SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન તીર્થ ભીનમાલ શ્રીમાલ (રાજ.) ગુજરાતની પ્રાચીન રાજધાનીનું મુખ્ય નગર ભિન્નમાલ એક સમયે ખૂબ પ્રસિદ્ધ હતું. આ નગર કોણે વસાવ્યું એનો ઈતિહાસ મળતો નથી પણ લોકસાહિત્યના આધારે આ નગરનું અસ્તિત્વ અતિ પ્રાચીન કાલથી હતું એમ જણાય છે. પુરાણોના કથન મુજબ આ નગરના ચાર યુગમાં જુદા જુદા નામો હતાં. સત્યયુગમાં તેનું નામ શ્રીમાલ, ત્રેતા યુગમાં રત્નમાલ, દ્વાપર યુગમાં પુષ્પમાલ અને કલિયુગમાં ભિન્નમાલ હતું. છેલ્લું નામ ભિન્ન અને માલ નામની જાતિઓના કારણે પડ્યું. ઈતિહાસવિદોનું માનવું છે વસ્તુત: શ્રીમાલ ચાર વખત કરતાં પણ વધુ વખત લૂંટાયું છે. એને જ યુગની કલ્પનામાં ઘટાવાયું હશે. બીજાં બે નામો કરતાં શ્રીમાલ અને ભિન્નમાલ એ નામો લોક પ્રસિદ્ધ રહ્યાં છે. શ્રી માલમાંથી ભિન્નમાલ નામનો ફેર કોઈ ઘટના વિશેષને આભારી જણાય છે. શ્રી થી ભિન્ન એવું ભિન્નમાલ એવો સંકેત જ આમાંથી ફલિત થતો લાગે છે. પરંતુ અહીં એની ચચનિ અવકાશ નથી. લોક સાહિત્યના આધારે આ નગરીની કેટલીક તાવારીખો બોમ્બેમાં નોંધેલી છે. એ મુજબ જગત સ્વામી સૂર્યમંદિર સંવત ૨૨૨ માં અહીં બંધાયું. સં. ૨૬૫ માં આ નગરનો ભંગ થયો. સં.૪૯૪ માં આ નગ૨ લૂંટાયું સ. ૭૦૦ માં આ નગર ફરી રચાયું. સં. ૯૦૦ માં ત્રીજીવાર લૂંટાયું સં. ૯૯૫ માં આ નગરનો ફરીથી સંસ્કાર થયો. અને ચૌદમા સૈકાના આરંભ સુધી એની જાહોજલાલી જળવાઈ રહી છે. આજે ૩૦૦૦ જન સંખ્યાવાળું નાનું શહેર છે. લગભગ ૨૦૦૦ જેનોનાં ઘરો છે. આ હકીકત ઉપરથી આ નગર ઉપર ફરી વળેલા ભરતી ઓટના ચક્રનો ખ્યાલ આવે છે. જૈન સાહિત્ય આ નગરમાં બની ગયેલી કેટલીક વિશિષ્ટ ઘટનાની નોંધ કરે છે. અહીંના એક જૈન મંદિરના ખંડિયેરમાંથી સં. ૧૩૩૩ ને શિલાલેખ મળી આવ્યો છે જેની નોંધ અમે આગળ આપીશું તેમાં જણાવ્યું છે કે ભગવાન મહાવીર સ્વામી અહીં શ્રી માલમાં પધાર્યા હતા. જો કે આ ૭૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy