SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સોમેશ્વર નામના બ્રાહ્મણ કવિએ તેમની કીતિને ઉદ્દેશીને કીર્તિકોમુદી” નામનું અતિ ઉત્તમ સંસ્કૃત કાવ્ય રચ્યું છે. એમની હયાતીને કાળે હજારો વિદ્વાન તેમની ઉદારતાનો લાભ લેવા આવતા હતા અને દરેક કવિ એમને ગુણવર્ણન કંઈ કંઈ કાવ્ય કરી જતા. વસ્તુપાળ જેવા કાવ્યને મર્મ સમજનારા અને કવિઓને ઉત્તેજન આપનાર હતા તેવા તે પોતે પણ વિદ્વાન હતા. તેઓ સંસ્કૃત ભાષા સારી રીતે સમજતા હતા એટલું જ નહિ પણ વસ્તુપાળ પોતે સંસ્કૃત કાવ્ય કરતા હતા. દુર્ભાગ્યે એમનાં રચેલાં કાવ્ય બહુજ થોડા હાથમાં આવ્યાં છે. * એમનું રચેલું કાવ્ય જે હજુ સુધી અપ્રસિદ્ધ છે તે મારી પાસે છે તે જૈન ધર્મની ક્રિયા વિધિને લગતું અને સંસ્કૃતમાં છે. વસ્તુપાળનાં બિરુદ (પદવી) આ પ્રમાણે બોલતાં : "(૧) પ્રાગ્વાટજ્ઞાતિ અલંકરણ (૨) સરસ્વતી કંઠાભરણ (૩) સચિવચૂડામણિ (૪) કુલસરસ્વતી (૫) ધર્મપુત્ર (૬) લઘુભોજરાજ (૭) ખડેરા (૮) દાતારચક્રવર્તી (૯) બુદ્ધિ અભયકુમાર (૧૦) રૂપિ કંદર્પ (૧૧) ચતુરિમા ચાણક્ય (૧૨) જ્ઞાતિવારાહ (૧૩) જ્ઞાતિગોવાલ (૧૪) સઈદવંશ ક્ષયકાલ (૧૫) સાંખલારાય માનમર્દન (૧૬) મજા જૈન (૧૭) ગંભી૨ (૧૮) ધી૨ (૧૯) ઉદાર (૨૦) નિર્વિકાર (૨૧) ઉત્તમ જન માનનીય (૨૨) સર્વજન શ્લાઘનીય (૨૩) શાંત (૨૪) ઋષિપુત્ર (૨૫) પરનારી સહોદર ઈતિ શ્રી વસ્તુપાલ બિરુદાવલી.” પોરવાડના કુલગુરુ (ગો૨) શ્રીમાળી બ્રાહ્મણો છે, એ તેમની શ્રીમાળીઓ સાથેની એકતાનો સબળ પુરાવો છે. પોરવાડની વસ્તી ગુજરાતમાં બધે ફેલાયેલી છે, તેમજ માળવા, આબુની આસપાસનો પ્રદેશ, મારવાડ અને દેશના બીજા ભાગોમાં પણ છૂટીછવાઈ છે. પોરવાડોની શાખા સોરઠિયા પોરવાડ અને કપોળ એ જ્ઞાતિઓ વૈષ્ણવ ધર્મ પાળે છે તેમજ શુદ્ધ પોરવાડમાં પણ વિષ્ણવ અને જેન એ બેઉ ઘર્મ ચાલે છે. પોરવાડોની એક શાખા જાંઘડા નામની છે તે મુખ્યત્વે જૈન છે. એ શાખાનાં ચોવીસ ગોત્ર છે તે આ પ્રમાણે : ચૌધરી, કાલા, ધનગર, રતનાવત, ઘનૌત, મજાવર્યા, ડવકારા, ભાદલીયા, કામલીયા, શેઠીયા, ઉધિયા, બે ખંડ, ભૂત, ફરક્યા, ભલે પરીઆ, મંદાવરીયા, મુનિયા, ઘાંટીઆ, ગલિયા, ભેસોતા, નવે પર્યા, દાનગડ, મહતા, ખરડીયા. + સાધુઓ વ્યાખ્યાઓ વાંચવા બેસે તેમના ઉપર બાંધવાના કીમતી ચંદરવા. સદાવ્રત આપનારાં સ્થાન. પરબ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy