SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. ચન્દ્રસેને ચન્દ્રાવતી નગરીમાં અનેક જૈન મંદિરો બનાવ્યા હતાં. જેમાં પ્રતિષ્ઠા આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિના હાથે થઈ હતી. અસ્તું. ચન્દ્રાવતી નગરી વિક્રમની બારમી-તેરમી શતાબ્દી સુધી તો ખૂબ જ આબાદીવાળી હતી. ૩૬૦ ઘરો તો ફક્ત કરોડપતિઓનાં હતાં અને પ્રત્યેક કરોડપતિઓની તરફથી હંમેશાં સ્વામી વાત્સલ્ય થયા કરતા હતા. પટ્ટાવલીથી જાણવા મળે છે કે ચન્દ્રાવતીમાં ૩૦૦ જિનમંદિર દેવભવન સમાન હતા. આજ તેના ખંડેર માત્ર રહી ગયા છે. એ સમયની જ બલિહારી છે. આ બાજું ભિન્નમાળ નગર શિવોપાસકો - વામમાર્ગઓનું નગર બની ગયું. ત્યાંના કર્તા-હર્તા બ્રાહ્મણો હતા. રાજા ભીમસેન તો એક માત્ર નામનો જ રાજા રહ્યો હતો. રાજા ભીમસેનને બે પુત્ર હતા એક શ્રીપુંજ બીજો ઉપલદેવ. પટ્ટાવલી નં. ૩ માં લખ્યું છે કે ભીમસેનનો પુત્ર શ્રીપુંજ અને શ્રીપુંજનો પુત્ર સુરસુન્દર અને ઉપલદેવ હતા પરંતુ સમયનું જોડાણ કરતાં પહેલાની પટ્ટાવલીનું કથન બરાબર મળે છે. મહારાજા ભીમસેનના મહાત્માત્ય ચન્દ્રવંશીય સુવડ હતો એના નાના ભાઈનું નામ ઉહડ હતું. સુવડની પાસે અઢાર ક્રોડ દ્રવ્ય હતું તેથી તે પહેલા વિભાગમાં અને ઉહડની પાસે નવાણું લાખ દ્રવ્ય હોવાથી તે ખીજા વિભાગમાં વસતો હતો. એક સમયે ઉહડના શરીરમાં તકલીફ થવાથી તેને વિચાર આવ્યો કે અમે બે ભાઈઓ હોવાથી એક બીજાનાં સુખ દુ:ખમાં કામ નથી આવતા. એટલે એક લાખ દ્રવ્ય મોટા ભાઈથી લઈ ક્રોડપતિ બનીને પહેલા વિભાગમાં જઈ વસુ. સવારે ઉહડે પોતાના ભાઈની પાસે જઈને એક લાખ દ્રવ્યની યાચના કરી પરંતુ ભાઈએ કહ્યું કે તારા વગર પ્રકોટમાં ખોટ નથી (બીજી પટ્ટાવલીમાં લખ્યું છે કે ભાઈની સ્ત્રીએ એવું કહ્યું) કે તું કરજ લઈને ક્રોડપતિ બનવાની કોશિશ કરે છે. વગેરે અહંકારી વચન સાંભળી ઉહડને ભારે દુ:ખ થયું ને ત્યાંથી જલદી નીકળી પોતાના મકાને ગયો અને એક લાખ દ્રવ્ય બનાવવાનો ઉપાય વિચારવા લાગ્યો. આ બાજુ યુવરાજ શ્રીપુંજ અને રાજકુમાર ઉપળદેવને આપસમાં કોઈ સાધારણ વાતમાં બોલાચાલી થઈ ગઈ એના કારણે Jain Educationa International ૧૧૯ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy