SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કામ કરવું. બપોર પછી ગામમાં જવું નહિ. ગામની બહાર નૈઋત્ય ખૂણામાં રહેવું. એ જાતિના બધા લોકોએ એક સાથે રહેવું. ને જો તેમ ન કરે તો તેમનો વધ કરવો. આ પ્રમાણે નિયમ કર્યા. શા માટે? તેનું કારણ બતાવતાં કહે છે કે, જાતિભેદમાં સૌથી નીચામાં નીચી જાતિ ચાંડાલની, સૌથી ઊંચી બ્રાહ્મણની, તેણે શૂદ્રની જાતિ સૌથી નીચી તેની સાથે સંસર્ગ કર્યો તેથી તેની પ્રજાને સૌથી અધમ ઠરાવી. આમ, ઊંચા વર્ણની સ્ત્રીઓ નીચા વર્ણ સાથે સંસગમાં ન આવે તેના માટે આ પ્રકારનાં સખત બંધન લગાવવામાં આવ્યાં. બ્રાહ્મણ બ્રાહ્મણ જાતિની કન્યા પરણ્યો હોય તો તેનાથી થનારી પ્રજા તે બ્રાહ્મણ ગણાય અને જો તે ક્ષત્રિય જાતિની કન્યા પરણે તો તેનાથી થનારી પ્રજા તે બ્રાહ્મણ નહિ પણ મૂર્ધાવિષિકત રાજ્યાભિષેક કરવાને યોગ્ય ઊંચા પ્રકારના ક્ષત્રિયની જાતિની થાય. બ્રાહ્મણને પરણેલી વૈશ્ય સ્ત્રીથી પ્રજા ઉત્પન્ન થાય તે અંબષ્ટ, વૈશ્યથી થોડી ચઢતા દરજ્જાવાળી અને મનુષ્યો તેમજ હાથી, ઘોડાનુવૈધક કરવાનો ધંધો કરીને નિર્વાહ કરવાના અધિકારવાળી જાતિ થાય. તેમજ બ્રાહ્મણને પરણેલી શૂદ્ર સ્ત્રીથી પ્રજા ઉત્પન્ન થાય તે નિષાદ અથવા પારારાવ નામની જાતિની પ્રજા ગણાય એનો દરજ્જો શૂદ્રથી જરા ઊંચો અને ધંધો સોનું ઘડવાનો કરીને નિર્વાહ કરવાનો અધિકાર ભોગવે. આ પ્રમાણે જાતિમત્સરના કારણે એક જ પુરુષથી થનારી પ્રજા પણ મોસાળના વર્ણ પ્રમાણે જુદી જુદી જાતિની અને જુદા જુદા અધિકારની થવા લાગી. અનુલોમ લગ્નથી એક બ્રાહ્મણ ત્રણ નવી જાતિઓ ઉત્પન્ન કરે, એ જ પ્રમાણે એક ક્ષત્રિય બે જાતિઓ વધારે અને એક વૈશ્ય એક જાતિભેદનો વધારો કરી શકે. આ અનુલોમ જાતિભેદ અને તેથી વિરુદ્ધ ખીજા પ્રતિલોમ જાતિભેદ એટલા ભેદ તો ફક્ત ચાર વર્ણોના મિશ્રણથી જ થતા હતા. જાતિભેદ આટલેથી જ અટક્યો નહિ પરંતુ પરસ્પર મિશ્રણથી ઉત્પન્ન થયેલી વર્ણસંકર જાતિઓ જે કોઈની સાથે લગ્ન કરે તે દરેક લગ્નથી થનારી પ્રજાની જાતિ નવી. તેમનો દરજ્જો અને તેમના નિર્વાહની વ્યવસ્થા પણ નવી. આમ, ખૂબ જ વિશાળ સ્વરૂપ થઈ ગયું. કોઈપણ બે જાતિનો અનુલોમ પ્રતિલોમ દરજ્જો ઠરાવવાનું કામ શાસ્ત્રકાર બ્રાહ્મણોનું હતું. શાસ્ત્રકારો શાસ્ત્રના મૂળ ૨૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy