા સ્વાર્થના કારણે મિથ્યા ઉપદેશ આપી આપ સ્વયં કેમ ડૂખો છો અને બિચારા અજ્ઞાન લોકોને શા માટે અઘોગતિના પાત્ર બનાવો છો. અને જો યજ્ઞમાં ખલિ દેવાથી પ્રાણી ઉત્તમ ગતિ (સ્વર્ગ)માં જતા હોય તો ..... “નિતસ્ય યશોર્યો । સ્વર્ગ પ્રાપ્તિવ રીતે । સ્વપિતા યજ્ઞમાનેન । હિન્દુ તસ્માન હન્યતે ।।’’ Jain Educationa International ૧૦૧ For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ અગર સ્વર્ગમાં જવાના હેતુથી પશુઓને મારતા હો તો પહેલાં આપનાં પુત્ર-સ્ત્રી યજમાન અને તમે પોતે જ સ્વર્ગના માટે યજ્ઞમાં બલિ કેમ થતા નથી ? કેમકે આપ લોકોને જેટલી સ્વર્ગની અભિલાષા છે એટલી પશુઓને નથી, પશુ તો બિચારા પુકારી-પુકારીને કહે છે, એક કવિનું વાક્ય - "नाहं स्वर्ग फलोपभोग तृषितो नाभ्यर्थितस्त्वमया संतुष्टस्तण भक्षणेन सततं साधो न युक्तं तव स्वर्गे यान्ति यादित्वया, विनिहता यज्ञे धृवं प्राणिनो !! यज्ञं किं न करोसि मातृपितृभिः पुत्रस्तथा बान्धवै ॥" ભાવાર્થ - યજ્ઞમાં અસંખ્ય પશુઓના બલિદાન આપનાર જરા અમારી પુકાર પણ સાંભળો. અમે સ્વર્ગ ફળના ઉપભોગના તરસ્યા નથી. અને ન તો અને તમને પ્રાર્થના કરી કે તમે અમને સ્વર્ગમાં પહોંચાડો ! પરંતુ અમે તો માત્ર ઘાસ ખાઈન જ આનંદમાં રહેવા ચાહીએ છીએ. એટલા માટે અમને મારવા ઉચિત નથી. અને જો તમે અમને સ્વર્ગમાં મોકલવાના ઈરાદાથી મારતા હો તો આપના માતા-પિતા, પુત્ર-સ્ત્રી બાળ વગેરેને સ્વર્ગમાં મોકલવા જોઈએ. મહાનુભાવો આપ જરા જ્ઞાનદૃષ્ટિથી વિચાર કરો કે"युपंछित्वा पशून हत्वाः कृत्वा रुधिर कर्दमम् । યવ સ્વ . નર વન અને .” પ્રાણીઓના રુધિરનું કઈમ કરનાર પણ સ્વર્ગમાં જશે ? તો નરકમાં કોણ જશે ? હે રાજન ! આ નિષ્ફર વૃત્તિથી જનતામાં શાંતિ નહિ પરંતુ અશતિ થાય છે. જુઓ "हिंसा विध्नाय जायते, विध्न शान्तयै कृताऽपि हि । कुलाचारधियाऽप्येषा कृता कुल विनाशिनी ॥" મતલબ વિપ્નની શાંતિ માટે કરેલી હિંસા શાંતિ નહિં પરંતુ વિધ્ધ કરવાવાળી બને છે. જેમ કોઈને કુળમાં મિથ્યાઢિ હોય છે કે અમુક દિવસે હિંસા કરવી જોઈએ. પરંતુ તે જ હિંસા કુળનો નાશ ૧૦૨ For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ કરવાવાળી હોય છે. હે નરેશ ! કેટલાક લોકો એવા પણ નિષ્ઠુર હોય છે કે કર્મને પણ પોતાના કુળની પરંપરાથી ચાલી આવતી હોવાથી સમજીને એને છોડવામાં હીચકીચાય છે. પરંતુ બુદ્ધિમાન અહિતકારી કર્મને જલદી છોડીને સુખી બની શકે છે. જેમ " अपि वंशक्रमायातां यस्तु हिंसा परित्यनेत् । सश्रेष्टः सुलस इव काल सौकारिकात्मजः ॥" હે રાજન ! પ્રાણી હિંસાને કોઈ પણ શાસ્ત્રકારોએ ધર્મ નથી કહ્યો. આપ ખુદ બુદ્ધિથી વિચાર કરશો તો સમજાશે કે “यदि ग्रावानोर्य तरति तरणिर्युद्युदयते । प्रतीच्यांप्तार्चिर्यदि भजति शैल्यं कथमपि ॥ यदिक्ष्मापीठं स्यादुपरि सकलस्यापि जगतः । प्रसूते सत्यानां तदपि नव वधः कापि सुकृतम् ॥” અર્થાત્ જલમાં પથ્થર તરતો નથી. સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગતો નથી. અગ્નિ કદાપિ શીતળ નથી હોતો. પૃથ્વી કદાપિ અધોગમનમાં નથી જતી. છતાં પણ ઉપરોક્ત કાર્ય કોઈ દેવ દ્વારા પ્રયોગથી થઈ પણ જાય પરંતુ પ્રાણીઓની હિંસાથી તો ક્યારે પણ સુકૃત નહીં થાય કારણ કે ..... यावन्ति पशुरोमाणि, पशु गोत्रेषु भारत ? तावद् वर्ष सहस्त्राणि पञ्च्चयन्ते पशुघातकाः । પશુના શરીરમાં જેટલા ખાલ છે એટલા વર્ષ સુધી પશુને મારતા નરકમાં જઈને દુઃખ ભોગવે છે ! હે રાજન પ્રાણીઓને પ્રાણ કેવો પ્યારો છે. વીપતે પ્રય માળસ્ય, વોટિનીવિત વ યા ! ધનોટિ પરિત્યખ્ય, નીવો નીવિત મિતિ '' મરણ સમયે એક તરફ કોઈ સુવર્ણ દાન દેવાવાળો હોય ખીજી બાજુ જીવન દેવાવાળો હોય તો તે જીવ સુવર્ણને છોડીને જીવન જીવવાની જ ઇચ્છા કરશે. હે નીતિજ્ઞ મહાનુભાવ ! જરા આપ આપની નીતિ પર જુઓ. Jain Educationa International ૧૦૩ For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ "वैरिणोsपि विमुच्यन्ते, प्राणान्ते नृणभक्षणात् । तृणाहराः सदैवैते हन्यन्ते पशवः कथम् " || 9 || પ્રાણાન્તે મુખમાં ઘાસ લેવાવાળો મહાન શત્રુને પણ અવધ ગણાય છે. તો હંમેશાં ઘાસ ભક્ષણ કરનાર પશુને મારવું કેટલો અન્યાય કહેવાય ? “ये चक्रः कृर कर्माणः शास्त्र हिंसोपदेशकम् । ते यास्यन्ति नरके नास्तिके भ्योऽपि नास्तिकाः ||" અર્થાત્ જે ક્રૂરકર્મીઓએ હિંસોપદેશક શાસ્ત્રોની રચના કરી છે તેઓ નાસ્તિકોથી પણ નાસ્તિક હોવાથી નરકના ભાગી થશે. એટલું જ નહીં પરંતુ એવા શાસ્ત્રો ઉપર જેઓ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાવાળાઓને પણ નરકમાં સાથે લઈ જશે ! જેમ “विश्वस्तो मुग्धीलोकः पात्यते नारकावनौ । अहो नृशंसैर्लोभान्धे हिंसा शास्त्रोपदेश कैः ॥" ભાવાર્થ - ખિચારા વિશ્વાસુ ભદ્રિક લોકો પણ નિર્દય લોભાંન્ધ અને હિંસામય શાસ્ત્રોના પ્રભાવથી પ્રભાવિત થઈને નરકમાં જાય છે, અર્થાત્ નિર્દય એવા તેઓ પોતાના ભક્તોને પણ નરકમાં સાથે લઈ જાય છે. વગેરે ધર્મોપદેશ સાંભળીને રાજા અને સભાજનો ખૂબ જ ઉલ્લાસથી આનંદમાં આવીને ખોલ્યા કે ભગવાન અમે તો આવા ઉત્તમ શબ્દો આજે જ અમારા કાન દ્વારા સાંભળ્યા અને આપશ્રીનું કહેવું પણ સત્ય જ છે. પ્રાણીઓની હિંસા કરવી તો ઘોર ન૨કનું જ કારણ છે. અને તે સર્વથા ત્યાજ્ય છે. હું આપની સામે પ્રતિજ્ઞા કરું છું કે મારા નગ૨માં જ નહીં પરંતુ આખા રાજ્યમાં કોઈ પણ નિરપરાધી જીવોને મારવું તો દૂર રહ્યું પરંતુ તેઓને તકલીફ પણ નહીં આપવામાં આવે. હે કૃપાનિધિ ! જગતમાં ધર્મના અનેક ભેદો સાંભળવામાં આવે છે. અર્થાત્ મતમતાંતર છે તેની પરીક્ષા કઈ કસોટીથી કરી શકાય તે કૃપા કરીને બતાવો. હું એ ધર્મનો સ્વીકાર કરવા ચાહું છું. જેથી આત્મકલ્યાણ થઈ શકે. એટલે સૂરીશ્વરજીએ કહ્યું કે હે ધરાધિપ! Jain Educationa International ૧૦૪ For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ આમ તો દરેક ધર્મવાળાઓ પોત-પોતાના ધર્મને શ્રેષ્ઠ બતાવે છે. પરંતુ બુદ્ધિમાન પુરુષો તો ખુદ પરીક્ષા કરી શકે છે. यथा चतुर्भिः कनकं परीक्षते निघणच्छेदन तापज्ञाइनैः । तथैव धर्मे विदूषा परीक्षते श्रुतेन शीलेन तपोदयागुणै । ૧. જેમ કસોટી ઉપર કસવું. ૨. છેદવું. ૩. તપાવવું એવી રીતે ચાર પ્રકારથી સોનાની પરીક્ષા કરવામાં આવે છે. એ જ રીતે ૧. શાસ્ત્ર ૨. શીલ ૩. તપ અને ૪. દયા આ ચાર પ્રકારોથી બુદ્ધિમાન પુરુષ ઘરમની પરીક્ષા કરી શકે છે. (૧) જે શાસ્ત્રોમાં પરસ્પર વિરૂદ્ધતા ન હો. "અહિંસા પરમો ધર્મ” ને મુખ્ય પ્રધાન સ્થાન આપવામાં આવ્યું હોય, આત્મ કલ્યાણનું પૂર્ણ રહસ્ય બતાવ્યું હોય. તે શાસ્ત્રનો ધર્મ પ્રમાણિત હોય છે. (૨) શીલ - જેનું ખાન-પાન, આચાર, વ્યવહાર, બ્રહ્મચર્યાદિ શુદ્ધ હોય તે શીલ પ્રામાણિક માનવામાં આવે છે. (3) ત૫ - ઈચ્છાનો નિરોધ કરવો મતલબ અન્નાદિનો ત્યાગ કરવો. (૪) દયા – બધા જ જીવોની સાથે મૈત્રી ભાવના રાખવી. પરીક્ષાના આ ચારેય સાઘનો ઉપ૨ સૂરીશ્વરજી મહારાજાએ જૈન-જૈનેતર ધર્મની ખૂબ જ સમાલોચનાપૂર્વક વિવેચન કરી સંભળાવ્યું અને જૈન ધર્મના તાત્વિક જ્ઞાનની સાથે મુનિઘર્મ અને શ્રાવકધર્મ તથા સમ્યત્વનું સ્વરૂપ સમજાવ્યું. જે સાંભળીને રાજા અને નાગરિકોનો અંતરપટ્ટ ખૂલી ગયો. જે ચિરકાળથી હૃદયમાં મિથ્યાત્વ ઘૂસ્યું હતું તે એકદમ દૂર થઈ ગયું. રાજાએ કહ્યું કે હે ભગવાન્ મારી આટલી ઉમર વ્યર્થ ગુમાવી દીધી છે એના માટે હું શું કરું? હે પ્રભો ! હું આજે જૈન ધર્મ સ્વીકારવા તૈયાર થયો છું. સૂરીશ્વરજીએ કહ્યું "જહા સુખમ્” ત્યાર બાદ વિધિ વિધાનની સાથે વાસક્ષેપપૂર્વક રાજા અને પ્રજાને જૈન ધર્મની દીક્ષા આપી. રાજા સમ્યત્વ પામતાં જ પોતાના રાજ્યમાં ફરમાન કાઢયું કે જે યજ્ઞ માટે મંડપ બનાવ્યો છે તેને શીઘ્રતાથી તોડીફોડી નાખો. અને જે હજારો-લાખો પ્રાણીઓને બલિદાન માટે ભેગા કરવામાં આવ્યા હતા ૧૦૫ Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ તેઓને છોડી દો અને મારા રાજ્યમાં આ સંદેશો પહોંચાડી દો કે કોઈ પણ સક્સ મારા રાજ્યમાં કોઈ પણ નિ૨પરાધી જીવોને મારશે તે પ્રાણદંડનો ભાગી બનશે. અર્થાત પ્રાણના બદલામાં પ્રાણ આપવો પડશે. રાજા-પ્રજા અહિંસા ભગવતીના પરમ ઉપાસક બની ગયા. આ બાજુ હજારો-લાખો પશુઓ જ યજ્ઞમાં અલિ માટે એકત્રિત કર્યા હતાં તેમને જીવીતદાન મળવાથી તેઓ જતાં જતાં આશીર્વાદ આપી રહ્યા હતા. નગરમાં સ્થાન-સ્થાન ઉપ૨ જૈન ધર્મની અને સૂરીશ્વરજી મહારાજની વાહ વાહ થઈ રહી હતી. પટ્ટાવલીમાં એ જાણવા મળે છે કે તે સમયે કુલ ૯૦,૦૦૦ ઘરોને જૈન બનાવ્યા હતા. સર્વ પ્રથમ આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિએ જ વર્ણરૂપી જંજીરને તોડીને "મહાજન" સંઘની સ્થાપના કરી હતી. ત્યાર બાદ શ્રીમાળ નગરીના લોકો જુદા જુદા પ્રદેશોમાં જવાથી તેઓને શ્રીમાલવંશી કહેવા લાગ્યા અને એ જ શબ્દ ભવિષ્યમાં જ્ઞાતિના રૂપમાં પ્રચલિત થયો. શ્રીમાલ નગરના લોકો જૈન ધર્મના તત્ત્વજ્ઞાન અને ક્રિયા સમાચારીના અભ્યાસ માટે સૂરીજીને પ્રાર્થના કરી અને આચાર્યશ્રીએ તેનો સહર્ષ સ્વીકાર કરી અને પોતાના કેટલાક મુનિઓને ત્યાં થોડા સમય માટે રોકાવા માટે આજ્ઞા કરી. તે જ દિવસે સમાચાર મળ્યા કે આબુની પાસે પદ્માવતી નગરીમાં ચૈત્રશુક્લા પૂર્ણિમાના દિવસે અશ્વમેઘ નામનો મહાયજ્ઞ છે, આ સમાચાર સાંભળતા જ શ્રાદ્ધવર્ગ એકત્ર થઈને સાંજના સમયે આચાર્યની પાસે આવ્યો અને વિનંતી કરી કે હે ભગવાન ! આપશ્રીના પવિત્ર આગમનથી હજારો-લાખો પ્રાણીઓને અભયદાન મળ્યું. જે ક્રૂરકર્મી-વ્યભિચારી અને યજ્ઞ અલિદાન જેવા મિથ્યા આચારથી નરકમાં જવાવાળા જીવોને સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ થઈ સ્વર્ગ અને મોક્ષનો રસ્તો મળ્યો. પવિત્ર જૈન ધર્મની ખૂબ જ સારી પ્રભાવના થઈ છે. હે દયાળુ ! કરુણાસિંધુ આપના મહાન ઉપકારનો બદલો આ ભવમાંતો શું પરંતુ ભવોભવમાં પણ દેવાને અમે સર્વથા અસમર્થ છીએ. આપના ચરણકમળની સેવા ઉપાસના અમે લોકો એક ક્ષણ પણ છોડવા નથી માંગતા. પરંતુ આ સમયે એક ખાસ વિનંતી કરવા Jain Educationa International ૧૦૬ For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ચાહીએ છીએ. અને તે એ કે આબુની પાસે પદ્માવતી નગર છે. ત્યાંનો રાજા પદ્મસેન એક દેવીના ઉપદ્રવને શાંત કરવા માટે અશ્વમેઘ નામના યજ્ઞનો પ્રારંભ કર્યો છે. ત્યાં પણ હજારો-લાખો પશુઓને બલિદાન માટે એકત્ર કર્યા છે. કાલે પૂર્ણિમાનો જ યશ છે. અગર આપશ્રીનું કોઈ પણ હિસાબે ત્યાં પધારવું થાય તો જેમ અહીં લાભ થયો એ જ રીતે ત્યાં પણ મોટો ઉપકાર થશે. લાખો જીવોને પ્રાણદાન મળશે અને જૈન ધર્મની ઉન્નતિ થશે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે આપશ્રી ત્યાં પધારો તો આ કામમાં જરૂર સફળતા મળશે... વગેરે. ' સૂરિજી મહારાજાએ તેઓ શ્રાવકવર્ગની વિનંતીનો સહર્ષ સ્વીકાર કરીને કહ્યું કે અમે લોકો કાલે સવારે જ પદ્માવતી પહોંચી જઈશું. આ વાત સાંભળીને સંઘે સોચ્યું છે મહાત્માઓના માટે કયું કાર્ય અશક્ય છે ? છતાં પણ "પરોપકારાય શત વિભૂતય” પરંતુ આપણે પણ સૂરિજી મહારાજની સેવામાં સવારે જરૂર પહોંચવું જોઈએ. બધાની સંમતિ થતાં જ તુરંત ગામની સવારીઓ દ્વારા તે જ સમયે રવાના થઈ અને સવારે પદ્માવતી પહોંચી ગયા અને પદમાવતી નગરમાં સ્થાન-સ્થાન પર આ વાત ચર્ચાવા લાગી કે શ્રીમાળ નગરમાં એક જૈન ભિક્ષુકે રાજા-પ્રજાને યજ્ઞ ધર્મથી હટાવી અને જૈન બનાવી દીધા, અને એ ભિક્ષુક અહીં પણ આવવાવાળો છે. આ વાત સાંભળી યજ્ઞાધ્યક્ષકોના મનમાં ભારે ખળભળાટ મચી ગયો અને તેઓ પોતાના પક્ષને મજબૂત કરવાની કોશિશમાં લાગી ગયા! આ બાજુ આચાર્યશ્રી સૂર્યોદય થતાં જ પોતાની મુનિ ક્રિયાઓથી નિવૃત્ત થઈ વિદ્યાબળથી એક મૂહર્ત માત્રમાં પદ્માવતી પહોંચી ગયા. શ્રીમાળ નગરનો શ્રાદ્ધવર્ગ પહેલાંથી જ ત્યાં રાહ જોઈ રહ્યો હતો. આચાર્યશ્રીને ત્યાં પધારતાં જ તેઓ ખૂબ જ ઉત્સાહથી તેઓને સ્વાગત સાથે રાજસભામાં પધારવા માટે વિનંતી કરી. સૂરિજી શ્રાદ્ધવર્ગની સાથે રાજસભામાં પધાર્યા. રાજાએ ખૂબ જ ઉત્સાહથી સત્કારપૂર્વક સૂરિજીને નમસ્કાર કરી અને આસન ગ્રહણ કરવા વિનંતી કરી. સૂરીશ્વરજી મહારાજ પોતાની કાંબલીનું આસન ૧૦૭ Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ કરી તેઓ તેના ઉપર બિરાજમાન થયા. એટલામાં તો નગરજનોથી સભાહોલ ચિક્કાર ભરાઈ ગયો. રાજાની પાસે યજ્ઞાધ્યક્ષ મોટી-મોટી જટાવાળા પણ બેસી ગયા. ત્યાર બાદ આચાર્યશ્રીએ "અહિંસા પરમો ધર્મ” ઉપર વિસ્તારથી વિવેચનની સાથે વ્યાખ્યાન આપ્યું. ધર્મનું રહસ્ય અને આત્મકલ્યાણને માર્ગ એવી ઉત્તમ શૈલીથી બતાવ્યો કે ત્યાં ઉપસ્થિત શ્રોતાગણોનાં કઠોર પથ્થર, વજ જેવાં હૃદય પણ કોમળ થઈ ગયાં. તેઓના અંતર આત્મામાંથી અહિંસાનું ઝરણું વહેવા લાગ્યું અને યજ્ઞ જેવા નિર્દય નિષ્ફર કર્મ ઉપર તેઓને ધૃણા થવા લાગી. માનો કે અહિંસા ભગવતીદેવીએ તેઓના હૃદયકમળમાં પોતાનું સ્થાન જ જમાવી દીધું સૂરિજી મહારાજના વ્યાખ્યાનના અંતમાં પેલો નામધારી બ્રાહ્મણ યજ્ઞાધ્યક્ષ એકદમ બોલી ઊઠયો કે મહારાજજી ! આ કોઈ શ્રીમાળનગર નથી કે આપની દયા-દયાની પુકાર સાંભળીને સ્વર્ગ-મોક્ષ આપનાર યજ્ઞ કરવો છોડી દે. આ ધર્મ કોઈ નવો નથી પરંતુ હમારી રાજપરંપરાથી ચાલી રહ્યો છે. વગેરે. તેના જવાબમાં આચાર્યશ્રીએ કહ્યું કે મહાનુભાવો ! હું ન તો શ્રીમાળ નગરથી ધન લઈને આવ્યો – અને હું અહીંથી પણ કંઈ ધન માલ લઈ જવાનું નથી. સદુપદેશના અભાવથી ભદ્રિક લોકો આત્મકલ્યાણના રહસ્યને છોડીને હજારો લાખો પ્રાણીઓનાં લોહીથી - ખૂનની નદીઓ વહાવી કુકૃત્યથી નરકને પાત્ર બની રહ્યા છે. તેઓને સદૂમાર્ગ બતાવવો એ અમારું પરમ કર્તવ્ય છે એટલું જ નહીં પરંતુ આ કાર્ય માટે અમે અમારું જીવન અર્પણ કરી દીધું છે ! હે મહાનુભાવો સાંભળો तुष्यन्ति भौजनैविप्राः मयूर धनगजिते । साधवाः पर कल्याण खल पर विपतिभि ॥ જેમ બ્રાહ્મણોને ભોજન મળવાથી સંતુષ્ટ થાય છે. વાદળના ગર્જવાથી મોર આનંદ પામે છે. બીજાની પીડામાં લુચ્ચા લોકો ખુશી માને છે. એ જ રીતે સાધુજનો પરકલ્યાણમાં જ આનંદ માને છે. હે બ્રાહ્મણો શ્રીમાળ નગરના સજનોએ હજારો-લાખો નિર્દોષ પ્રાણીઓને અભયદાન આપ્યું. શું આપ એને બુરું માનો છો ? અને ૧૦૮ Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ યજ્ઞ માટે એકત્ર કરવા અસંખ્ય પ્રાણીઓનું બલિદાન આપી એનું માંસ ખાવાનું સારું સમજો છો? ભલે, તમે જ તમારા દિલમાં વિચારો કે આપનો ભાઈ જ આપને નરમેઘ યજ્ઞ કરી તેમાં આપને બલિ કરી દે તો આપને દુઃખ થાય ત્યા સુખ ? જટાધારીઓ આનો કોઈ પણ જવાબ આપી શક્યા નહીં ! સૂરિજીએ કહ્યું મહાનુભાવો ! પ્રાણીઓની ઘોર હિંસારૂપ યજ્ઞનો ત્યાગ કરી શાસ્ત્રના આદેશ મુજબ ભાવ યજ્ઞ કરો ! "सत्ययूपं तपोभग्निः कर्मणा समाधीमम् ! अहिंसा मुहुतिदद्या ! देवं यज्ञ सतांमतः" ॥१॥ અર્થાત્ સત્યનો સ્તુપ, તપની અગ્નિ, કર્મોની સમાધિ અને અહિંસારૂપ આહુતિ દ્વારા આત્માની સાથે અનાદિકાલથી લાગેલાં કર્મોનો નાશ કરી આત્માને પવિત્ર બનાવવો એ બ્રાહ્મણોનું પરમ કર્તવ્ય છે અર્થાત્ આને ભાવ યજ્ઞ પણ કહેવાય છે. આ ભાવયજ્ઞથી જીવ સ્વર્ગ અને મોક્ષને અધિકારી બની શકે છે, પરંતુ માંસ-મદિરાના લોલુપી લોકો પશુ હિંસા રૂપી યજ્ઞ કરી ખુદ નરકમાં જાય છે અને બિચારા ભદ્રિક જીવોને નરકમાં મોકલવાનો ઘોર અધર્મ કરે છે. જો વરાહાવતારે માંસ ભક્ષણ કરવાવાળાને અઢારમો દોષી માન્યો છે. "यस्तु मात्स्यानि मांसानि भक्षयित्वा प्रपद्यते । अष्टादशापराधं च कल्पयामि वसुन्धरा" “રેવાપહાર ચાન, યજ્ઞ ચાન થવા ! नन्ति जन्तून गतधृणा घोरं तेयांति 'दुर्गतिम् ॥" અર્થાત્ દેવની પૂજાના નિમિત્તે અથવા યજ્ઞ કર્મ હેતુથી જે નિર્દય પુરુષ પ્રાણીઓને મારે છે તે ઘોર દુર્ગતિમાં જાય છે, અને વાળી સાંભળો વેદાંતિઓના વચનોને. “તમતિ મામડ, પશુfમર્થનામા हिंसा नाम भवेद् धर्मो, न भूतो न भविष्यति ॥" અર્થાત્ જે લોકો યજ્ઞ કરે છે તેઓ અંધકારમય સ્થાનમાં (નરકમાં) ડૂબે છે. કેમકે હિંસાથી ન ક્યારે ઘર્મ થયો છે ન થશે. ૧૦૯ Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ હિંસાથી ધર્મની ઈચ્છા રાખવા વાળાઓ માટે શાસ્ત્રકારોએ ઠીક જ કહ્યું છે કે “स कमल वनग्रेर्वासरं भास्वदस्ता दमृतमुरगकृत्रात् साधुवादं विवादात् रुगपम ममजील्जिीवितं कालकूटादभिलपति वधाद् यः प्राणिनां धर्ममिच्छेन ॥" અર્થાતુ જે પુરુષ પ્રાણીઓના વઘથી ઘર્મની ઈચ્છા કરે છે તે દાવાનળ પાસે કમળની ઈચ્છા બરાબર છે, સૂર્યાસ્ત થયા બાદ સૂર્યની ઈચ્છા. વિવાદમાં સાધુવાદ, અજીર્ણથી રોગની શાંતિ અને હળાહળ ઝેરથી જીવવાની ઈચ્છા કરે છે. અર્થાત્ ઉપરોક્ત કલ્પનાઓ કરવી ફોગટ છે. એવી જ રીતે હિંસાથી ધર્મની ઈચ્છા કરવી નિરર્થક છે. કારણ કે પૂર્વના મહર્ષિઓએ સર્વ ધર્મોમાં અહિંસા ઘર્મને અને સર્વ દાનમાં અભયદાનને મહાન માન્યો છે. न णो प्रदानं न मही प्रदानं नाऽत्र प्रदानं हि तथा प्रदानम् यथा वादन्तीह बुधाः प्रदानं सर्व प्रदानेष्वभय प्रदानम् અર્થાતુ સર્વ દાનોમાં જેમ અભયદાનને ઉત્તમ માન્યું છે તેમ ગૌદાન, સંપૂર્ણ પૃથ્વીદાન અને અભયદાનને પણ માન્યું છે. હે રાજનું! હિંસા કરવી ઘર્મ નથી પરંતુ શાસ્ત્રકારોએ તો હિંસાને ધર્મ નષ્ટ કરવા વાળી કહી છે. "धर्मोपघात कस्त्वेष समारंभ स्तव प्रभो । नायं धर्म कृतो यज्ञो नहिं साधर्म उच्यते ॥' (सुगमार्थ) હે નરનાથ ! અહિંસા ભગવતીને મહિમા મહર્ષિઓએ કેવો બતાવ્યો છે તે પણ આપ જરા શાંતિથી સાંભળો. "मातेव सर्वभूतानां म हिंसा हितकारीणी अहिंसेव हि संसारमराववृत सारिणिः ૧૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ अहिंसा दुःख दावाग्नि प्रवृतेण धनाऽऽवली भवभ्रभिरु जार्तानाम् हिंसा परमोपधीरः ॥ २ ॥ અર્થાતુ અહિંસા સર્વ જીવોનું હિત કરવાવાળી માતા છે. અને અહિંસા જ સંસારરૂ૫ નિર્જન પ્રદેશમાં અમૃતની ખાણ સમાન છે. તથા દુઃખરૂપ દાવાનળને શાંત કરવા માટે વર્ષાઋતુ સમાન છે અને ભવભ્રમણ રૂપ મહારોગથી દુ:ખી જીવોના માટે પરમ ઔષધિ તુલ્ય આવી રીતે અનેક શાસ્ત્રો અને યુક્તિઓ દ્વારા આચાર્યશ્રીએ તેઓ શ્રોતાગણ ઉપ૨ અહિંસા ભગવતીનો એવો જોરદાર પ્રભાવ પાડયો જેથી રાજા અને પ્રજાના હૃદયમાં ધૃણિત એવા યજ્ઞ કર્મ રૂપી મિથ્યા અંધકાર દૂર થઈ ગયો અને અહિંસા ભાવ રૂપી સૂર્યનાં કિરણો પ્રકાશિત થવા લાગ્યાં. - રાજા અને નાગરિકો સૂરિજી મહારાજનું પ્રવચન સાંભળીને ખૂબ જ આનંદિત થયા અને કહેવા લાગ્યા કે ભગવાનું આપનું ફરમાન અક્ષરશ: સાચું છે. અમે લોકો આટલા દિવસથી અજ્ઞાનતાના કીચડમાં ફસ્યા હતા. અમે લોકો હર કામોમાં યજ્ઞ કરવો એ જ ધર્મ અને શાંતિ માનતા હતા. પરંતુ આજે આપશ્રીની દેશનાથી અમને ઠીક જ્ઞાન થયું છે કે પ્રાણીઓને તકલીફ આપવાથી પણ પરભવમાં બદલો આપવો પડે છે. તો પછી પ્રાણીઓનો નાશ કરવો એ ધર્મ નહીં પરંતુ પરમ અધર્મ જ છે. અને પરભવમાં એનો બદલો ચોક્કસ આપવો પડશે. આચાર્યશ્રીએ પોતાની સામે બેઠેલા બ્રાહ્મણોને પૂછ્યું કેમ ભટ્ટજી મહારાજ ! તમારા હૃદયમાં પણ અહિંસા ભગવતીનો કંઈ સંચાર થયો કે નહીં ? કારણ કે મેં પ્રાયઃ કરીને આ૫ના મહર્ષિઓનાં જ વાક્યો આપની સામે રજૂ કર્યા છે. આપના ઉપર જનતા સારો એવો વિશ્વાસ રાખે છે અને આપના સ્વલ્પ સ્વાર્થના કારણે વિશ્વાસ કરવાવાળાઓને અધોગતિના પાત્ર બનાવવું એ એક વિશ્વાસઘાત અને કૃતઘ્નીપણું જ છે. એનાથી આ૫ ખુદ ડૂબો છો અને આપની ઉપર વિશ્વાસ કરવાવાળાઓને પણ ઊડી ખાઈમાં ડૂબાડો છો. અગર ૧૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ આપ લોકો જો આપનું કલ્યાણ ચાહતા હો તો વીતરાગ-ઈશ્વર-સર્વસ પ્રણિત શુદ્ધ પવિત્ર અહિંસામય ઘર્મનો સ્વીકાર કરો. જેથી પૂર્વે કરેલાં દુષ્કર્મોથી છૂટી ભવિષ્યમાં આપની સદ્ગતિ થાઓ એવી અમારી હાર્દિક ભાવના છે. એના અનુસંધાનમાં બ્રાહ્મણોએ કહ્યું કે આપના સર્વજ્ઞ પુરુષોએ કયો ધર્મ બતાવ્યો છે કે જેના દ્વારા આપ અમારું ભલું કરી શકો ? સૂરીશ્વરજીએ કહ્યું કે હે મહાનુભાવો ! ધર્મનું મૂળ સમ્યક્ત (શુદ્ધ શ્રદ્ધા) છે, તે સમ્યત્વે બે પ્રકારે છે : (૧) નિશ્ચય સમ્યક્ત (૨) વ્યવહાર સભ્યસ્વ. જેમાં અત્યારે તો હું વ્યવહાર સમ્યક્ત બાબતમાં જ સંક્ષિપ્તમાં કહું છું. જેમ કે - "देवत्व श्री जिनेष्ववा मुमुक्षु पुगुरुत्वथी । धर्म धीरार्हता धर्मः, तस्यात् सम्यकत्व दर्शनम् ॥" દેવ - અરિહંત વીતરાગ સર્વજ્ઞ સકલદોષ વર્જિત કેવલજ્ઞાન દર્શન અર્થાત્ સર્વ ચરાચર પદાર્થોને હાથમાં રહેલા આમળાની જેમ દેખે અને સમજે, જેનું આત્મજ્ઞાન - તત્ત્વજ્ઞાન ખૂબ જ ઉચ્ચ કોટીનું હોય, ૫૨ કલ્યાણાર્થે જેનો પ્રયત્ન હોય, બધા જ જીવો પ્રતિ સમદષ્ટિ હોય, "અહિંસા પરમો ધર્મ” જેનો ખાસ સિદ્ધાંત હોય, ક્રીડા-કુતૂહલ અને વારંવાર અવતાર ધારણ કરવાથી સર્વથા મુક્ત હોય તે જ સાચા દેવ સમજવા. ગુરુ - અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિસ્પૃહતા એવું પાંચમહાવ્રત, પાંચ સમિતિ, તીન ગુણિ, દશ પ્રકારે યતિ ધર્મ સત્તર પ્રકારે સંયમ ઘર્મ, બાર પ્રકારનો તપ ઘર્મ વગેરે શમ-દમ-ગુણયુક્ત ભવ્ય પ્રાણીઓના કલ્યાણ માટે જેમને ખુદનું જીવન અર્પણ કરી દીધું છે તેઓને ગુરુ સમજવા. ધર્મ - "અહિંસા પરમો ધર્મ” જ ધર્મનું મુખ્ય લક્ષણ છે. એની સાથે ક્ષમા-તપ-દાન-બ્રહ્મચર્ય - દેવ - ગુરુ સંઘની પૂજા, સ્વધર્મીઓની ઉપાસના - ભક્તિ કરવી, જે ધર્મથી કોઈ પણ પ્રાણીઓને તકલીફ ન થાય અને ભવિષ્યમાં સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિ થાય એને ધર્મ સમજવો. ત્યાર બાદ સૂરિજીએ મુનિ ઘર્મ પાંચ મહાવ્રત અને શ્રાવક (ગૃહસ્થ) ૧૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં બાર વ્રત અને એના આચાર - વ્યવહારનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કર્યું. જેનો પ્રભાવ જનતા ઉપર એવો પડયો કે તે જ સ્થળે રાજા આદિ ૪૫,૦૦૦ ઘર પવિત્ર જૈન ધર્મનો સ્વીકાર કરી અને હજારો લાખો પશુઓને અભયદાન આપ્યું. રાજાની પૂર્વાવસ્થામાં ગુરુ પ્રાગ્વાટ બ્રાહ્મણ હતા તેઓએ કહ્યું કે પ્રભુ ! અમારા પૂર્વજોની સાથે અમારું પણ કંઈક નામ રાખવું જોઈએ કે અમે આપના ઉપદેશથી જૈનધર્મને સ્વીકાર કર્યો છે. એટલે સૂરિજીએ એના ઉપરની સંઘની પ્રાગ્વાટ જ્ઞાતિની સ્થાપના કરી. આગળ જતાં એ જ જાતિનું નામ "પોરવાડ” પડયું, એ જ મુજબ શ્રીમાળ નગર અને પદ્માવતી નગરીની આસપાસ વિચરીને હજારો-લાખો મનુષ્યોને પ્રતિબોધીને જેન બનાવી એ જ પૂર્વ જાતિઓમાં શામિલ કરતા ગયા. તેથી આ જાતિઓનો ખૂબ વિસ્તાર થયો. પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રીમાળનગરમાં શ્રી ઋષભદેવ ભગવાનનું અને પદ્માવતી નગરીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું વિશાળ જિનમંદિર બનાવ્યા તથા તે પ્રાંતોમાં બીજા પણ ઘણા જૈન મંદિરોની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના કરકમળોથી થઈ શ્રીમાળનગર પ્રાંતમાંથી સિદ્ધાચલજીનો એક ભારે મોટો સંઘ નિકાળ્યો હતો, અને આબુના મંદિરોનો જિર્ણોદ્ધાર પણ આ જ સંઘે કરાવ્યો હતો. વગેરે પૂજ્યશ્રીના ઉપદેશથી અનેક ધર્મકાર્યો થયાં. આચાર્યશ્રી સ્વયંપ્રભુસૂરિજી પાસે અનેક દેવ-દેવીઓ પણ વ્યાખ્યાન સાંભળવા આવ્યા કરતા હતાં. એક સમયની વાત છે. શ્રી ચકેશ્વરી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા દેવીઓ સૂરિજીનું વ્યાખ્યાન સાંભળી રહી હતી. તે સમયે આકાશમાર્ગથી રત્નચૂડ વિદ્યાધર સપરિવાર શ્રી નંદિશ્વર દ્વીપની યાત્રા કરીને સિદ્ધાચળજીની યાત્રા કરવા જઈ રહ્યો હતો. તેનું વિમાન આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિજી ઉપર થઈને જઈ રહ્યું હતું. તે સૂરિજીની ઉપર આવતાં જ અટકી ગયું. તે જોઈને રત્નચૂડ વિદ્યાધરનાયક વિચારવા લાગ્યો કે મારું વિમાન રોકવાવાળો કોણ છે? ઉપયોગ મૂકતાં ખબર પડી કે મેં જંગમ તીર્થની આશાતના કરી છે. આ ખોટું થયું. અને ઝટ વિમાનમાંથી ઊતરી સૂરિજીને વંદન કરી પોતાની ભૂલની માફી માંગી. આચાર્યશ્રીએ ધર્મલાભ આપ્યો અને અજાણતાં થયેલી ભૂલની માફી આપી. બાદ ૧૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ રત્નચૂડ રાજા સપરિવાર સૂરિજીનું વ્યાખ્યાન સાંભળવા બેસી ગયો. આચાર્યશ્રીએ વૈિરાગ્યમય દેશના આપી. સંસારની અસારતા અને મનુષ્યજન્મની દુર્લભતા સમજાવી વગેરે ઉપદેશની અસર વિદ્યાધર નાયકના કોમળ હૃદય પર એવી પડી કે તેઓ ખુદ સંસાર છોડી સૂરિજીની પાસે ચારિત્ર લેવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ એક પ્રશ્ન એના દિલમાં એવો ઉત્પન્ન થયો કે તે ઝટ ઊભો થઈ અને સૂરિજીને કહેવા લાગ્યો કે - "सुगुरु मम विज्ञापियति मम परम्परागत श्री पाश्वर्नाथ - जिनस्य प्रतिमास्ति तस्य वन्दनो मम नियमोऽसि सारावणलंकेश्वरस्य चैत्यालस्य अभवत् यावत् रामेण लंका विध्वंसिता तावद् मदीया पूर्वजेन चन्द्रचूडनरथानेन वैताढय आनिता साप्रतिमा मम पाश्वास्ति तथा सह अहं चारित्रं ग्रहीष्यामि ।" ભાવાર્થ - જે સમયે રામચન્દ્રજીએ લંકાને વિધ્વંસ કર્યો હતો તે સમયે અમારા પૂર્વજ ચન્દ્રચૂડ વિદ્યાધરોનો નાયક પણ સાથે હતો. અન્યોન્ય ચીજવસ્તુઓની સાથે રાવણના મંદિરમાંથી લીલાપન્નાની પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા વૈતાઢયગિરિ પર લઈ આવ્યો હતો, તે અનુક્રમે આજે મારી પાસે છે. મારે અટળ નિયમ છે કે હું તે પ્રતિમાનાં દર્શન-પૂજા કર્યા વિના અન્ન-જળ નથી લેતો, મારી ઈચ્છા છે કે ભગવાનની પ્રતિમા સાથે રાખીને દીક્ષા લઈ ભાવ-પૂજા કરતો થકો મારા પૂર્વ નિયમને અખંડિત રાખું ! આચાર્યશ્રીએ પોતાના શ્રુતજ્ઞાન દ્વારા ભવિષ્યના લાભાલાભ પર વિચાર કરીને કહ્યું કે "જહાસુખમુ” એટલે વિદ્યાધરોનો રાજા રત્ન ચૂડ ભારે ઉત્સવ મનાવવા સાથે પોતાના વિમાનવાસી પાંચસો વિઘાઘરોની સાથે દીક્ષા લેવા તૈયાર થઈ ગયો. “મ ામ જ્ઞાત્થિા તૌ રીક્ષા હતા શેષ વિદ્યાધરો દીક્ષાની અનુમોદના કરતા થતા શ્રી શત્રુંજયાદિ તીર્થોની યાત્રા કરી વૈતાઢયગિરિ ઉપર જઈ બધા સમાચાર આપ્યા. ત્યાર બાદ રત્નચૂડ રાજાના પુત્ર કનકચૂડને રાજગાદી ઉપર બેસાડયો. અને તે સહકઅ આચાર્યશ્રીને વંદન ૧૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે આવ્યો. રત્ન ચૂડ મુનિનાં દર્શન કરી પહેલાં તો ઓલંભો આપ્યો અને પછી ચારિત્રની અનુમોદના કરી દેશના સાંભળી વંદન નમસ્કાર કરી વિસર્જન થયા. રત્નચૂડ મુનિ અનુક્રમે ગુરુમહારાજ વિનય વૈયાવચ્ચ-સેવા-ભક્તિ કરતાં કરતાં "ક્રમેણ દ્વાદશાંગી ચતુર્દશ પૂર્વ બભૂવ” કહેવાની આવશ્યકતા નથી કે પહેલાં તો એમનો જન્મ જ વિદ્યાધર વંશમાં થયો હતો, બીજું તેઓ વિઘાઘરોના રાજા હતા. ત્રીજું વિદ્યાનિધિ ગુરુ ચરણાવિંદની સેવા કરી, પછી કંઈ વાતની ખામી હોય ? તેઓ સ્વલ્પ સમયમાં દ્વાદશાંગી-ચૌદ પૂર્વદિ સર્વાગમ અને અનેક વિદ્યાના પારગામી થઈગયા. એટલું જ નહીં પરંતુ ધૈર્ય ગાંભીર્ય શૌર્ય - ર્તક વિતર્ક સ્યાદ્વાદિ અનેક ગુણોમાં નિપુણ થઈ ગયા. આ બાજ આચાર્યશ્રી સ્વયંપ્રભસૂરિ શાસનોન્નતિ - શાસનસેવા આદિ કરતા, અનેક ભવ્ય જીવોનો ઉદ્ધાર કરતા કરતા પોતાની અંતિમ અવસ્થા જાણી રત્નચૂડ મુનિને યોગ્ય સમજીને આચાર્ય પદાર્પણ કર્યું. "गुरुणा स्वपदे स्थापितः श्रमद्धीर जिनेश्वरात् द्वपंचाशत् वर्षे પૂર) નાવાર્થ પર સ્થાપિતાઃ પંચશત સાધુસદ ઘણાં વિચત્તિ !” ભગવાન મહાવીરના નિર્વાણ બાદ પર વર્ષે રત્નચૂડ મુનિને આચાર્યપદ પર સ્થાપન કરી ૫૦૦ મુનિઓની સાથે પૃથ્વીતળ પટ વિહાર કરવાની આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિએ આજ્ઞા આપી. બીજા હજારો સાધુ - મહાત્મા આચાર્યશ્રી રત્નપ્રભસૂરિની આજ્ઞાથી અન્યોન્ય પ્રાંતોમાં વિહાર કરવા લાગ્યા. આ બાજુ સ્વયંપ્રભસૂરિ સંલેખના કરીને અંતમાં શ્રી સિદ્ધગિરિ ઉપર એક મહીનાનું અનસન કરી સ્વર્ગમાં ઉત્પન્ન થયા. ઈતિ. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પાંચમી પાટ પર આચાર્ય સ્વયંપ્રભસૂરિ થયા ! તેઓશ્રીએ પોતાના જીવનમાં વર્ણ જંજીરોને તોડીને "મહાજન” સંઘની સ્થાપના કરી. જેન સંઘ ઉપર મોટો ઉપકાર કર્યો. લગભગ ૨૦ લાખ મનુષ્યોને જૈન ધર્મની દીક્ષા આપી. આકાશમાં જ્યાં સુધી ચંદ્ર-સૂર્યનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી જેન જાતિમાં તેઓશ્રીનું નામ અમર રહેશે. જેન કોમ સદેવના માટે આપને ઉપકારની આભારી છે. કારણ શ્રીમાળ-પોરવાળ જાતિઓની સ્થાપના અને અનેક રાજા-મહારાજાઓને ધર્મબોધ ! ૧૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ લાખો પશુઓને જીવતદાન અને યજ્ઞમાં હજારો પશુઓનું બલિદાન રૂપ મિથ્યા-કુકર્મીઓનો જડ મૂળથી નાશ કરી દેવો વગરે ઘણી જ ધર્મ અને દેશની ઉન્નતિ થઈ. આ બધું આપશ્રીની કૃપાનું જ ફળ છે. ઉપકેશ પટ્ટન (હાલમાં જેને ઓશિયા નગરી કહે છે) ની સ્થાપના શ્રીમાલ નગરનો રાજા જયસેન જૈન ધર્મનું પાલન કરતો થકો અનેક પુણ્યકાર્ય કર્યાં. પટ્ટાવલી નં. ૩ માં લખ્યું છે કે જયસેન રાજાએ પોતાના જીવનમાં ૧૮૦૦ જીર્ણ મંદિરોનો ઉદ્ધાર અને ૩૦૦ નવા મંદિર બનાવ્યાં. અને ૬૪ વાર તીર્થોનો સંઘ કાઢયો. અને કૂવા, તળાવ, વાવડીઓ વગેરે બનાવરાવીને ધર્મ અને દેશની ખૂબ જ સેવા કરી અનંત પુણ્યોપાર્જન કર્યું, આપશ્રીનું વિશેષ લક્ષ સાધર્મિકોની તરફ વધારે હતું. જૈન ધર્મ પાલન કરવાવાળાઓની સંખ્યામાં આપે ઘણી વૃદ્ધિ કરી. જયસેન રાજાને બે રાણીઓ હતી. મોટી રાણીનો · પુત્ર ભીમસેન. નાનીનો પુત્ર ચન્દ્રસેન. તેમાં ભીમસેન તો પોતાની માતાના ગુરુ બ્રાહ્મણોના પરિચયથી શિવલીંગોપાસક હતો. અને ચન્દ્રસેન પરમ જૈનોપાસક હતો. બન્ને ભાઈઓમાં ક્યારે ક્યારેક ધર્મવાદ થયા કરતો તેમાં ક્યારે ક્યારેક તો ધર્મવાદ એટલું જોર પકડી લેતો કે એક-બીજાનું અપમાન કરવામાં પણ પાછા નહીં પડતા. આ વાત રાજા જયસેન સુધી પહોંચવાથી રાજાને ભારે દુ:ખ થતું. ભવિષ્યના માટે રાજા વિચારમાં પડી ગયો કે ભીમસેન મોટો છે. પરંતુ એને રાજ આપવામાં આવે તો તે ધર્માંધતાના કારણે અને બ્રાહ્મણોના પક્ષપાતમાં પડી જૈન ધર્મ અને જૈનોપાસકોનું અવશ્ય અપમાન કરશે. અને જો ચન્દ્રસેનને રાજ આપી દેવામાં આવે તો રાજ્યમાં અવશ્ય વિગ્રહ પેદા થશે. આ વિચારમાં ગોથાં ખાતાં રાજાને એક પણ ઉપાય ન મળ્યો પરંતુ સમય તો પોતાનું કાર્ય કર્યા જ કરે છે. રાજાની ચિત્તવૃત્તિને જોઈ એક દિવસ ચન્દ્રસેને પૂછ્યું કે પિતાજી આપના દિલમાં શું વિચારો છો ? એના જવાબમાં રાજાએ સારી પરિસ્થિતિ બતાવી. ચન્દ્રસેને નમ્રતાપૂર્વક મધુ૨ વચનોમાં કહ્યું Jain Educationa International ૧૧૬ For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ કે પિતાજી આપ તો જ્ઞાની છે. આપ તો જાણે જ છે કે સર્વ જીવો કર્માધીન છે, જે જે જ્ઞાનીઓએ જોયું છે અથતુ જેવી ભવિતવ્યતા હશે એમ જ થશે. આપ આપના દિલમાં શાંતિ રાખો. જૈન ધર્મનો એ જ સાર છે. મારા તરફથી આપ ખાતરી રાખો કે મારી નસોમાં આપનું જ્યાં સુધી ખૂન હશે ત્યાં સુધી હું તન-મન-ધનથી જૈન ધર્મની સેવા કરીશ. આ સાંભળી રાજા જયસેનને પરમ સંતોષ થયો. અદ્યપિ પોતાની અંતિમ અવસ્થામાં મંત્રીઓ તથા ઉમરાવોને ખાનગીમાં આ સૂચન કરી દીધું કે મારા પછી રાજગાદી ચંદ્રસેનને આપજો. કારણકે તે રાજ કે સર્વ કાર્યોમાં યોગ્ય છે વગેરે સૂચન કરી દીધું. અન્તમાં રાજા તો અરિહન્તાદિ પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરવાપૂર્વક આ મૃત્યુલોક અને નાશવંત એવા શરીરનો ત્યાગ કરી સ્વર્ગમાં પ્રસ્થાન કરી દીધું. રાજાના મૃત્યુના સમાચાર સાંભળતાં જ નગરમાં શોકનાં વાદળો છવાઈ ગયાં. હાહાકાર મચી ગયો. ત્યાર બાદ બધા લોકો મળીને રાજાની અંતિમ ક્રિયા મોટા મહોત્સવપૂર્વક કરી. બાદ રાજગાદીના વિષયમાં બે મત થઈ ગયા. એક મતનું કહેવું હતું કે ભીમસેન મોટો છે એટલે રાજ્યનો અધિકારી ભીમસેન છે. જ્યારે બીજો મત કહી રહ્યો હતો કે મહારાજા જયસેનનું અંતિમ કહેવું હતું કે રાજ્ય ચંદ્રસેનને આપવું અને ચન્દ્રસેન રાજગુણ ધૈર્ય-ગાંભીર્ય વીરતા ધીરતા-પરાક્રમ અને રાજતંત્ર ચલાવવામાં હોશિયાર છે, આ બન્ને પક્ષોને વાદવિવાદ એટલો બધો વધી ગયો કે જેનો નિર્ણય કરવો ભૂજાબળ ઉપર આવી ગયો. પરંતુ ચન્દ્રસેને પોતાના પક્ષકારોને સમજાવી દીધા કે મારી તો રાજ્યગાદીની ઈચ્છા નથી, આપ આપની હઠ છોડી દો, કારણ ઘર લેશમાં ભવિષ્યમાં ભારે હાનિ થશે વગેરે સમજાવવાથી તેનો સ્વીકાર કરી લીધો. બસ, હવે તો બ્રાહ્મણો વગેરે શિવોપાસકોનું પાણી નવ ગજ ચઢી ગયું. સર્વ પ્રથમ જ ભીમસેન રાજાએ પોતાની રાજસત્તાનો જોર-જુલમ જેનો ઉપ૨ જ જમાવવો શરૂ કરી દીધો. ક્યારે ક્યારેક તો રાજસભામાં પણ ચન્દ્રસેનની સાથે ધર્મયુદ્ધ થવા લાગ્યું, ત્યારે ચન્દ્રસેને કહ્યું કે મહારાજ હવે આપ જ્યારે રાજગાદી ઉપ ન્યાય કરવા બેસો ત્યારે આપનું કર્તવ્ય છે કે જેનોને અને શિવોને એક જ દૃષ્ટિથી જુઓ. જેમ મહારાજ જયસેન પરમ ૧૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન હોવા છતાં પણ બન્ને ધર્મવાળાઓને સમાન દૃષ્ટિથી જોતા હતા. હું આપને બરાબર કહું છું. આપ જો આપની કૂર નીતિનો પ્રયોગ કરશો તો આપના રાજ્યની જે આબાદી છે તે આખર સુધી રહેવી અસંભવ છે. વગેરે ઘણું સમજાવ્યું, પરંતુ સાથમાં બ્રાહ્મણ લોકો પણ રાજાની અનભિજ્ઞતાના બહાને જેનાથી બદલો લેવા ચાહતા હતા. ભીમસેનને રાજગાદી મળી ત્યારથી જ જેનો ઉપ૨ જલમ ગુજારવો પ્રારંભ થઈ ગયો હતો. આજે તો તેઓ જેને લોકો પૂરી તરહથી તંગ આવી ગયા હતા, ત્યારે ચન્દ્રસેનની અધ્યક્ષતામાં જેનોની એક વિરાટ સભા ભરાઈ. તેમાં આ પ્રસ્તાવ પાસ થયો કે બધા જ જેનોએ આ નગરનો ત્યાગ કરી દેવો, વગેરે ! બાદ ચન્દ્રસેન પોતાના દશરથ નામના મંત્રીને સાથે લઈને આબુ તરફ ચાલ્યો ગયો. ત્યાં એક ઉન્નતભૂમિ જોઈ શુભ શુકન - મૂહર્તમાં નગર વસાવવો પ્રારંભ કર્યો. ત્યાર બાદ શ્રીમાળ નગરથી ૭૨,૦૦૦ ઘરો જેમાં ૫,૫૦૦ ઘર અરબાહ્યિ પતિ અને ૧૦,૦૦૦ હજાર ઘરો લગભગ ક્રોડપતિના હતા. તેઓ બઘા પોતાના કુટુંબ-પરિવાર સાથે નૂતન નગરીમાં આવી ગયા. તે નગરીનું નામ ચન્દ્રસેન રાજાના નામ પર ચન્દ્રાવતી રાખી દીધું. પ્રજાની ઠીક ઠીક જમાવટ થયા બાદ ચન્દ્રસેનને ત્યાંના રાજપદ ઉપર અભિષેક કરી દીધો. નગરીની આબાદી એવી રીતે થઈકે ટૂંક સમયમાં નગરી દેવલોક જેવી બની ગઈ. રાજા ચન્દ્રસેનના પુત્ર શિવસેને બાજુમાં જ શિવપુરી નગરી વસાવી દીધી. તે પણ સુંદર આબાદી ઉન્નતિ ઉપર વસી ગઈ. આ બાજુ શ્રીમાળનગરમાં જે શિવોપાસક હતા તે જ લોકો ત્યાં રહી ગયા. નગરની હાલત જોઈને રાજા ભીમસેન વિચારમાં પડી ગયો કે બ્રાહ્મણોના ઘોખામાં આવીને મેં બરાબર નથી કર્યું, મારા રાજ્યની આ હાલત થઈ વગેરે શોચવા લાગ્યો. પરંતુ વહી ગયેલી વાતનો હવે પશ્ચાત્તાપ કરવાથી શું થાય ? રહી ગયેલા નાગરિકોના માટે શ્રીમાળ નગરના ત્રણ વિભાગ પડયા. તેમાં પહેલા વિભાગમાં ક્રો ડાધિપતિ, બીજામાં લક્ષાધિપતિ અને ત્રીજામાં સાધારણ લોકો એવી રચના કરી શ્રીમાળનગરનું નામ "ભિન્નમાળ” એવું નામ રાખી દીધું. ત્યાં ચંન્દ્રસેને પોતાના નામે ચન્દ્રાવતી નગરીની આબાદી કરી ૧૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ હતી. ચન્દ્રસેને ચન્દ્રાવતી નગરીમાં અનેક જૈન મંદિરો બનાવ્યા હતાં. જેમાં પ્રતિષ્ઠા આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિના હાથે થઈ હતી. અસ્તું. ચન્દ્રાવતી નગરી વિક્રમની બારમી-તેરમી શતાબ્દી સુધી તો ખૂબ જ આબાદીવાળી હતી. ૩૬૦ ઘરો તો ફક્ત કરોડપતિઓનાં હતાં અને પ્રત્યેક કરોડપતિઓની તરફથી હંમેશાં સ્વામી વાત્સલ્ય થયા કરતા હતા. પટ્ટાવલીથી જાણવા મળે છે કે ચન્દ્રાવતીમાં ૩૦૦ જિનમંદિર દેવભવન સમાન હતા. આજ તેના ખંડેર માત્ર રહી ગયા છે. એ સમયની જ બલિહારી છે. આ બાજું ભિન્નમાળ નગર શિવોપાસકો - વામમાર્ગઓનું નગર બની ગયું. ત્યાંના કર્તા-હર્તા બ્રાહ્મણો હતા. રાજા ભીમસેન તો એક માત્ર નામનો જ રાજા રહ્યો હતો. રાજા ભીમસેનને બે પુત્ર હતા એક શ્રીપુંજ બીજો ઉપલદેવ. પટ્ટાવલી નં. ૩ માં લખ્યું છે કે ભીમસેનનો પુત્ર શ્રીપુંજ અને શ્રીપુંજનો પુત્ર સુરસુન્દર અને ઉપલદેવ હતા પરંતુ સમયનું જોડાણ કરતાં પહેલાની પટ્ટાવલીનું કથન બરાબર મળે છે. મહારાજા ભીમસેનના મહાત્માત્ય ચન્દ્રવંશીય સુવડ હતો એના નાના ભાઈનું નામ ઉહડ હતું. સુવડની પાસે અઢાર ક્રોડ દ્રવ્ય હતું તેથી તે પહેલા વિભાગમાં અને ઉહડની પાસે નવાણું લાખ દ્રવ્ય હોવાથી તે ખીજા વિભાગમાં વસતો હતો. એક સમયે ઉહડના શરીરમાં તકલીફ થવાથી તેને વિચાર આવ્યો કે અમે બે ભાઈઓ હોવાથી એક બીજાનાં સુખ દુ:ખમાં કામ નથી આવતા. એટલે એક લાખ દ્રવ્ય મોટા ભાઈથી લઈ ક્રોડપતિ બનીને પહેલા વિભાગમાં જઈ વસુ. સવારે ઉહડે પોતાના ભાઈની પાસે જઈને એક લાખ દ્રવ્યની યાચના કરી પરંતુ ભાઈએ કહ્યું કે તારા વગર પ્રકોટમાં ખોટ નથી (બીજી પટ્ટાવલીમાં લખ્યું છે કે ભાઈની સ્ત્રીએ એવું કહ્યું) કે તું કરજ લઈને ક્રોડપતિ બનવાની કોશિશ કરે છે. વગેરે અહંકારી વચન સાંભળી ઉહડને ભારે દુ:ખ થયું ને ત્યાંથી જલદી નીકળી પોતાના મકાને ગયો અને એક લાખ દ્રવ્ય બનાવવાનો ઉપાય વિચારવા લાગ્યો. આ બાજુ યુવરાજ શ્રીપુંજ અને રાજકુમાર ઉપળદેવને આપસમાં કોઈ સાધારણ વાતમાં બોલાચાલી થઈ ગઈ એના કારણે Jain Educationa International ૧૧૯ For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રીપુંજે કહ્યું ભાઈ આવો હુકમ તો તમે પોતાના ભૂજા ખળે રાજ જમાવો ત્યારે જ ચાલશે ? આ મેણાનો માર્યો ઉપલદેવ પ્રતિજ્ઞા કરી લીધી કે જ્યારે હું મારા ભૂજબળથી રાજ્ય સ્થાપન કરીશ ત્યારે જ આપને મોઢું બતાવીશ. બસ એનો સહાયક ઉહડ મંત્રી વ્યગ્ર ચિત્તમાં બેઠો જ હતો. બન્ને આપસમાં વાર્તાલાપ કરી પ્રતિજ્ઞાપૂર્વક ભિન્નમાળ નગરથી નીકળી ગયા અને ચાલતા ચાલતા રસ્તામાં એક સ૨દા૨ મળ્યો એણે પૂછ્યું કુમાર સાહેબ આજે કઈ તરફ ચઢાઈ કરી છે ? ઉપલદેવે કહ્યું કે અમે એક નવા રાજ્યની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ, ફરી પુછ્યું આ સાથે કૌન છે ? આ મારો મંત્રી છે. પેલા સરદારે કહ્યું કુમાર સહેબ રાજ્ય સ્થાપન કરવું કોઈ બાળકોનો ખેલ નથી, આપની પાસે કઈ એવી સાધન-સામગ્રી છે કે જેનાથી આપ રાજ્ય સ્થાપન કરી શકશો ? કુંવરે કહ્યુ કે અમારી ભુજાઓમાં બધી સામગ્રી ભરી છે કે જેના સહારે અમે નવા રાજ્યની સ્થાપના કરી શકીશું. વીરતાભર્યાં વચનો સાંભળીને સરદારે આમંત્રણ આપ્યું કે સમય ખૂબ જ ખરાબ છે. એટલે રાત્રિ અમારે ત્યાં વિશ્રામ કરો કાલે સવારે પધારશો. ઘણોજ આગ્રહ હોવાથી કુમારે સ્વીકાર કર્યો અને સરદારની સાથે ચાલ્યો. તે સરદાર હતો વૈરાટ નગરનો રાજા સંગ્રામસિંહ. કુમારને ઘણા સત્કારપૂર્વક પોતાના નગરમાં લાવ્યો ઘણું સ્વાગત કર્યું. તેના ગુણો શૌર્ય-ધૈર્ય ગાંÆર્યાદિ અનેક સદ્દગુણોથી મુગ્ધ થઈ રાજા સંગ્રામસિંહે પોતાની પુત્રીની સગાઈ ઉપલદેવ કુમારની સાથે કરી દીધી. રાત ત્યાં રોકાઈ અને બીજા દિવસે સવારમાં ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં અશ્વ વેપારીઓની પાસેથી ૫૫ ઘોડા (પટ્ટાવલી નં. ૩ માં ૧૪૦ ઘોડા) ખરીદ્યા, લખ્યું છે કે રાજ્ય સ્થાપન થયા બાદ પૈસા આપવાની શર્ત ઉપર ઘોડાની ખરીદી કરી ત્યાંથી રવાના થઈ હેલીપુર (દિલ્લી) પહોંચ્યા. ત્યાં શ્રી સાધુ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે છ મહિના રાજ્યનું કામ કરતો હતો અને છ મહિના અંતઃપુરમાં રહેતો હતો. ઉપલદેવ રાજકુમાર હંમેશાં રાજદરબારમાં જતો હતો અને એક એક અશ્વ ભેટ કર્યા કરતો હતો. જ્યારે કુમારે ૧૮૦ દિવસમાં બધા ઘોડા ભેટ કરી દીધા ત્યાર બાદ એક દિવસ રાજા રાજ્યસભામાં આવ્યો અને તેને ઘોડા ભેટ કર્યાની ૧૨૦ Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ વાત સાંભળી ત્યારે ઉપલદેવ કુમારને બોલાવ્યો, અને હકીકત પૂછી. ત્યારે કુમારે કહ્યું કે ભિન્નમાળના રાજા ભીમસેનનો પુત્ર છું. નવું નગર વસાવવા માટે થોડી જમીનની યાચના કરવા માટે અહીં આવ્યો છું. (આ વિષય પટ્ટાવલીઓના સિવાય બીજે પણ કવિતાઓમાં મળે છે) પરંતુ તે શાયદ પાછળથી કવિઓએ રચેલી જણાય છે. ખેર, રાજા સાધુએ કુમારની વીરતા ઉપર મુગ્ધ થઈ એક ઘોડી આપી અને કહ્યું કે જાઓ જ્યાં ઉપર ઉજડ ભૂમિ જુઓ ત્યાં આપનું નવું નગર વસાવજો, તે સમયે બાજુમાં જ એક શકુનિ બેઠો હતો તેણે કુમારને કહ્યું કે જ્યાં ઘોડી પેશાબ કરે ત્યાં જ આપનું નવું નગર વસાવી દેજો. આજ શુકન ઉપર રાજકુમાર અને મંત્રી ત્યાંથી ઘોડેસવારી કરી ચાલી નીકળ્યા. ક્રમશ: સવાર થતાં જ મંડોરથી થોડે દૂર ઉજડ ભૂમિ પડી હતી ત્યાં ઘોડીએ પેશાબ કર્યો. બસ ત્યાં જ છડી રોપી દીધી. નગર વસાવવાનો પ્રારંભ કરી દીધો. ઉછીની જમીન હોવાથી તે નગરનું નામ ઉહસપન રાખી દીધું. મંત્રીશ્રી અહીં-તહીંથી લોકોને નગરમાં વસાવી રહ્યો હતો, આ સમાચાર ભિન્નમાળમાં થયા ત્યાંથી પણ ઉપદેવ અને ઉહડના કુટુમ્બીજનો અને નાગરિકો ઘણી જ સંખ્યામાં ઉહસ૫નમાં આવી ગયા. "ततो भीनमालात् अष्टादश सहस्त्र कुटुम्ब आगत; द्वादश योजन नगरी जता" આ સિવાય પણ ઘણી પ્રાચીન કવિતાઓ પણ મળે છે. "गाडी सहस गुण तीस. भला रथ सहस इग्यार अढारा सहस अवतार पाला पायक नही पार, ओठी सहस अठार, तीस हस्ति मद झरंता. दश सहस दुकान. कोड व्यापार करंता. पंच सहस विन भिन्नपाल से मणिधर साथे माडिया. शाह उहडने उपलदे सहित, घर बार साथे छाडिया" ॥१॥ ભલે ઉપલદેવ અને ઉહડના કુટુમ્બ અઢાર હજાર અને બાકીના પાછળથી આવ્યા હશે ? પરંતુ એ તો ચોક્કસ છે કે ભિન્નમાળ તૂટીને ઉહસપટ્ટન વસ્યું છ! મૂળ પટ્ટાવલીમાં નગરનો વિસ્તાર બાર યોજનનો ૧૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ છે સાથે ખંડોર નગરી પણ એ જ સમયે મોજુદ હતી. ઉહશનું નામ સંસ્કૃત ગ્રંથોમાં ઉપકેશપટ્ટન લખ્યું છે. ઉહશનું અપભ્રંશ "ઓશિયા" થયું છે. વંશાવલીઓથી જાણવા મળે છે કે વર્તમાન ઓશિયાથી ૧૨ માઈલ તિવી ગામ છે. તે તેલીપુર હતું. ૬ માઈલ ખેતાર ક્ષત્રિયપુરા ૨૪ માઇલ લોહાવટ ગામ છે. ત્યાં પ૨ ઓશિયાનો દરવાજો હતો. જેના જૂના કંઈક ચિહ્નો આજે પણ ખોદકામ કરતા મળે છે. થોડાં જ વર્ષો પહેલાં તિવરીની બાજુમાં ખોદકામ કરતા સમયે એક શિખરબદ્ધ જૈનમંદિર જમીનમાંથી નિકળ્યું છે વગેરે પ્રમાણોથી ઉહશપુર. શ્રી જૈન જાતિ મહોદય પ્રકરણ ચોથું પરિશિષ્ટ નંબર - ૩ (શ્રીમાળ જ્ઞાતિ) શ્રીમાળ જ્ઞાતિ : શ્રીમાળ જ્ઞાતિનું ઉત્પત્તિસ્થાન શ્રીમાળનગર છે. અને આ જ્ઞાતિના પ્રતિબોધક આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિ જેઓ ભગવાન શ્રી પાર્શ્વનાથની પાંચમી પાટે થયા છે. આ જ્ઞાતિના ઐતિહાસિક પ્રમાણોના વિષયમાં અમે પહેલાં જ લખી છે કે ચૂક્યા આ જ્ઞાતિનો શૃંખલાબદ્ધ ઈતિહાસ જેવો જોઈએ એવો મળતો નથી. છતાં એટલા માત્રથી અમે સર્વથા હતાશ પણ થતા નથી. કારણ શોધ-ખોળ કરવાથી એવા ઘણા પ્રમાણો મળી પણ શકે ખરા ? હમારી પટ્ટાવલીઓના પ્રમાણોને સ્થાઈ કરી રહ્યા છે તેનું થોડું પ્રમાણ અહીં આપવું સમુચિત ગણાશે. (૧) વિમલ પ્રબંધ અને વિમલ ચરિત્ર श्रीकार स्थापना पूर्व !! श्रीमाल द्वापरान्तरे । श्री श्रीमाल इति ज्ञाति स्थापना विहिताश्रियाः || ભેટ તણિ લમિ વાપરિ ! શ્રી પ્રસાદ સુરંગઉ કરી થાપી મૂરતિ મુહૂર્ત જોઈ ! લમિ લખણવન્તિ હોઈ દ્વાપર માઈ જે હુઈ થાપના ! સહુના ભય ટળ્યા પાપના ! શ્રીગોત્રજા શ્રીમાળી તણી કરઈ ચિંતા પ્રસાદ ભણિ ।। Jain Educationa International ૧૨૨ For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ આ લેખોથી શ્રીમાળ નગરની એટલી બધી પ્રાચીનતા સિદ્ધ થાય છે કે તે દ્વાપરના અંતમાં વસ્યું છે. અને આ જ નગરના નામે "શ્રીમાલ" જ્ઞાતિની ઉત્પત્તિ થઈ અને શ્રીમાળ જ્ઞાતિની ગૌત્રજ લક્ષ્મીદેવી છે. (૨) વિમળ ચારિત્રમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે ઉપકેશપુરની સ્થાપના સમયે શ્રીમાળ નગરના ઘણા ખરા લોકોએ આવીને ઉપકેશપુરમાં વાસ કર્યો. તે લોકો ઘણા જ ધનાઢય અને પ્રતિષ્ઠિત તથા મોટા-મોટા વ્યાપારીઓ હતા. એટલા જ માટે ઉપકેશપુર નગર થોડા જ સમયમાં વેપારનું એક કન્દ્રસ્થાન બની ગયું. યાચકોની આજીવિકા એમના યજમાનો ઉપર નિર્ભર હોય છે. તેથી કરી જ્યાં યજમાનો જાય ત્યાં યાચકોને પણ જવું પડે છે. એ નિયમાનુસાર શ્રીમાળ નગરના લોકો આવીને ઉપકેશપુરમાં વસ્યા ત્યારે તેમના યાચકો (બ્રાહ્મણો) પણ એમની પાછળ-પાછળ ઉપકેશપુરમાં આવીને વસ્યા. તે યજમાનો ઉપર બ્રાહ્મણોનો કર એટલો જોરદાર હતો કે "પંચ શતીશષોડશાધિયું” અર્થાત્ ૫૧૬ ટકાનો લાગ દાણા રૂપ ટેક્ષ હતો, આવા જુલ્મી કરથી જનતા તે જમાનામાં ઘણી જ દુઃખી હતી. પરંતુ તે લોભાનંદી બ્રાહ્મણોના જુલમથી તે જમાનામાં છૂટવું કોઈ સહજ ખાત નહોતી. એક સમયની વાત છે કે જૈન મંત્રી ઉહડ વેપાર નિમિત્તે મ્લેચ્છ દેશમાં જઈને આવ્યો હતો એના કારણે બ્રાહ્મણોએ ઠરાવ કરી દીધો કે ઉહડ મંત્રી મ્લેચ્છ દેશમાં જઈને આવ્યો છે એના કારણે એને ત્યાં ક્રિયાકાંડ કોઈ પણ બ્રાહ્મણ નહીં કરાવે, જ્યાં સુધી શુદ્ધિ નહીં કરાવે કારણ એમાં પણ બ્રાહ્મણોને ભારે લાભ હતો. ત્યારે મંત્રીશ્વર તે બ્રાહ્મણોથી થાકીને પોતાના નગરવાસી તમામ ભાઈઓને સુખી બનાવવાની નિયતથી પોતાના દ્રવ્યની સહાયતાથી મ્લેચ્છ દેશમાંથી એક મોટી સેના ખોલાવીને પેલા પ્રપંચી બ્રાહ્મણોની પાછળ કામે લગાડી ત્યારે બ્રાહ્મણો તંગ આવી જઈને ઉપકેશપુરથી ભાગીને શ્રીમાળ તરફ ચાલ્યા ગયા. સેનાએ પણ તેઓનો પીછો છોડયો. બ્રાહ્મણો શ્રીમાળ નગરમાં પેસી ગયા અને મ્લેચ્છોએ શ્રીમાળ નગરને ઘેરી લીધું. જ્યારે નગરના અગ્રેસર ૧૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ લોકોએ સ્વેચ્છોને સૈન્ય લાવવાનું કારણ પૂછ્યું ત્યારે સ્વેચ્છાએ બધી વાત કહી સંભળાવી. અંતમાં કહ્યું કે આ બ્રાહ્મણ લોકો ઉપકેશપુરવાસીઓ ઉપરનો કર છોડી દે તો અમે પાછા હટી જઈશું, એટલે બ્રાહ્મણોએ નાગરિકો સાથે સમજૂતી કરી ઉપકેશપુરવાસીઓ ઉપર જે બ્રાહ્મણોએ જુલમી ટેક્ષ નાખ્યો હતો તે કાયમના માટે બંધ કરી દીધો. ત્યારે મ્લેચ્છ લોકો પોતાની સેના લઈ ઉપકેશપુર આવી ઉહડ મંત્રીને વિગતવાર વાત કહી સંભળાવી, ત્યારે મંત્રીશ્વરે ઉપકેશપુરમાં ઉદ્દઘોષણા કરાવી દીધી. આ વિષયમાં લેખકશ્રીએ સમરાદિત્ય કથાનો સાર ભાગ અહીં આપ્યો છે. "तस्मात् उपकेश ज्ञातिनां गुरुवो ब्राह्मणा नहि । उएस नगर सर्वं कररीण समृद्धि मत्ता ॥ सर्वथा सर्व निर्मुक्त मुएश नगरं परम् । तत्प्रमृति संजातमिति लोको प्रवीणम् ॥" ભારતીય અન્યોઅન્ય જ્ઞાતિઓના ગુરુ બ્રાહ્મણો છે. પરંતુ ઉપકેશ જ્ઞાતિ (ઓસવાળ જ્ઞાતિ)ની સાથે બ્રાહ્મણોનો કંઈ પણ સંબંધ નથી. એનું કારણ ઉપર લખેલી કથા જ બરાબર બેસે છે. આ લેખથી એ સિદ્ધ થાય છે કે ઉપકેશપુરની સ્થાપનાના પહેલાં શ્રીમાળ નગર ભારે જાહોજલાલીમય હતું. ઉપકેશપુરનો સમય વિક્રમ પૂર્વની પાંચમી શતાબ્દી લગભગનો છે. તો શ્રીમાળ નગર આનાથી કેટલું પ્રાચીન હોવું જોઈએ એનો વિચાર વાંચકોએ સ્વયં કરવો જોઈએ. (૩) શ્રીમાળ નગરના તલાચી ઉપર એક જૈન મંદિરના ખંડેરમાં પ્રાચીન શિલાલેખ મળ્યો છે. જેનો અક્ષરાંસ નકલ "પ્રાચીન જેન લેખ સંગ્રહ” બીજા ભાગમાં લેખાંક ૪૦૨ માં આપ્યો છે. તેનો પહેલો શ્લોક અહીં આપવામાં આવે છે. ई. ॥ यः पुरुष महास्थाने श्रीमाल स्वयमागताः। - सदेव श्री महावीरों दया (दा) सुख संपद ॥१॥ આ લેખ વિ. સં. ૧૩૩૩ આસો સુદ, ૧૪ ને લખેલો છે. આ સમયની પૂર્વે અમારા આચાર્યોની એ માન્યતા હતી કે ભગવાન ૧૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વયં-ખુદ શ્રીમાળ નગરમાં પધાર્યા હતા. પરંતુ લેખ સમયે પૂર્વના કેટલા પ્રાચીન કાળથી આ માન્યતા ચાલી આવી હશે એનો નિર્ણય કરવા હાલમાં અહીં અમારી પાસે કોઈ સાધન નથી, પરંતુ એ અનુમાન થઈ શકે છે કે કોઈ પ્રાચીન ગ્રંથ તથા પરંપરાથી ચાલી આવતી માન્યતાને લેખના સમયે લિપીબદ્ધ કરી હોય. હશે .. તાત્પર્ય આ છે કે અગર ભગવાન મહાવીરના સમયે શ્રીમાળ નગર સારી ઉન્નતિ પર હોય તો તમારી પટ્ટાવલીઓના પ્રમાણથી આ લેખ મળતો છે. (૪) મહાજન વંશ મુક્તાવલિ નામના પુસ્તકમાં લખ્યું છે કે, ભગવાન ગૌતમસ્વામીએ શ્રીમાળ નગરમાં પધારીને રાજા શ્રીમદ્ધને ઉપદેશ દ્વારા જેન બનાવ્યો હતો. અને એની શ્રીમાલ જ્ઞાતિ સ્થાપન કરી હતી વગેરે. આમાં રાજા અને આચાર્યના નામો અમારી પટ્ટાવલીથી વધારે છે. પરંતુ શ્રીમાળ નગરથી શ્રીમાળી જ્ઞાતિની ઉત્પત્તિનો સમય અમારી પટ્ટાવલિઓથી મળતી-ઝુલતી છે. (૫) ઉપકેશ ગચ્છ ચરિત્ર, પ્રભાવિક ચરિત્ર, પ્રબન્ધ ચિંતામણિ અને તીર્થકલ્પાદિ, પ્રાચીન અને અર્વાચીન ગ્રંથોમાં શ્રીમાળ નગ૨, શ્રીમાળપુર, શ્રીમાળક્ષેત્ર, શ્રીમાળ મહાસ્થાનાદિનો પ્રયોગ દૃષ્ટિગોચર થાય છે, આ ગ્રંથકારોએ શ્રીમાળ નગરને એટલું બધું પ્રાચીન માન્યું છે કે જેટલું પટ્ટાવલિકાઓએ માન્યું છે. (૬) ઉપકેશગચ્છ પ્રાચીન પટ્ટાવલિમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે શ્રીમાળનગરના લોકોને રાજા તરફથી ઘણી તકલીફો વેઠવી પડતી હતી, આખરમાં તેઓએ લાચાર થઈ શ્રીમાળનગરનો ત્યાગ કરી ચન્દ્રાવતી નગરી વસાવી અને અન્ય સ્થાનોનો સહારો લીધો. બાકી રહેલી નગરીની વ્યવસ્થા ભીમસેન રાજાએ કરી અને નગરને આબાદ કર્યું એના કારણે શ્રીમાળનું નામ ભિન્નમાલ થયું, ત્યાંથી પણ ઘણા લોકો ઉપકેશપુરમાં જઈ વસ્યા ત્યારે ભિન્નમાલની સાધારણ સ્થિતિ રહી ગઈ હતી, વગેરે. આ હાલતમાં અમારા ગ્રંથકારોએ કોઈક જગ્યાએ પ્રાચીન નામ શ્રીમાળ કોઈક જગ્યાએ અર્વાચીન નામ ભિન્નમાલને પ્રયોગ પોતાના ગ્રંથોમાં કર્યો છે. આ પ્રથા કેવળ આ ૧૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ નગર માટે જ નથી પરંતુ જાવલીપુર - માડવાપુર - ઉપકેશપુર - નાગપુર, શાકમ્મરી, આદિ સ્થાનોનાં મૂળ નામો બદલી અનુક્રમે, જાલોર, ઓશિયો, નાગૌર, સાંચટ આ નામે પ્રચલિત થયા બાદ પણ કેટલાક શિલાલેખો અને ગ્રંથકારોએ મૂળ નામોનો જ ઉપયોગ કર્યો અને કેટલાક લેખકોએ પ્રચલિત નામોનો ઉલ્લેખ કર્યો, આ મુજબ શ્રીમાળ-ભિન્નમાલના વિષયમાં પણ સમજવું. (૭) શ્રીમાળ નગરના માટે શ્રીમાળ પુરાણમાં ખૂબ જ વિસ્તારથી ઉલ્લેખ મળે છે. પરંતુ શ્રીમાળ પુરાણ એટલું પ્રાચીન નથી, કે જેટલું શ્રીમાળ નગર પ્રાચીન છે. તથાપિ શ્રીમાળ પુરાણની રચનાના સમય પહેલાં શ્રીમાળ નગર દ્વાપરના અંતમાં વસ્યાની માન્યતા પ્રચલિત અવશ્ય હતી તે કેટલા પ્રાચીન સમયની હતી એનો નિર્ણય સાધન મળતાં પ્રકાશિત કરવામાં આવશે. (૮) "શ્રીમાળ વાણિયાઓના જ્ઞાતિભેદ” નામના પુસ્તકમાં જે પ્રો. મણીભાઈ બકોરભાઈ વ્યાસ સુરતવાળાએ લખી છે. પ્રસ્તુત પુસ્તકમાં શ્રીમાળનગ૨ અને શ્રીમાળી જ્ઞાતિના વિષયોમાં લેખક મહોદયે પુરાણિક પ્રમાણ સાથે ઐતિહાસિક પ્રમાણ દ્વારા સિદ્ધ કરી દીધું છે કે ઉપકેશપુરની પહેલાં શ્રીમાળનગર તૂટતાં જ ઉપકેશપુર વસ્યું છે. ઉપકેશનો સમય - વિ. સં. ૪૦૦ વર્ષ પહેલાંનો છે તો શ્રીમાળનગ૨ તો એનાથી પ્રાચીન હોવું સ્વાભાવિક છે. છતાં આ વિષયમાં અમારી શોધ-ખોળ ચાલુ છે. જેમ જેમ પ્રમાણ મળતા જશે તેમ તેમ અમો વિદ્વાનોની સામે મૂકતાં જઈશું. સત્યનો સ્વીકાર કરવો એ અમારું પરમ કર્તવ્ય છે. શ્રીમાળ જ્ઞાતિ વીરોએ પોતાની જ્ઞાતિની એટલી ઉન્નતિ કરી લીધી હતી કે જેના દ્વારા જ્ઞાતિના મોટા-મોટા નામી પુરુષોના નામથી, વ્યાપારથી અને ગામને નામથી અને કંઈ ધર્મકાર્યોથી અનેક શાખા-પ્રશાખ રૂપ જાતિઓ પ્રચલિત થઈ ગઈ. જેમ કે ઓસવાળ જ્ઞાતિમાં ગૌત્ર અને જાતિઓ વિસ્તૃત રૂપમાં છે. એવી જ રીતે શ્રીમાળ જ્ઞાતિમાં પણ ગૌત્ર-શાખા અલગ અલગ છે. એમાંથી થોડી જ્ઞાતિઓનાં નામ અહીં આપવામાં આવે છે. ૧૨૬ Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ અંગરી૫, આ કોકપડ, ઉબરા, કુંચલીયા, કટારીયા, કહુધિયા, ઠાઠ, કાલેરા, કાદઈય, કુરાડીક, કાળ કુઠારિયા, કૂકડા, કોડિયા, કોકગઢ, કંબોજીયા, બગલ, ખારેડ, ખીર, ખીચડીયા, ઔસડીયા, ગલકરા, ગપતાણીયા, ગદઈયા, ગીલાહલા, ગીરોડીયા, ગુજરિયા, ગુર્જર, ઘુઘરિયા, ઘુઘરિયા, ઘોંઘટિયા, ચરડ, ચંડિ, ચુગાચડિયા, ચદરિવાળ, છકડિયા, છાલિયાં, ઝલકટ, જંડ, જુડિવાળ, ઝાંઠ, ઝામ, ચૂંટટાંક, ટાંકળિયા, ગેગડ, ડહેરાડાગળ, ફૂગરિયા, થોર ઢોળ, તવળ, તાડિયા, તુરકિયા, તુસર, દૂસાજ, ઘનાલિયા, ઘોયણા, ધૂપડ, વાણિયા તાવી, નર્ટ, દિક્ષિણોદનાચણ, નાંદરિવાળા, નિરહટિયા, નિકળ, નિરહરિયા, પરિમાલ, પંચોસળિયા, પડવાળા, પસેરણ, પંચો મૂ, પંચાસિયા, પાનાણિ, પાપણોના પુરવિયા, ફલોદીયા, ફાફ, ફોફલિયા, ફૂસમાણ, બહાપુરિયા, બ૨ડા, બાદલિયા, બંદૂભા, બહાકરા, બવીસાજ, બારીગોતા, બહેડા, વિમળા, નાયક વિચડ, બોહલિયા, ભાઈલાલ, પાંડિયા, આલોદી, ભૂવર, ભંડારિયા, ભાડૂકા, ભોસા, મહિમવાળે, મોઉરિયા, માદલપુરી મળવી મારું, મહટા, માંદોદિયા, મુશલ, મોવા, મુશરી, મુદડોયા, રાડીયા, રાંકી ખાણ, રહાલીયા, લોહારા, લડાસ, સગરીવ, લડવાળા, સાકીયા, સંબડની, સિંધરા, સુધારા, સાવટીયા, સોહ, કાઠીગણ, હેડાઉ હિંડોચા બોહરા, સાંગરિયા, ફલોદર વગેરે. જ્ઞાતિઓ જ શ્રીમાળીઓની આબાદી અને ઉન્નતિ બતાવી રહી છે. સામાન્યતયા આ જ્ઞાતિઓમાં બે ભેદ છે (૧) વીશા શ્રીમાળી (વૃદ્ધ સાનિયા) (૨) દશા શ્રીમાળી (લઘુ સનિયા) આ જ્ઞાતિના રીતિ રિવાજ - ખાન-પાન, શૌર્ય, વીરતા, ઉદારતા ઓસવાળોની જેમ જગત પ્રખ્યાત છે. આ જ્ઞાતિનાં ન૨ રત્નોએ દેશસેવા, સમાજસેવા, ધર્મસેવા, આદિઆદિ પવિત્ર કામો કરી પોતાની ઉવળ કીતિને અમર બનાવી દીધી છે. એમાં અગ્રેસર વીરોનાં થોડાં નામો અહીં આપવામાં આવે છે, જેમાં સાંડાશા, રાકાશા, ગોપાશા, વાગાશા, ડુંગરશી, ભીમશી, પુનશી, પેદાશ, ભાદશા, નરસિંહ, મેણમાળ, રાજમાળ, ઉદ્ધાશા, ભોજરાજ, નેણશી, ખેતશી, ઘર્મશી, મીઠાશા, ટીલોવાણીયો, ૧૨૭ Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ સતીદાસ, ભાળીશા, હરખાશા, ટોડરમલ, ભોલાશા, દેવાલશા, તારાચંદ, રત્નસી, નરપાળ, જગડૂશા, પાલ્હણસી, ઉદાયન, આમ્ર અરેપાળ, ભેરૂશા, રામાશા, ભારમલ, જગજીવન વગેરે હજારો પ્રસિદ્ધ પુરુષો થયા છે. અમારી શોધખોળમાં અમને જેટલો ઈતિહાસ મળ્યો છે તે અમે આગળના પ્રકરણમાં આપીશું. અને અમે અમારા શ્રીમાળ જ્ઞાતિના અગ્રેસર ભાઈઓને નિવેદન કરીએ છીએ કે આપની જ્ઞાતિના વીર પુરુષોનો જેટલો ઈતિહાસ મળે તે અમને મોકલવાનો પ્રબંધ કરશો તો આગળના પ્રકરણમાં આપવામાં આવશે. આચાર્ય સ્વયંપ્રભસૂરિની પછી વિક્રમની આઠમી શતાબ્દીમાં આચાર્ય શ્રી ઉદયપ્રભસૂરિ થયા. તેઓએ પણ ઘણા લોકોને પ્રતિબોધ કરી શ્રીમાળ જ્ઞાતિમાં વૃદ્ધિ કરી હતી. ઉદયપ્રભસૂરિના પહેલાં શ્રીમાળી જ્ઞાતિ ખૂબ જ ઉન્નતિ ઉપર હતી. આ વિષયમાં ઘણા પ્રમાણો ઉપલબ્ધ છે. પાટ્ટણ (અણહીલવાડ)ની સ્થાપનાના સમયે સેંકડો શ્રીમાળ લોકોને ચન્દ્રાવતી અને ભીનમાળથી આમંત્રણ આપીને ખોલાવવામાં આવ્યા હતા અને પાટણમાં વસાવ્યા હતા. તેઓનાં સંતાન આજ સુધી પાટણમાં નિવાસ કરી રહ્યાં છે. વિશેષ શ્રીમાળ જ્ઞાતિનો ઉલ્લેખ આગળના પ્રકરણોમાં લખવામાં આવશે. શ્રીમાલી જ્ઞાતિના ગોત્ર - હરિયાણ ગોત્રની ઉત્પત્તિ આ ગૌત્રની મુખ્ય બે શાખાઓ છે. એક વૃદ્ધ સજનીય (વીસા) અને બીજી લઘુસજનીય (દશા) અને તેની પેટા શાખાઓ પણ છે, તે આ પ્રમાણે છે. આંબલીયા, મણીયાર, વહોરા, વીંછી, વાડીઆ, સઈસા, ગુણા, કકા, ગ્રંથલીયા અને અન્ના વિગેરે, વિક્રમ સંવત ૭૯૫ માં ભિન્નમાલ નગરમાં શ્રીમાળી જ્ઞાતિના આ ચાર ક્રોડ દ્રવ્યનો ડાલિક શંખ નામે વૈષ્ણવ શેઠ રહેતો હતો. તેને ઉદયપ્રભસૂરિએ પ્રતિબોધી જૈન કર્યો. તેના વંશમાં વિક્રમ સંવત ૧૧૧૧ માં સહસા શાહ નામે શેઠ થયો. તે વખતે ભિન્નમાલ નગરનો મોગલોએ નાશ કરવાથી તે સહસા શાહ ત્યાંથી નાસી થિરાદિ (થરાદમાં) આવેલા અચવાડી ગામમાં આવી વસ્યો. તેના વંશમાં થયેલા મહીપતિના નામના શેઠની જોગિણી નામની પત્નીથી આકા, વાંકા, નાકા, તથા નોકા નામે ચાર પુત્રો થયા. તેમાંથી વાંકાનો પુત્ર કાલા અને તેનેવઈની નામે પુત્ર ઉમટા નામના ગામમાં આવી વસ્યો. ૧૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ -: વીસા શ્રીમાળી જૈન :- ] પૂ. મારા ગુરુદેવ શ્રી પન્યાસ પ્રવર શ્રી વર્ધમાન સાગરજી મ. સા. ના પૂર્વજોમાં ૧૨ મી પેઢીમાં પ્રસિદ્ધ થયેલ ડુંગરશીભાઈ તેઓશ્રી પોતાના જીવનમાં અનેક ધર્મકાર્યો, સંઘો તથા પ્રદિષ્ઠાદિ કાર્યો કરવાથી તેઓશ્રી ડુંગરશીમાંથી દંગાણી તરીકે તેમની અટક પ્રસિદ્ધ થઈ. તે અત્યારે પણ દંગાણી પરિવાર કુવાળા રવેલમાં (ઉ. ગુ) છે. તેઓ ભીનમાલથી સાંતલપુર આવીને વસેલ અને ત્યાંથી નીકળી રવેલ ગામે આવેલ ત્યાંથી કુવાળા અને કુવાળાથી નીકળી પાટણ આવીને વસેલ છે. અને અત્યારે પાટણથી પણ મુંબઈ ધંધાર્થે જઈ વસેલ છે. પૂજ્ય પન્યાસશ્રીના સંસારી દાદા શ્રી વાઘજીભાઈ એક ગામમાં આવીને વસેલ ત્યાં એક સમયે એક ઘટના બનેલ. વાઘજીભાઈના ઘરમાં લીંબડાનું એક ઝાડ હતું. તે ઝાડ પર રહેલ એક કાગડાને તે ગામના એક ઠાકરે કાગડાની હત્યા કરી મારી નાખ્યો તે જ વખતે વાઘજીભાઈએ તે ઠાકરને જણાવ્યું કે તું પ્રાયશ્ચિત કર. ઘણું કહ્યું છતાં તેણે પ્રાયશ્ચિત ન કર્યું ત્યારે વાઘજીભાઈએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી તું પ્રાયશ્ચિત નહીં કરે ત્યાં સુધી હું આ મકાનમાં નહીં રહું અને હવે પછી જ્યાં જઈશ ત્યાં પણ ભાડાના મકાનમાં રહીશ. આ પ્રમાણે તેઓશ્રીએ પ્રતિજ્ઞા કરી અને તે પ્રતિજ્ઞા તેઓશ્રીએ જીવનપર્યત અખંડ રાખી અને ભાડાના મકાનમાં જ રહ્યા. જે અત્યાર સુધી તેમના સુપુત્ર અમુલખદાસભાઈ પછી ત્યાંથી નીકળી કુવાળા ત્યાંથી નીકળી પાટણ આવીને વસ્યા. આ છે પૂજ્યશ્રીના સંસારી દાદા શ્રી વાઘજીભાઈનું જીવન વૃત્તાંત. વિનય સાગર. ૧૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ સાણંદીયા શ્રીમાળી જેના વિસા શ્રીમાળી ગૌત્ર વશિષ્ટ મૂળ ચૌહાણ માતા કુલદેવી અંબાજી પૂજાય છે. પહેલાં દીકરાની લાપશી શે. પા કુટુંબમાં વહેંચવાની. પહેલા દીકરા કાનબુટ વિંધાય નહિ. પહેલા દીકરાને રૂ. ૧ અંબાજી મોકલ્યા પછી કંદોરો બંધાય. દીકરાને નિશાળે બાપથી મૂકવા જવાય. નહિ. શ્રી ભીનમાલ નગરથી નીકળી સં. ૮૦૨ ધન પાળશા પાટણ આવેલ ત્યાં ૮૪ ગામ ઈજારે રાખ્યાં. વનરાજ ચાવડાના સમયમાં સં. ૮૫૧ માં રતનપોળ પાટણમાં દેરાસર બનાવ્યું અનેક પ્રતિમાઓ ભરાવી નાત જમાડી પાટણમાં સિદ્ધરાજ સોલંકી સાથે અણબનાવ બન્યો તેથી રાજઘરભાઈ ત્યાંથી સરધાર ગામે આવીને વસ્યા (સં. ૧૨૦૨ માં) સંવત ૧૨૬૫ માં સરધારથી સિદ્ધગિરિરાજન સંઘ કઢાવ્યો. ઘરે આવી નાત જમાડી સરધારમાં સરવૈયા રાજપૂતો સાથે તકરાર થઈ તેથી તે ગામ છોડી ચોટીલા આવી વસ્યા. સં. ૧૨૭૯ માં ત્યાંથી ગાંગડ આવી વસ્યા ત્યાંથી ૧૩૨૫ માં ધોલકા આવી વસ્યા. ૧૩૬૫ માં કરસન મહેતા સાણંદ આવી વસ્યા. કરસન મહેતાને ત્રણ દીકરા હતા તે પ્રમાણે (૧) દેવાભાઈ પરિવાર મોટા મહેતાવરી કહેવાયો. (૨) ડાહ્યાભાઈ પરિવાર નાની મહેતાવરી કહેવાય અને (૩) ત્રીજા મકનભાઈનો પરિવાર તે ગાંધી નકરી તેથી ગાંધી કહેવાયા. વર્તમાન સાણંદમાં રહેતા જેને ઉપરના ત્રણ ભાઈઓનો પરિવાર સમજવો. ૧૩૦ Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભીનમાલ તીર્થ કાવ્ય. ઈતિહાસ પ્રસિદ્ધ છે ભીનમાલ ગુજરાતની રાજધાની હતી. જગતુ અંબા અહીંની રાણી હતી જેણે સતી પ્રથા પાલી હતી. પુષ્પોથી બગીચા સુગંધિત હતા ફૂલોથી પૂજા થતી હતી એ સમયે કહેવાતું હતું તે પુષ્પમાળ સસ મજલાનું સૂર્ય મંદિર હતું પાટણના કિલ્લા દેખાતા હતા નગરોના અવાજથી આ આખો દેશ પ્રકાશમાન હતો. તે સમયે થયો મોટો રાજા શ્રીમાળી જ્ઞાતિની વસ્તી હતી જે હવન હોમ કરાવતા હતા સંસ્કૃતનો અભ્યાસ થતો હતો સરસ્વતીની પૂજા-શોભા અપાર હતી તે સમયે કહેવાતું શ્રીમાળ નગર અહીં માઘ કવિ જન્મ્યા હતા ગોવ્યાધિ ષિઓના આશ્રમ હતા બીજા દેશોથી આવીને કિંમત તેની અંકાતી હતી એ સમયે થયા કંઈક ચમત્કાર વીતરાગની પૂજા થતી હતી વાવોના પાણીથી હમેશા ત્યારે દાનમાં મોતી મળતા હતા. ૧૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ અને રત્નોની સજાવટ હતી તે સમયે કહેવાતું રત્નમાળ અહીં મોટો સમુદ્ર હતો અને કુવાળી સંખ્યા મોટી હતી નદીઓ કલ કલ વહેતી હતી ખેતરોની શોભા ન્યારી હતી તે સમયે કહેવાયું આલમાળ ક્ષેમકરીની પૂજા થતી હતી શિખરની શોભા અનેરી હતી કલાકારની તે મૂર્તિ હતી જન-જનમાં અતિ પ્યારી હતી તે સમયે થયું શ્રીમાળ નગર અહીં દંડક વન એક હતું શ્રી રામે અહિલ્યા તારી હતી - ભીલોની વસ્તી ખૂબ હતી જે તીર કમાન ચલાવતી હતી દેશમાં જ્યારે વિપત્તિ પડે ત્યારે દેશના હિત માટે જાતી હતી તે સમયે કહેવાયું ભીલ્લમાલ. આ ભૂમિના આકર્ષણથી ગજનવી સમ્રાટ અહીં આવ્યો હતો કણ વરાહ જેવી મૂર્તિને તે કાફર તોડવા આવ્યો હતો તે સમયે થયા બે હાલ આ દેવ ભૂમિ આ માતૃભૂમિ ચરણમાં શીશ નમાવું છું તારી આ અમર ગાથા દ્વારા ૧૩૨ Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ જનતાની આગળ આવીને આ ગીત ગાવાને આવ્યો છું શ્રી પાર્શ્વપ્રભુના ચરણે નમી વર્ધમાન” ઝુકતો લળી લળી સંવત ૨૦૪૯ ના ભાદરવા સુદી ચતુર્દશીએ આ ગીત ગાઈ પાવન થઈએ ધન્ય ઘડીએ. ગૌરીશંકર દુર્લભરામ (વડગામ વાળા) જન ગુણ ગાયક, ભોજક, કેમિની ઉત્પત્તિ જે વખતે આ નગરી (ભીનમાલ)નું નામ શ્રીમાલ નગર હતું તે વખતે શ્રીમાળી બ્રાહ્મણોની વસ્તી હતી. તે વખતે તેમાંનાં બે કુટુંબ. બન્ને સગા ભાઈ હતા. તે મહાન બુદ્ધિશાળી અને મહાન વિદ્વાન હતા. જેન મુનિઓ પાસે આવતા જતા હતા. અને તેમની પાસે જવાથી તેમને આનંદ આવતો હતો. અને એમને એમ લાગ્યું કે અમારા પુત્રો જેને મુનિઓ પાસે જાય અને વિદ્યા લે તો અમારા કરતાં પણ સારા વિદ્વાન થઈ શકે. તેથી તેમના બાળકોને જૈન મુનિ પાસે ભણવા મોકલતા અને તે બાળકો સારી રીતે અભ્યાસ કરવા લાગ્યા. તે સારો અભ્યાસ કરતા હતા અને જૈન ધર્મના બહ સારા પ્રેમી હતા. એટલે એમના ઉપર જૈન મુનિ મહારાજ બહુ પ્રેમ કરતા હતા. એ છોકરાઓ દિવસે દિવસે સારા બુદ્ધિશાળી થતા ગયા. એ બાળકો શ્રીમાળી બ્રાહ્મણ સાથે ઘણી વાર શાસ્ત્રાર્થ કરતા. એનાથી શ્રીમાળી બ્રાહ્મણોને લાગ્યું કે આ અમારા કરતાં પણ ભવિષ્યમાં મહાન પંડિત થઈ જશે એટલે તે બાળકોના પિતાઓ હતા તેમના ઉપર દબાણ કર્યું કે તમે લોકો તમારા દિકરાઓને જૈન મુનિઓ પાસે અભ્યાસ કરાવો છો તેથી તમે વટલી ગયા છો એટલે તમોને નાત બાર કરવામાં આવે છે. અને નાતમાં આવવું હોય તો નાતમાં જમણ અને દંડ આપો. એ બન્ને વડીલે શ્રીમાળી બ્રાહ્મણોને દંડ તથા એક જમણ આપ્યું અને સમાજમાં પાછા આવ્યા છતાં બી તેમને જૈન મુનિઓ ૧૩૩ Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ પાસે જવાનું અને દેરાસરે દર્શન પૂજા કરવાનું ચાલુ રાખેલ. અને વિદ્યા શિખવાનું ચાલુ રાખેલ તેથી તેમને સમાજે પાછા જ્ઞાતિ બહાર કરી નાખ્યા પણ એ બે કુટુંબોએ એની પરવા ન કરી. અને જૈન દેરાસરે દર્શન કરવાનું ચાલુ રાખેલ એ અરસામાં શ્રી હેમચંદ્રાચાર્યસૂરી મહારાજ સાહેબ શ્રીમાલ નગરમાં પધારેલ. એમને ત્યાં મોજુદ મુનિરાજ હતા તેમણે આચાર્ય ભગવંતને આ બન્ને કુટુંબ વિષે વાત કરી. આ લોકોને એમની જાતિવાળાઓએ ખએ વાર જાતિ બહાર કયા છે. પણ એ લોકો તો ખી અમારા પાસે આવે છે. આપણા જૈન ધર્મમાં સારી શ્રદ્ધા રાખે છે. સુરીજીએ ખન્ને ખાળકોને તેમની પાસે બોલાવ્યા ને એમનાથી વાતચિત કરી એટલે એ છોકરાઓએ આચાર્ય ભગવંત સાથે બહુ પ્રેમથી ધર્મ વિષે વાતચિત કરી. અને એ છોકરાઓને સરસ્વતી પ્રસન્ન હતી એટલે તેમને જીનેશ્વર ભગવંતના ગુણગાન સારી રીતે સંગીતમય સુસ્વરથી કર્યા. આચાર્ય ભગવંત તેમના ઉપર પ્રસન્ન થયા એટલે આચાર્ય મહારાજ સાહેબે તેમના વડીલોને ખોલાવ્યા. ને એમનાથી વાતચીત કરીને મહારાજ સાહેબે કહ્યું કે આ તમારી જાતવાળા તમારી વિદ્યાના લીધે વારંવાર જ્ઞાતિ બહાર કરે છે ને દંડ પણ લે છે. છતાંય તમને જૈન ધર્મ પ્રત્યે પ્રેમ છે તેથી અમોને આનંદ થયો છે. મારું માનો તો તમો આજથી જૈન થઈ જાવ. અમો તમોને જૈન તરીકે સ્વીકારવા તૈયાર છીએ. એ સાંભળી તે બન્ને કુટુંબોએ જૈન થવાનું નક્કી કર્યું એટલે આચાર્ય ભગવંતે શ્રીમાલ નગરના સકલ સંઘને ખોલાવેલ અને શ્રી સંઘ બિરાજમાન કરેલ. તેમના વચ્ચે આચાર્ય ભગવંતે આખા નગરની આગળ એ બે બ્રાહ્મણ કુટુંબને આશીર્વાદ આપીને તેમના ઉપર વાસક્ષેપ નાખીને આજથી આ બે શ્રીમાળી બ્રાહ્મણોના કુટુંબોને જૈન બનાવાયા છે ને એમને આચાર્ય ભગવંતે કહ્યું આજથી આમનું નામ ભોજક આપું છું તે ત્રણ અક્ષરનું નામ છે. શ્રી આચાર્ય ભગવંતે કહ્યું કે ભો/૧ એટલે બ્રાહ્મણ જ/ર એટલે જૈન ક/૩ એટલે ક્રિયા. એમ કરીને મહારાજ સાહેબે કહ્યુ કે આ ત્રણ અક્ષરનો મતલબ જૈનોની ક્રિયા કરવા વાળા છે તે. શ્રી સકલ સંઘને કહ્યું આજથી આપણા મંદિરમાં પૂજા પાઠ અને ભક્તિ સંગીતનું આ લોકો જૈન તરીકે કામ કરશે તે વખતે શ્રી ૧૩૪ Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ સકલ સંઘે ભોજક લોકોને ભોજક ઠાકરની પદવી આપી. આજથી ભોજક લોકો અમારા એક રોટલાની અંદરથી અડધા રોટલાના તમો અધિકારી છો ને અમો તમોને આજથી અમારા જેવા જ સમજીશું. તે દિવસથી આ લોકો જૈન તપગચ્છના અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્ર વીરના મગરવાડા) આગળ તેમના માથાની ચોટી ઊતરે છે. તા. ક. : આ બાબતને તામ્રપત્ર પરનો લેખ પાટણના જૈન સંઘના ભોંયરામાં છે. રિબળ પણ ના ** spirit Roman" કેર 6969696969 10 - 1000000 litful જ નથી ૧૩૫ Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ || ૨ || | ૩ || ( શ્રી ગૌતમાષ્ટક છન્દ વીર જિણેસર કેરો શિષ્ય, ગૌતમ ! નામ જપો નિશદિન | જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલર્સ નવે નિધાન / ૧ // ગૌતમ નામે ગિરિવર ચઢે, મનવાંછિત ફેલા સંપજે ! ગૌતમ નામે ના રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ જે વૈરી વિરુઆ વંકડા, તસ નામે નાવે ઢંકડા | ભૂત પ્રેત નવિ છોડે પ્રાણ, તે ગૌતમના કરું વખાણ ગૌતમ નામે નિર્મલ કાય, ગૌતમ નામે વાધે આય ! ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર શાલ દાલ સુરહાં ધૃત ઘોલ, મનવાંછિત કાપડ તંબોલ ! ઘર સુઘરણી નિર્મલ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત || ૫ || ગૌતમ ઉદયો અવિચલ ભાણ, ગૌતમ નામ જપો જગ જાણ | મોહોટા મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફલ વિહાણ | ૬ ઘર મયગલ ઘોડાની જોડ, તે વારુ પહોંચે વંછિત કોડ ! ૪ || ૧૩૬ Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસ શ્રી વમાનસાગરજી મ. સા. શાલીની 9 | જન્મ સંવત વિ. સં. 2003 અષાડ વદ 5 રવેલ. (ઉ. ગુ.) પૂ. મુનિ પ્રવાસન વિજયજી મ. સા. વિ. સં. 2021 જેઠ શુદ 12 મેડાતારોડ (કલવૃદ્ધિપાર્શ્વનાથ) ગશિપદ વિ. સં. 2034 મહાશદ 13 શિહોર ( સૌરાષ્ટ્ર) પંન્યાસ પદ. વિ. સં. 2049 વૈશાખ સુદ 3. (અક્ષય તૃતિયા ) શ્રી મહાવીર જૈન આરાધાના કેન્દ્ર કોબા, ( જી. ગાંધીનુગર). | દિલ કુવાલા (ઉં, ગુ.) વિ . મ. શુ. 3 ભંડાર (રાજ.) | કાળા ર્મા વિન, 2043 વિજયનગર 4 કાધર દિન પર્યુષણ પર્વમાં અમદાવાદ - 3.. Jain Educationa International R2 D 2 For Personal and Private Use Only 2 ,