SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપુંજે કહ્યું ભાઈ આવો હુકમ તો તમે પોતાના ભૂજા ખળે રાજ જમાવો ત્યારે જ ચાલશે ? આ મેણાનો માર્યો ઉપલદેવ પ્રતિજ્ઞા કરી લીધી કે જ્યારે હું મારા ભૂજબળથી રાજ્ય સ્થાપન કરીશ ત્યારે જ આપને મોઢું બતાવીશ. બસ એનો સહાયક ઉહડ મંત્રી વ્યગ્ર ચિત્તમાં બેઠો જ હતો. બન્ને આપસમાં વાર્તાલાપ કરી પ્રતિજ્ઞાપૂર્વક ભિન્નમાળ નગરથી નીકળી ગયા અને ચાલતા ચાલતા રસ્તામાં એક સ૨દા૨ મળ્યો એણે પૂછ્યું કુમાર સાહેબ આજે કઈ તરફ ચઢાઈ કરી છે ? ઉપલદેવે કહ્યું કે અમે એક નવા રાજ્યની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ, ફરી પુછ્યું આ સાથે કૌન છે ? આ મારો મંત્રી છે. પેલા સરદારે કહ્યું કુમાર સહેબ રાજ્ય સ્થાપન કરવું કોઈ બાળકોનો ખેલ નથી, આપની પાસે કઈ એવી સાધન-સામગ્રી છે કે જેનાથી આપ રાજ્ય સ્થાપન કરી શકશો ? કુંવરે કહ્યુ કે અમારી ભુજાઓમાં બધી સામગ્રી ભરી છે કે જેના સહારે અમે નવા રાજ્યની સ્થાપના કરી શકીશું. વીરતાભર્યાં વચનો સાંભળીને સરદારે આમંત્રણ આપ્યું કે સમય ખૂબ જ ખરાબ છે. એટલે રાત્રિ અમારે ત્યાં વિશ્રામ કરો કાલે સવારે પધારશો. ઘણોજ આગ્રહ હોવાથી કુમારે સ્વીકાર કર્યો અને સરદારની સાથે ચાલ્યો. તે સરદાર હતો વૈરાટ નગરનો રાજા સંગ્રામસિંહ. કુમારને ઘણા સત્કારપૂર્વક પોતાના નગરમાં લાવ્યો ઘણું સ્વાગત કર્યું. તેના ગુણો શૌર્ય-ધૈર્ય ગાંÆર્યાદિ અનેક સદ્દગુણોથી મુગ્ધ થઈ રાજા સંગ્રામસિંહે પોતાની પુત્રીની સગાઈ ઉપલદેવ કુમારની સાથે કરી દીધી. રાત ત્યાં રોકાઈ અને બીજા દિવસે સવારમાં ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં અશ્વ વેપારીઓની પાસેથી ૫૫ ઘોડા (પટ્ટાવલી નં. ૩ માં ૧૪૦ ઘોડા) ખરીદ્યા, લખ્યું છે કે રાજ્ય સ્થાપન થયા બાદ પૈસા આપવાની શર્ત ઉપર ઘોડાની ખરીદી કરી ત્યાંથી રવાના થઈ હેલીપુર (દિલ્લી) પહોંચ્યા. ત્યાં શ્રી સાધુ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે છ મહિના રાજ્યનું કામ કરતો હતો અને છ મહિના અંતઃપુરમાં રહેતો હતો. ઉપલદેવ રાજકુમાર હંમેશાં રાજદરબારમાં જતો હતો અને એક એક અશ્વ ભેટ કર્યા કરતો હતો. જ્યારે કુમારે ૧૮૦ દિવસમાં બધા ઘોડા ભેટ કરી દીધા ત્યાર બાદ એક દિવસ રાજા રાજ્યસભામાં આવ્યો અને તેને ઘોડા ભેટ કર્યાની ૧૨૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy