SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ને બોલ મહાજન સંઘનો ઈતિહાસ એ વાત પુરવાર કરે છે કે વીર સં. ૫માં વિદ્યાધર ગચ્છ કુલભૂષણ શ્રી પાર્શ્વનાથ પ્રભુના પંચમ પટ્ટપરંપરક આચાર્ય ભગવંત શ્રીમતુ સ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબે શ્રીમાલનગર હાલમાં (ભીનમાલ) નગરીને વિષે મહાજન સંઘની સ્થાપના કરી. પૂ. આચાર્ય ભગવંત સ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પોતાના શિષ્ય રત્નપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે વિચરતાં આબુપર્વત ઉપર પધારેલ અને ત્યાં શ્રીમાલનગરના ગૃહસ્થો પૂજ્યશ્રીને વિનંતી કરવા માટે આવેલ અને ત્યાંની બધી પરિસ્થિતિ જણાવી કે--- શ્રી માલનગરમાં ભયંકર હિંસા થઈ રહી છે. એ પણ ધર્મને નામે પશુઓની બલિ ચઢાવાઈ રહી છે. ક્ષત્રિયો હિંસામાં ધર્મ માને છે. આ વાત સાંભળી આચાર્યશ્રીનું હૃદય દ્રવી ઊઠયું. આચાર્યશ્રીએ જ્ઞાનબળથી જાણ્યું કે ત્યાં જવાથી એકાંતે પરોપકાર થશે. જીવોને અભયદાન મળશે અને શાસનપ્રભાવના થશે. પરમાત્માનું શાસન પ્રાપ્ત કરશે. પોતાના વિશાળ શિષ્ય સમુદાય સાથે આચાર્યશ્રી શ્રી માલનગર પધાર્યા. ત્યાંની પરિસ્થિતિ જાણી આચાર્યશ્રીનું કરુણાળુ હૃદય છલકાઈ ગયું. ક્ષત્રિયોને પ્રતિબોધ પમાડી શ્રાવક ધર્મ અંગીકાર કરાવ્યો અને મહાજન સંઘની સ્થાપના કરી. આચાર્ય ભગવંતશ્રી સ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજે તેમને શ્રાવકનાં સમ્યક્ત્વ સહિત બાર વ્રત અંગીકાર કરાવ્યાં. શ્રીમાલનગર ઉપર કાળક્રમે પરધર્મીઓનાં આક્રમણ થયાં. ભાંગી ગયું– છિન્ન ભિન્ન થઈ ગયું તેથી તેનું બીજું નામ પાછળથી ભિન્નમાલ એ પ્રમાણે પ્રસિદ્ધ થયું. ભિન્નમાલમાં બે ભાઈઓ રહેતા હતા. બંનેમાં કૌટુંબિક કારણસર ઝગડો થયો. નાનો ભાઈ ઉપકેશપુરનગર જે હાલમાં (ઓશીયાજી)ના નામે પ્રસિદ્ધ છે, ત્યાં જઈને વસ્યો અને મોટો ભાઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy