SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે આ ત્રણે શબ્દોને માટે સેંકડો સાબિતી વિદ્યામાન છે અને આનાથી એ ફલિત થાય છે કે પહેલા ઉપકેશપુર ત્યારબાદ ઉપકેશવંશ અને તે પછી ઉપકેશગચ્છ નામકરણ થયાં છે. અને આ ત્રણે શબ્દો એકબીજા સાથે ઘનિષ્ટ સંબંધ ધરાવે છે. સારાંશ : આજે આપણે જેને ઓસિયા નગરી કહીએ છીએ તેનું મૂળ નામ ઉપકેશપુર છે અને આ ઉપકેશપુરનું અપભ્રંશ ઓસિયા વિક્રમની અગિયારમી શતાબ્દીની આસપાસ થયેલ છે અને ત્યાંથી ઉપકેશપુરને લોકો ઓસિયા કહેવા લાગ્યા. તેમ છતાં સંસ્કૃત સાહિત્યના લેખકોએ આ નગરીનું નામ ઉપકેશપુર જ લખ્યું છે. જેઓને આપણે ઓસવાલ કહીએ છીએ તેઓનું મૂળ નામ ઉપકેશવંશ છે. જ્યારથી ઉપકેશવંશનું અપભ્રંશ ઓસિયા થયું ત્યારથી ઉપકેશવંશ અપભ્રંશ પણ ઓસવાળ થઈ ગયું. તેમ છતાં શિલાલેખો વગેરેમાં આ વંશનું નામ ઉપકેશવંશ જ લખેલું માલૂમ પડે છે. અગર કોઈને પણ ઓસવાલના નામનો ઈતિહાસ જોવો હશે તો વિક્રમની અગિયારમી શતાબ્દી પહેલાં તો નહિ જ મળે. કારણ કે તે વખતે આ જ્ઞાતિનું નામ સંસ્કરણ પણ થએલ નહોતું. પણ તેથી કદી એમ માનવાને કારણ નથી કે ઓસવાલ જાતિનો ઈતિહાસ વિક્રમની અગિયારમી શતાબ્દી પૂર્વે ન મળે. કારણ કે અગિયારમી સદી પૂર્વે આ જ્ઞાતિનું નામ ઉપકેશવંશ હતું. એટલે અગિયારમી સદી પહેલાંનો ઈતિહાસ ઉપકેશવંશના નામથી જ મળશે. જ્યારથી આ જ્ઞાતિ પ્રકાશમાં આવી ત્યારે તેનું નામ ઉપકેશવંશ પણ નહોતું. પણ તે વખતે નામ મહાજનવંશ હતું. ત્યારબાદ ચાર-પાંચ સદીઓ પછી ઉપકેશવંશના લોકો બીજે અન્ય સ્થાનમાં જઈ વસ્યા તે કારણથી મહાજનવંશનું નામ પછી ઉપકેશવંશ પડ્યું. પરંતુ જે મહાનુભાવોએ આ બાબતનો ઈતિહાસ જાણવાની આછીપાતળી પણ મહેનત કરી છે, તેઓ ખુદ કહી શકશે કે જેન ઘર્મ તો એક રાષ્ટ્રિય ધર્મ છે. ૧૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy