SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તેમના પુત્ર અભિજિતકુમાર તથા મહાજન કેશીએ પણ જૈન ધર્મને ખૂબ પ્રચાર કર્યો. (ભગવતી સૂત્ર) અવન્તી નગરીના મહારાજા ચંડ પ્રદ્યોત જૈન ધર્મનું પાલન કરતા હતા. (ઉત્તરાઘન સૂત્ર) કપીલપુરનગરના મહારાજા સંચતિએ ભગવતી જૈન દીક્ષા પાલન કરી અક્ષયસુખને પામ્યા. ઉત્તરાઘાયન સૂત્ર ૩૧.૧૮ દર્શનપુર નગરના મહારાજા દશાર્ણભદ્ર એક વખત ભગવાન મહાવીરનું સ્વાગત બહુ શાનદાર અને ભવ્ય રીતે કર્યું પણ તેમને મનમાં અભિમાન થયું કે ભગવાન મહાવીરના ઉપાસક રાજાઓ ઘણા છે. પણ મારા જેવું શાનદાર સ્વાગત કોઈએ નહીં કર્યું હોય. આ વાત ત્યાં આવેલ શક્રેન્દ્રને થઈ. તેમણે વૈક્રિયથી અનેક રચનાઓ કરી જેને દેખી રાજા દશાર્ણભદ્રનો ગર્વ ઊતરી ગયો. તે એ વિચારમાં હતો હવે ઈન્દ્રની સામે મારું માન કેવી રીતે રહે ? આખરે તેમને સમજી વિચારી ભગવાન મહાવીર પ્રભુની પાસે ભગવતી જૈન દીક્ષાનો અંગીકાર કર્યો. આ જોઈ ઈન્દ્ર આવીને આ મુનિના ચરણકમળમાં પોતાનું મસ્તક નમાવીને કહ્યું કે હે મુનિ સાચું માન રાખવાવાળા સંસારભરમાં આપ એક માત્ર છો. દશાર્ણભદ્ર મુનિએ તે જ ભવમાં સગતિ પ્રાપ્ત કરી લીધી. ઉત્તરાધ્યયનસૂત્ર' અવંતી દેશના સુદર્શનનગરના મહારાજા યુગબાહુ તથા તેમની રાણી પાકાં જૈન હતાં. વિદ્યાધરકુલભૂષણ સ્વયંપ્રભસૂરીશ્વરજી મ. દ્વારા શ્રાવકોને સમ્યક્ત સહિત બારવ્રત અંગીકાર કરાવ્યાં. આ જ કારણ કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy