SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતાપે આજે એ સમયની સમગ્ર સ્થિતિનો ખ્યાલ આપતો ઐતિહાસિક આદર્શ આજની પ્રજાને નવી તાજગી બક્ષે એવો મળી શકે એમ છે. વિક્રમની આઠમી સદીમાં ભિન્નમાલમાં કુલગુરુઓની સ્થાપના થયાના ઉલ્લેખો સાંપડે છે. એ સમયે અહીં ૮૪ ગચ્છના સમર્થ આચાર્યો વિદ્યમાન હતા. અહીંના શ્રીમાલ બ્રાહ્મણો અને પ્રાગ્વાટ બ્રાહ્મણોને શંખેશ્વર ગચ્છના આચાર્ય શ્રી ઉદયપ્રભસૂરિએ સંવત ૭૯૧ માં જૈનધર્મી બનાવ્યા હતા. સેંકડો સાહિત્ય કૃતિઓના રચયિતા તાર્કિક શિરોમણિ શ્રી હરિભદ્રસૂરિએ આ સ્થલમાંથી મોટા ભાગની કૃતિઓ રચવાની પ્રેરણા મેળવી હતી. શ્રી સિદ્ધર્ષિ ગણિ આચાર્યે પોતાની વિશાલ કાય ઉપમિતિભવ પ્રપંચ કથાની રચના વિ. સં. ૯૯૨ માં અહીં જ કરી હતી. શ્રી સિદ્ધર્ષિની જેમ વીર ગણિએ પોતાના જન્મથી અને પાંડિત્યથી આ નગરને પવિત્ર કર્યું હતું. આ વીર ગણિએ ગૂર્જર નરેશ ચામુંડ રાજને પોતાની માંત્રિક શક્તિથી આશ્ચર્યચકિત કર્યો હતો. લગભગ દશમાં અગિયારમા સૈકામાં આ નગરમાંથી ૧૮,૦૦૦ શ્રીમાલીઓ ચાલ્યા ગયા અને ગુજરાતની નવી રાજધાની પાટણ અને તેની આસપાસના ગામડાંઓમાં જઈને વસ્યા. આ રીતે ભિન્નમાલની (વસ્તીનો) સમૃદ્ધિનો પ્રવાહ ગુજરાત તરફ વળ્યો અને જોત જોતામાં પાટણ અને ગુજરાત સંપત્તિ અને શક્તિથી સંપન્ન બન્યું. ટૂંકમાં શ્રીમાલ પાટણને બધી રીતે પ્રેરક થઈ પડ્યું હતું. લગભગ ચૌદમા સૈકામાં આ ભિન્નમાલ ઉપ૨ નમતા પહોરનો સૂર્ય આથમી ચૂક્યો હતો. ઈ. સ. ૧૬૧૧ માં નિકોલસ ઉપલેટ નામને અંગ્રેજ વ્યાપારી આ શહેર ફરતા વેરાન બનેલા ૩૬ માઈલને વિસ્તારની અને સુંદર ટાંકાવાલા કિલ્લાની વાત કરે છે. આજે પણ ભિન્નમાલથી ૫-૬ માઈલ દૂર ઉત્તર તરફ જાલોરી દરવાજો, પશ્ચિમ તરફ સાંચોરી દરવાજો, પૂર્વ તરફ સૂર્ય દરવાજો અને દક્ષિણ તરફ ૮૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy