SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભળવા લાગ્યા, તેમ તેમ પાંચમી વર્ણ (સતશૂદ્ર)ની સંખ્યાનો વધારો થતો ગયો. પાછળથી કુમારિક ભટ્ટાચાર્ય અને શંકરાચાર્ય થયા. એમણે બૌદ્ધ અને જૈનધર્મીઓ સાથે વાદવિવાદ કરીને મોટો યશ મેળવ્યો. બનવાજોગ છે કે આ વખતે બ્રાહ્મણોના પક્ષમાં કોઈ રાજસત્તા કામ કરતી હોય. લાખો કરોડો બૌદ્ધો પાછા બ્રાહ્મણ ધર્મમાં આવી ગયા. હિંદુસ્તાનમાંથી બૌદ્ધધર્મ નામશેષ થઈ ગયો. જેનો પણ રડ્યા ખડ્યા રહ્યા અને રૂપાંતર પામેલો વેદધર્મ પુન: જોર પર આવ્યો. વિક્રમ સંવતના આઠમા શતકમાં આ અંક પર છેવટનો પડદો પડ્યો. બ્રાહ્મણધર્મમાંથી બૌદ્ધ કે જૈન ધર્મમાં જવું, અને તેમનામાંથી પાછા બ્રાહ્મણધર્મમાં આવવું એ ઊથલપાથલ વિક્રમ સંવત પૂર્વે લગભગ પાંચસો વર્ષથી માંડીને વિક્રમ સંવતના આઠમા શતક સુધી એટલે લગભગ બારસે વર્ષ સુધી ચાલી. બ્રાહ્મણ ધર્મ અને બ્રાહ્મણોની વર્ણવ્યવસ્થા એ બંનેને ઉથલાવી નાખનારા બે પ્રબળ શત્રુઓએ તેમને ધર્મ અને તેમની વર્ણવ્યવસ્થા એ બેઉને મૂળમાંથી હલાવી નાંખ્યાં. બધું છિન્નભિન્ન ને અસ્તવ્યસ્ત થઈ ગયું. અત્યારે આપણે ગુજરાતમાં વસતા (ક્ષત્રિય ગણાતા) રજપૂતને જનોઈ જોતા નથી તેનું મુખ્ય કારણ ઉપર જણાવ્યું તેમ તેમનું સ્થિત્યંતર અને તેનો પ્રભાવ એ છે. ઉત્તર હિંદુસ્તાન અને દક્ષિણમાં ક્ષત્રિયોને વાણિયા હજુ સુધી પરાપૂર્વ જનોઈ ધારણ કરતા આવ્યા છે. દક્ષિણના વાણિયાઓ ખાવાપીવામાં નિંઘ આચાર પાળે છે, છતાં તેઓ જનોઈ પહેરે છે, કારણ કે તે તેમની પરંપરાથી જનોઈ પહેરતા આવ્યા છે. ગુજરાત અને મારવાડના વૈશ્યો તથા ક્ષત્રિયોને જનોઈનથી, કારણ કે પહેલાં તેઓ બૌદ્ધ અથવા જનસંઘમાં દાખલ થયા તે વખતે તેમણે જનોઈનો ત્યાગ કર્યો હતો. પાછળથી તેઓ બ્રાહ્મણ ધર્મમાં આવ્યા ત્યારે તેમને તેમના ધંધા પ્રમાણે ક્ષત્રિય કે વૈશ્ય વર્ગમાં ગોઠવી દીધા. ઘણી પેઢીઓથી તેમનું યજ્ઞોપવિત (જનોઈ) જતું રહેલું હોવાથી તેમને નવું યજ્ઞોપવિત આપવાનું શાસ્ત્રાઘાર મળ્યો નહીં. આથી જ સંતશૂદ્ર નામની પાંચમી વર્ણમાં તેમને ગોઠવવા પડ્યા. ભરતખંડની બહારની અનેક પ્રજાઓ અનેક કારણોને લીધે અને કવાર આ દેશમાં ઊતરી આવી હતી એ લોકો બીજી વણે સાથે ૪૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy