SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ ધર્મનું લક્ષણ અહિંસા છે. અને જીવોનો વધ એ અધર્મ છે. એટલા માટે ધર્માર્થીનું કર્તવ્ય છે કે સદૈવ જીવોની રક્ષા કરે અને સાંભળો. " પચૈતાનિ પવિત્રાળિ, સર્વેમાં ધર્મ ચારિબાપુ । અહિંસા સત્યમસ્તેય, ચાળો મૈથુન વર્ઝનનું ।।’ અર્થાત્ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને મૂર્છા ત્યાગ આ પાંચ મહાવ્રત સર્વ દેશના અનુયાયી મહાપુરુષોને બહુમાનપૂર્વક માનનીય છે. હે રાજન્ ! પ્રાણીઓની દયા કરવી એ જ મનુષ્યોનો ૫૨મ ધર્મ છે. જુઓ શ્રી કૃષ્ણચન્દ્રે પણ એ જ ફરમાવ્યું છે કે - यो दद्यात् कांचनं मेरुः कृत्स्नां चैव वसुन्धरा । एकस्य जीवीतं दद्यात् न च तुल्यै युधिष्ठिरः ॥ સોનાનો મેરુ અને સંપૂર્ણ પૃથ્વીનું દાન દેનાર પણ એક જીવને પ્રાણદાન દેનારની બરાબરી કરી શકતો નથી. અને સાંભળો " सर्वे वेदा न तत् कुपुः सर्वे यज्ञाश्च भारत । સર્વે તીર્થા મળેવાન્ન, યંત્ ર્થાત્ પ્રાળિનાં વા ।।’ અર્થાત્ હે અર્જુન ! જે પ્રાણી દયાનું ફળ આપે છે એ ફળ ન તો ચારો વેદ ભણવાથી, ન તો સર્વ યજ્ઞોથી, ન તો બધા તીર્થોમાં સ્નાન કરવાથી, ફળ મળતું નથી, એટલા માટે સર્વ તત્ત્વવેત્તા મહર્ષિઓએ ધર્મનું લક્ષણ અહિંસા જ બતાવ્યું છે. " अहिंसा सर्व जीवेषु तत्त्वज्ञैः परिभाषितम् । તું હી મૂર્ણ ધર્મસ્ય, શેષસ્તસ્યેવ વિસ્તરનું ।।'' હે નરેશ ! આ અપરંપાર સંસારની અંદર જે તત્ત્વવેત્તા અવતારીક મહાપુરુષો થયા છે તેઓએ ધર્મનું મૂળ અહિંસા જ બતાવી છે. બાકી સત્ય-અચાર્યાદિ અહિંસાના જ વિસ્તાર રૂપ છે. ઇત્યાદિ અનેક ઉદાહરણોથી સૂરિજીએ રાજાને ઉપદેશ આપ્યો. અને કહ્યું કે હે રાજન જેમ આપણું જીવન આપણને પ્યારું છે એવી જ રીતે બધા જીવોને પોતાનો પ્રાણ પ્રિય હોય છે. પરંતુ માંસ લોલુપી કેટલાક અજ્ઞાની પાપાત્માઓએ બિચારા નિરપરાધી પ્રાણીઓનાં ખલિદાન Jain Educationa International ૧૦૦ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy