SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ "મધુપુરી (મહુડી) તીર્થની પ્રાચીનતાનો ઈતિહાસ અને ખડાયત ગામની પ્રાચીનતા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખડાયત ગામ પાસે કોટયાર્કનું જનું મંદિર છે. જ્યાં ખડાયતા વણિકો દર્શન કરવા આવે છે. અત્યારે મહુડીમાં છે એ તો નવું મંદિર છે. વિજાપુરથી અગ્નિ ખૂણામાં સાબરમતી નદી ઉપર ખડાયત ગામ વસેલું હતું. આ ગામ એક હજાર વરસ ઉપરાંત જૂનું હોવાનું મનાય છે. મુસલમાનોને શાસન દરમિયાન આ ગામ ભાંગી ગયું હતું. ખડાયત ગામમાં હાલ કોઈ ઘર નથી પરંતુ તેની પાસે નવું ખડાયત ગામ ઠાકોરોએ વસાવ્યું હોવાનું મનાય છે. ખડાયત ગામ સંસ્કૃતમાં ખડાયતન નગર તરીકે પ્રસિદ્ધ છે. માળવાના રાજા ગદર્ભસેનની રાજ્યની હદ ખડાયતા સુધી હોવાનું મનાય છે. ગદર્ભસેનને ગર્દભી વિદ્યા સાધ્ય હતી. ખડાયતા પ્રાચીન નગર છે. નદીમાં જૂની વાવ છે. નદીમાં કોઈ વાવ કરાવે નહિ પરંતુ આ વાવનું અસ્તિત્વ એ પુરાવો આપે છે કે નદી ત્યાંથી દૂર હોવી જોઈએ. મહુડીના આરે કોટયર્ક મંદિરના માર્ગે એક કૂવો પણ છે. ખડાયતમાં ભીલ ઠાકોરોની વસતી વધુ હતી. જૂના ખડાયત ગામમાંથી ખોદકામ કરતાં જેનતીર્થકર અજિતનાથ ભગવાનની ચાર હાથ ઊંચી પ્રતિમા મળી હતી તેથી એ ફલિત થાય છે કે આ નગરમાં જૈન દેરાસર વિદ્યમાન હતું. તેના અવશેષો ક્યાંક ક્યાંક નજરે પડે છે. મુસ્લિમ શાસન દરમિયાન વારંવાર હુમલાથી કંટાળીને કહે છે કે નડિયાદ, મોડાસા, હલધરવાસ, ઉમરેઠ વગેરે ત૨ફ સ્થળાંતર કરી ગયા. જૈનાચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ વિજાપુર વૃત્તાંત નોંધ્યું છે તેમ ખડાયતા વાણિયાઓ પહેલાં જેન શ્રાવકો થયા એમ જૈન ધાતુ પ્રતિમાના લેખ ઉપરથી માલૂમ પડે છે. ગુજરાતના સુલતાન અહમદ શાહના વખતમાં ૫૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy