SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા માટે આવ્યો. રત્ન ચૂડ મુનિનાં દર્શન કરી પહેલાં તો ઓલંભો આપ્યો અને પછી ચારિત્રની અનુમોદના કરી દેશના સાંભળી વંદન નમસ્કાર કરી વિસર્જન થયા. રત્નચૂડ મુનિ અનુક્રમે ગુરુમહારાજ વિનય વૈયાવચ્ચ-સેવા-ભક્તિ કરતાં કરતાં "ક્રમેણ દ્વાદશાંગી ચતુર્દશ પૂર્વ બભૂવ” કહેવાની આવશ્યકતા નથી કે પહેલાં તો એમનો જન્મ જ વિદ્યાધર વંશમાં થયો હતો, બીજું તેઓ વિઘાઘરોના રાજા હતા. ત્રીજું વિદ્યાનિધિ ગુરુ ચરણાવિંદની સેવા કરી, પછી કંઈ વાતની ખામી હોય ? તેઓ સ્વલ્પ સમયમાં દ્વાદશાંગી-ચૌદ પૂર્વદિ સર્વાગમ અને અનેક વિદ્યાના પારગામી થઈગયા. એટલું જ નહીં પરંતુ ધૈર્ય ગાંભીર્ય શૌર્ય - ર્તક વિતર્ક સ્યાદ્વાદિ અનેક ગુણોમાં નિપુણ થઈ ગયા. આ બાજ આચાર્યશ્રી સ્વયંપ્રભસૂરિ શાસનોન્નતિ - શાસનસેવા આદિ કરતા, અનેક ભવ્ય જીવોનો ઉદ્ધાર કરતા કરતા પોતાની અંતિમ અવસ્થા જાણી રત્નચૂડ મુનિને યોગ્ય સમજીને આચાર્ય પદાર્પણ કર્યું. "गुरुणा स्वपदे स्थापितः श्रमद्धीर जिनेश्वरात् द्वपंचाशत् वर्षे પૂર) નાવાર્થ પર સ્થાપિતાઃ પંચશત સાધુસદ ઘણાં વિચત્તિ !” ભગવાન મહાવીરના નિર્વાણ બાદ પર વર્ષે રત્નચૂડ મુનિને આચાર્યપદ પર સ્થાપન કરી ૫૦૦ મુનિઓની સાથે પૃથ્વીતળ પટ વિહાર કરવાની આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિએ આજ્ઞા આપી. બીજા હજારો સાધુ - મહાત્મા આચાર્યશ્રી રત્નપ્રભસૂરિની આજ્ઞાથી અન્યોન્ય પ્રાંતોમાં વિહાર કરવા લાગ્યા. આ બાજુ સ્વયંપ્રભસૂરિ સંલેખના કરીને અંતમાં શ્રી સિદ્ધગિરિ ઉપર એક મહીનાનું અનસન કરી સ્વર્ગમાં ઉત્પન્ન થયા. ઈતિ. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પાંચમી પાટ પર આચાર્ય સ્વયંપ્રભસૂરિ થયા ! તેઓશ્રીએ પોતાના જીવનમાં વર્ણ જંજીરોને તોડીને "મહાજન” સંઘની સ્થાપના કરી. જેન સંઘ ઉપર મોટો ઉપકાર કર્યો. લગભગ ૨૦ લાખ મનુષ્યોને જૈન ધર્મની દીક્ષા આપી. આકાશમાં જ્યાં સુધી ચંદ્ર-સૂર્યનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી જેન જાતિમાં તેઓશ્રીનું નામ અમર રહેશે. જેન કોમ સદેવના માટે આપને ઉપકારની આભારી છે. કારણ શ્રીમાળ-પોરવાળ જાતિઓની સ્થાપના અને અનેક રાજા-મહારાજાઓને ધર્મબોધ ! ૧૧૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy