SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ચરમતીર્થપતિ શ્રી વર્ધમાન સ્વામીને નમ: શ્રીમાળી જ્ઞાતિઓની ઉત્પત્તિ ઃ શ્રીમાળી જ્ઞાતિ એ મહાજ્ઞાતિ છે. એ જ્ઞાતિની ઉત્પત્તિનો Ëતહાસ બહુ જ જૂનો છે. શ્રીમાળ પુરાણ પરથી જણાય છે કે દ્વાપરયુગને અંતે શ્રીમાળી જ્ઞાતિની સ્થાપના થઈ હતી. જૂના સમયમાં જ્ઞાતિના બંધારણમાં અત્યારના કરતાં ઘણો જ ફેરફાર હતો. મૂળ ચાર વર્ણો હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જેઓ કુળગોર તરીકે લોકોને ધર્મ સંસ્કાર આપતા, તેમને અભ્યાસ કરાવતા, પાઠશાળા સ્થાપી અનેક વિદ્યાર્થીઓને વિદ્યાદાન આપતા તેમજ ભિક્ષાવૃત્તિથી જીવનનિર્વાહ ચલાવતા તે સર્વ બ્રાહ્મણ તરીકે ઓળખાતા. જેઓ સામૂહિક હતા, ચોર, લૂંટારાથી લોકોનું રક્ષણ કરતા હતા, દુશ્મનથી ઘેરાયેલા દેશને વિજયી બનાવતા તેઓ ક્ષત્રિય તરીકે ઓળખાતા. જેઓ પશુપાલન કરીને પોતાનો જીવનનિર્વાહ કરતા, જેઓ વ્યાપારી હતા, ખેતી કરનારા હતા તે બધા વૈશ્ય તરીકે ઓળખાતાં, અને જેઓ હિંસક વૃત્તિવાળા હતા, હલકા ધંધા કરનારા, હલકું આચરણ કરનારા સ્વચ્છતામાં નહિ સમજનારા, ઊતરતા પ્રકારના લોકો તે શૂદ્ર નામે ઓળખાતા. १. आचार्या अध्यापका याजकाः साधवाः मुनयश्च ब्राह्मणः [સદ્ધર્મ સૂત્ર] ૨. જામયો પ્રિયાર-તીક્ષ્ણા ોધનાઃ પ્રિય સાહનાઃ । त्यस्वधर्मारसांगस्ते द्विजा क्षत्रतां गताः ॥ ३. गोज्यां वृत्तिः समास्थाय पीताः कृष्युपजीविनः । स्वधर्मान्ननुतिष्ठति ते द्विजाः क्षत्रतां गताः ॥ ४. हिसांनृतक्रिया लब्धाः सर्वे कर्मोपजीवीनः । कृष्णाः शौर्य परिभ्रष्टास्ते द्विजाः शूद्रतां गताः Jain Educationa International ૧૯ મહાભારત શાંતિપર્વ] For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy