SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનની મુખ્ય ત્રણ જાતિ જેનોમાં મુખ્ય તથા પ્રાચીન ત્રણ જાતિઓ છે (૧) શ્રીમાળી (૨) પ્રાગ્વાટ (પોરવાલ) (૩) ઉપકેશજ્ઞાતિ (ઓસવાલ) આમાં શ્રીમાળ અને પોરવાલ જ્ઞાતિના સ્થાપક આચાર્ય સ્વયંપ્રભસૂરિ હતા કે જેઓ પ્રભુ પાર્શ્વનાથના પાંચમા પટ્ટધર હતા અર્થાત્ આચાર્ય કેશી શ્રમણના શિષ્ય તથા આચાર્ય રત્નપ્રભસૂરિના ગુરુ હતા. બાદ આ બન્ને જાતિઓના ઉત્કર્ષ માટે ઉપદેશ ગચ્છાચાર્યો ઉપરાંત વિક્રમની આઠમી સદીમાં શંખેશ્વર ગચ્છીય ઉધ્યપ્રભસૂરિ તથા ૧૪૪૪ ગ્રંથોના કર્તા આચાર્ય હરિભદ્રસૂરિજીએ પણ આમાં રસ લીધેલો. આમ શ્રીમાલ તથા પોરવાડનું મૂળ ગચ્છ ઉપકેશગચ્છ જ છે. હવે રહી ત્રીજી ઓસવાલ જ્ઞાતિ. તેના મૂળ સ્થાપક આચાર્ય રત્નપ્રભસૂરિ છે. આચાર્ય રત્નપ્રભસૂરિ પછી લગભગ ૧૫૦૦ વર્ષ સુધી ઘણું ખરું ઉકેશ ગચ્છાચાર્યોએ આ જ્ઞાતિનો ઉદ્ધાર કર્યો હતો. તેનો વિસ્તાર કર્યો હતો. આ જ્ઞાતિનો ગચ્છ ઉપકેશગચ્છ હતો છતાં પણ આ લાંબા સમય સુધી બીજા ગચ્છીય આચાર્યોએ અજેનોને પ્રતિબોધ કરી ઓસવાળ જ્ઞાતિની વૃદ્ધિ કરવામાં ઉપકેશગચ્છાચાર્યોના હાથ મજબૂત કર્યા હશે ? તેમ છતાં આ ઉદારવૃત્તિવાળા આચાર્યોને ગચ્છનું મમત્વ ન હોવાથી પોતે બનાવેલા પ્રતિબોધ કરેલા ભાવિકોને અલગ રાખતા આ સંગઠન સંસ્થામાં સામેલ કરી દેવામાં સંઘનું હિત તથા પોતાનું ગૌરવ સમજ્યા અને આ જ કારણથી આ સમયે આ જ્ઞાતિનું સંગઠન બળ વધતું રહ્યું. આચાર્ય રત્નપ્રભસૂરિથી ૧૫૦૦ વર્ષ પછી જેનશાસનની પ્રચલિત પ્રથામાં અમુક લોકોએ બે ભેદ પાડ્યા અને નવા નવા ગચ્છો રચવાની પ્રક્રિયા શરૂ કરી અને આ લોકો ઓસવાલાનવાદિ પૂર્વાચાર્યો દ્વારા પ્રતિબોધ શ્રાવકોને પોતાની મન માની ક્રિયા કરાવી તથા આંખોના જાદુથી તેઓને પોતાના ઉપાસક બનાવવા લાગ્યા. અને તેમના ઉપાસક બનાવવા લાગ્યા. પણ તેમના વંશને નહિ બદલી તેનો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy