SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ તેમનો ધર્મ જ્યાં ત્યાંથી અદૃશ્ય થવા લાગ્યો. અને વેદધર્મના અનુયાયીઓમાં પોતાનો ધર્મ નાબૂદ થઈ જશે કે કેમ, એની મોટી ફિકર ઉત્પન્ન થઈ. મોટા મોટા રાજાઓ સુદ્ધાંત બૌદ્ધ અને જૈનધર્મમાં ભળી જવા લાગ્યા અને વેદધર્મીઓમાં કો વેદાનુઘરિષ્યતિ વેદનો ઉદ્વાર કોણ કરશે?) એ પ્રશ્ન બહુ જ ચિંતાગ્રસ્ત ચિત્તે પુછોવા લાગ્યો. એ વખતે બ્રાહ્મણો અને જૈનબૌદ્ધો જીવ ઉપર આવીને લડતા હતા. શાસ્ત્રાર્થ થતા અને હારજીત થયા કરતી, પણ તેથી બૌદ્ધ અને જૈનસંઘની વૃદ્ધિ થતી કોઈપણ રીતે અટકાવી શકાતી નહોતી. હસ્તિના તાઢય માનો િન નૈન મંદિર હાથી મારવા ધસી આવતો હોય તો પણ (પોતાનો જીવ બચાવવાને માટે પણ) જૈન મંદિરમાં જવું નહિ. આવા એક બીજા સામે વેરભાવના વિધિનિષેધો બંધાયા હતા. પોતપોતાના પક્ષના રાજાઓને ઉકેરીને એક બીજાનું નિકંદન કરાવવાના પ્રયત્ન પણ થતા હતા. એકબીજા વિરુદ્ધ સેંકડો નિંદાપ્રચુર ગ્રંથો લખાયા હતા, અને વેરભાવ ધરાવનારી બે વ્યક્તિઓ એકબીજાને હલકા પાડવા અને નિર્મળ કરવા જે કંઈ કરી શકે તે બધું બ્રાહ્મણો અને બૌદ્ધજેનો વચ્ચે થતું હતું. વામમાર્ગના પ્રચારને લીધે બ્રાહ્મણોને ધર્મ તે કાળે એવું બીભત્સરૂપ પામ્યો હતો કે તેના તરફ ધિ કાર ઉપજાવતાં વાર લાગે નહિ. ધર્મક્રિયાઓને માટે ડગલે ડગલે થતી પશુહિંસા અને મનુષ્યહિંસા તેમજ દુરાચાર મદ્યપાનાદિન દેખીતા દ્રષ્ટાચારો બ્રાહ્મણધર્મમાં સર્વત્ર ચાલતા હતા. જ્યારે તેમના વિરોધી બૌદ્ધો અને જેનો અત્યંત સાધુતાથી અત્યંત તપશ્ચર્યાથી અને અત્યંત ત્યાગથી લોકોને સર્વ જીવો ઉપર દયા કરવાનો અને સર્વ મનુષ્ય સાથે સમભાવ રાખવાનો ઉપદેશ આપતા હતા. બ્રાહ્મણોના બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા અને બૌદ્ધ તથા જૈનસંઘ પ્રતિદિન વધારે વધારે બળ પામતા હતા. પોતાનો ધર્મ નષ્ટ થઈ જશે તેવી ફિકર ઉત્પન્ન થઈ ત્યારે બ્રાહ્મણો સમજ્યા અને જે તે રસ્તે લોકોને પોતાના તરફ વાળી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. લોકોને ભાવતો ધર્મ ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ આ કારણથી થઈ. જુદા જુદા ભાગમાં જુદા જુદા જે વિચારો ધર્મ રૂપે માનતા હતા તે તે વિચારોને સુધારીને અને સંકલિત કરીને પુરાણોની રચના કરવામાં આવી અને વામમાર્ગના તંત્રગ્રંથોનું સ્થાન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy