SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં પણ ધર્મ માની ભદ્રિક લોકોને ઘોર નરકમાં નાખવાનો પાખંડ મચાવી રહ્યા છે. પરંતુ કેટલાક દેશોમાં સત્યવક્તાઓના ઉપદેશથી જ્ઞાનનો પ્રકાશ થવાથી આ નિષ્ઠુર કર્મ મૂળથી નાશ થઈ ગયું છે. પરંતુ મરુસ્થલ જેવા અજ્ઞાન પ્રદેશમાં સદૂજ્ઞાન અને ઉપદેશના અભાવના કારણે અજ્ઞાન લોકો આ ગલત કાર્યના કીચડમાં ફરીને નરકના અધિકારી બની રહ્યા છે. વગેરે. . સાંભળતાં જ નિર્દય પાખંડી માંસ લોલુપી યજ્ઞાધ્યક્ષ ખોલી ઊઠયો કે મહારાજ આ જૈન લોકો તો નાસ્તિક છે. વેદોને અને ઈશ્વરને માનતા નથી. દયા યા કરીને સનાતન યજ્ઞ ધર્મનો નિષેધ કરી રહ્યા છે. આ લોકોને શું ખબર છે કે શાસ્ત્રોમાં યજ્ઞ કરવો મહાન ધર્મ અને દુનિયામાં શાંતિ થવી કહ્યું છે. દેખો ભગવન મનુએ શું ફરમાવ્યું છે - " यज्ञार्थ पशवः सृष्टाः स्वयमेव स्वयम्भूवा । यज्ञस्य भूत्त्यै सर्वस्य तस्मात् यज्ञे औषध्यः पशवोवृक्षास्तिर्यचः पक्षिणस्तथा यज्ञार्थ निधानं प्राप्ताः प्राप्नुवन्त्युत्सृतीः पुनः ॥" અર્થાત્ બ્રાહ્મણોને સ્વયં યજ્ઞ માટે અને સંપૂર્ણ સિદ્ધિ નિમિત્તે જ પશુઓને બનાવ્યા છે. યજ્ઞમાં ઔષધી-પશુ-પક્ષી તીર્યંચાદિ જીવો અને કપીજળાદિ પક્ષીઓનો જે બલિ આપવામાં આવે છે તે જીવો યજ્ઞમાં મરીને ઉત્તમ જન્મને પામે છે..... ઇત્યાદિ. એના જવાબમાં સૂરિજી મહારાજે કહ્યું કે હે મહાનુભાવો તમે લોકો થોડાસા સ્વાર્થના કારણે મિથ્યા ઉપદેશ આપી આપ સ્વયં કેમ ડૂખો છો અને બિચારા અજ્ઞાન લોકોને શા માટે અઘોગતિના પાત્ર બનાવો છો. અને જો યજ્ઞમાં ખલિ દેવાથી પ્રાણી ઉત્તમ ગતિ (સ્વર્ગ)માં જતા હોય તો ..... “નિતસ્ય યશોર્યો । સ્વર્ગ પ્રાપ્તિવ રીતે । સ્વપિતા યજ્ઞમાનેન । હિન્દુ તસ્માન હન્યતે ।।’’ Jain Educationa International ૧૦૧ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy