SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ એ પુરાણોને આપવામાં આવ્યું. એક પછી એક અઢાર પુરાણો રચાયા. વધતા જતા વર્ણસંકર ભેદ અટકાવીને જ્ઞાતિભેદનું સ્થિરસ્થાવર બંધારણ આ કાળે બંધાયું. જૈન અને બૌદ્ધમતના અનુયાયી થઈને એકાકાર સંઘમાં ભળી ગયેલા લોકોને પાછા પોતાના ધર્મમાં અને પોતાના સમાજમાં દાખલ કરવાની હવે જરૂર પડી. ત્યાર સુધી જે બંધારણે ચાલતા આવ્યાં હતાં તે બંધારણો પ્રમાણે સંઘમાંથી પાછા આવેલા લોકોને બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય કોઈ વર્ણમાં દાખલ કરી શકાય એવું હતું નહિ. આચાર-વિચાર, રહેણીકરણી અને ધંધાઉદ્યોગથી તેઓ શૂદ્ર કરતાં ઊંચી યોગ્યતા ધરાવતા હતા. તેમને શૂદ્ર બનાવવામાં આવે તો એ લોકો તે કબૂલ રાખે નહીં, અને બ્રાહ્મણ ધર્મમાં ભળવા કરતાં પોતાના સંઘને વળગી રહે એ બનવાજોગ હતું. આથી તેમને માટે એક નવું દ્વાર ઉઘાડ્યું. બ્રાહ્મણ – ક્ષત્રિય - વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણને બદલે એક પાંચમી વર્ણ ઊભી કરી આ વર્ણનું નામ સતશૂદ્ર (સઠુદ્ર) રાખવામાં આવ્યું. શૂદ્રો કરતાં એમનો દરજ્જો ઊંચો ઠરાવ્યો. કળિયુગમાં ક્ષત્રિય અને વૈશ્યનો લોપ થઈ ગયો છે, એટલે બ્રાહ્મણો અને શૂદ્ર એ બે જ વર્ણ અસ્તિત્વમાં છે. સતશદ્ર એ શૂદ્રથી ઊંચી પંક્તિના છે અને ક્ષત્રિય વૈશ્ય તો છે જ નહીં એટલે બ્રાહ્મણથી ઊતરતો દરજ્જો તેમનો થશે, એમ ઠરાવીને બૌદ્ધ તથા જેનસંઘમાંથી પાછા આવતા લોકોને આ વર્ગમાં દાખલ કર્યા. બૌદ્ધ અને વિશેષ કરીને જેનઘર્મના સિદ્ધાંતો એવા છે કે એ ધર્મમાં ભળનાર માણસથી વહેપાર સિવાય બીજો ધંધો થઈ શકે નહીં. ખેતી વગેરે બીજા ધંધા કરવામાં જીવહિંસા થવાનો ભય હોવાથી આ ધર્મને અનુયાયીઓને એવા ધંધા કરવાનો પ્રતિબંધ કર્યો છે. ધર્મનો પ્રતિબંધ હોવા છતાં કોઈ માણસ ખેતી વગેરેનો ધંધો કરે, તો સંઘમાં તે નિંદાપાત્ર ગણાય. આથી ઈચ્છા હોય કે ન હોય, પણ એ ધર્મમાં ભળનારે બીજા બધા ધંધા છોડી દઈને આખરે વહેપાર ઉપર જ આવી પડવું પડે. આ કારણને લીધે જે બ્રાહ્મણ ક્ષત્રિયો બૌદ્ધ કે જૈનધર્મના અનુયાયી થયા હતા તે મોટે ભાગે વાણિયા (વહેપારી) થઈ ગયા હતા. અને તેથી એ આખા સંઘ વહેપારીના સંઘ જેવા થઈ રહ્યા હતા. આ વહેપારીઓ જેમ જેમ સંઘમાંથી છૂટા પડીને બ્રાહ્મણધર્મમાં - ૪૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy