SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કરી રહી હતી. ઉચ્ચ-નીચનું કાતિલ ઝેર ચારે બાજુ ફેલાઈ રહ્યું હતું. દુરાચારનો અગ્નિ ચારેકોર લબકારા કરી રહ્યો હતો. નૈતિક, સામાજિક તથા ધાર્મિક પતન પોતાની ચરમસીમાએ પહોંચ્યું હતું. ત્યારે જનતા એક એવા મહાપુરુષની પ્રતીક્ષા કરી રહી હતી કે જે આ બધી હરકતોને ઉલઝાવી શાંતિ સ્થાપી શકે. ઠીક આ સમયે ભગવાન મહાવીર તીર્થંકર થઈને જનતાના કલ્યાણ અર્થે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સંતોષ, પ્રેમ તથા પરોપકારનો સંદેશ ભારતના ચારે ખૂણે પોતાના બુલંદ અવાજથી પહોંચાડયો. નીચ ઉચ્ચનો ભેદભાવ મિટાવી પ્રાણી માત્રને ધર્મના અધિકારી બનાવ્યા. આત્મકલ્યાણ કરી સ્વર્ગ - મોક્ષના હક્ક બધાંને સમાન રૂપમાં આપ્યા અને સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય પ્રવર્તવા લાગ્યું. ભગવાન મહાવીરનો પ્રભાવ ફક્ત સાધારણ લોકો પર જ નહોતો કિન્તુ મોટા રાજા તથા મહારાજાઓ ઉપર પણ પડ્યો હતો અને કરોડોની સંખ્યામાં મહાવીર ભગવાનના શાંતિના ઝંડા નીચે જનતા શાંતિ અનુભવી રહી હતી. આજે અમે ભગવાન મહાવીરના ઉપાસક કેટલાક રાજાઓનો જ ઉલ્લેખ કરવા માંગીએ છીએ. જો કે તેનો ઉલ્લેખ જૈનોના પ્રાચીન એવા પ્રમાણભૂત અંગોપાંગ સૂત્રમાં વિદ્યમાન છે. વિશાલાનગરીના મહારાજા ચેટ્ટક કટ્ટર જૈન ધર્મી હતા. તેમની બહેન ત્રિશલા મહારાજા સિદ્ધાર્થની સાથે પરણાવેલ અને તેમની કૂખે ભગવાન મહાવી૨નો જન્મ થયેલ. મહારાજા ચેટકના કબજામાં કાશી કોરલના ૧૮ રાજા હતા અને તેઓ પણ જૈનધર્મના ઉપાસક હતા. એ બધાએ ભગવાન મહાવીરની પરમ ઉપાસના કરી હતી અને અંત સમયે ભગવાનની પાસે પાવાપુરીમાં પોષધ વ્રતમાં હતાં. (નિરિયાવલિકા તથા ભગવતીસૂત્ર) સિન્ધુસોવીરના દેશના મહારાજા ઉદાઈ તથા તેમનાં મહારાણી પ્રભાવતી પાકાં જૈન હતાં. તેમણે તેમના ભાણેજ કેશીકુમારને રાજકારભાર આપી ભગવાન મહાવીરના ચરણકમળોમાં ભગવતી જૈન દીક્ષા ગ્રહણ કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું. Jain Educationa International ૧૭ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy