SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ લોકોએ સ્વેચ્છોને સૈન્ય લાવવાનું કારણ પૂછ્યું ત્યારે સ્વેચ્છાએ બધી વાત કહી સંભળાવી. અંતમાં કહ્યું કે આ બ્રાહ્મણ લોકો ઉપકેશપુરવાસીઓ ઉપરનો કર છોડી દે તો અમે પાછા હટી જઈશું, એટલે બ્રાહ્મણોએ નાગરિકો સાથે સમજૂતી કરી ઉપકેશપુરવાસીઓ ઉપર જે બ્રાહ્મણોએ જુલમી ટેક્ષ નાખ્યો હતો તે કાયમના માટે બંધ કરી દીધો. ત્યારે મ્લેચ્છ લોકો પોતાની સેના લઈ ઉપકેશપુર આવી ઉહડ મંત્રીને વિગતવાર વાત કહી સંભળાવી, ત્યારે મંત્રીશ્વરે ઉપકેશપુરમાં ઉદ્દઘોષણા કરાવી દીધી. આ વિષયમાં લેખકશ્રીએ સમરાદિત્ય કથાનો સાર ભાગ અહીં આપ્યો છે. "तस्मात् उपकेश ज्ञातिनां गुरुवो ब्राह्मणा नहि । उएस नगर सर्वं कररीण समृद्धि मत्ता ॥ सर्वथा सर्व निर्मुक्त मुएश नगरं परम् । तत्प्रमृति संजातमिति लोको प्रवीणम् ॥" ભારતીય અન્યોઅન્ય જ્ઞાતિઓના ગુરુ બ્રાહ્મણો છે. પરંતુ ઉપકેશ જ્ઞાતિ (ઓસવાળ જ્ઞાતિ)ની સાથે બ્રાહ્મણોનો કંઈ પણ સંબંધ નથી. એનું કારણ ઉપર લખેલી કથા જ બરાબર બેસે છે. આ લેખથી એ સિદ્ધ થાય છે કે ઉપકેશપુરની સ્થાપનાના પહેલાં શ્રીમાળ નગર ભારે જાહોજલાલીમય હતું. ઉપકેશપુરનો સમય વિક્રમ પૂર્વની પાંચમી શતાબ્દી લગભગનો છે. તો શ્રીમાળ નગર આનાથી કેટલું પ્રાચીન હોવું જોઈએ એનો વિચાર વાંચકોએ સ્વયં કરવો જોઈએ. (૩) શ્રીમાળ નગરના તલાચી ઉપર એક જૈન મંદિરના ખંડેરમાં પ્રાચીન શિલાલેખ મળ્યો છે. જેનો અક્ષરાંસ નકલ "પ્રાચીન જેન લેખ સંગ્રહ” બીજા ભાગમાં લેખાંક ૪૦૨ માં આપ્યો છે. તેનો પહેલો શ્લોક અહીં આપવામાં આવે છે. ई. ॥ यः पुरुष महास्थाने श्रीमाल स्वयमागताः। - सदेव श्री महावीरों दया (दा) सुख संपद ॥१॥ આ લેખ વિ. સં. ૧૩૩૩ આસો સુદ, ૧૪ ને લખેલો છે. આ સમયની પૂર્વે અમારા આચાર્યોની એ માન્યતા હતી કે ભગવાન ૧૨૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy