SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આબુની તળેટીમાં ચંદ્રાવતી નગરી હતી ત્યાં જઈને વસ્યો. એ નગરીમાં તે સમયમાં ૭૦૦ શ્રીમાળીઓ કોટ્યાધિપતિ હતાં અને અનેક જિન મંદિરોથી વિભૂષિત હતું. પાછળથી આ નગરી મોગલોના આક્રમણ દ્વારા છિન્નભિન્ન થઈ નામશેષ થઈ ગઈ. અને ત્યાં રહેલા શ્રીમાળી જૈન શ્રાવકો ત્યાંથી જ્યાં જ્યાં વહેપારને યોગ્ય સ્થળો મળ્યાં ત્યાં ગયા અને વસી ગયા. પૂરા ગુજરાતમાં નાનાં મોટાં ગામ-નગરોમાં વસી ગયા. હાલમાં જે જે શ્રીમાળીઓની વસ્તી જણાય છે તે બધા ચંદ્રાવતી નગરીમાંથી ઊઠીને આવેલાના વંશજો છે. ત્યારબાદ જેમ જેમ મોટી જ્ઞાતિ થવા લાગી એટલે અમુક અમુક સ્થાનના હિસાબે પોતાની જ્ઞાતિનું બંધારણ નક્કી કર્યું અને તે તે જ્ઞાતિમાં તેમનો વ્યવહાર ચલાવવા લાગ્યા. મારે આ ઈતિહાસ લખવાનું મુખ્ય કારણ એ છે કે અમે અમારા ઉપકારી ગુરુદેવને પણ ભૂલી ગયા. ઉપકારીના ઉપકારને ભૂલવો ન જોઈએ. જેમણે કષ્ટો વેઠીને ક્ષત્રિયોમાંથી અમને જેના બનાવ્યા, પરમાત્માના શાસનના રાગી બનાવ્યા, એમનો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો છે. એમના ઉપકારનો બદલો વાળી શકાય એવો નથી. માત્ર એમનું સ્મરણ કરી એમના ચરણોમાં ભાવથી વંદન કરી પુસ્તક રૂપી પુષ્પાંજલિ અર્પણ કરી જીવન ધન્ય બનાવું. શ્રીમાળીવંશનો ઈતિહાસ બહાર પાડવાથી શ્રીમાળીઓને ખબર પડે કે અમારા ઉપકારી ગુરુદેવ કોણ છે? આપણે કોણ છીએ? ઈતિહાસ વાંચી ઉપકારીને ઓળખે. એમના ઉપકારોનું સ્મરણ કરે. મારી ઘણાં વર્ષોની જે ભાવના હતી એ કંઈક અંશે સફળ થઈ છે. વાચક વર્ગ ઈતિહાસ જાણી પોતે શુદ્ધ શ્રાવક બની સમ્યક્તને ધારણ કરી પરંપરાએ પરમપદને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. સુજ્ઞ વાચક બંધુઓ આ પુસ્તકમાં કાંઈ પણ ભૂલ રહી જવા પામી હોય તો મને જણાવશો જેથી ભવિષ્યમાં તેને સુધારવા પ્રયત્ન કરીશ. વિ. સં. ૨૦૪૯ અક્ષય તૃતીયા પંચાસ વર્ધમાન સાગર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy