________________
"ધર્મલાભ” આપ્યો. એના ઉપર ત્યાં બેઠેલા નામધારી પંડિત આપસમાં હસવા લાગ્યા. રાજાએ આ પહેલાં ક્યારે પણ "ધર્મલાભ” શબ્દ કાનથી સાંભળ્યો નહોતો. એટલે રાજાએ નમ્રતાપૂર્વક સૂરિજીને પૂછ્યું કે હે પ્રભો ! આ ધર્મલાભ શું ચીજ છે? શું આપ આશીર્વાદ નથી આપતા જેમ કે અમારા ગુરુ બ્રાહ્મણ લોક આપ્યા કરે છે ? એના જવાબમાં સૂરિજીએ રાજાને કહ્યું કે હે રાજનું કેટલાક લોકો દીર્ધાયુષ્યનો આશીર્વાદ આપે છે. પરંતુ દીર્ધાયુષ્ય તો નરકમાં હોય છે. કેટલાક ઘણા પુત્રાદિકને આશીર્વાદ આપે છે પરંતુ એ તો ડુક્કર જાનવરાદિને પણ હોય છે. કેટલાક લક્ષ્મીવૃદ્ધિનો આશિર્વાદ આપે છે પરંતુ લક્ષ્મી તો શૂદ્ર અને વેશ્યાને ત્યાં પણ હોય છે.
હે રાજનું એમાં કોઈ મહત્ત્વનો આશીવદ નથી પરંતુ જેને સાધુઓનો જે "ધર્મલાભ” રૂપી આશીર્વાદ અર્થાત્ તમને ધર્મનો લાભ કાયમ મળતો રહે. ધર્મલાભના પ્રભાવે જ આ લોકમાં કલ્યાણની સાધનસામગ્રી (સુખ -સંપત્તિ) અને પરલોકમાં સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ જ કારણથી જૈન સાધુઓનો ધર્મલાભ જગતના જીવોના કલ્યાણના હેતુ રૂપ છે.
સૂરિજી મહારાજની યુક્તિ અને વિદ્વત્તામય શબ્દ સાંભળીને રાજાને અત્યંત આનંદ થયો. રાજાએ સૂરીશ્વરજીની સ્તુતિ અને આદર સત્કાર કરી અને આસન ગ્રહણ કરવાની વિનંતી કરી. ત્યાર બાદ સૂરિજી ભૂમિ પ્રમાર્જન કરી કાંબલીનું આસન બિછાવી શિષ્યોની સાથે બેસી ગયા. રાજા શિવ ઉપાસક હતો પરંતુ એના હૃદયમાં મધ્યસ્થ વૃત્તિ હતી અને નીતિજ્ઞ હોવાથી મહાપુરુષો ઉપર ગુણાનુરાગ હોવો સ્વાભાવિક વાત હતી. રાજાએ આચાર્ય ભગવંતને વિનંતી કરી પૂછયું કે હે ભગવંત ધર્મનું શું લક્ષણ છે? કયા ધર્મથી જીવ જન્મ-મરણથી મુક્ત થઈને અક્ષયપદ પ્રાપ્ત કરી શકે ? તેના જવાબમાં સૂરિજી મહારાજે પોતાના વિશાળ જ્ઞાનથી ઘર્મની વ્યાખ્યા કહી સંભળાવી. તેના સારાંશ રૂપે અહીં તેનો થોડો ઉલ્લેખ બતાવે છે.
"अहिंसा लक्षणो धर्मो य धर्म प्राणिनां वधः तस्मात् धर्मार्थिर्मिर्योगः कर्तव्या प्राणिनां दया ॥"
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org